પાંડુ પોતાનાં બાળકો
જન્મ ન આપી શકે એવો એને શ્રાપ હતો.આ કારણે એને લાગ્યું કે તે રાજ કરવા પાત્ર નથી, એટલે
પોતાની પત્નીઓને પૂછ્યા સિવાય જે તેણે રાજગાદી ત્યાગી દીધી અને વનમાં જઈ
વસ્યા.ત્યાં એમને જાણવા મળ્યું કે તેમનાં મોટાં પત્ની કુંતીને વરદાન હતું કે તેમને
એક મંત્રનું જ્ઞાન છે જેના થકી દેવોનું આહ્વાન કરીને તેમને બોલાવી શકે અને તેમના
થકી તે પુત્રસંતાનને જન્મ આપી શકે છે. આ વરદાનની કિંમત જાણ્યા પછી પાંડુને લાગ્યું
કે તેમણે રાજગાદી ત્યાગ કરવામાં ઉતાવળ કરી નાખી છે. તરત જ તેમણે કુંતીને નિષ્પક્ષ
શાસન કરનાર દેવ, ધર્મ,નું
આહ્વાહન કરવા કહ્યું. આમ કરવાથી જે પુત્ર જન્મ્યો એ તે યુધિષ્ઠિર તરીકે ઓળખાયો. તે
જ રીતે પવનના દેવ વાયુ વડે હનુમાન જેવા શક્તિશાળી પુત્ર, ભીમ,નો
જન્મ થયો.વર્ષા અને આકાશના દેવ ઈન્દ્ર વડે નિપુણ ધનુર્ધારી અર્જુનનો જન્મ થયો.
પાંડુને તો હજૂ વધારે પુત્ર જોઈતા હતા, પણ
કુંતીએ કહ્યું કે તે આનાથી વધારે વાર આ મંત્રનો પ્રયોગ ન કરી શકે. એટલે પાંડુએ
કહ્યું કે તે એ મંત્ર માદ્રીને શીખવાડે. જેના જવાબમાં કુંતી એ કહ્યું કે 'ના
તે એમ નહીં કરે. જો માદ્રી મારા કરતાં વધારે પુત્રોને જન્મ આપશે તો એના અને મારા
પુત્રો વચ્ચે કંકાસ થશે, જે કોઈના પણ હિતમાં
નહીં હોય.'
આમ પાંડુએ પોતે શરૂ
શરૂમાં કરેલી ઉતાવળના નિર્ણયને કુંતીની ક્ષમતાની મદદથી સુધારી લીધો. જ્યારે તેણે
વધારે પુત્રો માટે મેળવી લેવા માટે લોભ કરવા માંડ્યો ત્યારે કુંતી તેમને ચેતવ્યા
પણ ખરા, કેમકે નાની રાણીને પોતાના કરતાં વધારે પુત્રો
હોય તો કુટુંબમાં વિખવાદ થવાની સંભાવનાઓ પણ તે જોઈ શકતાં હતાં.
હવે, જોઈએ
આનાથી વિરૂધ્ધ કહી શકાય એવી કૌરવોના જન્મની કથા.
પોતે અંધ હોવાને
કારણે મોટા હોવા છતાં તેમને રાજગાદીથી
વંચિત રાખવામાં આવ્યા હતા એ બાબતે ધૃતરાષ્ટ્ર બહુ ધુંવાપુંવા રહેતા હતા. પાંડુ
પોતાની મર્દાનગી સાબિત કરીને પુત્ર સંતાનનો જન્મ કરાવી શકે તે પહેલાં પોતાના પુત્ર
થઈ જાય તે માટે તલપાપડ બનીને આકાશપાતાળ એક કરવા કૃતનિશ્ચયી હતા. ગાંધારી પહેલાં
ગર્ભવતી થયાં હતાં તો પણ, કમનસીબે, ખાસ
વરદાનથી જન્મ પામવાને કારણે યુધિષ્ઠિરનો જન્મ સૌથી પહેલો થયો. નસીબના આ અવળા ખેલને
સ્વીકારી લેવાને બદલે ક્રોધે ભર્યા ધૃતરાષ્ટ્રએ 'તેની
આ નિષ્ફળતા' માટે ગાંધારીને દોષિત કરાર કર્યાં અને ખૂબ
ઝઘડો કર્યો. પરિણામે ખૂબ અકળાઈ ગયેલ ગાંધારીએ લોખંડના દંડની મદદથી પોતાનાં પેટ પર
પ્રહારો કરીને વહેલી પ્રસુતિ કરાવડાવવાનો હુકમ તેની દાસીને કર્યો. હવે થયું એવું કે સમય પહેલાં સંતાનનો
જન્મ થવાને બદલે તેના ગર્ભમાંથી ઠંડોગાર, ધાતુનો
બન્યો હોય કઠણ, માંસનો લોચો રડી આવ્યો. ગાંધારી ભયભીત બનીને
આક્રંદ કરવા લાગ્યાં. પછી તેમણે વ્યાસ ઋષિ પાસે મદદની ભીખ માગી. તેમણે વ્યાસજીને
તેમણે 'સો પુત્રની માતા થા' એવા
આશીર્વાદની યાદ કરાવીને દબાણ કર્યું. ગાંધારીને એક પુત્રી પણ જોઈતી હતી,એટલે
પેલા લોચાને ઉઠાવીને વ્યાસજીએ તેના ૧૦૧ ટુકડા કરી નાખ્યા. પછી એ ટુકડાઓને ઘીથી
ભરેલા એક કુંભમાં નાખીને મંત્રોચ્ચાર કર્યો. કુંભને તોડ્યા પછી એમાંથી ૧૦૦ કૌરવો
અને એક તેમની બહેન દુશલાનો જન્મ થયો.
