બુધવાર, 22 માર્ચ, 2023

યુરોપ - નવાં સ્વરૂપે (૧૯૪૨) - [૫] - જ્યોર્જ ઑર્વેલ

 The Rediscovery of Europe ના આંશિક અનુવાદ [] માં જ્યોર્જ ઑર્વેલ ૧૯૧૪ -૧૮ના યુદ્ધ પછીના લેખકો પૈકી એચ જી વેલ્સ અને ડી એચ લોરેંસની સરખામણી કર્યા પછી હવે જેમ્સ જોયસની મહાન નવલકથા 'યુલિસિસ' અને  જ્હોન ગૉલ્સવર્ધીની નવલકથા 'ધ ફોર્સાઇટ સાગા' સરખામણી કરે છે

+                      +                      +                      +

હવે હું બીજી સરખામણી કરવા માંગુ છું, જેમ્સ જોયસની મહાન નવલકથા 'યુલિસિસ' અને જ્હોન ગૉલ્સવર્ધીની, કોઈપણ દૃષ્ટિએ જોઇએ તો, ખૂબ મોટી ઘટનાક્રમ પર વિકસતી, નવલકથા 'ધ ફોર્સાઇટ સાગા'. આ વખતે સરખામણી વાજબી નથી. વાસ્તવમાં તે એક સારા પુસ્તક અને ખરાબ પુસ્તક વચ્ચેની સરખામણી છે, અને તે સમયક્રમ અનુસાર મુજબ પણ તદ્દન યોગ્ય નથી, કારણ કે ફોર્સાઇટ સાગાના પછીના ભાગો ઓગણીસ-વીસના દાયકામાં લખાયા હતા. પરંતુ તેના જે ભાગો કોઈને યાદ રહેવાની સંભાવના છે તે ૧૯૧૦ ની આસપાસ લખાયેલ છે. જોકે મારા હેતુ માટે સરખામણી સુસંગત છે, કારણ કે જોયસ અને ગૉલ્સવર્ધી બંને એક વિશાળ ચિત્રફલકને આવરી લેવાના અને સમગ્ર યુગની ભાવના અને સામાજિક ઇતિહાસ એક જ પુસ્તકનાં પહેલાં અને છેલ્લાં પુંઠાંની વચ્ચે મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. ધ મેન ઓફ પ્રોપર્ટી કદાચ આપણને હવે સમાજની ખૂબ જ ગહન ટીકા ન લાગે, પરંતુ તે તેના સમકાલીન લોકોને એવું લાગતું હતું, તેના વિશે તેઓએ શું લખ્યું છે તે દ્વારા તમે જોઈ શકો છો.

જોયસે ૧૯૧૪ અને ૧૯૨૧ ની વચ્ચેના યુદ્ધનાં સાત વર્ષોમાં, યુદ્ધ પર કોઈ  જ ધ્યાન આપ્યા સિવાય યુલિસિસ લખવાનું અને ઇટાલી અને સ્વિટ્ઝર્લૅન્ડમાં ભાષાઓના શિક્ષક તરીકે સાવ મામુલી આજિવિકા કમાવાનું જ  કામ કર્યું. તેઓ ગરીબી અને સંપૂર્ણ અજ્ઞાતવાસમાં સાત વર્ષ કામ કરવા માટે તદ્દન તૈયાર હતા જેથી તેમનું મહાન પુસ્તક શબ્દદેહ પામે. પરંતુ એમાં એવું તે શું છે જેને વ્યક્ત કરવા માટે આટલી બધી તાકીદ મહત્વની હતી? યુલિસિસના ભાગો ખૂબ જ સરળતાથી સમજી શકાય તેવા નથી, પરંતુ સમગ્ર પુસ્તકમાંથી તમને બે મુખ્ય છાપ મળે છે. પહેલું એ છે કે જોયસને ટેકનીકના વળગાડમાં રસ છે. આધુનિક સાહિત્યની મુખ્ય લાક્ષણિકતાઓમાંની આ એક રહી છે, જોકે તાજેતરમાં તે ઘટી રહી છે. પ્લાસ્ટિક કળા, ચિત્રકારો અને શિલ્પકારોમાં પણ આ લાક્ષણિકતાનો  સમાંતર વિકાસ જોઈ શકાય છે.  ચિત્રનાં વિષયની વસ્તુની વાત ન પણ કરીએ તો પણ જોઈ શકાય છે કે આ કળાકારો ચિત્રનાં આલેખન જેવી બાબતની પણ પરવા કર્યા વિના ચિત્ર પરના પીંછીઓના લસરકા  જેવી સામગ્રી, જેનાથી પોતે કામ કરે છે તેમાં વધુને વધુ રસ લેતા હોય છે. જોયસને માત્ર શબ્દો, શબ્દોના ધ્વનિઘોષ અને શબ્દોના સંબંધોમાં, કે કાગળ પરના શબ્દોની ભાતમાં સુદ્ધાંમા રસ છે, જે અમુક અંશે પોલિશ-અંગ્રેજી લેખક જોસેફ કોનરાડ સિવાયના લેખકોની અગાઉની પેઢીના કોઈપણ લેખકમા ન  હતો. જોયસના કિસ્સામાં  આપણે વિગતપ્રચુર, અતિ અલંકૃત વર્ણનો સહિતની શૈલી, લલિત લેખન અથવા કાવ્યાત્મક લેખનની કલ્પના પર પાછા આવી પહોંચીએ છીએ.

બીજી બાજુ, બર્નાર્ડ શો જેવા લેખક, અલબત્ત, વાત વાતમાં કહે છે કે શબ્દોનો એકમાત્ર ઉપયોગ, શક્ય તેટલાં ટુંકાણમાં, ચોક્કસ અર્થો વ્યક્ત કરવાનો છે. આ તકનીકી વળગાડ સિવાય, યુલિસિસનું અન્ય મુખ્ય કથાવસ્તુ, મશીનની જીત અને ધાર્મિક માન્યતાના પતન પછી આધુનિક જીવનની અર્થહીનતા અને દારિદદ્ર્ય  છેઓગણીસ-વીસના દાયકા દરમિયાન શ્રેષ્ઠ અંગ્રેજી લેખકો ઘણા કિસ્સાઓમાં અંગ્રેજો ન હતા તે ફરી એક વાર યાદ કરતાં એ નોંધલેવી જોઈએ કે એક આઇરિશ એવા જોયસ એવા કેથોલિક તરીકે લખી રહ્યા છે જેણે બાળપણ અને કિશોરાવસ્થામાં કેથોલિક હોવાનું જે માનસિક બંધારણ જાળવી રાખ્યા છતાં આજે આસ્થા ગુમાવી બેઠા છે. યુલિસિસ, એક ખૂબ લાંબી નવલકથા હોવા છતાં છે તો એક જ દિવસની ઘટનાઓનું વર્ણન છે, જે મોટે ભાગે ચીંથરેહાલ યહૂદી વ્યાપારી પ્રવાસીની આંખો દ્વારા જોવામાં આવેલ છે. જે સમયે પુસ્તક બહાર આવ્યું તે સમયે ભારે હોબાળો થયો હતો અને જોયસ પર ઈરાદાપૂર્વક લાલચુ વૃત્તિનો ગેરલાભ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ હકીકતમાં, જ્યારે તમે રોજિંદા જીવનનું  વિગતવાર ચિંતન કરો છો ત્યારે તે કેવું હોય છે તેની કલ્પનાની સરખામણીમાં  ધ્યાનમાં લેતા, જોયસે તે દિવસની ઘટનાઓનાં વર્ણનમાં દારિદ્ર્ય અથવા મૂર્ખતાનો અતિરેક કર્યો હોય તેવું નથી જણાતું. ચર્ચના ઉપદેશો હવે વિશ્વાસપાત્ર નથી રહ્યા એ પછીની આ આધુનિક દુનિયાનો કોઈ અર્થ જ નથી રહ્યો એવી સજ્જડ માન્યતામાં જોયસ પણ બાકાત નથી રહી શક્યા,  તે તમે આખી વાતમાં અનુભવો છો. તે એવી ધાર્મિક આસ્થા માટે ઝંખે છે જેની સામે તેની પહેલાની બે-ત્રણ પેઢીઓએ ધાર્મિક સ્વતંત્રતાના નામે લડવું પડ્યું હતું. પણ છેલ્લે પુસ્તકનો મુખ્ય રસ ટેકનિકલ છે. જેમાં નોંધપાત્ર પ્રમાણમાં અન્ય રચનાકારની શૈલીની નકલ કે કાંસ્ય યુગની આઇરિશ દંતકથાઓથી લઈને સમકાલીન અખબારના અહેવાલો સુધીની દરેક વસ્તુની વક્રોક્તિનો સમાવેશ જણાય છે. કોઈ પણ જોઈ શકે છે કે તેના સમયના તમામ લાક્ષણિક લેખકોની જેમ, જોયસ ઓગણીસમી સદીના અંગ્રેજી લેખકોમાંથી નહીં પરંતુ યુરોપ અને દૂરના ભૂતકાળમાંથી ઉતરી આવેલ છે. તેના મનનો એક ભાગ કાંસ્ય યુગમાં છે, તો બીજો ભાગ એલિઝાબેથના ઈંગ્લેન્ડમાં છે. વીસમી સદીનું  મોટર-કાર કાળનું જાહેર આરોગ્ય પણ તેને ખાસ આકર્ષતું નથી.

હવે ગૉલ્સવર્ધીના પુસ્તક, ધ ફોર્સાઇટ સાગાને ફરીથી જોઈએ તો જોઈ શકાશે કે સરખામણીમાં  તેનાં કથાવસ્તુનો વિસ્તાર કેટલો સાંકડો છે. મેં પહેલેથી જ કહ્યું છે કે તેની સરખામણી કરવી વાજબી નથી. ખરેખર જોઈએ તો બહુ ચોક્કસ સાહિત્યિક દૃષ્ટિકોણથી તે હાસ્યાસ્પદ પણ કહી શકાય, પરંતુ બંને પુસ્તકોનો હેતુ વર્તમાન સમાજના સર્વગ્રાહી વ્યાપક ચિત્ર આપવાનો છે તે દ્રષ્ટિ આ સરખામણી એક ઉદાહરણ પરવડશે. ગોંલ્સવર્ધી વિશે જે વાત એક નોંધપાત્ર જણાય છે તે એ કે પોતે પ્રતિકાત્મક બનવાનો પ્રયાસ કરી રહ્યા હોવા છતાં, તે જેના પર હુમલો કરી રહેલ છે તે રૂઢિપરસ્ત શ્રીમંત સમાજથી પોતાનું મન દુર ખસેડવામાં સંપૂર્ણપણે અસમર્થ રહ્યા છે. માત્ર થોડા ફેરફારો સાથે તે તેના તમામ મૂલ્યોનો તે જેવાં છે તેમ જ સ્વીકાર કરી લે છે. મનુષ્ય થોડો વધારે અમાનવીય છે, પૈસાનો થોડો શોખીન છે અને સૌંદર્યલક્ષી રીતે તે પૂરતો સંવેદનશીલ નથી એ બધું તે ખોટું હોવાની કલ્પના કરે છે. જ્યારે તે વ્યક્તિના ઇચ્છનીય પ્રકાર તરીકે જે કલ્પના કરે છે તેનું નિરૂપણ કરવા માટે બહાર પડે છે, ત્યારે તે નિરૂપણ, તે દિવસોમાં ઈટાલીની ચિત્ર ગેલેરીઓને અડ્ડો બનાવી બેસનારા, કે પછી પ્રાણીઓ માટે ક્રૂરતા નિવારણ માટેની સંસ્થા માટે મચી પડીને સંમત થનાર, ભાડે આપનાર એવા ઉચ્ચ-મધ્યમ-વર્ગનું માત્ર એક સંવર્ધિત, માનવતાવાદી સંસ્કરણ હોવાનું જોવા મળે છે. હકીકત એ છે કે ગૉલ્સવર્ધીને તે જે સામાજિક પ્રકારો પર તે આકરા પ્રહારો કરે છે તેના પ્રત્યે તેમને ખરેખર ઊંડો અણગમો નથી એ વાતની તેમને સમકાલીન અંગ્રેજી સમાજની બહારની કોઈ પણ વસ્તુ સાથે કોઈ સંપર્ક નથી એ તેમની નબળાઈની ચાવી આપે છે. તેમને લાગે છે કે તેમને આ બધું ગમતું નથી, પરંતુ ખરેખર તો એ પોતે જ તેનો એક ભાગ છે. પૈસા અને સુરક્ષા, યુદ્ધ જહાજોની ફરતી સુરક્ષા જેણે તેમને યુરોપથી અલગ કરી દીધી, તે બધું તેમના માટે ખૂબ જ વધારે પડતું છે. હૃદયના તળિયેથી તે વિદેશીઓને ધિક્કારે છે, જેટલું તે માન્ચેસ્ટરના કોઈપણ અભણ ઉદ્યોગપતિને  ધીક્કારે છે. જોયસ અથવા એલિયટ અથવા તો લોરેન્સ સાથે તમને જે લાગણી થાય છે કે તેઓ સમગ્ર માનવ ઇતિહાસ તેમના મગજની અંદર ભરી બેઠા છે અને યુરોપ અને ભૂતકાળ તરફ તેમના પોતાના સ્થાન અને સમયથી બહારની તરફ જોઈ શકે છે, એવું ગૉલ્સવર્ધીમાં, કે પછી ૧૯૧૪ પહેલાના સમયગાળામાં કોઈપણ પ્રતિનિધિ અંગ્રેજી લેખક સુદ્ધાંમાં, જોવા મળતું નથી .

+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, The Rediscovery of Europe નો આંશિક અનુવાદ 

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

બુધવાર, 15 માર્ચ, 2023

ગીતાના બે અંત -- દેવદત્ત પટ્ટનાઈક

આપણે ત્યાં દરેક ચૂંટણી એટલું તો જરૂર યાદ કરાવે છે કે ચૂંટણી નિષ્ણાતો અને જાહેર માધ્યમોના બૌદ્ધિક સંવાદદાતાઓ શહેરી ઈંડિયા કે ગ્રામીણ ભારત શું વિચારે છે તે અંગે પોતપોતાની અટકળોનાં ગમે તેટલાં વડાં તળે, મતદારની પોતાની આગવી વિચારસરણી રહેતી હોય છે. આ વિચારસરણી વિવિધ પ્રદેશોની સામાજિક, સંસ્કૃતિક અને આર્થિક પરિસ્થિતિઓના સંદર્ભમાં ઘડાય છે અને ખુબ પ્રવાહી હોય છે. એટલે તે વ્યક્તિ વ્યક્તિએ અલગ હોય છે. કદાચ તેથી જ ભગવદ ગીતાના બે અંત છે: એક અર્જુન - રાજકુમાર - માટે, અને એક સંજય - ધૃતરાષ્ટ્રના સારથિ- માટે, જેણે પોતાની દુરસંવેદનની અનુભૂતિ કરી શકવાની દૃષ્ટિની શક્તિઓનો ઉપયોગ કરીને કૃષ્ણની ગીતાના ઉપદેશ તેના અંધ ગુરુ, ધૃતરાષ્ટ્ર, ને સંભળાવ્યો હતો. હું મારા પુસ્તક માય ગીતા (રુપા પબ્લિકેશન્સ) ના અંતિમ પ્રકરણમાં બે અંતની વાત કરું છું.

કૃષ્ણ ગીતાનો અંત કહેતાં કહે છે, “અર્જુન, આ રીતે મેં બધાં રહસ્યોનો ભેદ તને કહેલ છે. તેના પર ચિંતન કર અને પછી તેને યોગ્ય લાગે તેમ કર. જો મારા પર પૂરો ભરોસો રાખતો હો તો બીજા બધા માર્ગો છોડી દે. તને ખબર છે કે એમ કરવાથી હું તને મુક્તિ અપાવીશ. ઉદ્ધત, ધિક્કારપાત્ર અથવા રસહીન લોકોસાથે આ જ્ઞાનને વહેંચતો નહીં. જેઓ મારા શબ્દો વહેંચે છે, તેમને હું ભક્તિભાવપૂર્વક માન આપું છું. જેઓ મારા શબ્દોને સમજ્યા વિના સાંભળે છે, તેઓ પણ આનંદ પામીને ધન્ય બને છે. હું આશા રાખું છું કે મેં જે કહ્યું તેના પર ધ્યાન આપીશ. હું એ પણ આશા રાખું છું કે આ જ્ઞાને તારી ભ્રમણાની સાંકળો તોડી નાખી હશે.”

એ સાંભળીને અર્જુન પુષ્ટિ કરે છે કે તેનો ભ્રમ વિખેરાઈ ગયો છે અને તેનાં જીવનના દૃષ્ટિકોણનું પરિપ્રેક્ષ્ય હવે એકાગ્રતા બનેલ છે. તે સ્પષ્ટ સંકલ્પ સાથે અને કોઈ શંકા વિના, કહ્યા પ્રમાણે કરવા તૈયાર છે. તે પછી સંજય વ્યાસ ઋષિ પ્રત્યે તેમણે પોતાને આપેલ દૂર સંવેદન પારખી શકવાની દૃષ્ટિ માટે આભાર વ્યક્ત કરે છે. એ દૃષ્ટિને કારણે જ તેને કૃષ્ણના જ્ઞાની શબ્દો સાંભળવા અને કૃષ્ણના ભવ્ય સ્વરૂપને જોવા માટે સક્ષમ બનાવેલ છે. છેલ્લે, ગીતાના છેલ્લા ફકરામાં, તે કૃષ્ણના પ્રવચન પર પોતાનો અંગત અભિપ્રાય આપે છે - "જ્યાં કૃષ્ણ મનને જોડે છે અને અર્જુન ધનુષ્ય ધારણ કરે છે, ત્યાં હંમેશા નસીબ, સફળતા, આધિપત્ય, સ્થિરતા અને ન્યાય છે. એ મારો અભિપ્રાય છે.”

બે તારણો વચ્ચેનો તફાવત તદ્દન સ્પષ્ટ છે. કૃષ્ણનું નિષ્કર્ષ મનોવૈજ્ઞાનિક છે. સંજયનું નિષ્કર્ષ ખૂબ જ ભૌતિક છે. જો અર્જુન યોદ્ધાની ભૂમિકા ભજવીને, અન્યના લાભ માટે, પુરસ્કારની કોઈ અપેક્ષા વિના તેમનામાં વિશ્વાસ દર્શાવે તો કૃષ્ણ અર્જુનને સાંસારિક બંધનોમાંથી મુક્તિ - મોક્ષ આપે છે . સંજય જણાવે છે કે તે માને છે કે કૃષ્ણના પ્રવચનમાં પાંચ વચનો છે: નસીબ (શ્રી), સફળતા (વિજય), પ્રભુત્વ (ભુ), સ્થિરતા (ધ્રુવ) અને કાયદો (નીતિ).

અર્જુનની સમસ્યા માત્ર તેના પુરતી જ ચિંતિત હતી, પરંતુ કૃષ્ણના નિરાકરણે તેણે બીજાનો વિચાર કર્યો. સંજય અન્ય છે: પાંડવો અને કૌરવો વચ્ચેના યુદ્ધમાં બધાએ અવગણ્યા હતા એવા હસ્તિનાપુરના લોકોનું તે મૂર્ત સ્વરૂપ છે. સંજય માટે, ગીતા સ્પષ્ટપણે, રાજાઓ માટેનું પ્રવચન છે, જેમની પાસે શાસન કરવાની, તેમની પ્રજાની જવાબદારી લેવાની અને સ્વાર્થને સંતોષવા માટે યુદ્ધો કરવાને બદલે શાંતિ અને સમૃદ્ધિની શરૂઆત કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. સંજય ધૃતરાષ્ટ્રને ગીતા સાંભળવાનો અને પોતાનો ભોગ આપવાનો અનુરોધ કરે છે કેમકે ધૃતરાષ્ટ અન્યની દુર્દશાથી અંધ છે.

સંજયનો નિષ્કર્ષ ગીતાના બોધને વૈષ્ણવ પૌરાણિક કથાઓ સાથે જોડે છે, કારણ કે શ્રી (લક્ષ્મી) અને ભુ (પૃથ્વી) એ વ્યક્તિવાચક નામો છે છે, જે વિષ્ણુની બે પત્નીઓનો ઉલ્લેખ કરે છે, જે વિજયા તરીકે પણ ઓળખાય છે. વિષ્ણુને બ્રહ્માંડના રાજા તરીકે જોવામાં આવે છે. તે શાહી પોશાકમાં સજ્જ રહે છે, તેની રાણીઓતેમની બાજુમાં હાજરી આપે છે: શ્રી, જે સાર્વભૌમત્વ, કીર્તિ, ખ્યાતિ અને કરિશ્મા જેવા અમૂર્ત પ્રારબ્ધને મૂર્તિમંત કરે છે; અને ભૂ, જે પૃથ્વી અને તેના ખજાના જેવી મૂર્ત સંપત્તિને મૂર્તિમંત કરે છે. ધ્રુવ અને નીતિ વિષ્ણુનાં અનુયાયીઓ. ધ્રુવ એવા ધ્રુવ તારકને મૂર્તિમંત કરે છે, જે બાળક તરીકે વિષ્ણુના ખોળામાં બેસવા માંગે છે, કેમકે એ જ એકમાત્ર બેઠક છે જ્યાંથી કોઈ તેને નીચે ખેંચી શકતું નથી, અને તેથી તે તેના દૈવી પિતાના સ્નેહનો કાયમ આનંદ માણી શકે. નીતિ એટલે ન્યાયપૂર્ણ વ્યવહારિક આચાર પદ્ધતિ જે ધર્મ હોવાને કારણે વિષ્ણુના વિચારને આધીન થાય છે, અને માટે જે અત્યંત મૂલ્યવાન છે. ધર્મના સંગાથમાં કાયદો લાચારોને મદદ કરે છે અને બધાને વાજબી વ્યવહાર (ન્યાય) કરે છે. ધર્મ વિનાનો કાયદો નિયંત્રણ, જુલમ અને તોડફોડનું સાધન બની રહેશે.
  • મિડ-ડેમાં ૨૨ નવેંબર૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Two endings of the Gita નો અનુવાદપ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

શુક્રવાર, 10 માર્ચ, 2023

સ્વ-વિકાસ : વિચાર વલોણું - ખેલકૂદ, જિંદગી અને નેતૃત્વ વચ્ચે કેટલીક સમાંતર સમાનતાઓ

 

ઘણા મૅનેજમેન્ટ વ્યાવસાયિકો પોતાની કારકિર્દીમાં બહુ વધારે વ્યસ્ત થઈ જવાથી કામમાં સ્ફુર્તિ અનુભવવા નથી લાગતા ત્યારે મનને હળવું કરવા પોતાની કિશોરાવસ્થા કે યુવાવસ્થાના શોખ તરફ વળતાં હોય છે.  જેમકેશાળા કે કૉલેજ પછી  અંગત કે વ્યાવસાયિક જિંદગીઓની અન્ય વ્યસ્તતાઓને કારણે હાંસિયામાં ધકેલાઈ ગયેલી ટેબલ ટેનિસ, કે શતરંજ કે ક્રિકેટ જેવી રમતો ફરીથી રમવાનું શરૂ કરવું.

જ્યારે એ રમતોમાં પોતે હજુ  શિખાઉ હતાં  ત્યારે જો કોઈ વધારે સારો ખેલાડી કંઈક અઘરો દાવ ખેલી નાખતો ત્યારે પરસેવે રેબઝેબ થઈ જતાં એ કિશોર/ યુવાન આજે તો હર પળે એવા પડકારોનો સામનો કરી રહ્યાં હોય છે. આજે પણ તેને સામે રહેલ માતબર હરીફ સામે કોઈક વાર તેમને પીછેહઠ પણ કરવી પડતી હોય છે તો કોઈ વાર પડાકાર ઝીલી લેવાની પહેલ પણ કરવી પડતી હોય છે. આજ હવે વ્યાવસાયિક જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિનો સામનો રેતી હેઠળ મોં છુપાવી લેવાથી તો નથી કરી શકાતો. હવે તો તેમણે કોઇને કોઇ પગલું લેવું જ પડતું હોય છે.   

રમતની એક ખાસીયત એ પણ છે કે તેમાં હરીફ પર આપણો કોઇ કાબુ નથી હોતો. તે આગલી ચાલ શું રમશે, એ પાછળ તેની શું ગણતરી છે તે તો જ્યાં સુધી એ ચાલ નથી ચાલતો ત્યાં સુધી આપણને ખબર જ નથી હોતી. પણ, એ પણ એટલું જ સાચું છે કે એ જો કંઈ અણધાર્યું કરે છે તો, મોટા ભાગે, આપણે તરત જ એ વિશે પુરાં જોશથી આપણ યથોચિત પ્રતિભાવની દિશામાં વિચારવા લાગી જઈએ છીએ. એ પોતાની આગલી ચાલ વિશે વિચારમાં હોય ત્યારે આપણે જો આવી કોઈ પણ અણધારી પરિસ્થિતિનો વિચાર કરીને એ વિશે માનસિક રીતે તૈયાર થઈ શક્યાં હોઈએ તો આપણે પ્રતિભાવ આપવામાં બહું મુંઝાવું નથી પડતું. જીવન અને વ્યવસાયમાં પણ કંઈક એવું જ છે! આર્થિક સંજોગો, બજારની રૂખ, આસપાસ બનતી લગભગ દરેક ઘટનાઓ જેવા બાહ્ય સંજોગો પર આપણો કોઈ જ કાબુ નથી હોતો. પણ જો આપણે બદલતા સંજોગોનાં અચાનક પરિવર્તન સાથે અનુકૂલન સાધવા તૈયાર હોઇએ તો પરિવર્તન સામેની અરધી લડાઈ તો જીતવાનું ભાથું આપણે બાંધી જ લીધું હોય છે.

હજુ એક, છેલ્લી, સરખામણી. રમતમાં બહુ વધારે રક્ષણાત્મક રૂખ અપનાવવાથી કદાચ હારથી બચી શકાય, પણ જીતની શક્યતા પણ ઘણી વાર હાથતાળી દઈ શકે છે. આપણે જેમ જેમ રક્ષણાત્મક થતાં થઈ જઈએ છીએ તેમ તેમ હરીફની આક્રમક થવાની હિંમત અને શક્યતાઓ ખુલવા લાગે છે. એ તો હવે બહુ જાણીતી વાત છે કે જોખમ વિના વધારે વળતર નથી જ મળતું. હા, આપણે ભલે આંધળો જુગાર ખેડી નાખવા જેવાં જોખમ ન લઈએ પણ ગણતરીપૂર્વકનું જોખમ લઈને થોડું વધારે વળતર મેળવાનો દૃષ્ટિકોણ તો કેળવવો  જોઈએ એ બાબતે પણ ખાસ શંકાને સ્થાન નથી. જેમ, માત્ર મજા માટે રમાતી રમતમાં પણ જીતવાની ભાવના સાથે ઉતરવું જેટલી ખેલદીલી કેળવવી જોઈએ એટલી નિષ્ઠા તો રમત માટે પણ હોવી જોઈએ, તેમ જીવન કે વ્યવસાયમાં સરેરાશથી વધારે સફળ થવાની ભાવના ન કેળવવી એ હરીફાઈથી,, કમસે કમ, એક કદમ આગળ રહેવા જેટલી અગમચેતી તો છે જ !

ખેલકૂદ અને જીવન તેમ જ વ્યવસાય વચ્ચે આવી ઘણી સમાંતર સમાનતાઓ મળી આવશે, કેમકે એકંદરે તો તેમના પ્રત્યેનો અભિગમ એ જીવન જીવવાનાં આપણાં મૂલ્યોનું અરીસામાં દેખાતું આપણું ખુદનું જ પ્રતિબિંબ છે. રમતનાં મેદાનમાં અંતિમ હાર કે જીત જેટલું જ મહત્ત્વ જેટલું આપણે કેમ રમ્યાં તેનું છે તેમ જીવન અને વ્યવસાયમાં સફળતાઓને યાદ રાખવામાં, કે નિષ્ફળતાઓને ભુલાવી દેવામાં, જીવન  કે વ્યવસાય પ્રતિ આપણી તત્પરતા, હકારાત્મકતા તેમજ સ્વયંસ્ફુરિતાની હાજરીનું તત્ત્વ આવશ્યક ઘટક બની રહે છે !

વિધિપૂર્વકસરના એક ખેલાડી થયા વિના પણ રમતનો માત્ર સક્રિય શોખ કેળવવાથી જીવન અને વ્યવસાયની તાણો હળવી કરવામાં મદદ મળવાની સાથે સાથે જીવન અને વ્યવસાય પ્રતિ આપણા આભિગમને વધારે દૃઢ અને અનિકૂલનક્ષમ બનાવવાની ક્ષમતા પણ કેળવાય છે.

ચાલો, મારો તો રમતનો સમય થયો એટલે હું તો આ ચાલ્યો. તમારે પણ સાથે આવવું છે?

સ્ત્રોત સંદર્ભ: A Few Parallels Between Sports, Life and Leadership

- - - . . . - - - . . . - - -

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

બુધવાર, 8 માર્ચ, 2023

મૅનેજમૅન્ટના નામસ્રોતીય સિધ્ધાંત : પાર્કિન્સનનો નિયમ, તેનાં અન્ય સ્વરૂપો અને સમય વ્યવસ્થાપન : પાર્કિન્સનના નિયમના કેટલાક અન્ય ઉપસિદ્ધાંતો

 

પાર્કિન્સનના નિયમના એવા બહુ બધા ઉપસિદ્ધાંતો પણ પ્રચલિત થયા છે જેમની મેનેજમૅંટના સંદર્ભમાં બહુ ચર્ચાઓ નથી થતી. આમ થવાનું એક કારણ એ હોઈ શકે કે આવા ઉપસિદ્ધાંતો, સામાન્યપણે, કોઈ અમુક ચોક્કસ સંદર્ભમાં રચાઈ ગયા હોય. 

પાર્કિન્સનના નિયમના નિયમની ચર્ચાના સમાપનમાં આપણે આવા કેટલાક અન્ય ઉપસિદ્ધાંતો પર નજર કરી લઈશું.

પાર્કિન્સનના નિયમનો આસિમોવ ઉપસિદ્ધાંત

ઇસાક આસિમોવનું મુખ્ય કાર્યક્ષેત્ર રૉબૉટિક્સ હતું અને તેના પર તેણે અનેક વાર્તાઓ પણ લખી છે. એટલે એમણે પાર્કિન્સનના નિયમના સંદર્ભમાં એમનાં પોતાના નામ સાથે જોડાયેલો ઉપસિદ્ધાંત કયા સંદર્ભમાં રચ્યો, તેને તેમનાં નામ સાથે કેમ જોડી દેવામાં આવ્યો તે વિશે ખાસ માહીતિ નથી મળતી -

દસ કલાકના સમયમાં તમારાં લક્ષ્યો પુરાં કરવા માટેની પ્રતિબધ્ધતામાં પાછળ રહી જવામાં પાંચ કલાકના સમયગાળા કરતાં બમણી શક્યતાઓ રહે છે.

પાર્કિન્સનના નિયમનો એક સીધો પ્રભાવ કામને ઢીલમાં પાડીને કામો પુરાં કરવાની માનવસહજ (કુ)ટેવ પર પડેલ જોવા મળતો હોય છે. એનું એક સિઢું પરિણામ એ આવતું હોય છે કે મોડા પડવાની સંભાવના દુર કરવા આપણે જરૂર કરતં વધારે સમય માંગી લેવાના છટકાંમાં ફસાઈ જતાં હોઈએ છીએ.  

પ્રસ્તુત ઉપસિદ્ધાંત એટલે જ કદાચ એમ માની જ લે છે કે પાંચ કલાકમાં કામ પુરૂં કરી આપવાની નિયત કરાવેલી મુદ્દતમાં પણ આપણે એટલી કંઈ ગુંજાઈશ તો રાખી જ હશે. પ્રસ્તુત ઉપસિદ્ધાંત અહીં જણાવે છે કે એ ભય સાચો પડશે એમ માનીને હવે દસ કલાકની મુદ્દત માગવાથી કામ વહેલું પુરૂ કરવાની શક્યતા જેટલી જ શક્યતા કામમાં હવે બે વાર મોડા પડવાની શક્યતા વણાઈ ગઈ છે.

હોફસ્ટાડ્ટરનો ઉપસિદ્ધાંત

ચેસની રમતમાં કમ્પ્યુટર  અને માનવીની સ્પર્ધાના વિષય વિશે ચર્ચાના સંદર્ભમાં ડ્ગ્લસ હૉફસ્ટાડ્ટરે તેમનાં પુસ્તક, Gödel Escher Bach: An Eternal Golden Braid, માં નોંધે છે[1] કે મશીને માણસને પાછળ રાખી દેવા માટે જે કંઇ સમય અંદાજ્યા તેના કરતાં વધારે જ સમય લાગ્યો. તેની પાછળનું કારણ એ હતું કે કમ્પ્યુટર તો પુનરાવર્તિત વિશ્લેષણની બાબતમાં વધારે સક્ષમ હોવાને કારણે તે એમાંને એમાં વધારે ઊંડું ઉતરતું જઈને આખો મામલો વધારે ને વધારે જટિલ બનાવતું ગયું. જેમ મામલો વધારે જટિલ બનતો ગયો તેમ તેનો ઉકેલ લાવવામાં વધારે ને વધારે સમય જરૂરી બનતો ગયો. તે દરમ્યાન માણસ પોતાની ભુલ સમજી ગયો અને ચાલની સરળ ગણતરીમાં પોતાની સહજ સમજને કસતો ગયો. પરિણામે કમ્પ્યુટરનું કામ વધારે મુશ્કેલ બનતું ગયું. 

ખેર, પછી તો કમ્પ્યુટરે પણ પોતાની ભુલ સુધારી લીધી અને માણસને હરાવ્યો તો ખરો.

આ આખી વાત, અને ઉપસિધ્ધાંત,નો સુર જટિલ એટલું વધારે મહત્ત્વનું એવી માનવસહજ નબળાઈ તરફ ધ્યાન દોરવાનું છે. જેમ કોઈ પણ કામ પુરું કરવા માટે જરૂર કરતાં વધારે સમય હોય તો એ વધારાનો સમય માણસ પોતાની માનવ સહજ નબળાઈને વશ થઈને પહેલાં કામને જટિલ બનાવવા પ્રયત્ન કરે છે અને એક વાર કામ જટિલ બની જાય એટલે પછી તેને પુરૂં કરવામાં મોડો પડવા લાગે છે, તેમ માનવ સર્જિત મશીનો પણ એક ઢાંચામાં તે બનવીને જેનો મૂળભૂત આશય ઉપયોગ કામમાં રહેલ પુનરાવર્તિત કંટાળાને દુર કરી માનવ સર્જકતા માટે પરિસ્થિતિ સરળ બનાવી વધારે ખીલવા દેવાનો હતો તે મશીનને કામ જટિલ બનાવીને પછી ઉકેલ શોધવામાં કામે લગાડી દેવામાં આવે છે. 

સમય વ્યવસ્થાપન સાથે સંકળાયેલા પાર્કિન્સનના નિયમના આ બધા  ઉપસિદ્ધાંતો જેવા બીજા પણ ઉપસિદ્ધાંતો જરૂરથી મળી રહેશે. તેજ રીતે પાર્કિન્સનના નિયમના મૂળ નિયમનાં વિવિધ સ્વરૂપ જેવા પાર્કિન્સનના અન્ય નિયમો પણ સમયની સાથે પ્રચલિત થયા. પરંતુ, એ બધાંની અહીં રજુઆત કરવામાં હવે પાર્કિન્સનના નિયમ વિશેની આપણી મૂળભુત સમજમાં કોઈ નવું પરિમાણ ઉમેરાય એવું નથી જણાતું, એટલે પાર્કિન્સનના નિયમ પરની આ ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ.   


આ બ્લૉગ પર, પીટરના નિયમના અલગ અલગ પ્રકાશિત થયેલ લેખોને એક જ જગ્યાએ સંકલિત સ્વરૂપમાં, પીટરનો સિદ્ધાંત અને તેને લગતા મૅનેજમૅન્ટના નામસ્રોતીય સિદ્ધાંતો હાયપર લિંક પર ક્લિક કરીને, વાંચી / ડાઉનલોડ કરી શકાશે.

આ બ્લૉગ પર, મર્ફીના નિયમના અલગ અલગ પ્રકાશિત થયેલ લેખોને એક જ જગ્યાએ સંકલિત સ્વરૂપમાં, મર્ફીનો નિયમ અને તેનાં વિવિધ સ્વરૂપો હાયપર લિંક પર ક્લિક કરીને, વાંચી / ડાઉનલોડ કરી શકાશે.


આ બ્લૉગ પર, પાર્કિન્સનના નિયમના અલગ અલગ પ્રકાશિત થયેલ લેખોને એક જ જગ્યાએ સંકલિત સ્વરૂપમાં, પાર્કિન્સનનો નિયમ, તેનાં અન્ય સ્વરૂપો અને સમય વ્યવસ્થાપન હાયપર લિંક પર ક્લિક કરીને, વાંચી / ડાઉનલોડ કરી શકાશે.


બુધવાર, 1 માર્ચ, 2023

મુરુગનનાં રૂપાંતરણો - દેવદત્ત પટ્ટનાઈક

 

મહાદેવના બે પુત્રો પૈકી કાર્તિકેયનું દક્ષિણમાં પ્રચલિત સ્વરૂપ મુરુગન છે. અથવા તેના બદલે, એમ પણ કહી શકાય કે શિવના પુત્ર કાર્તિકેય, એ મુરુગનનું ઉત્તર ભારતીય સ્વરૂપ છે. તમિલ સંગમ સાહિત્યમાં, ૧,૫૦૦ વર્ષ પહેલાંની તવારીખ, અને તેની પણ અગાઉની મૌખિક પરંપરાના ઉલ્લેખો અનુસાર, મુરુગન પર્વતો સાથે સંકળાયેલા છે. આ એ સમયગાળો હતો જ્યારે ભારતના દક્ષિણ ભાગમાં વૈદિક વિચારો વધુને વધુ પ્રચલિત થયા હતા. આમ, ઉજ્જડ રણને દેવી કાલી સાથે, વરુણ સાથે સમુદ્ર કિનારો, વિષ્ણુ સાથેના જંગલો અને ઈન્દ્ર સાથેના ક્ષેત્રો સાથે સંકળાયેલા છે. મુરુગન પર્વતોની ટોચ પર ઉભા હતા, અને પુત્ર તરીકે શિવ સાથે સંકળાયેલા હતા, જે શિવનાં વ્યાપક સ્વીકૃત આધિપત્યવાળા દેવત્વને સૂચવે છે, જોકે સ્થાનિક દંતકથાઓમાં, શિવ પોતે મુરુગન પાસેથી પ્રણવ ('ઓમ' ધ્વનિ)નું રહસ્ય શીખે છે આમ, મુરુગન પોયાના પિતાના શિક્ષક પણ બને છે. મોટાભાગના ઉત્તર ભારતીયો આ વાર્તાથી અજાણ છે, પરંતુ તે તમિલનાડુમાં ખૂબ જ લોકપ્રિય છે જે તમિળનાડુના લોકપ્રિય યાત્રાળુ માર્ગ તરીકે જાણીતાં મુરુગનના છ મંદિરો પૈકી એક અરૂપતિ વિતુનાં વિષય વસ્તુ તરીકે ખુબ જાણીતું છે. જો કે આ મંદિરો કદાચ વધારે પણ જૂના હોઈ શકે છે, પરંતુ આપણે જે મંદિરો અત્યારે જોઈએ છીએ તે છેલ્લા ૧,૦૦૦ વર્ષોમાં વિવિધ રાજાઓ દ્વારા વિવિધ તબક્કામાં બાંધવામાં આવ્યાં હતાં.

આ છ મંદિરો મુરુગનના જીવનની વિવિધ ઘટનાઓ પણ દર્શાવે છે. સ્વામીમાલાઈ ખાતે, તે એવા પુત્ર છે કે જેમણે પોતાના પિતા અને, તેઓ માત્ર અર્થ સમજ્યા વિના માત્ર જ શબ્દો જાણવા છતાં વેદ જાણવાનો ડોળ કરનાર, સર્જક બ્રહ્માને પણ ‘ઓમ’નું રહસ્ય જાહેર કર્યું હતું. પાલની, સૌથી વધુ લોકપ્રિય મંદિરોમાંના એકમાં, જ્યાં મુરુગન યુવાન વિદ્યાર્થી છે, જે હાથમાં ડંડ ધારેણ કરેલ, દંડપાણિ, છે જેણે કૈલાસ પર્વત પરનું પોતાના પિતાનું નિવાસસ્થાન છોડી દીધું હતું, કારણ કે તેના પિતાએ ગણેશપર વધારે કૃપા કરી હતી. તુતીકોરીન નજીક, પર્વતની ટોચ પર નહીં પણ સમુદ્ર કિનારે સ્થિત એકમાત્ર મંદિર, તિરુચંદુર ખાતે, તે એવા યોદ્ધા છે જેણે ભયંકર સુરપદ્મનને હરાવ્યો. સુરપધ્નમે પસ્તાવો કર્યો, અને તેથી તે તેના મોર-વાહન અને કૂકડાનાં ધ્વજ ચિહ્નમાં રૂપાંતરિત થયો. તિરુપરમકુનરામ ખાતે, તેમણે સુરપદમનના પરાજયથી ખુશ થયેલ ઈન્દ્રની પુત્રી દેવયાની સાથે લગ્ન કર્યાં. તિરુથની ખાતે, એક ઉત્કટ પ્રેમકથા અનુસાર, તેમણે આદિવાસી રાજકુમારી વલ્લી સાથે લગ્ન કર્યાં. જોકે કેટલીક વાર્તાઓમાં, તેમણે દેવયાની સાથે અહીં લગ્ન કર્યા. પઝમુદિરચોલાઈ ખાતે, તે ગૃહસ્થ છે. અહીં તે તેમની બંને પત્નીઓ, દૈવી દેવયાની અને પાર્થિવ વલ્લી સાથે વસતા બતાવવામાં આવેલ છે.

મુરુગનમાં આપણે શિવ સમાજ્ની મોહમાયાથી પર એવા ઋષિ અને જીવનથી બધકતી દેવી દુર્ગાનું સંયોજન જોઈ શકીએ છીએ. મુરુગનનો અભ્યાસ આપણને યાદ અપાવે છે કે હિંદુ ધર્મ કેટલો વૈવિધ્યસભર છે. અને જ્યારે આપણે વૈદિક ગ્રંથોમાં બધું શોધીએ છીએ, ત્યારે હિંદુ ધર્મની ઘણી ઉપનદીઓમાંના એક વિચાર તરીકે વૈદિક વિચારધારાનું સ્વતંત્ર અસ્તિત્ત્વ પણ રહે છે. બીજા શબોમં કહીએ તો, વેદાંત હિંદુ વિચારોને સમજાવવા માટે સૌથી શક્તિશાળી બૌદ્ધિક માળખું પ્રદાન કરે છે. કુટુંબને નકારવા અને સંન્યાસી બનવાથી લઈને ગૃહસ્થ બનવા સુધીની સફર સુધીની એક સુસંગત છાપ આપણે હિંદુ ધર્મમાં જોઈ શકીએ છીએ. આ વિચારધારા એક સમયે દક્ષિણ ભારતમાં પ્રભુત્વ ધરાવતી બૌદ્ધ અને જૈન ધર્મ જેવી મઠની પરંપરાઓનો સ્પષ્ટપણે અસ્વીકાર હતો.

