બુધવાર, 27 જૂન, 2012

પુનઃજન્મની નદી - દેવદત્ત પટ્ટનાઇક

સાગર નામે એક રાજા એક વાર યજ્ઞ કરી રહ્યા હતા.જો તેમાં તેમને સફળતા મળે તો તે સ્વર્ગના રાજા ,ઇન્દ્ર, થઇ જઇ શકે તેમ હતું,અને તેમ થાય તો તેને અમરત્વ સહિતનાં દુનિયાનાં બધાં જ સુખો મળી જઇ શકે.પરંતુ આકાશમાં એક ઇન્દ્ર તો પહેલેથી જ છે અને તેમને કોઇ હટાવી ને સ્થાનફેર કરી જાય એવું સ્વિકારી શકે તેમ નહોતા. એટલે ઇન્દ્રએ સાગરનો અશ્વ ચોરી લઇને કપિલ ઋષિના આશ્રમમાં છૂપાવી દીધો.સાગરના પૂત્રોએ અશ્વમાટે ચારેબાજૂ શોધખોળ કરી.તેઓએ તે માટે એટલું બધું ખોદી નાખ્યું કે તે ખાડામાં સમુદ્ર સમાઇ જાય. આખરે તેઓને કપિલ ઋષિના આશ્રમમાં અશ્વ મળી આવ્યો, એટલે તેમણે કપિલ ઋષિ પર ચોરીનો આક્ષેપ મૂક્યો. આ બધું થયું ત્યારે કપિલ આંખ બંધ કરીને ધ્યાનમાં બેઠા હતા.તેથી તેમને ઇન્દ્રની આડોડાઇની ખબર નહોતી. આ બધા ઘોંઘાટને કારણે ઋષિ ચીડાઇ ગયા અને તેમણે આંખો ખોલી. તેમની નજરમાં એટલો તાપ હતો કે તેમની સામે મોટેમોટેથી આક્ષેપબાજી કરી રહેલા સાગરના પૂત્રો તેની જ્વાળાં ભસ્મીભૂત થઇ ગયા. ઇન્દ્રએ સ્મિત કર્યું અને કપિલ ઋષિએ તેમની આંખો પાછી બંધ કરી લીધી.

હૃદયભગ્ન સાગરના મનમાં પ્રશ્ન ઘુમરાઇ રહ્યો,"મારા પૂત્રો યુવાનીમાં જ માર્યા ગયા.હું પણ ઘરડો થઇશ અને મૃત્યુ પામીશ.અમારામાંથી કોઇ ઇન્દ્રત્વ નહીં પામી શકે.યજ્ઞ પણ અધૂરો જ રહી ગયો.અમારામાંના કોઇ ને અમરત્વના રસ સમાન અમૃતનું એક ટીપું પણ નસીબ ન થયું. અમને કોઇને સાશ્વત સુખનો અનુભવ નહીં થાય.શું દરેક સજીવ પ્રાણી આમ અધુરાં જીવન જીવીને મરી જવા જ સર્જાયેલ છે?" સાગર આખી જીંદગી આનો જવાબ શોધતા રહ્યા.તેમ જ તેનો પુત્ર અંશુમાન, અને તે પછી તેનો પૂત્ર દિલિપ અને છેલ્લે તેનો પૂત્ર ભગીરથ આ જવાબ શોધતા રહ્યા.ઇન્દ્રને યુધ્ધમા હરાવનાર પ્રાણી ગરૂડને ભગીરથ જઇને મળ્યા.તેમણે કહ્યું,"જો તમારા વડવાઓનાં અસ્થિ ગંગામાં ધોવાય તો તેઓનો પુનઃજન્મ થઇ શકે.
મુશ્કેલ વાત તો એ હતી કે ગંગા તો આકાશમાં વહેતી હતી.ભગીરથે સમગ્ર બ્રહ્માંડના પિતા, બ્રહ્માને આરાધના કરી કે તેઓ ગંગાને પૃથ્વી પર અવતરણ કરવા સમજાવે. આજે, તે પછીથી ગંગા પૃથ્વી પર વહે છે.તેમને નદીમાં ખેલતી ડૉલ્ફીન તરીકે કલ્પવામાં આવે છે.દરેક વ્યક્તિ પોતાનાં કર્મોની પાટી સાફ કરવાના આશયથી તેમાં સ્નાન કરે છે.મૃત લોકોનાં અસ્થિ પણ ગંગામાં પધરાવવામાં આવે છે.
પુનઃજન્મની પરિકલ્પનાછે, અને ગંગાને છૂટાં પાડી શકાય તેમ નથી. જેને અમરત્વનું રસ એવું અમૃત પ્રાપ્ય છે,નદી તેવા ઇન્દ્રના પ્રદેશમાંથી આવે છે.વેદની ઋચાઓના નાયક, ઇન્દ્ર જેવું જીવન પૃથ્વી પરની દરેક વ્યક્તિ જીવવા ઇચ્છે છે.તે મજબૂત અને શક્તિશાળી તેમજ આકર્ષક અને અજેય છે.તેનો આખો દિવસ જીવનની બધી જ સારી વસ્તુઓ ઉપભોગવામાં વપરાય છે.  સાગર જેવા પૃથ્વી પરના રાજાઓ તેની ઇર્ષ્યા કરે છે.તેમને બધાને ઇન્દ્ર જેવી સંપૂર્ણ જીંદગી જીવવી છે.તે માટે તેઓ તેમનું આખું આયખું તેની શોધમાં વિતાવી દે છે.  જો કે આખરે તો તેમાં કોઇ સફળ નથી થતું - સાગરના પૂત્રોની જેમ કેટલાક યુવાનીમાં જ મૃત્યુ પામે છે તો કેટલાક ખુદ સાગરની જેમ વૃધ્ધ થઇને મૃત્યુ પામે છે.બધાને એક વાતનું આશ્ચર્ય હંમેશ રહે છે કે શું તેમને ઇન્દ્ર થવા માટે બીજી તક મળશે ખરી?

Ø  સનડૅ, મીડડૅની દેવલોક પૂર્તિમાં ઍપ્રિલ ૧૫,૨૦૧૨ના રોજ પ્રસિધ્ધ થયેલ.
v  મૂળ અંગ્રેજી લેખ River of rebirth, લેખકની વૅબ સાઇટ Devdutt.com પર, મૅ ૧૯, ૨૦૧૨ના રોજ Indian Mythology ટૅગ હેઠળ વાંચી શકાશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો