લેબલ Rajesh Setty સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Rajesh Setty સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 5 એપ્રિલ, 2017

થોડુંક વધારે, થોડુંક ઓછું...




ઘણી વાર આપણા મનમાં સવાલ ઊઠે છે કે કેમ કરીને પ્રગતિ સાધતા રહેવું?
સવાલનો કોઈ સીધો કે સચોટ જવાબ તો છે નહીં.
જ્યારે પણ કંઈ નવું કરવાનૂં નક્કી કરતાં હોઈએ, અને તે માટે અવનવા ઉપાયો વિષે વિચારતાં હોઈએ, ત્યારે વિચારવાલાયક ગણી શકાય એવો એક રસ્તો છે ખરો...
તેના મૂળમાં બે જ બાબતો છે જેને હંમેશાં ધ્યાનમાં રાખવી જોઈએ.
૧. થોડુંક વધારે
૨. થોડુંક ઓછું
આના પર થોડી વધારે વાત કરીએ :
૧. થોડુંક વધારે
આપણે એટલું તો કરવા જેટલાં તો સમજૂ છીએ જ કે :
ક) જે બજારમાં કંઈ મૂલ્યવાન ગણાય તે કરીએ, અને
ખ) (ક) કરવા માટેની આપણી ક્ષમતા વધારે તે કરીએ.
આ બન્ને બાબતે જો સતત થોડું થોડું કંઈક વધારે કરતાં રહીશું તો તેના ફાયદા અનેક ગણા પરવડશે.
૨. થોડુંક ઓછું
આ તો સહેલું છે. જ્યારે આપણે આપણાં ધારેલાં કમ કરવા માટે કમર કસીને મચી પડતાં હોઈએ છીએ ત્યારે તેમાં કેટલીય પ્રવૃત્તિઓ એવી સામે આવે છે જે ધ્યેયસિધ્ધિમાં મદદરૂપ ન થતી હોય કે પછી નડતરરૂપ જ થતી હોય.એવી પ્રવૃત્તિઓ થોડી ઓછી કરવાથી જે સમય, શકતિ અને વિચાર કરવા માટેનો અવકાશ આપણી પાસે ફાજલ પડશે તે ઉપર કહ્યું તે થોડું વધારે કરવામાં સીધું જ મદદરૂપ થશે.
સૈધ્ધાંતિક રીતે તો આ વાત દેખાય સાવ સીધી.
તેને થોડું વધારે કરવા માટે નિશ્ચયની જે ગાંઠ મારવી પડે તે ખરી મજબૂત હોવી જોઈએ.....



બુધવાર, 28 ડિસેમ્બર, 2016

લઘુ ગાથા - ગુચ્છ ૧૫




બીજી ઓવરને અંતે બેટ્સમેન આક્રમક અદામાં નજદીકના ફિલ્ડર તરફ ધસતો હતો. અમ્પ્યાર કૈલાસે તેને તરત જ પાછા આવી જવા કહ્યું.

બેટ્સમેને પૂછ્યું, 'પણ કેમ?"

કૈલાસે એટલી જ કડકાઈથી કહું, 'ચાલુ મેચે ફિલ્ડર સાથે ટંટો મારી પાસે નહીં ચાલે.'

ગુંચવાયેલ બૅટ્સમેન બોલ્યો, 'પણ હું તો બુટની વાધળી બંધાવવા જતો હતો !'
કોઈ વાર આપણે આપણી ફરજ (જાણ્યે અજાણ્યે) વધારે પડતી ગંભીરતાથી નિભાવતાં હોઈએ છીએ !
# ૧૩૩ – બૂમરેંગ

પ્રોગ્રામના એક બગ વિષે તપસ અને તમસ વચ્ચે દલીલબાજી ચાલી રહી હતી. સમસ્યાના સંભવિત ઉકેલ અંગે બંનેના અભિપ્રાય સામસામા અંતિમે પહોંચી ગયા હતા. તપસે ગુસ્સામા આવીને કહ્યું, 'તું હવે જે કંઈ કહીશ તે મહત્ત્વનું નથી, કારણકે તારી એકોએક દલીલ સાવેસાવ ખોટી રહી છે.' તમસે ઠાવકાઈથી જવાબ દીધો, 'તું સાચો છે.'
ગુસ્સામાં  હોઈએ ત્યારે થુંકેલું ગળવાનું આવે એવું બોલાઈ જવાની શકયતાઓ રહેલી જ હોય છે.

