બુધવાર, 10 જૂન, 2026

મારી દૃષ્ટિએ (૧૯૪૬-૧૯૪૭) : ભાગ ૪ - જ્યોર્જ ઑર્વેલ [૬]

 જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IVના આંશિક અનુવાદ, મારી દૃષ્ટિએ (૧૯૪૪ - ૪૫) : ભાગ ૪ - જ્યોર્જ ઑર્વેલ [] થી આગળ

ટ્રિબ્યુન

૨૧ ફેબ્રુઆરી, ૧૯૪૭
માન્ચેસ્ટર ઇવનિંગ ન્યૂઝ, ટ્રિબ્યુનને બદલે.

ફેબ્રુઆરી ૧૯૪૭ના ત્રીજા અને ચોથા અઠવાડિયા માટે, ઇંધણની તીવ્ર અછત હતી અને તેને પરિણામે વીજળી કાપ લગાવવાને કારણે સરકારી આદેશ દ્વારા રાષ્ટ્રીય સપ્તાહાંત સમીક્ષાઓ અને ઘણા વેપાર પત્રોના પ્રકાશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કટોકટી દરમિયાન મદદ કરવા માટે, ધ ઓબ્ઝર્વર, માન્ચેસ્ટર ઇવનિંગ ન્યૂઝ અને ડેઇલી હેરાલ્ડે ટ્રિબ્યુનને તેમના કોલમનું આતિથ્ય આપ્યું હતું. ઓરવેલે ૨૬ ફેબ્રુઆરી ૧૯૪૭ના રોજ ડ્વાઇટ મેકડોનાલ્ડને લખેલા પત્રમાં ટ્રિબ્યુનના સસ્પેન્શન અને આવકના નુકસાનનો ઉલ્લેખ કર્યો છે. નીચે 'ટ્રિબ્યુન'માં દર અઠવાડિયે પ્રકાશિત થતા જ્યોર્જ ઓરવેલના મારી દૃષ્ટિએ ('એઝ આઈ પ્લીઝ' – As I Please)ના અંશો છે.

છેલ્લા કેટલાક મહિનામાં બીજી વખત, મંચન માટે પ્રતિબંધિત નાટક બી.બી.સી. દ્વારા પ્રસારિત થવાના સમાચાર  બ્રિટનમાં સાહિત્યિક સેન્સરશીપને નિયંત્રિત કરતા નિયમોની વાહિયાતતાને એકવાર બહાર લાવે છે. પ્રતિબંધિત નાટક કદાચ મંચન કરવામાં આવત તેના કરતાંબી.બી.સી. દ્વારા પ્રસારિત થવાથી ઘણા વધારે લોકો સુધી પહોંચશે.



ફક્ત મંચન થતાં નાટકો અને ફિલ્મોને જ રિલીઝ થાય તે પહેલાં સેન્સરશીપ માટે રજૂ કરવી પડે છે.. પુસ્તકોની વાત કરીએ તો , તમે જે પસંદ કરો છો તે છાપી શકો છો અને કેસ ચાલે તેનું જોખમ લઈ શકો છો. આમ, ગ્રાનવિલ બાર્કરના 'વેસ્ટ' [1] અને બર્નાર્ડ શોના 'મિસિસ વોરેન'સ પ્રોફેશન (Mrs. Warren’s Profession' જેવા પ્રતિબંધિત નાટકો તરત જ પુસ્તકના સ્વરૂપમાં રજૂ થઈ શકે છે, જેમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહીનો ભય નથી, અને નિઃશંકપણે અગાઉ થઈ ચુકેલ બદનક્ષીને કારણે વધુ સારી રીતે વેચાય છે. એ કહેવું વાજબી છે કે, જો સારાં હોય, તો પ્રતિબંધિત નાટકો સામાન્ય રીતે વહેલા કે મોડા પ્રકાશમાં આવે છે. રાજકારણ તેમજ સેક્સને પણ આકર્ષિત કરતું 'વેસ્ટ'ને પણ લખાયાના ત્રીસ વર્ષ પછી આખરે પ્રદર્શિત થવાની મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે તેની તાકાત કહી શકાય એવી પ્રસંગોચિતતા અપ્રસ્તુત બની ગઈ હતી.


નાટકોની લૉર્ડ ચેમ્બરલેનન દ્વારા સેન્સરશીપ સાથેની સમસ્યા એ નથી કે તે લાગુ કરાય છે, પરંતુ એ છે કે તે ક્રૂર અને મૂર્ખતાપૂર્ણ છે, અને, દેખીતી રીતે, કોઈ પ્રકારની સાહિત્યિક તાલીમ વિનાના અમલદારો દ્વારા લાગુ કરવામાં આવે છે. જો સેન્સરશીપ હોવી જ હોય, તો તે પહેલેથી થાય એ વધુ સારું છે, જેથી લેખકને ખબર પડે કે પોતે ક્યાં છે. બ્રિટનમાં પુસ્તકો પર ભાગ્યે જ પ્રતિબંધ મૂકવામાં આવે છે, પરંતુ જે પ્રતિબંધો લાગુ પડે છે તે સામાન્ય રીતે મનસ્વી હોય છે. ઉદાહરણ તરીકે, 'ધ વેલ ઓફ લોનલીનેસ (The Well of Loneliness)[2] દબાવી દેવામાં આવ્યું હતું, જ્યારે તે જ સમયે પ્રકાશિત થતા અન્ય પુસ્તકો કોઈના ધ્યાન પર આવ્યા ન હતાં.

જે પુસ્તક બચી જાય છે તે કોઈ અભણ અધિકારીના ધ્યાન પર લાવવામાં આવ્યું હશે તેવું લાગે છે. કદાચ હવે પ્રકાશિત થતી અડધી નવલકથાઓ પણ જો યોગ્ય હાથમાં જાય તો આ દુર્ઘટનાનો ભોગ બની શકે છે. જોકે મૃત્યુ પામેલા હંમેશા આદરણીય હોય છે પરંતુ મને શંકા છે કે જો આપણા મેજિસ્ટ્રેટ અને પોલીસ વધુ સારા વાચકો હોત તો પેટ્રોનિયસ, કે ચોસર, કે રાબેલાઈસ, કે શેક્સપિયર સુદ્ધિકરણ(!)ની પ્રક્રિયામાં મુક્ત રહેત કે નહીં.  

+                 +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IVનો આંશિક અનુવાદ 



[1] હાર્લી ગ્રાનવિલે-બાર્કર (૧૮૭૭ - ૧૯૪૬) દ્વારા લખાયેલ વેસ્ટ (Waste)૧૯૦૭માં લોર્ડ ચેમ્બરલેન દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલ કારણ કે નાટકમાં એક દુર્ઘટના - ર્ભપાત-નો સમાવેશ થતો હતો. ૧૯૩૬માં તે જાહેરમાં રજૂ કરવામાં આવ્યું હતું.


[2] (માર્ગુરાઇટ) રેડક્લિફ હોલ (૧૮૮૦ - ૧૯૪૩), નવલકથાકાર અને કવિ હતાં. તેમણે ૧૯૦૬-૧૫ દરમિયાન કવિતાના અનેક ગ્રંથો અને પછી નવલકથાઓ અને વાર્તાઓ પ્રકાશિત કરી, જેમાં એડમ્સ બ્રીડ (૧૯૨૬), વેલ ઓફ લોનલીનેસ (The Well of Loneliness ) (૧૯૨૮), અને માસ્ટર ઓફ હાઉસ (૧૯૩૨)નો સમાવેશ થાય છે. એડમ્સ બ્રીડને જેમ્સ ટેટ બ્લેક મેમોરિયલ પ્રાઇઝ, ફેમિના વિ હ્યુર્યુઝ પ્રાઇઝ અને આઇશેલબર્ગર ગોલ્ડ હ્યુમન એવોર્ડ મળ્યા હતા. સ્ત્રી સમલિંગતાના ચિત્રણને કારણે થયેલ બદનામી બાદ ૨૮ ઓગસ્ટ ૧૯૨૮ના રોજ ઇંગ્લેન્ડમાં વેલ ઓફ લોનલીનેસ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. તે તરત પેરિસમાં ફરીથી પ્રકાશિત થયું અને તે ૧૯૨૮માં ન્યૂ યોર્કમાં પણ પ્રકાશિત થયું, જેમાં હેવલોક એલિસ દ્વારા ટિપ્પણી કરવામાં આવી. નવલકથા ૧૯૪૯માં લંડનમાં (કોઈપણ ટિપ્પણી વિના) ફરીથી પ્રકાશિત થઈ. મિસ હોલના સાથી, લેડી ઉના વિસેન્ઝો ટ્રુબ્રિજે લાઇફ એન્ડ ડેથ ઓફ રેડીફ હોલ (૧૯૬૧) લખી. 

શુક્રવાર, 5 જૂન, 2026

સાર્વભૌમ વ્યૂહરચનાનો ગંજ - મંચ સજ્જાનું સ્થાપત્ય

 

ગતાંકમાં આપણે  હવે પછી શું ?ની આપણી યાત્રામાં Think for yourself! - સાર્વભૌમ કાર્યસૂચિ - દબાણ હેઠળનાંઅમલીકરણથી સ્વેચ્છાપૂર્વકનો અમલ પર આવીને અટક્યાં હતાં. હવે માર્ગે વિચાર કરવાનું શરૂ કરવાના ત્રીજા પડાવ વિશે વિચાર કરીએ ….

ઉત્પલ વૈશ્નવ

મોટાભાગના લોકોનું ધ્યાન સાધનો પર કેન્દ્રિત રહેતું હોય છે. તેઓ નવાં નવાં સોફ્ટવેર, ઉત્પાદકતા માટેનાં નવીનતમ હેક કે પછી ખોટાં નીવડેલાં કામોના કચરાને સાફ માટેની ઝડપી રીત જેવાં સાધનોની શોધમાં રહેતાં હોય છે. આ બધાં સપાટીના સ્તરનાં કાર્ય છે, જે ખરેખર શક્તિ ઉત્પન્ન કરતા માળખાકીય સ્તરોને નજરઅંદાજ કરતાં રહે છે,

સાર્વભૌમ વ્યૂહરચનાનો ગંજ (The Sovereign Strategy Stack) એ ખેલને ધારી દિશામાં દોરવણી કરવાની વ્યુહરચનાના બોર્ડનું વિવિધ સ્તરનું સ્થાપત્ય છે. તેનો આધાર એક જ , લાગણીહીન, કાયદા પર આધારિત છે: અંદર ® બહાર. તમારા સાધનો (બહાર)ને અપગ્રેડ કરતા પહેલા તમારે તમારી વિચારસરણી (અંદર)ને અપગ્રેડ કરવી આવશ્યક છે.



સ્ટેકનું સ્થાપત્ય:

 સ્ટેક એક કેન્દ્રિય પ્રણાલી છે જ્યાં દરેક સ્તર તેની નીચેના સ્તરની અસરકારકતાનો ગુણાકાર કરે છે. જો તમે કોઈ સ્તર છોડી દો, તો તમે હેતુ સિદ્ધ કરવાની લાભદાયક સ્થિતિ પરની પકડ ગુમાવો છો.

સ્તર I: વ્યૂહાત્મક વિચારસરણી (પાયો)

આ સૌથી આંતરિક - હાર્દ સમાન - સ્તર છે. તે ફક્ત ઘટનાઓ જ નહીં, પણ ઘટનાઓ થવાનાં વલણને શોધવાની ક્ષમતા બક્ષે છે.

·      નાભિ કેન્દ્ર: બીજા ક્રમની અસરોને સમજવી અને એ અસરો થવા લાગે તે પહેલાં  ન ધારેલી બાબતોનું આયોજન કરી રાખવું.

·      સ્થપતિની ચાલ: બજારમાં થઈ રહેલાં પરિવર્તનોના ઝુકાવ પર પ્રતિક્રિયા આપવાની જગ્યાએ અંતર્ગત રહેલી તંત્રવ્યવસ્થાનું ફેરઘડતર કરવાની પૂર્વતૈયારી તરફ તૈયાર રહેવું.

સ્તર II: અમલીકરણ પ્રયુક્તિઓ (કૃત્ય)

પ્રયુક્તિઓ વ્યૂહાત્મક આંતરસૂઝને નક્કર ચળવળમાં રૂપાંતરિત કરે છે.

·       નાભિ કેન્દ્ર : સરળ, નજર સામે રહે એવાં કાર્યસિદ્ધિ કોષ્ટકો વડે પ્રગતિ પર નજર રાખતા રહેવું અને મહત્તમ અસર માટે સંસાધનોને ઈષ્ટતમ કરતાં રહેવું.

·       સ્થપતિની ચાલ : "વ્યસ્તતા" ને અમલીકરણ સાથે ગુંચવાવા ન દેવું.  જો પ્રયુક્તિ વ્યૂહાત્મક પ્રવાહને અનુરૂપ ન હોય, તો તે વ્યય છે.

સ્તર III: નિર્ણય માળખાં (ગળણું)

નિર્ણય પ્રક્રિયાનું માળખું જ્ઞાનનો ભાર બન્યા વિના માહિતી સામગ્રી એકઠી કરવા, નિર્ણય લેવા અને યોગ્ય રીતે સુસંગત ગોઠવણી કરવાનું શક્ય બનાવે છે.

·      નાભિ કેન્દ્ર : માહિતી સામગ્રી, લોકો અને સમય વચ્ચેનાં ટપકાંઓને એવી રીતે જોડવાં જેથી આંતરસૂઝ અનેકગણી વધે.

·      સ્થપતિની ચાલ: બાહ્ય વિચારની શક્તિ કેળવવી. આંતરસૂઝને સુગઠીત રાખવી જેથી વર્તમાનનો દરેક નિર્ણય ભવિષ્યના નિર્ણયને સરળ બનાવે.

સ્તર IV: ધ્યેયો, અમલ અને અનુકૂલન (પુનરાવર્તન)

આ સ્તર ખરેખર થયેલ પ્રગતિનું નિરીક્ષણ કરે છે અને જે અસરકારક નીવડેલ છે તેને નિશ્ચિત ધોરણ તરીકે પ્રમાણિત કરે છે.

·      નાભિ કેન્દ્ર : બહુ જ સ્પષ્ટ ઉદ્દેશ્યો પ્રસ્થાપિત કરવા અને  પરીક્ષણ, માપન અને અનુકૂલનનાં સમીક્ષા ચક્ર ત્વરિત સમયગાળામાં રહે એ મુજબ ગોઠવવાં.

·      સ્થપતિની ચાલ : સફળ નીવડેલ ચાલને નિશ્ચિત ધોરણ તરીકે પ્રમાણિત કરવી; નિષ્ફળતાઓને લાગણીશીલ થયા વિના ઠીક કરવી, કે પછી દૂર કરવી.

સ્તર V: નેતૃત્વ માટેની માનસિકતા (સત્તા)

આ સૌથી બાહ્ય સ્તર છે જ્યાં વ્યૂહરચના જાહેર બને છે. આ તબક્કે વિચારસરણીઓનો મનમેળ અને આપસી ભરોસો મહત્વનાં છે.

·       નાભિ કેન્દ્ર : પૂર્વધારણાઓને ચકાસતા પ્રશ્નો કરવા અને સ્પષ્ટ, વિગતવાર વૃતાન્તનાં સ્વરૂપે જણાવાયેલ દૃષ્ટિકોણની સાથે ટીમોને સાંકળવી. 

·       સ્થપતિની ચાલ: ઠંડા દિમાગ વડે ઘડેલ વિશ્વનીય વ્યૂહરચના ટીમને જણાવવી. જટિલ આંટીઘુંટીઓને બદલે સરળ અભિગમ અપનાવવો જેથી ટીમો એક સંગઠિત એકમ તરીકે આગળ વધે.

ગુણક નિયમ

તમારા નેતૃત્વની અસરકારકતા સીધી લીટીની સંખ્યા નથી; તે આ બધાં સ્તરોનો ગુણાકાર છે.

અંદર® બહાર: જો તમારી વ્યૂહાત્મક વિચારસરણી ખોખલી છે, તો તમારાં નેતૃત્વની માનસિકતા નર્યો ઘોંઘાટ છે. જો તમારા નિર્ણય માળખા તૂટી પડ્યાં છે, તો તમારું અમલીકરણ ફક્ત તીવ્ર વેગ ધરાવતું, પરંતુ, લક્ષ્યહીન તીર છે.

વ્યૂહરચનાનું ઓડિટ :: સ્ટેકની ખામીઓ દૂર કરવી 

જ્યારે કોઈ પ્રોજેક્ટ અટકી જાય અથવા કોઈ સાહસ નિષ્ફળ જાય છે, ત્યારે આર્કિટેક્ટ નવા સાધનો શોધતો નથી; તે સૌ પહેલાં તો સ્ટેકની ખામીઓ દૂર કરે છે.

લક્ષણ

સંભવિત માળખાકીય નિષ્ફળતા

ઊંઘતાં ઝડપાવું 

સ્તર Iની નિષ્ફળતા દ્વારા પકડાયેલ: ઘટનાઓનાં વલણને બદલે એક એક ઘટના પર ધ્યાન કેન્દ્રિત કરો.

ઉચ્ચ કક્ષાના પ્રયાસ, ખાલીખમ કાર્યસિદ્ધિ કોષ્ટક

સ્તર IIની નિષ્ફળતા: કાર્યસિદ્ધિ કોષ્ટક સાથે અસંગત થયેલ પ્રયુક્તિઓ.

પુનરાવર્તિત ભૂલો

સ્તર IIIની નિષ્ફળતા: ગુણક કક્ષાના નિર્ણય માળખાનો અભાવ.

જડ/બરડ વ્યૂહરચના

સ્તર IVની નિષ્ફળતા: વાસ્તવિક-જાહેર માહિતી સામગ્રી સાથે અનુકૂલન કરવામાં અસમર્થતા.

ટીમનું વિખરાયેલાં રહેવું

સ્તર Vની નિષ્ફળતા: સ્પષ્ટ, વિગતવાર વૃતાન્ત અને દીર્ઘદૃષ્ટિ વચ્ચે એકરાગનો અભાવ.

 

આ સ્ટેકનો ઉપયોગ કેવી રીતે કરવો

૧. સૌથી નબળા સ્તરને ઓળખો: જ્યાંથી તમને બહુ સહેલું લાગે ત્યાંથી શરૂઆત કરશો નહીં. સ્ટેકનું ઑડિટ કરો અને એ સ્તર શોધો જે હાલમાં સૌથી વધુ લાભદાયક પરિસ્થિતિને નુકસાન પહોંચાડી રહેલ છે.
૨. એક ઊચ્ચ સ્તરની ડિઝાઇન કરો: તે સ્તર માટે એક ચોક્કસ ઉચ્ચ કક્ષા પસંદ કરો (દા.ત., નવું નિર્ણય ફ્રેમવર્ક અથવા વધુ આક્રમક ધ્યેય નક્કી કરવાનાં પુનરાવર્તન ચક્ર).
૩. ચાલ ચાલ્યા પછીની સ્થિતિની સમીક્ષા કરો: દરેક મુખ્ય નિર્ણય અથવા વ્યુહરચનાની  ચાલ પછી, સ્ટેકની સમીક્ષા કરો કે કયું સ્તર નિષ્ફળ ગયું કે સફળ થયું.

ધ્યેય વધુ સાધનો રાખવાનું નથી. ધ્યેય બોર્ડને અંદરથી બહારથી દોરી જવાનું છે.


ઉત્પલ વૈશ્નવની લેખમાળા #DhandheKaFunda ના મૂળ લેખ, The Sovereign Agenda: Moving from Enforcement to Choice નો અનુવાદ

અનુવાદક અશોક વૈષ્ણવ, અમદાવાદ | ૫ જૂન ૨૦૨૬