મુરુગનના મંદિરો અસુરો અને રાક્ષસો સાથે સંકળાયેલા છે. આ મંદિરોમાં મુરુગન શિવને પ્રાર્થના કરીને ભયાનક અસુર -તારક- એવા સુરપદ્મનના નાના ભાઈના આત્મા માટે શાંતિ શોધે છે. એવી પણ વાર્તાઓ છે કે કેવી રીતે પલાની પર્વતોને રાક્ષસ હિડિમ્બ વડે પોતાના ખભા પર લટકાવેલા કચરા સાથે બાંધીને હિમાલયમાંથી ખરેખર નીચે લાવવામાં આવ્યા હતા. આ પર્વતો મુરુગનની માતા તરફથી ભેટ હતી, કેમકે માને લાગ્યું કે પોતાના પિતા સાથેના મતભેદને પગલે મુરુગનના દક્ષિણ તરફ ગયા પછી તેને પાછળ ઘરે રહી ગયેલ પર્વતોની ખોટ સાલશે. મુરુગનને ઘણીવાર, તેમના મંદિરોમાં, આદિવાસી, એક યોદ્ધા-રાજા, એક વૈદિક પૂજારી અને સાધુ તરીકે પણ જોઈ શકાય છે, જે આપણને આ પ્રદેશમાં પ્રભુત્વ ધરાવતા વિવિધ સમુદાયોની યાદ અપાવે છે. આમ મુરુગનનાં વિવિધ સ્વરૂપો બધાંનાં પ્રતિનિધત્વને સાચવી લે છે.

  • મિડ-ડેમાં નવેંબર૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, The Transformation of Muruganનો અનુવાદપ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

બુધવાર, 22 ફેબ્રુઆરી, 2023

યુરોપ - નવાં સ્વરૂપે (૧૯૪૨) - [૪] - જ્યોર્જ ઑર્વેલ

 

The Rediscovery of Europe ના આંશિક અનુવાદ [૩] ના અંતમાં જ્યોર્જ ઑર્વેલ ૧૯૧૪ -૧૮ના યુદ્ધ પછીના લેખકોનાં વિષય વસ્તુઓમાં ઐતિહાસિક દૃષ્ટિકોણના અભાવને સ્પષ્ટ કર્યા પછી તેમ છતાં પણ જે લેખકો બધાંનું આકર્ષિત કરી શકાય હતા તેમની શૈલીની વિગતે વાત માંડે છે.

હવે એવા લેખકો તરફ નજર કરીએ જેઓ આમ પણ આપણું ધ્યાન આકર્ષિત કરી શક્યા છે- તેમાંથી જોયસ, એલિયટ, પાઉન્ડ, હક્સલી, લોરેન્સ, વિન્ડહામ લેવિસ જેવા કેટલાકે છેલ્લા યુદ્ધ પછી તરત જ લખવાનું શરૂ કર્યું હતું. અન્યો સાથે સરખામણીમાં તેમના વિશેની તમારી પ્રથમ છાપઆ લોરેન્સ માટે પણ સાચું છેકંઈક અંશે ઝાંખી પડે છે. શરૂઆતમાં, પ્રગતિની કલ્પના તો હવા જ  થઈ ગઈ છે. તેઓ હવે માનતા નથી કે નીચા મૃત્યુ દર, વધુ અસરકારક જન્મ નિયંત્રણ, વધુ સારી પ્લમ્બિંગ, વધુ એરોપ્લેન અને ઝડપી મોટર કાર દ્વારા પુરુષો વધુ સારા થઈ રહ્યા છે. ડી.એચ. લોરેન્સના પ્રાચીન ઇટ્રસ્કન્સ (Etruscans) પછીથી લગભગ તે બધા દૂરના ભૂતકાળની, અથવા અમુક નજદીકના ભૂતકાળની. યાદમાં ઝૂરે છે તે બધા રાજકીય રીતે પ્રતિક્રિયાશીલ છે, અથવા બહુ બહુ તો રાજકારણમાં રસ ધરાવતા નથી. સ્ત્રી મતાધિકાર, મદ્યત્યાગ સુધારણા, જન્મ નિયંત્રણ અથવા પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા અટકાવવી જેવા તેમના પુરોગામીઓ માટે મહત્વપૂર્ણ લાગતા તેવા વિવિધ ખુણાં ખાંચરાંના સુધારાઓ વિશે કોઇને ટકા ભારની પણ પડી નથી. તે બધા પહેલાની પેઢી કરતાં ખ્રિસ્તી દેવળો પ્રત્યે વધુ મૈત્રીપૂર્ણ, અથવા ઓછામાં ઓછા ઓછા પ્રતિકૂળ છે. અને લગભગ બધા જ, કોઈ અંગ્રેજી લેખક કરતાં, સૌંદર્યલક્ષી રીતે શૃંગારમાં રસગામી પુનરુત્થાન પછી વધુ  જીવંત લાગે છે .

હવે, બે સમયગાળામાં ઓછા તુલનાત્મક પ્રકારનાં વધુ ઉત્કૃષ્ટ પુસ્તકોની તુલના કરીને, એટલે કે અમુક વ્યક્તિગત ઉદાહરણો દ્વારા, હું જે કહેવા માગું  છું તે શ્રેષ્ઠ રીતે સમજાવી શકીશ. પ્રથમ ઉદાહરણ તરીકે, એચ.જી. વેલ્સની ટૂંકી વાર્તાઓની - જેમાંની મોટી સંખ્યામાં ધ કન્ટ્રી ઑફ ધ બ્લાઈન્ડના શીર્ષક હેઠળ એકસાથે એકત્રિત કરવામાં આવી છે -ની સરખામણી ઈંગ્લેન્ડ, માય ઈંગ્લેન્ડ અને ધ પ્રુશિયન ઓફિસરજેવી ડી. એચ. લોરેન્સની ટૂંકી વાર્તાઓ સાથે કરો.

આ કોઈ અયોગ્ય સરખામણી નથી, કારણ કે આ દરેક લેખકો ટૂંકી વાર્તામાં તેમના શ્રેષ્ઠની, અથવા તો ક્યાંક તેમના શ્રેષ્ઠની, નજીક હતા, અને તેમાંથી જીવનની એક નવી દ્રષ્ટિ વ્યક્ત કરી રહ્યા હતા, જેની તેમના સમયના યુવાનો પર ઘણી અસર થઈ હતી. એચ.જી. વેલ્સની વાર્તાઓનો અંતિમ વિષય, સૌ પ્રથમ, વૈજ્ઞાનિક શોધ છે, અને તેનાથી આગળ વધીને સમકાલીન અંગ્રેજી જીવન, ખાસ કરીને નિમ્ન-મધ્યમ-વર્ગના જીવનની, નાની દંભ કથાઓ અને દુઃખદ અને સુખદ ઘટનાઓનું સંમિશ્રણ છે. તેમનો મૂળભૂત 'સંદેશ', મને ન ગમતી અભિવ્યક્તિનો ઉપયોગ કરવા માટે, એ છે કે વિજ્ઞાન માનવતાને  જે વારસામાં મળી છે એવી મામ બિમારીઓનું નિરાકરણ લાવી શકે છે, પરંતુ માણસ હાલમાં તેની પોતાની શક્તિઓની સંભાવનાને જોવા માટે ખૂબ અંધ છે. સ્વપ્નસેવી યુટોપિયન વિષય-વસ્તુઓ અને હળવી હાસ્ય રચનાઓ વચ્ચેનું, લગભગ ડબલ્યુ ડબલ્યુ જેકોબ્સની જ શૈલીનું ઉલટસુલટવેલ્સના કામમાં ખૂબ જ નોંધપાત્ર દેખાય છે. તે ચંદ્ર પર અને સમુદ્રના તળિયાંની મુસાફરી વિશે લખે છે, અને તે નાદારીથી બચી રહેલા નાના દુકાનદારો વિશે પણ લખે છે જે પ્રાંતીય નગરોની ભયાનક દંભીપણામાં તેમના અંતને જાળવી રાખવા માટે લડતા હોય છે. આ બન્નેને જોડતી કડી  વેલ્સની વિજ્ઞાનમાં માન્યતા છે. તે હંમેશા કહેતો હોય છે કે જો નાનો દુકાનદાર વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવે તો તેની મુશ્કેલીઓનો અંત આવી જાય..અલબત્ત તે એમ પણ માને છે કે, કદાચ નજીકના ભવિષ્યમાં. આમ થવાનું જ છે.  વૈજ્ઞાનિક સંશોધન માટે થોડા વધુ મિલિયન પાઉન્ડ હોમો, થોડી વધારે પેઢીઓને વૈજ્ઞાનિક રીતે શિક્ષિત કરો, અને થોડી વધુ અંધશ્રદ્ધાઓને કચરાપેટીમાં ઠાલવો, એટલે કામ થઈ ગયું.

હવે, જો તમે લોરેન્સની વાર્તાઓ તરફ વળો છો, તો તમને વિજ્ઞાનમાં આ માન્યતા જણાતી નથી - બલ્કે જો કંઈપણ હોય તો તેના પ્રત્યે દુશ્મનાવટ છે,  - અને જ એ પ્રકારે વેલ્સ રજૂઆત કરે છે તેને બદલે તેમને ભવિષ્યમાં, તેમાં પણ ખાસ કરીને તર્કસંગત જલસાવાદી ભવિષ્યમાં, કોઈ સ્પષ્ટ રસ જોવા મળતો નથી. તમને એવો ખ્યાલ પણ નથી આવ્તો કે નાના દુકાનદાર અથવા આપણા સમાજના અન્ય પીડિત વ્યક્તિઓમાંથી કોઈ પણ વ્યક્તિ વધુ સારી રીતે શિક્ષિત હોત તો સ્થિતિ વધુ સારી હોત. માણસે સંસ્કારી બનીને તેના જન્મસિદ્ધ અધિકારને ફેંકી દીધો છે એવો સુચીતાર્થની તમને સતત શોધ રહ્યા જ કરે છે. 

લોરેન્સના લગભગ તમામ પુસ્તકોનાં વિષયવસ્તુનો અંત સમકાલીન પુરુષોની નિષ્ફળતા છે, ખાસ કરીને અંગ્રેજી બોલતા દેશોમાં. તેમનાં જીવનને પૂરાં જોશ સાથે જીવવા માટે. સ્વાભાવિક રીતે જ, તે પોતાના જાતીય જીવન પર પ્રથમ સુધારો કરે છે. એ  હકીકત છે કે લોરેન્સના મોટાભાગના પુસ્તકો કામુકતાને કેન્દ્રમાં રાખે છે.  જેમકે કેટલીકવાર માનવામાં આવે છે, લોકો જેને જાતીય સ્વતંત્રતા કહે છે તેની વધુ માંગણી લોરેંસ નથી કરતા. તે તેના વિશે સંપૂર્ણપણે ભ્રમિત છે, અને તે બોહેમિયન બૌદ્ધિકોના કહેવાતા અભિજાત્યપણાને એટલું જ ધિક્કારે છે જેટલો તે મધ્યમ વર્ગના શુદ્ધતાવાદને ધિક્કારે છે.

તે જે કહે છે તે ફક્ત એટલું જ છે કે આધુનિક માણસો  ખૂબ સંકુચિત ધોરણો, અથવા કોઈ ધોરણો, ન હોવાને કારણે નિષ્ફળ જાતા હોય પણ એટલું તો નક્કી જ જણાય છે કે એ લોકો સંપૂર્ણ રીતે જીવંત નથી. તેઓ સંપૂર્ણ રીતે જીવંત જરૂર હોઈ શકે છે, અને એ માટે તેઓ કઈ સામાજિક કે રાજકીય અથવા આર્થિક વ્યવસ્થા હેઠળ જીવે છે તેની તેને બહુ પરવા નથી. તે હાલના સમાજની રચનાને, તેના વર્ગ ભેદો વગેરેને તેની વાર્તાઓમાં સહજપણે સ્વીકારી લે છે, અને તેને બદલવાની કોઈ ખૂબ જ તાકીદની ઈચ્છા દર્શાવતો નથી.
તે ફક્ત એટલું જ પૂછે છે કે જ્યાં ગ્રામોફોન ક્યારેય અટકતા નથી એવી સેલ્યુલોઇડ અને કોંક્રિટની દુનિયા કરતાં, પૃથ્વીની નજીક, વનસ્પતિ, અગ્નિ, પાણી, લિંગ, રક્ત જેવી વસ્તુઓના જાદુની વધુ સમજ સાથે માણસ જાત વધુ સરળ રીતે જીવશે? તે કલ્પના કરે છે - સંભવ છે કે તે ખોટો છે - કે ક્રૂર અથવા આદિમ લોકો સંસ્કારી માણસો કરતાં વધુ તીવ્રતાથી જીવે છે, અને તે એક પૌરાણિક વ્યક્તિનું નિર્માણ કરે છે જે ફરીથી ઉમદા અસભ્ય,જંગલી, આદિમ બનવાથી દૂર નથી.

અંતે, તે આ ગુણો એટ્રુસ્કન્સ, એવા પ્રાચીન પૂર્વ-રોમન લોકો કે જેઓ ઉત્તર ઇટાલીમાં રહેતા હતા અને જેમના વિશે , હકીકતમાં, આપણે કંઈપણ જાણતા નથી, દ્વારા રજૂ કરે છે, . એચ.જી.વેલ્સના દૃષ્ટિકોણથી, વિજ્ઞાન અને પ્રગતિનો આ બધો ત્યાગ, આદિમ તરફ પાછા ફરવાની આ હકીકતી ઇચ્છા, ફક્ત પાખંડ અને બકવાસ છે.
અને તેમ છતાં ઍટલું તો સ્વીકારવું જ જોઈએ કે લોરેન્સનો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ સાચો છે કે પછી તે વિકૃત હોય કે ન હોય, તે એચ.જી. વેલ્સની વિજ્ઞાન ઉપાસના અથવા બર્નાર્ડ શૉ જેવા લેખકોના છીછરા પ્રગતિવાદ કરતાં, ઓછામાં ઓછું, એક પગલું આગળ તો છે. તે આ અર્થમાં એક આગળનું કદમ છે કે તે અન્ય વલણ દ્વારા જોવાથી, તેનાથી ઓછા પડવાથી નહીં, પરિણમે છે. અંશતઃ તે ૧૯૧૪ ૧૮ના યુદ્ધની અસર હતી, જેણે વિજ્ઞાન તેમજ પ્રગતિ અને સંસ્કારી માણસ બંનેને ખતમ કરવામાં સફળતા મેળવી હતી. ઇતિહાસના સૌથી મોટા નરસંહારમાં આખરે પ્રગતિનો અંત આવ્યો. વિજ્ઞાન એવી વસ્તુ હતી જેણે બોમ્બિંગ વિમાનો અને ઝેરી ગેસ બનાવ્યા, તેમાંથી જોવા એ મળ્યું કે સંસ્કારી માણસ,જ્યારે સમય આવે છે ત્યારે કોઈપણ ક્રૂર કરતાં વધુ ખરાબ વર્તન કરવા તૈયાર હતો. જો ૧૯૧૪ -૧૮નું યુદ્ધ ક્યારેય ન થયું હોત તો પણ આધુનિક મશીન સંસ્કૃતિ સાથે લોરેન્સનો અસંતોષ એ જ હોત, તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, The Rediscovery of Europe નો આંશિક અનુવાદ