#૧૩૪ - ચક્રાવામાં


વાયએમસીએની બહાર તરફ ભાગતી કૃષ્ણાએ કાવેરીને લગભગ પાડી કાઢી. તે તો પોતાના ફોનમાં વાતો કરવામાં મશગુલ હતી -'સૉરી..હું મારા ક્લાયંટ સાથે વ્યસ્ત છું એટલે વાત કરવામાં મોડું થયું'. કાવેરી પોતાના હોશકોશ સંભાળે એટલી વારમાં તો કૃષ્ણા પાછી વાયએમસીએ તરફ દોડતી હતી - 'તમે વાયએમસીએમાં છો. તો તો પછી વાત કરીશું'.

ઘણાં લોકો ચક્રાવામાં એટલે ફસાતાં હોય છે કે તેઓને બન્ને પગ ચક્રાવામાં નાખવાનો શોખ હોય છે.


મંદિરના દરવાજે લખ્યું હતું - 'આપનાં જૂતાં અને મગજ બહાર મૂકીને આવજો.' વાંચીને રવિ દાખલ થયો. એક બુજુર્ગે તેને રોક્યો અને કહ્યું, જૂતાં પહેરીને અંદર નહીં જવાય.' રવિ હસ્યો અને બોલ્યો,'ઓહ, મગજ બહાર મૂકતી વખતે હું જૂતાં ઉતારવાનું તો ભૂલી જ ગયો.' મંદિરના દરવાજાની સૂચના તરત બદલી કાઢવામાં આવી.
કહેવા કહેવામાં કેટલો બધો ફરક પડી જઈ શક્તો હોય છે !

'ડૅડ, ગળી ગયો' એવી ત્રણ વર્ષના દીકરાની રાડ સાંભળી મૈત્રેય મુંઝાયો અને નવાઈ પણ પામ્યો.

'શું થયું?" તેણે પૂછ્યું.

ગળી ગયો, ડૅડ, ગળી ગયો.' દીકરાએ ફરીથી કહ્યું.

તને ક્યારે ખબર પડી?” મૈત્રેયે પૂછ્યું.

ખબર નહીં. મેં હાથ અંદર નાખ્યો અને હવે નીકળતો નથી.' દીકરાએ સમજાવ્યું.

ઓહો, ફસાઇ ગયો.મૈત્રેય સમજ્યો.
ઘણીવાર આપણી પૂર્વધારણાઓ આપણા પર હાવી થઈ જાય છે.જો તેને કારણે ઉપર કહી છે તેવી હાસ્યાસ્પદ સ્થિતિ પેદા થાય તો તો ચાલી જાય, પરંતુ કોઈકવાર તેને કારણે ગેરસમજણો પણ પેદા થઈ શકે છે.આવી ગેરસમજણો જીવન કે કારકીર્દી કે પોતાના વ્યવસાય પર અવળી અસરો પણ પેદા કરી શકે છે.
તસવીર સૌજન્ય:Alicia Piper on Flickr
 




અનુવાદકની પાદ નોંધઃ  ૫૦ (જ) શબ્દોની મર્યાદા અનુવાદમાં પણ ચુસ્તપણે પાળી છે.  તેમ જ,  લેખકે અમેરિકામાં બહુ પ્રચલિત નામો મૂળ અંગ્રેજીમાં લખાયેલ ગાથાઓમાં વાપર્યાં છે, જેનું આ અનુવાદોમાં ભારતીયકરણ કરેલ છે.
પહેલાનાં ગુચ્છઃ

બુધવાર, 21 સપ્ટેમ્બર, 2016

આકસ્મિક સુખદ ઘટનાની ખોજ અને ધ્યાન કેન્દ્રિત કરવાની અભિલાષા વચ્ચે સંતુલનની જાળવણી



- રાજેશ સેટ્ટી
પહેલી નજરે તો આ બાબતે દુવિધા જ અનુભવાય.
મૅનેજમૅન્ટ કે યોગ પરનાં કોઈ પણ પુસ્તકમાં કહેવાયું જ હોય છે કે કંઈ પણ મોટું સિદ્ધ કરવું હોય તો કોઈ એક ચોક્કસ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરો.
પરંતુ, કેટલાંય સફળ લોકો તેમની અંગત પળોમાં એમ પણ કહેતાં સાંભળવા મળશે કે સફળતા એ તો કોઈ એક અણકલ્પી ઘડીએ ઝડપાઈ ગયેલ એક તક છે જે આક્સ્મિક સુખદ સંજોગોના મેળમાં સફળતાને વરી છે.
એટલે આપણે વિચારે ચડી જઈએ છીએ -
આકસ્મિક તકને ઝડપવા માટેની ઘડીની રાહ જોવી
કે
કોઈ એક ચોક્કસ ધ્યેય પર જ ધ્યાન કેન્દ્રિત કરવું....
બેમાંથી કોઈ એક જ કરવું શકય દેખાય છે.
બીજા શબ્દોમાં કહીએ તો એક મેળવવું હોય તો બીજાંને છોડી દેવું રહ્યું.
પણ એવી પસંદગી કરવી જ પડે એમ જરૂરી નથી.
બીજો એક સારો માર્ગ પણ છે.
આ માટે થોડુંક આગોતરૂં આયોજન અને વિકલ્પો વિષે થોડું વિચારમંથન કરીને જો જીવનનો માર્ગ કંડારવાનો સભાન પ્રયત્ન કરતાં રહેવાય તો  આપણા હેતુઓ બાબતે આપણે ઘ્યાન પણ કેન્દ્રિત કરી શકવાની અને આકસ્મિક મળી જતી, સંભાવનાઓવાળી, તકને પણ હાથવગી કરી શકવાની શક્યતાઓ બહુ ઉજળી કરી શકાય.
અહીં આવા ત્રણ શક્ય ઉપાયો રજૂ કરેલ છેઃ
૧. આપણને બેધ્યાન કરતી નાની નાની બાબતોને સ્વીકારી લઈએ અને તેના વિષે વિચલત ન થઈએ.
કોઈને કોઈ સંદર્ભમાં થતા રહેતા ફેરફારો વિષે તો બહુ કહેવાતું આવ્યું છે. એક વાર તેને, ભલેને સૈદ્ધાંતિક સ્તરે પણ, સ્વીકારી લઈએ, તો ધીમે ધીમે આવી ઘટનાઓ પછી મોટી લાગવા મંડે છે.
આમ થવાની સામે શીંગડાં  તો ભરાવી શકાય, પણ આ દુનિયામાં બધે જ લડાઈઓ કરતા રહેવાથી પાર તો આવે એમ નથી.
નાની વાતોમાં લડાઈઓ કરતા રહેવાને બદલે, ઠંડે કલેજે આવી આપણી આસપાસની ઘટનાઓની કૂદાકૂદ પર ઓછું ધ્યાન આપી શકાય ! આમ કરવાથી, કમ સે કમ, આપણાં દિલોદિમાગ પર આ ઘટનાઓ કબજો તો નહીં જમાવી બેસે !
મોટા ભાગની આવી ઘટનાઓ આપણા મૂ ળભૂત હેતુઓના સંદર્ભમાં બહુ મહત્ત્વ નથી ધરાવતી હોતી. એટલે તેના તરફ થોડું ઓછું ધ્યાન આપવાથી કેટલુંક નુકશાન થઈ શકે બસ એટલી એક ગણતરી કરી લેવી જોઈએ. જો નુકશાન બહુ મોટું ન હોય તો એ ઘટનાને આરામથી બાજૂએ કરી શકાય.
