પુરાણ કાળની
મોટા ભાગની કથાઓમાં આપણે જોયું છે કે કોઈ એક વ્યક્તિ ધ્યાન લગાવીને કઠોર
તપસ્યામાં ઉતરી જાય કે એક અપ્સરા તેની પાસે આવી, તેની સામે એવી રીતે નૃત્ય કરે કે પેલાની આંખ ખૂલી જાય અને તપનો ભંગ થઈ જાય.
તપસ્યાનો હેતુ હોય સમાજની માયાથી મુક્ત થઇ, મગજને સચેત કરીને તપનો માનસિક અગ્નિ જગવવો, જેની આગની ગરમીમાં બધું અજ્ઞાન બળી જાય
અને તે આગનાં અજવાળાંના પ્રકાશમાં સામે રહે માત્ર વિવેકવિચારપૂર્ણ ડહાપણ. તપની સફળતા
સામાન્ય માનવીને તપસ્વી બનાવી મૂકે છે. આ કિસ્સામાં જે અગ્નિ છે તે આંતરિક માનસિક
અગ્નિ છે જેને કોઈ બાહ્ય ઈંધણની જરૂર નથી રહેતી.
પણ અપ્સરા એ તેના માર્ગનો સૌથી મોટો અંતરાય છે. સંસ્કૃત
મૂળ અપ્સ, પાણી, પરથી ઉદ્ભવેલ 'અપ્સરા'નો શાબ્દિક અર્થ છે પાણીની રમણી.તે ખરેખર તપસ્વીનાં મનનો અગ્નિ પોતાનાં
સૌંદર્યના પાણી વડે ઓલવી નાખે છે અને પોતાનાં સૌંદર્યના મોહપાશમાં લપેટીને
તપસ્વીની એકાગ્રતા ભંગ કરાવી તેની આંખો ખોલાવી નાખે છે. આ માનસિક નિયંત્રણના ભંગને
સાહિત્યિક ભાષામાં 'વિર્યસ્ખલન'તરીકે વર્ણવવામાં આવે છે.
ફેસબુક પરનું અપડેટ કે વૉટ્સઍપનાં નોટીફીએશન પણ અપ્સરા
જેવાં છે, તેને લાઇક
કરવુંપડે કે અનલાઈક કરવું પડે, ફોરવર્ડ કરવુંપડે
કે ડીલીટ કરવુંપડે એવી લાલચમાં પળોટીને તમારી પ્રતિક્રિયા માગે જ.કેટલાક 'તપસ્વીઓ' તો તેનાથી એટલા
પ્રભાવિત થઈ જાય કે પોતપોતાની હોકી સ્ટિક્સ હાથમાં લઇ ને કોઈને મરણતોલ માર મારવા
દોડી પડે.
પુરાણની એક કથામાં એમ કહેવાયેલું જોવા મળે છે અપ્સરાઓના
ચહીતા, ઈચ્છાઓના દેવ, કામે, બ્રહ્માંડના
સૌથી મહાન તપસ્વી શિવની કામનાઓને ઉત્તેજિત કરવાની સળી કરી ત્યારે શિવનાં ત્રીજાં
નેત્રમાંથી ક્રોધની જ્વાળાઓ નીકળી જેનાથી કામદેવ ભસ્મ થઈ ગયો. શિવને આવાં ટાયલાં
જરા પણ પસંદ નહોતાં.
ત્યારે કામે દેવી શક્તિમાં પુનર્જન્મ કર્યો અને તેઓ
કામાખ્યા (કે કામાક્ષી) કહેવાયાં. તેમણે કામનું શેરડીના સાંઠાનું ધનુષ્ય અને ફુલાચ્છાદિત
બાણ હાથમાં લીધું અને શિવને લલકાર્યા. આ કોઇ સીધી સાદી લડાઈનો લલકાર નહોતો. આ તો
ચાહતની લડાઈ હતી. ગુસ્સાથી તિલમિલાયેલ શિવને તેમણે પ્રાર્થના કરી કે તેમની આંખો
ખોલીને પોતા તરફ એક નજર કરે. જગતના વ્યવહારોમાં તેમનું, કામનું પણ એક સ્થાન છે, અપ્સરાઓનું પણ
સ્થાન છે, જે સંસારનો
તપસ્વીએ ત્યાગ કર્યો છે તેનું પણ એક સ્થાન છે, તે બધાં સિવાય દુનિયાના કેટલાક અનુભવોમાથી પેદા થતું જ્ઞાન સંભવ નથી. શિવને
તેમની વાત ગળે ઉતરી અને તેઓ શંકર બન્યા અને શક્તિના પતિ બનવાનું સ્વીકાર્યું.
તેમણે શક્તિને એટલું જોરથી આલિંગન કર્યું કે શક્તિ તેમનું અરધું અંગ બની ગયાં.
આજે એક એવો બહુ મોટો વર્ગ છે જે તમામ 'અપ્સરાઓ'નો નાશ કરવા
માગે છે.જે તપસ્વીઓ પ્રલોભન, ઉશ્કેરણી, લાલચ, મોજમજા કે
મોહપાશનો ત્યાગ કરે છે તેમને આપણે વિરોચિત સન્માનની નજરે જોઈએ છીએ. આ દોષશોધન એ સેન્સરનું પ્રાથમિક કર્તવ્ય બની રહે છે.
આજના સમયમાં 'નૈતિક' વ્યવહારની
દુહાઇ દેનારી આંતરરાષ્ટ્રીય કંપનીઓ ગોરા થવામાટેનાં ક્રીમની જાહેરાતો કરે છે. 'દેશાભિમાની' રાષ્ટ્રીય
કંપનીઓની જાહેરાતોમાં અંગ્રેજીની છાંટ વાળી બોલી અને છટાઓ ધરાવતી ગોરી ચામડી
ધરાવતી યૌવનાઓ જ ઈચ્છાઓના ખાલી ટોપલા લઇને વાટ હોતી ભારતીય ગૃહિણી કે બાળકોને તેમની અપેક્ષાઓઅને 'સંતોષતાં" ઉત્પાદનો અને સેવાઓ વેંચવા માટે મૉડેલ તરીકે પસંદ કરવામાં
આવતી જોવા મળે છે.તેમને નીતિ અને સભ્યતાની સીમામાં રાખવા માટે આપણે સેન્સરની
ત્રીજી આંખનો ઉપયોગ કરતાં રહીએ છીએ, અથવા તો આપણે એવા જ્ઞાની તપસ્વી બનવાનું પસંદ કરીએ છીએ જે સમજે છે કે આ 'અપ્સરાઓ' તો આપણી મૂળભૂત વાસનાઓ અને માનવ સહજ નબળાઈઓનું જ પ્રતિબિંબ છે.તેઓ આપણી આવી
કઈ નબાળાઇઓને સુધારવાની છે કે આપણું સ્વમાન અને પોતાનું નીતિમત્તનું ધોરણ કેવા
નબળા મંચ પર ઊભું છે તેના તરફ અંગુલિનિર્દેશ કરે છે. તેઓ તો આપણા ખરાં ગુરુ છે.
વિષ્ણુ પણ એટલે જ મોહિનીનું રૂપ ધારણ કરીને લોકોને આકર્ષતા રહે છે. મોહાકર્ષણનાં
માધ્યમથી તેઓ આપણી અધુરી વાસનાઓ વિષે આપણને જાગૃત કરવા માગે છે.
‘ધ મિડ-ડે' માં
૨૨ જુન,૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
§ દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Kill the Aspara. નો અનુવાદ
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૧૮ જાન્યુઆરી, ૨૦૧૭
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો