શુક્રવાર, 3 જુલાઈ, 2026

ચૂસીએ નહીં, સીંચીએ

ઉત્પલ વૈશ્નવ

[આર્કિટેક્ટની નોંધ]

૨૯ મે, ૨૦૨૬ ના રોજ, હું એવા ક્રિયાપદનું ઓડિટ કરી રહ્યો છું જે હું જાણું છું કે તે દરેક સંસ્થા ચલાવે છે. એ ક્રિયાપદ છે : 'ખેંચી કાઢવું'.

ખરીદી વિભાગ પુરવઠાકારો પાસે બહાર કાઢતો રહે છે. માનવ સંશાધન વિભાગ કર્મચારીઓમાં ચુસતો રહે છે. સામગ્રી ખરીદી વિભાગ જેમ સામગ્રીઓ ખરીદે તેમ માનવ સંસાધન વિભાગ લોકોને ખરીદે, અને પછી લોકોને તેના પર ગર્વ કરવા માટે તાલીમ આપી. મેં પોતે પણ એમ કહ્યું છે. હું કંપની માટે એક મહાન સંપત્તિ છું. સંપત્તિના ઘસારાનું સમયપત્રક હોય છે. આપણે આપણા પોતાના ઘસારાની ઉજવણી કરવાનું શીખ્યા અને તેને મહત્વાકાંક્ષાના શીર્ષકથી નવાજ્યું.


બધું એક સંસાધન બન્યું

આધુનિક વ્યવસ્થાપન હેઠળ એક ડિફોલ્ટ કાર્યકારી તંત્રવ્યવસ્થા ચાલી રહી છે.

તેમાં, બધું એક સંસાધન છે.

જમીન એક સંસાધન છે. મૂડી એક સંસાધન છે. કુદરત એક સંસાધન છે. લોકો એક સંસાધન છે.

તંત્રવ્યવસ્થા એટલી સંપૂર્ણ છે કે તે હવે આપણી નજરે પણ નથી ચડતી.  આપણે તેની અંદર એવી રીતે ગોઠવાઈ જઈએ છીએ જેમ માછલી પાણીની અંદર ગોઠવાય છે. આપણને પ્રશ્ન પણ નથી થતો નથી કે આપણી સામેનો માનવી સ્ત્રોત છે કે પુરવઠો.

આ દૂષણ ઉપરથી નીચે નથી પ્રસરતું.

સ્થાપક સ્ટાફને એક સંસાધન તરીકે માને છે. સ્ટાફ કંપનીને એક સંસાધન તરીકે માને છે. અને આપણે બધા, ઠંડે કલેજે, આપણને પોતાને પણ એક સંસાધન જ માનીએ છીએ.

આખી ઇમારતમાંથી કોઈ પણ આમાં બાકાત નથી. આ વાયરાનાં કોઈ માબાપ નથી. 

સંસાધન સહાયક છે.  સ્રોત સર્જક છે.

આ એવી વિશિષ્ટતા જે આખી તંત્રવ્યવસ્થાને ચલાવે  છે.

સંસાધન મદદ કરે છે.  સ્રોત સર્જન કરે છે.

જ્યારે તમે કોઈને સંસાધન તરીકે માનો છો, ત્યારે તેઓ ફક્ત તેમના KPI માં લખેલી જવાબદારીઓ સ્વીકારે છે. એટલા માટે નહીં કે તેઓ નાના  કર્મચારીઓ છે. પરંતુ એટલા માટે  કે આ સ્થાપત્યમાં કરારથી આગળ વધવામાં નુકસાન બતાવાયું છે, પણ કોઈ ફાયદો નથી બતાવાયો.

જ્યારે તમે કોઈને સ્ત્રોત તરીકે માનો છો, ત્યારે માલિકીભાવ આપોઆપ સ્વભાવ બની જાય છે.

તમારે તેને સ્થાપવું નથી પડતું. તમે તેને પ્રતિબંધિત નથી કર્યું.

ભાડુઆત દરેક જગ્યાએ સંસાધનો જુએ છે અને એક પ્રશ્ન પૂછે છે: આ મુજબ થાય તે પહેલાં હું કેટલું વધારેમાં વધારે ખેંચી લઈ શકું?

સાર્વભૌમ આર્કિટેક્ટ સ્ત્રોતો જુએ છે અને એક અલગ પ્રશ્ન પૂછે છે: આપણામાંથી કોઈ એકલા વડે જે બનાવી શકાયું નહીં એવું આપણે સાથે મળીને શું બનાવી શકીએ ?

સમાન પરિસ્થિતિ. સાવ જૂદા જ પ્રશ્ન. સંપૂર્ણપણે અલગ અવનતિ.

માટી બાકીનું શીખવે છે

આનું સૌથી સ્પષ્ટ સંસ્કરણ જમીનમાંથી આવે છે.

નિષ્કર્ષણ ખેતી રસાયણો દ્વારા ઉપજને ત્યાં સુધી ચૂસે છે જ્યાં સુધી માટી ખતમ ન થઈ જાય, પછી વળતર વધારવા માટે વધુ રસાયણો ઉમેરે છે. જમીન નો રસકસ ખતમ ન થઈ જાય ત્યાં સુધી નિપજનો આલેખ બરાબર દેખાય છે. ઘટાડો દેખાતો નથી કેમ કે તે ધીમો છે.

મોટાભાગની સંચાલન પ્રણાલીમાં આ મુજબ જોવા મળે છે.

લક્ષ્યના આંકડાઓ આંબો. માનવ ઉર્જાનેને બાળી નાખો. માનવને બદલી નાખો. આ ચક્રનું પુનરાવર્તન કરતાં રહો.

પુનર્જીવિત ખેતી ધ્યેયને સંપૂર્ણપણે ઉલટાવી દે છે.

ઉપજ પર દાવ નથી લગાવાતો. જમીનની પોતાની શક્તિને પુનઃસ્થાપિત કરવાની છે અને  પછી તેને વિકસાવવાની છે. લણણી, મરી પામેલ ધરતીમાંથી ખેંચ ખેંચ નહીં, પણ જીવંત પ્રણાલીની આડપેદાશ બની જાય છે.

પુનર્જીવિત સંચાલન શું છે?

દબાવી દાબાવીને લોકો પાસેથી નિપજ કાઢવી નહીં.

એવું વાતાવરણ બનાવવું જ્યાં દરેક અંગ પોતાના ઉચ્ચ સ્વરૂપ સાથે જોડાય, અન્યમાં ઉચ્ચ સ્વરૂપ જુએ, અને સમગ્ર તંત્રવ્યવસ્થા એ મુજબની બનાવવા માટે પૂરતા લાંબા સમય સુધી ત્યાં મદદ કરે.

ભાગીદારો અંતરાય નથી

ઇચ્છનીય નવું સંસ્કરણ લોકોને ભાગીદાર ગણે છે.

તે જરૂરી છે. પણ પૂરતું નથી.

બે ભાગીદારો હજુ પણ બે નાના એકમ તરીકે મળી શકે એ અને કંઈક નાનું બનાવી શકે છે.

વાસ્તવિક સ્થાપત્યમાં ત્રણ સ્તરો હોય છે. દરેક વ્યક્તિ પોતાના ઉચ્ચ સ્વરૂપ સાથે જોડાયેલ હોય છે. દરેક વ્યક્તિ બીજામાં ઉચ્ચ સ્વરૂપ જુએ છે. અને એ વાતાવરણ દરેકને ત્યાં જાળવી રાખવા અને ત્યાંથી કાર્ય કરવા માટે રચાયેલ છે.

પ્રવેશ માટેની ટિકિટ એ કોઈ નીતિ ન હોવી જોઈએ.

તે તમે જ છો, તમારી જાતને પહેલા તમારા પોતાનાં જ ઉચ્ચ સ્વરૂપ તરીકે ગણો.

જેમાં તમે પ્રવેશ કર્યો નથી એવી જગ્યા પકડીને બેસી ન રહી શકાય. 

પતન માટે બનાવો, શિખર માટે નહીં

કોઈ પણ પોતાનાં જ ઉચ્ચ સ્તરથી સતત કામ કરી શકતું નથી.

તમારા દાંત સાફ ન હોઈ શકે. પરંતુ તમે તમારા દાંત સાફ તો કરી જ શકો છો.

કાર્ય કાયમી આગમન નથી. તેમાં ઝડપી પુનર્જીવન થતું રહે. એક ક્ષણ ચૂકી જાઓ, તો બીજી ક્ષણે પાછા ફરો. તે એક ક્ષણની એવી સફર છે જે તમે દરેક ક્ષણે કરતાં રહો છો.

અહીં એક અંગ એકલું સંઘર્ષ કરે છે, કારણ કે જ્યારે તમે સૂઈ જાઓ છો, ત્યારે તમને જગાડવા માટે કોઈ બીજું નથી હોતું.

આની આસપાસ કેન્દ્રિત થતાં પાંચ અંગ એક તંત્રવ્યવસ્થા બની જાય છે. જ્યારે એક અંગ સૂઈ જાય છે, ત્યારે બીજું તેને જગાડે છે.

સ્થિતિસ્થાપકતા માળખાકીય છે, એ કંઈ શુરવીરતા નથી. તમે ફક્ત ઇરાદા નહીં પણ સંઘ બનાવો છો, .

ભય નીચેની સપાટીએ રહેલ સ્થિતિ છે

આ તે સ્તર છે જેમાં હું સૌથી વધુ રહેવા માગતો હોઉં છું.

પોતાના ઉચ્ચ સ્તરથી નીચેની કક્ષાએ કાર્ય કરવાને ભય સાથે ઊંડો સંબંધ છે.

ભય ઉપર રચાયેલ કોઇપણ વ્યવસાય કે કોઈપણ સંસ્થા, લગભગ આપોઆપ લોકોને તેમના શ્રેષ્ઠ સ્તરની નીચે રમવા માટે આમંત્રણ આપે છે. પોતાની જાતને નાની ગણવી એ નોકરીના પદ સાથે જોડાયેલા ડરનો પ્રતિભાવ છે.

એટલે પછી કામ પ્રેરણાદાયક નથી રહેતું. તે નિદાનાત્મક બની જાય છે. તમારામાં અને તંત્રવવસ્થામા ભય કેવી રીતે કામ કરે છે તે સમજો, અને તેના વિશે શું કરવું તે નક્કી કરો.

અને નિષ્કર્ષણની સામી બાજુ  ઉદારતા નથી.

સ્ત્રોત ફક્ત આપતો નથી. તે સહ-સર્જન કરે છે. માટી, પાણી, સૂર્ય અને માનવ, તેમાંથી કોઈ પણ એકલું પાક ઉગાડતું નથી. જાદુ ક્યારેય આપવામાં નથી. તે એકસાથે થવામાં છે.

નિર્દેશ

પહેલા ચેતવણી આપે તેવી દૃશ્ય શ્રાવ્ય વ્યવસ્થા સ્થાપિત કરો જેથી નુકસાન થાય તે પહેલાં તે પહેલાં મૂળ સ્થિતિ શું હતી તે શોધી શકાય.

ત્રણ આંતરનાદો : અભિપ્રાય, નિંદા, ભય. ઉત્તેજિત અથવા અસ્વસ્થ થવું. અછત માનસિકતા, જે પોતાની જાતને નાની માનવાની નાના સ્વ સાથે પડછાયાની જેમ ફરે છે. કંટાળો, અને જે ક્ષણે તમને ખ્યાલ આવે કે તમે સાંભળવાનું બંધ કરી દીધું છે. એવી સ્થિતિઓ જેમાં સરકીને તમે તમારી સામેની વ્યક્તિને પુરવઠા તરીકે જોવાનું શરૂ કરો છો.

એ દરેક ડેશબોર્ડ પર દેખાતી ચેતવણી છે, ચુકાદો નથી.

પછી જાળવણી લેવાનું શરૂ કરો.

સવારે પાંચ મિનિટ, અગાઉથી નક્કી કરવા માટે કે તમે દિવસની વાસ્તવિક ક્રિયાપ્રતિક્રિયાઓને તમારા ઉચ્ચ સ્વ તરીકે કેવી રીતે પૂર્ણ કરશો, ત્રણ અવાજોને અલગ રાખીને. રાત્રે પાંચ મિનિટ, ઓડિટ કરવા માટે, ફક્ત તમે ક્યાં ચૂક્યાં તે જ નહીં પણ ક્યાં શું યોગ્ય કર્યું તેનું શ્રેય આપવા માટે. આપણે આપણી ભૂલો જોવા બહુ ટેવાઇ ગયા છીએ.

જ્યારે તમે કોઈના વિશે નીચો અભિપ્રાય રાખતા થાઓ છો, ત્યારે તેને એક સંકેત માનો,  હકીકત તરીકે નહીં, સમાનુભૂતિનો માર્ગ અપનાવો.

અને જે સૌથી વધુ ભારરૂપ છે: જ્યારે તમે તમારી ઉચ્ચ કક્ષાની નીજી ક્ષમતાથી કાર્ય કરી શકતા નથી, ત્યારે વ્યાપક પરિવર્તન ઉદ્દેશ્ય (Massive Transformative Purpose - MTP) ની ફરી મુલાકાત લો. આશય પુનર્જીવન ફરીથી ધબકતું કરવાનો છે.

ઘડતર કરનારાઓ માટે વધુ એક (નિર્દેશ). પહેલા તમારા ઉચ્ચ સ્વ સાથે જોડાઓ, પછી તમારા પસંદગીના AI સાધન સાથે પંદર મિનિટ વિતાવો. સંકેતો બદલાય છે. પરિણામો બદલાય છે. સાધન ક્યારેય અવરોધ નહોતું.

તમે જ હતા.


ઉત્પલ વૈશ્નવની લેખમાળા #DhandheKaFunda ના મૂળ લેખ, Source, Not Resource નો અનુવાદ

અનુવાદક અશોક વૈષ્ણવ, અમદાવાદ | ૩ જુલાઇ ૨૦૨૬

બુધવાર, 1 જુલાઈ, 2026

પુરાણશાસ્ત્રવિદ્યા અને સંગીત: સતીનો પ્રકોપ - દેવદત્ત પટ્ટનાઈક

 અનિલ શ્રીનિવાસન, દેવદત્ત પટ્ટનાઈક સાથે -  લાઈવ પુરાણશાસ્ત્રવિદ્યા અને સંગીત

અનિલ શ્રીનિવાસન, દેવદત્ત પટ્ટનાઈક, બી એસ પુરુષોત્તમન - કલાક્ષેત્રમાં સંગીતના લાઈવ કાર્યક્રમમાં 

કથાનકમાં ડૉ. દેવદત્ત પટ્ટનાઈક દૈવી સ્ત્રીત્વના શ્યામ, સફેદ અને ભૂખરા રંગોની ઝાંય વિશે વાત કરે છે.

કલાક્ષેત્ર પર આ મારો પહેલો અનુભવ છે. એટલે હું 'કલા' અને ક્ષેત્ર' શું છે ત્યાંથી શરૂઆત કરીશ અને પછી  દેવીસ્ત્રીત્વના  શ્યામ, ધવલ અને ભુખરા સ્વરૂપની ઝાંય વિશે વાત કરીશ.

મેં હંમેશા મારી જાતને પૂછ્યું છે કે 'કલા' શબ્દ ક્યાંથી આવ્યો હશે? અને અલબત્ત આપણે ક્યારેય ખરેખર જાણી શકીશું નહીં પણ કોઈ અનુમાન કરી શકીએ. મને લાગે છે કે તે 'કાલ' શબ્દ પરથી ઉદ્ભવ્યો છે,. કાલનો અર્થ સમય થાય છે. સમયની પ્રકૃતિ  છે કે તે બધું કાપી નાખે છે, બધું તોડી નાખે છે કારણ કે તમે ગઈકાલથી સતત અલગ છો, જેને હિન્દીમાં કાલ (ગુજરાતીમાં પણ કાલ) કહેવામાં આવે છે. તમે આવતીકાલથી પણ અલગ છે. આવતીકાલને પણ કાલ કહેવામાં આવે છે. આમ કાલ કાલ અને કાલ બનાવે છે અને જે બન્ને અલગ છે. તમે ગઈકાલ માટે ઝંખી રહ્યા છો જે તમારો ઇતિહાસ છે અને તમારા આવતીકાલ  માટે પણ ઝંખો છો  જે તમારું ભાગ્ય છે. તમે તમારા ભૂતકાળ અને ભવિષ્ય બંનેથી અલગ છો. તમે કોઈ પ્રકારના સાતત્ય માટે ઝંખી રહ્યા છો કારણ કે વસ્તુઓનું વિભાજન એટલી બધી પરિપૂર્ણતા ધરાવે છે કે તમને આશ્ચર્ય થાય છે કે શું તમે એક થઈ શકો છો. કલા એક થઈ જાય છે. તે રંગોને એક કરે છે. તે સંગીતના ધબકારાને એક કરે છે. તે નૃત્યમાં હાવભાવને એક કરે છે. તે સતત એક થઈ રહ્યું છે અને એક પ્રકારની અનંતતાનું નિર્માણ કરી રહ્યું છે કારણ કે ધૂનમાંથી સૂર આવે છે અને પછી ધીમે ધીમે તમે શરૂઆતના બિંદુ -  ચક્રીય લય - પર પાછા આવો છો.  ત્યાં એક રચના બને છે જેના દ્વારા કળા મર્યાદિતને અનંત બનાવે છે. તેથી એક રીતે કલા આપણને આ અલગતાની ભાવનાથી મુક્ત થવા સક્ષમ બનાવે છે.

કલા મારા ભૂતકાળ, મારા ભવિષ્ય, જેવી સતત અલગતાની ભાવનાથી અલગ થવાને  અને તે આપણને એક સાતત્ય, અનંતતા સાથે જોડે છે.

એ જ વસ્તુ શબ્દ 'ક્ષેત્ર'માંથી આવે છે કારણ કે ક્ષેત્ર શું છે - તે સ્થળ છે.  આપણે હવે સમય વિશે વાત કરી રહ્યા નથી અને આપણે સ્થળ વિશે વાત કરી રહ્યા છીએ. ગીતામાં વારંવાર  ક્ષેત્રનો અને ક્ષેત્રાજ્ઞનો વારંવાર ઉલ્લેખ છે . તે સ્થળ (તન)માં  તમે કોણ છો. એ તમારું સ્થળ છે અને આ સ્થળ મારું સ્થળ નથી. આ મારું છે અને આ મારું નથી. આ મને ખબર છે અને તે અજ્ઞાત છે. એવા વિભાગો છે. આ મારું છે, આ મારું નથી. જ્યાં સુધી આ મારું છે કે કોનું છે તે અંગે આપણે વિવાદ કરીએ છીએ, ત્યાં સુધી તમારી પાસે કુરુક્ષેત્ર રહેશે. અને જે ક્ષણે તમને સાતત્યનો ખ્યાલ આવે છે, ખ્યાલ આવે છે કે આવાં કોઈ વિભાજન નથી, ત્યારે તમે ધર્મક્ષેત્ર તરફ આગળ વધો છો. આ ઝંખના ભારતીય વિચારધારામાં વિભાજન અને જોડાણોનો એક સુસંગત વિષય છે. સાંખ્ય વિવિધ વિભાજન વર્ણવે છે અને યોગ તેમને એકસાથે બાંધે છે -  તેમને એક કરવાનો પ્રયાસ કરે છે. તેઓ એક થાય છે અને તૂટી જાય છે. તેઓ એક થાય છે અને તૂટી જાય છે. આમ સતત બનતું રહે છે અને તમે આ વિચારને ફરી ફરીને ફિલસૂફીમાં જુઓ છો.

તમે તેને નિવૃતિ માર્ગમાં જૂઓ  છો જે બીજાથી દૂર થઈ રહ્યો છે અને પ્રવૃતિ માર્ગ માં જે બીજા સાથે સંકળાયેલો છે. પહેલા માર્ગે સંન્યાસી પોતાને બીજાથી અલગ કરવા માંગે છે અને બીજા માર્ગે ગૃહસ્થ બીજા સાથે સંકળાયેલો છે. અલગતા અને જોડાણની વિભાવના ઝંખના રંગોમાં છે. સફેદ રંગ – કર્પૂર ગૌરવ શિવ છે જે બરફ જેવું  સફેદ છે ત્યાં બેસે છે. કાળો રંગ - શ્યામ વિષ્ણુ અલગ પડે છે.  ભૂખરો રંગ બન્ને રંગોને એક કરે છે.  તે દેવી છે જે બન્ને ને જોડે છે.

જ્યારે તમે આજના યુગને જુઓ છો ત્યારે દેખાશે કે આપણે આપણા પૂર્વજોથી અલગ નથી. પૂર્વજોએ આત્મનિરીક્ષણ, આત્મશોધ, આત્મસાક્ષાત્કાર, આત્મબોધની વાત કરી હતી. આજે આપણે સેલ્ફી વિશે વાત કરવાનું નક્કી કર્યું છે. તે ફક્ત સ્વ વિશે છે. સ્વ પ્રત્યેનો આ જુસ્સો, તે હંમેશા અહમ, અહમ છે. હું હું હું ની જ વાત  આમ છે.

આપણે આત્મસાક્ષાત્કાર જેવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તે ખૂબ જ ઉમદા લાગે છે પરંતુ હકીકત એ છે કે તે શબ્દમાં વિચ્છેદ છે કારણ કે તેમાં બીજાની કોઈ સ્વીકૃતિ નથી. ત્વમ અહમ અને મમ - હું અને મારું અને તવ અને ત્વમ - તું અને તારું. સંન્યાસી બીજાથી દૂર થઈ જાય છે. તે બીજાનો ભાગ બનવા માંગતો નથી. તે પર્વતની ટોચ પર ભવ્ય એકાંતમાં પોતાની સાથે રહેવા માંગે છે. બીજાઓનું શું? એક એવા સંબંધની ઝંખના જે એકલતાને તોડે છે, જે ધ્યાન માંગે છે. પણ મારું શું? સાધુ તરીકે તમે સંન્યાસી બનો છો. તમે જંગલમાં જાઓ છો. મારું શું? હું જંગલમાં જવા માંગતો નથી. મારી જરૂરિયાત કરતાં તમારી જરૂરિયાત વધુ મહત્વપૂર્ણ છે. આ બધા એવા સંવાદો છે જેના વિશે ભારતમાં હમેશા ચર્ચા રહી છે .

તમે વેદનું પ્રાથમિક દૃશ્ય જુઓ તો તે યજ્ઞ છે. યજ્ઞ એક વિશે નથી, તે બે વિશે છે. યજ્ઞમાં યજમાન છે જે તેનું સંચાલન કરે છે અને બીજા દેવતા છે જેમને આહ્વાન કરવામાં આવે છે. યજમાન દેવતાને સ્વાહા કહે છે અને દેવતા યજમાનને તથાત્સુ કહે છે.  સ્વાહા દાન છે અને તથાત્સુ મેળવવું છે. આમ આ એવો  સંબંધ બને છે જે એકસાથે એક બનાવે છે અને સંવાદ ભૂલી જાય છે. જ્યારે આપણે સ્વ-સાક્ષાત્કાર આત્મ-સાક્ષાત્કાર સ્વ-સ્વ જેવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે બીજા પર ધ્યાન કેન્દ્રિત કરતા નથી. દેવતા યજમાન તરફ જોઈ રહ્યો નથી.  આપણે સંસ્કૃતમાં આ બે અદભૂત શબ્દો ભૂલી જઈએ છીએ એક છે આરાધ્યઈષ્ટ, દેવતા અને નિમિત્ત - સાધન. હવે એ સંબંધમાં પોતાને પૂછો કે તમે  આરાધ્ય છો તમે નીમિત્ત છો ? પ્રદર્શનમાં એક મંચ હોય છે જ્યાં કલાકારો ઉભા હોય છે અને પછી પ્રેક્ષકો હોય છે. આરાધ્ય કોણ છે તમે કે દેવતા ? નીમિત્ત કોણ છે – તમે કે દેવતા? સ્વ કોણ છે? અન્ય કોણ છે? જ્યાં સુધી વિભાજન છે, ત્યાં સુધી જાદુ થશે નહીં. બન્ને એક બીજામાં ફાળો આપે છે. તમારા પ્રતિભાવ, તમારું ધ્યાન પ્રદર્શનને પ્રભાવિત કરે છે અને તે જ રીતે ગતિ થાય છે. પણ તે મુશ્કેલ છે, ખરું ને?
શિવ પુરાણ જૂઓ. તમને એક દેવીની ઝંખના દેખાશે જે તેના ભૂતકાળ અને ભવિષ્યને એક કરવાનો પ્રયાસ કરી રહી છે. સતીના પિતા દક્ષ પ્રજાપતિ છે, તે યજ્ઞના મહાન આશ્રયદાતા છે, તે સૈદ્ધાંતિક રીતે યજ્ઞને સમજે છે પણ ભૂલી જાય છે કે યજ્ઞ કોના વિશે છે, અહમ કે ત્વમ, પોતાના વિશે છે કે પુત્રી વિશે છે. તેઓ આગ્રહ રાખે છે કે દરેક વ્યક્તિએ તેણે કહેલા માર્ગે ચાલવું જોઈએ, બીજા કોઈ માર્ગે નહીં અને તેથી તે પોતે જ આંધળો છે, બીજાને જોઈ શકતો નથી. પર્વતની ટોચ પર બેઠેલા ભવ્ય એકાંતમાં રહેલા સંન્યાસી શિવ યજ્ઞમાં ભાગ લેતા નથી. તેમને યજ્ઞમાં રસ નથી. દેવી તેમના પ્રેમમાં પડી જાય છે કારણ કે તે શિવની સુંદરતા જુએ છે. દેવીને પિતા કહે છે કે શિવ  સુંદર નથી, તે કદરૂપા છેમ દેવી સહમત નથી થતાં અને કહે છે પણ મને લાગે છે કે તે સુંદર છે, તે મારું સત્ય છે અને હું તેમને અનુસરૂં છું. દક્ષ  ગુસ્સે થાય છે અને ક હે છે કે ના, મારા ક્ષેત્રમાં, મારા પ્રદેશમાં એ આવકાર્ય સ્વાગત નથી, એમનું સ્વાગત નથી. દેવી પણ ગુસ્સે થઈને તેના પતિ પાસે જાય છે અને કહે છે, "મારા પિતાને માફ કરો." શિવ  કહે છે, " એમાં શું છે? ના જાઓ." અને દેવી શિવથી અલગતા અનુભવે છે કારણ કે તે ઇચ્છે છે કે તેના પિતા અને તેના પતિ એક સાથે રહે. એક યજ્ઞમાં જતા  નથી અને બીજા તેને યજ્ઞમાં પ્રવેશવાની ના પાડે છે. દેવી તેના પિતા અને પતિ વચ્ચે વિભાજિત થઈ ગયેલ છે. પતિ પરવા કરતો નથી અને પિતા પોતાનું જ ધાર્યું કરવા માંગે છે. આખરે ક્રોધમાં આવીને સતી યજ્ઞકુંડમાં કૂદી પડે છે ત્યારે તેના ક્રોધ વચ્ચે એ બધા અનુભવો, યાદ અપાવે છે કે જીવનનો હેતુ યજમાન અને દેવતા વચ્ચેનું - આરાધ્ય અને નિમિત્ત વચ્ચેનું, યહાં અને ત્વમ વચ્ચેનું, ગઈ કાળ અને આવતી કાળ વચ્ચેનું - જોડાણ છે.  એક થવાની સતીની ઝંખના પુરી થઈ રહી નથી,  એ નિરાશાને કારણે સતીનો પ્રકોપ આ ભૌતિક સ્વરૂપમાં પ્રગટ થાય છે.

આપણે બધા ક્રોધ અનુભવીએ છીએ જ્યારે આપણને લાગે છે કે કોઈ આપણી તરફ જોઈ રહ્યું નથી, કોઈ આપણને સાંભળતું નથી, જ્ઞાની ઋષિ સાંભળતા નથી, ઉમદા પૂજારી સાંભળતા નથી, કોઈ સાંભળતું નથી, તમે ક્રોધમાં પોતાને બાળી નાખો છો. સતીનો ક્રોધ પણ એ જ છે.

 


બુધવાર, 24 જૂન, 2026

મારી દૃષ્ટિએ (૧૯૪૬-૧૯૪૭) : ભાગ ૪ - જ્યો ર્જ ઑર્વેલ [૭]

  જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IVના આંશિક અનુવાદ, મારી દૃષ્ટિએ (૧૯૪૪ - ૪૫) : ભાગ ૪ - જ્યોર્જ ઑર્વેલ [] થી આગળ

ટ્રિબ્યુન
૨૮ ફેબ્રુઆરી, ૧૯૪૭
(ટ્રિબ્યુન માટે માન્ચેસ્ટર ઇવનિંગ ન્યૂઝ, ૨૮ ફેબ્રુઆરી ૧૯૪૭)[1]

આજકાલ જ્યારે ટાઇપરાઇટર ખૂબ દુર્લભ બની ગયાં છે ત્યારે એક વાત ધ્યાનમાં આવે છે કે લગભગ દરેક વ્યક્તિના હસ્તાક્ષર નવાઈ લાગે તેટલા ખરાબ હોય છે. જે જોવામાં સુખદ અને વાંચવામાં સરળ, એમ બંને હોય તેવા હસ્તાક્ષર તો હવે ખૂબ દુર્લભ છે. સુધારો લાવવા માટે આપણે જે હવે ગુમાવી બેઠાં છીએ, જે કદાચ ભૂતકાળમાં આપણા માટે જે સામાન્ય રીતે સ્વીકૃત 'શૈલી' હતી, તે વિકસાવવી પડશે.


મધ્ય યુગમાં ઘણી સદીઓ[2]  સુધી વ્યાવસાયિક લેખકોએ એક ઉત્કૃષ્ટ લિપિ (કે લિપિઓની શ્રેણી) લખી, જેની બરાબરી હવે કોઈ કરી શકતું નથી. પછી હસ્તાક્ષરમાં લખવાનું ઘટતું ગયું. અને  સ્ટીલ પેનની શોધ પછી ઓગણીસમી સદીમાં ફરીથી જીવંત થયું. તે સમયે પસંદ કરાયેલ શૈલી કોપ્પરપ્લેટ' હતી. તે સુઘડ અને સુવાચ્ય હતી, પરંતુ તે બિનજરૂરી રેખાઓથી ભરેલી હતી અને શક્ય હોય ત્યાં આભૂષણ દૂર કરવાની આધુનિક વૃત્તિ સાથે બંધબેસતી હતી. પછી બાળકોને લિપિ શીખવવાની ફેશન બની ગઈ, જેનાં પરિણામો મહદ્‍ અંશે વિનાશક રહ્યાં.  ખરેખર સુઘડતાથી હસ્તલિપિ લખવા માટે, વ્યક્તિએ વાસ્તવમાં તો દોરવાનું શીખવું પડે છે, અને તેને હાથ ઉપાડ્યા વિના લખવા જેટલી ઝડપથી લખવું અશક્ય છે. ઘણા યુવાન, અથવા યુવાન જેવડા, લોકો હવે હસ્તલિપિ અને કોપ્પરપ્લેટ વચ્ચેના અસગવડયુક્ત સમાધાનનો ઉપયોગ કરે છે. ખરેખર ઘણા પુખ્ત અને સંપૂર્ણ સાક્ષર લોકો છે જેમના  હસ્તાક્ષર ક્યારેય યોગ્ય રીતે 'ઘડાયેલા' નથી હોતા.

સુઘડ હસ્તાક્ષર અને સાહિત્યિક ક્ષમતા વચ્ચે કોઈ જોડાણ છે કે કેમ તે જાણવું રસપ્રદ રહેશે. મારે કહેવું જ જોઇએ કે જે આધુનિક ઉદાહરણો વિશે હું વિચારી શકું છું તે બહુ સાબિત કરતાં નથી. મિસ રેબેકા વેસ્ટના  ઉત્કૃષ્ટ હસ્તાક્ષર છે, અને શ્રી મિડલટન મરીના પણ છે. સર ઓસ્બર્ટ સિટવેલ, શ્રી સ્ટીફન સ્પેન્ડર અને શ્રી એવલિન વો બધાના હસ્તાક્ષર જે, શક્ય તેટલું નમ્રતાથી કહીએ તો પણ, સારા નથી. પ્રોફેસર લાસ્કીના હસ્તાક્ષર જોવામાં આકર્ષક છે પણ વાંચવામાં મુશ્કેલ છે. આર્નોલ્ડ બેનેટ સુંદર નાના અક્ષરોમાં લખે છે જેના માટે તેમને બહુ શ્રમ કરવો પડે છે. એચ. જી. વેલ્સ પાસે આકર્ષક પણ અસ્વચ્છ લેખન હતું. કાર્લાઇલનું લેખન એટલું ખરાબ હતું કે એક કમ્પોઝિટર તેને કંપોઝ કરવાના કામથી દૂર જવા માટે એડિનબર્ગ છોડીને ગયો હોવાનું કહેવાય છે. શ્રી બર્નાર્ડ શો  નાનું, સ્પષ્ટ પણ ખૂબ જ ભવ્ય હસ્તલેખન લખે છે. અને સૌથી પ્રખ્યાત અને આદરણીય જીવંત અંગ્રેજી નવલકથાકારોની વાત કરીએ તો, તેમનું લેખન એવું છે કે જ્યારે હું બી.બી.સી.માં હતો અને મહિનામાં એક વાર તેમનાં લેખનને પ્રસારણમાં મુકવાનું સન્માન મેળવતો હતો, ત્યારે આખા વિભાગમાં ફક્ત એક જ મદદનીશ હતો જે તેમની હસ્તપ્રતોને ઉકેલી શકતો હતો.[3]

+                 +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IVનો આંશિક અનુવાદ 

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

[1] માન્ચેસ્ટર ઇવનિંગ ન્યૂઝમાં ઓરવેલના કોલમના પ્રકાશન માટે ૨૧ ફેબ્રુઆરી, ૧૯૪૭ ના રોજ 'એઝ આઇ પ્લીઝ' ની હેડનોટ જુઓ. બીજો વિભાગ, જેનો નંબર 75A છે, તે ડેઇલી હેરાલ્ડમાં આગલા દિવસે પ્રકાશિત થયો હતો. કટોકટી દરમિયાન માન્ચેસ્ટર ઇવનિંગ ન્યૂઝે જે ટ્રેડ પેપર્સને આતિથ્ય આપ્યું હતું તેમાંથી એક શૂ એન્ડ લેધર રેકોર્ડ હતું. ઓરવેલના કોલમની નીચે છપાયેલા તે જર્નલના અહેવાલમાં એક નિવેદન હતું કે બળતણની કટોકટીને કારણે ૧૦,૦૦૦,૦૦૦ જૂતાના ઉત્પાદનમાં નુકસાન થયું હતું, જે ઓરવેલને ફૂટવેર શોધવામાં મુશ્કેલી પડી હતી તે બાબતમાં વધારાનો મુદ્દો આપે છે.

[2] (Centuries) પરંતુ છપાયું countries તરીકે હતું

[3] સંદર્ભ . એમ. ફોર્સ્ટરના હસ્તલેખનનો છે.