અહીં તેના તરફ દુર્લક્ષ સેવવાની વાત નથી, વાત છે ગણતરીપૂર્વક ઓછું ધ્યાન આપવાની.
૨. દરેક સંબંધને ધ્યેયસિદ્ધિનાં પગથિયું ગણીએ કે પછી, દરેક તકને આપણી ભવિષ્ય અંગેની જરૂરી સક્ષમતાને ઘનિષ્ઠ બનાવવામાટેના સ્ત્રોતમાં ફેરવવાની કોશીશ કરીએ.
હા, શત પ્રતિશત સફળતાની ખાતરી તો ક્યાંય ન હોય, પણ આ દિશામાં પ્રયત્ન કરવા જેટલું રોકાણ તો અચૂક કરવું જોઈએ.
આમ કરવાથી આપણી સામેની સ્થિતિનું અપેક્ષિત મૂલ્ય ધરમૂળથી બદલાઈ જશે.
કેટલક વિક્ષેપોમાં ક્યાં તો ભાવિની બહુ મોટી સંભાવના દેખાશે, તો મોટા ભાગના વિક્ષેપો અલપઝલપ જોવાનો ધોખો નહીં રહે..
જો આપણી દાનતમાં લાંબા ગાળાનાં હિતની શુદ્ધ દૃષ્ટિ હશે તો આસપાસના આકસ્મિક સંજોગોને આપણી શરત મુજબના ખેલમાં સામેલ કરી આપણા નિશ્ચિત હેતુ ધ્યાન આપી રાખવું શકય બનવા લાગશે.
૩. જેમ જેમ દુનિયા જાણતી થશે કે આપણે લોકો માટે તકોના દરવાજા ખોલી શકવા સક્ષમ છીએ તેમ તેમ વધારેને વધારે આકસ્મિક તકો આપણે દરવાજે દસ્તક દેવા આવવા લાગશે.
આકસ્મિક આવી પડતી તક એ કંઇ પતાસું નથી કે શેખચલ્લીની જેમ મોં ફાડીએ કે મોંમાં આવી પડે, કે નથી એ બજારમાં મળતી વસ્તુ કે કે તેને કોઇ એક કિંમત આપીને મન પડે ત્યારે ખરીદી આવીએ કે નથી એ કોઈ ખજાનામાં ઢબુરાઈને પડેલી જણસ કે ખુલ જા સિમસિમના જાદુઈ મંત્રથી હાથ લાગી જાય.
કસ્મિક તક ઊભી કરવાનો એક સચોટ રસ્તો છે આકસ્મિક તકો આપણી તરફ ખેંચાતી ચાલી આવે એવું ચુંબકત્ત્વ આપણામાં વિકસાવવું.થોડી કલ્પનાશીલ દુનિયાની ભાષામાં કહીએ તો રાજા મિડાસ બની જવું જોઈએ જેના દરેક સ્પર્શથી વસ્તુ સોનું બની જતી.
પણ પારસમણી હવામાં તરંગી તુક્કાના કિલ્લા બાંધવાથી નથી કોઈને મળ્યો કે નહીં કોઈને મળે! પારસમણી પામવા માટે આપણે કોઈ માટે પારસમણી થવું પડશે.

આ વિષય પર વધારે વાંચવું હોય તો How to Hack Serendipityની મુલાકાત જરૂરથી લેશો.


આ શ્રેણીના લેખક શ્રી રાજેશ સેટ્ટીનાં સંપર્ક સૂત્રઃ




  • અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ, ૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૬