The Rediscovery of Europe ના આંશિક અનુવાદ [૪] માં જ્યોર્જ ઑર્વેલ ૧૯૧૪ -૧૮ના યુદ્ધ પછીના લેખકો પૈકી એચ જી વેલ્સ અને ડી એચ લોરેંસની સરખામણી કર્યા પછી હવે જેમ્સ જોયસની મહાન નવલકથા 'યુલિસિસ' અને જ્હોન ગૉલ્સવર્ધીની નવલકથા 'ધ ફોર્સાઇટ સાગા' સરખામણી કરે છે
+ + + +
હવે હું બીજી સરખામણી કરવા માંગુ છું, જેમ્સ જોયસની મહાન નવલકથા 'યુલિસિસ' અને જ્હોન ગૉલ્સવર્ધીની, કોઈપણ દૃષ્ટિએ જોઇએ તો,
ખૂબ મોટી ઘટનાક્રમ પર વિકસતી, નવલકથા 'ધ ફોર્સાઇટ સાગા'. આ વખતે સરખામણી વાજબી નથી. વાસ્તવમાં તે એક સારા પુસ્તક અને ખરાબ પુસ્તક વચ્ચેની સરખામણી છે, અને તે સમયક્રમ અનુસાર મુજબ પણ તદ્દન યોગ્ય નથી, કારણ કે ફોર્સાઇટ
સાગાના પછીના ભાગો ઓગણીસ-વીસના દાયકામાં લખાયા હતા. પરંતુ તેના જે ભાગો કોઈને યાદ
રહેવાની સંભાવના છે તે ૧૯૧૦ ની આસપાસ લખાયેલ છે. જોકે મારા હેતુ માટે સરખામણી
સુસંગત છે, કારણ કે જોયસ અને ગૉલ્સવર્ધી બંને એક વિશાળ ચિત્રફલકને આવરી લેવાના અને સમગ્ર
યુગની ભાવના અને સામાજિક ઇતિહાસ એક જ પુસ્તકનાં પહેલાં અને છેલ્લાં પુંઠાંની વચ્ચે
મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. ધ મેન ઓફ પ્રોપર્ટી કદાચ આપણને હવે સમાજની ખૂબ જ
ગહન ટીકા ન લાગે, પરંતુ તે તેના સમકાલીન લોકોને એવું લાગતું હતું, તેના વિશે તેઓએ શું
લખ્યું છે તે દ્વારા તમે જોઈ શકો છો.
જોયસે ૧૯૧૪ અને ૧૯૨૧ ની વચ્ચેના યુદ્ધનાં સાત વર્ષોમાં, યુદ્ધ પર કોઈ જ ધ્યાન આપ્યા સિવાય યુલિસિસ લખવાનું અને ઇટાલી અને સ્વિટ્ઝર્લૅન્ડમાં ભાષાઓના શિક્ષક તરીકે સાવ મામુલી આજિવિકા કમાવાનું જ કામ કર્યું. તેઓ ગરીબી અને સંપૂર્ણ અજ્ઞાતવાસમાં સાત વર્ષ કામ કરવા માટે તદ્દન તૈયાર હતા જેથી તેમનું મહાન પુસ્તક શબ્દદેહ પામે. પરંતુ એમાં એવું તે શું છે જેને વ્યક્ત કરવા માટે આટલી બધી તાકીદ મહત્વની હતી? યુલિસિસના ભાગો ખૂબ જ સરળતાથી સમજી શકાય તેવા નથી, પરંતુ સમગ્ર પુસ્તકમાંથી તમને બે મુખ્ય છાપ મળે છે. પહેલું એ છે કે જોયસને ટેકનીકના વળગાડમાં રસ છે. આધુનિક સાહિત્યની મુખ્ય લાક્ષણિકતાઓમાંની આ એક રહી છે, જોકે તાજેતરમાં તે ઘટી રહી છે. પ્લાસ્ટિક કળા, ચિત્રકારો અને શિલ્પકારોમાં પણ આ લાક્ષણિકતાનો સમાંતર વિકાસ જોઈ શકાય છે. ચિત્રનાં વિષયની વસ્તુની વાત ન પણ કરીએ તો પણ જોઈ શકાય છે કે આ કળાકારો ચિત્રનાં આલેખન જેવી બાબતની પણ પરવા કર્યા વિના ચિત્ર પરના પીંછીઓના લસરકા જેવી સામગ્રી, જેનાથી પોતે કામ કરે છે તેમાં વધુને વધુ રસ લેતા હોય છે. જોયસને માત્ર શબ્દો, શબ્દોના ધ્વનિઘોષ અને શબ્દોના સંબંધોમાં, કે કાગળ પરના શબ્દોની ભાતમાં સુદ્ધાંમા રસ છે, જે અમુક અંશે પોલિશ-અંગ્રેજી લેખક જોસેફ કોનરાડ સિવાયના લેખકોની અગાઉની પેઢીના કોઈપણ લેખકમા ન હતો. જોયસના કિસ્સામાં આપણે વિગતપ્રચુર, અતિ અલંકૃત વર્ણનો સહિતની શૈલી, લલિત લેખન અથવા કાવ્યાત્મક લેખનની કલ્પના પર પાછા આવી પહોંચીએ છીએ.
બીજી બાજુ, બર્નાર્ડ શો જેવા લેખક, અલબત્ત, વાત વાતમાં કહે છે કે શબ્દોનો એકમાત્ર ઉપયોગ, શક્ય તેટલાં
ટુંકાણમાં, ચોક્કસ અર્થો વ્યક્ત કરવાનો છે. આ તકનીકી વળગાડ સિવાય, યુલિસિસનું અન્ય મુખ્ય કથાવસ્તુ, મશીનની જીત અને ધાર્મિક માન્યતાના પતન
પછી આધુનિક જીવનની અર્થહીનતા અને દારિદદ્ર્ય છે, ઓગણીસ-વીસના દાયકા દરમિયાન શ્રેષ્ઠ અંગ્રેજી લેખકો ઘણા કિસ્સાઓમાં અંગ્રેજો ન
હતા તે ફરી એક વાર યાદ કરતાં એ નોંધલેવી જોઈએ કે એક આઇરિશ એવા જોયસ એવા કેથોલિક
તરીકે લખી રહ્યા છે જેણે બાળપણ અને કિશોરાવસ્થામાં કેથોલિક હોવાનું જે માનસિક
બંધારણ જાળવી રાખ્યા છતાં આજે આસ્થા ગુમાવી બેઠા છે. યુલિસિસ, એક ખૂબ લાંબી નવલકથા હોવા છતાં છે તો એક જ દિવસની ઘટનાઓનું વર્ણન છે, જે મોટે ભાગે ચીંથરેહાલ યહૂદી વ્યાપારી પ્રવાસીની આંખો દ્વારા જોવામાં આવેલ
છે. જે સમયે પુસ્તક બહાર આવ્યું તે સમયે ભારે હોબાળો થયો હતો અને જોયસ પર
ઈરાદાપૂર્વક લાલચુ વૃત્તિનો ગેરલાભ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ હકીકતમાં, જ્યારે તમે રોજિંદા જીવનનું વિગતવાર ચિંતન કરો છો ત્યારે તે કેવું
હોય છે તેની કલ્પનાની સરખામણીમાં ધ્યાનમાં લેતા, જોયસે તે દિવસની ઘટનાઓનાં વર્ણનમાં દારિદ્ર્ય અથવા મૂર્ખતાનો અતિરેક કર્યો હોય
તેવું નથી જણાતું. ચર્ચના ઉપદેશો હવે વિશ્વાસપાત્ર નથી રહ્યા એ પછીની આ આધુનિક
દુનિયાનો કોઈ અર્થ જ નથી રહ્યો એવી સજ્જડ માન્યતામાં જોયસ પણ બાકાત નથી રહી શક્યા,
તે તમે આખી વાતમાં અનુભવો છો. તે એવી ધાર્મિક આસ્થા માટે
ઝંખે છે જેની સામે તેની પહેલાની બે-ત્રણ પેઢીઓએ ધાર્મિક સ્વતંત્રતાના નામે લડવું
પડ્યું હતું. પણ છેલ્લે પુસ્તકનો મુખ્ય રસ ટેકનિકલ છે. જેમાં નોંધપાત્ર પ્રમાણમાં
અન્ય રચનાકારની શૈલીની નકલ કે કાંસ્ય યુગની આઇરિશ દંતકથાઓથી લઈને સમકાલીન અખબારના
અહેવાલો સુધીની દરેક વસ્તુની વક્રોક્તિનો સમાવેશ જણાય છે. કોઈ પણ જોઈ શકે છે કે
તેના સમયના તમામ લાક્ષણિક લેખકોની જેમ, જોયસ ઓગણીસમી સદીના અંગ્રેજી લેખકોમાંથી
નહીં પરંતુ યુરોપ અને દૂરના ભૂતકાળમાંથી ઉતરી આવેલ છે. તેના મનનો એક ભાગ કાંસ્ય
યુગમાં છે, તો બીજો ભાગ એલિઝાબેથના ઈંગ્લેન્ડમાં છે. વીસમી સદીનું મોટર-કાર કાળનું જાહેર આરોગ્ય પણ તેને ખાસ આકર્ષતું નથી.
હવે ગૉલ્સવર્ધીના પુસ્તક, ધ ફોર્સાઇટ સાગાને ફરીથી જોઈએ તો જોઈ શકાશે કે સરખામણીમાં તેનાં કથાવસ્તુનો વિસ્તાર કેટલો સાંકડો છે. મેં પહેલેથી જ કહ્યું છે કે તેની સરખામણી
કરવી વાજબી નથી. ખરેખર જોઈએ તો બહુ ચોક્કસ સાહિત્યિક દૃષ્ટિકોણથી તે હાસ્યાસ્પદ પણ
કહી શકાય, પરંતુ બંને પુસ્તકોનો હેતુ વર્તમાન સમાજના સર્વગ્રાહી વ્યાપક ચિત્ર આપવાનો છે
તે દ્રષ્ટિ આ સરખામણી એક ઉદાહરણ પરવડશે. ગોંલ્સવર્ધી વિશે જે વાત એક નોંધપાત્ર
જણાય છે તે એ કે પોતે પ્રતિકાત્મક બનવાનો પ્રયાસ કરી રહ્યા હોવા છતાં, તે જેના પર હુમલો કરી રહેલ છે તે રૂઢિપરસ્ત શ્રીમંત સમાજથી પોતાનું મન દુર
ખસેડવામાં સંપૂર્ણપણે અસમર્થ રહ્યા છે. માત્ર થોડા ફેરફારો સાથે તે તેના તમામ
મૂલ્યોનો તે જેવાં છે તેમ જ સ્વીકાર કરી લે છે. મનુષ્ય થોડો વધારે અમાનવીય છે, પૈસાનો થોડો શોખીન છે અને સૌંદર્યલક્ષી રીતે તે પૂરતો સંવેદનશીલ નથી એ બધું તે
ખોટું હોવાની કલ્પના કરે છે. જ્યારે તે વ્યક્તિના ઇચ્છનીય પ્રકાર તરીકે જે કલ્પના
કરે છે તેનું નિરૂપણ કરવા માટે બહાર પડે છે, ત્યારે તે નિરૂપણ, તે દિવસોમાં ઈટાલીની ચિત્ર ગેલેરીઓને અડ્ડો બનાવી બેસનારા, કે પછી પ્રાણીઓ માટે ક્રૂરતા નિવારણ માટેની સંસ્થા માટે મચી પડીને સંમત થનાર, ભાડે આપનાર એવા ઉચ્ચ-મધ્યમ-વર્ગનું માત્ર એક સંવર્ધિત, માનવતાવાદી સંસ્કરણ હોવાનું જોવા મળે છે. હકીકત એ છે કે ગૉલ્સવર્ધીને તે જે
સામાજિક પ્રકારો પર તે આકરા પ્રહારો કરે છે તેના પ્રત્યે તેમને ખરેખર ઊંડો અણગમો
નથી એ વાતની તેમને સમકાલીન અંગ્રેજી સમાજની બહારની કોઈ પણ વસ્તુ સાથે કોઈ સંપર્ક
નથી એ તેમની નબળાઈની ચાવી આપે છે. તેમને લાગે છે કે તેમને આ બધું ગમતું નથી, પરંતુ ખરેખર તો એ પોતે જ તેનો એક ભાગ છે. પૈસા અને સુરક્ષા, યુદ્ધ જહાજોની ફરતી સુરક્ષા જેણે તેમને યુરોપથી અલગ કરી દીધી, તે બધું તેમના માટે ખૂબ જ વધારે પડતું છે. હૃદયના તળિયેથી તે વિદેશીઓને
ધિક્કારે છે, જેટલું તે માન્ચેસ્ટરના કોઈપણ અભણ ઉદ્યોગપતિને ધીક્કારે છે. જોયસ
અથવા એલિયટ અથવા તો લોરેન્સ સાથે તમને જે લાગણી થાય છે કે તેઓ સમગ્ર માનવ ઇતિહાસ
તેમના મગજની અંદર ભરી બેઠા છે અને યુરોપ અને ભૂતકાળ તરફ તેમના પોતાના સ્થાન અને
સમયથી બહારની તરફ જોઈ શકે છે, એવું ગૉલ્સવર્ધીમાં, કે પછી ૧૯૧૪ પહેલાના સમયગાળામાં કોઈપણ
પ્રતિનિધિ અંગ્રેજી લેખક સુદ્ધાંમાં, જોવા મળતું નથી .
+ + + +
જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, The Rediscovery of Europe નો આંશિક અનુવાદ