સો સો પુત્રોમાંથી આપણને
માંડ બે કૌરવોના નામ યાદ છે - ભીમ સાથે ગદા યુધ્ધામાં મૃત્યુ પામેલ દુર્યોધન અને
સારાસારનો વિચાર કર્યા સિવાય પોતાના મોટા ભાઈના હુકમનો આંધળો અમલ કરનાર દુશાસન.
બાકીના ૯૮ એટલા બિનમહત્વના છે કે આપણને તેમનાં નામ સુધ્ધાં ખબર નથી.
કૌરવોના પક્ષે આટઆટલી સંખ્યા હોવા છતાં, ખરી
પ્રતિભાઓનો દુકાળ હોવાને કારણે દુર્યોધને ખુબ પ્રતિભાશાળી પણ અતિમહાત્વાકાંક્ષી
એવા સારથિપુત્ર કર્ણ અને પોતાના ગુરુ દ્રોણના પુત્ર અશ્વસ્થામાની પોતાના પક્ષમાં
ભરતી કરવી પડી હતી. અને તેમ છતાં, વધારામાં, મનથી
પાંડવોને પક્ષે હતા એવા તેના પોતાના વડીલ ભિષ્મ પિતામહને, અને
પોતાના ગુરુ દ્રોણાચાર્યને, મનાવી પટાવીને, પોતાના
પક્ષે લેવા પડ્યા. સો ભાઈઓમાંના એક હોવાને કારણે દુર્યોધનને પોતાની આંખે પટ્ટી
બાંધીને દૃષ્ટિહીન બનેલ તેની મા ગાંધારી પાસેથી મળવું જોઈએ તેટલું ધ્યાન પણ ન
મળ્યું કે ન મળ્યું જેને બીજાં બધાંથી પોતાની ગાદીની વધારે પડી હતી એવા તેના પિતા
ધૃતરાષ્ટ્ર પાસેથી.
બીજા શબ્દોમાં કહીએ તો એક જ મા અને એક જ પિતાથી જન્મેલા, કૌરવો
આંકડામાં જેટલા વધારે હતા તેટલાજ વધારે પોતાને અસલામત અનુભવતા રહેતા હતા અને
આવડતમાં એટલા જ ઓછા રહ્યા હતા. જ્યારે, સામે
છેડે, બે મા અને જૂદા જૂદા(સરોગેટ) પિતાઓથી જન્મેલા
પાંડવો સંખ્યાબળમાં ઓછા હોવા છતાં આવડતમાં અને એકબીજા માટેના પ્રેમની બાબતે ખુબ
શક્તિશાળી હતા, અને માટે બહુ જ ઓછી અસલામતી અનુભવતા
હતા.
આમ આ કથાઓ આપણને અકારણ ઉતાવળની ચૂકવવી પડતી કિંમત અને વિશ્વાસના
અભાવમાંથી જન્મતી અધીરાઈનાં પરિણામો આપણી સમક્ષ રજૂ કરે છે.પાંડવોનો જન્મ
જવાબદારીની યોગ્ય વહેંચણી અને જરૂર પડ્યે જૂદા જૂદા કેટલાય (સરોગેટ પિતાઓની)
લોકોની સક્ષમ મદદથી થયેલ છે. માનવ સંબંધોમાં સત્તાના ખેલ અને હિતોના ટકરાવના
આટાપાટાથી જન્મતાં રાજકારણની અસરોથી આગોતરા ચેતી તેમની સંખ્યા પણ નિયમન હેઠળ રહી.
જ્યારે, કૌરવોનો જન્મ ઉદ્વેગ અને ક્રોધાવેશવાળાં
વાતવરણમાં થયો. પરિણામે, સંખ્યામાં વધારે હોવા
છતાં પ્રતિભામાં કૌરવો એટલા સામાન્ય હતા કે લાંબે ગાળે સુરાજ્ય ચલાવવા માટે પણ તેઓ
અપાત્ર પણ નીવડ્યા.
ધ ઈકોનોમિક ટાઈમ્સમાં ૧૨ સપ્ટેમ્બર, ૨૦૧૪ ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Recruiting Leaders in the Mahabharata, નો અનુવાદ
§
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૮ નવેમ્બર, ૨૦૧૭
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો