બુધવાર, 5 ઑગસ્ટ, 2026

પત્રિકા સાહિત્ય, ૧૯૪૩ - જ્યોર્જ ઑર્વેલ

 

એક હજાર શબ્દોમાં પંદર પત્રિકાઓની પર્યાપ્ત સમીક્ષા કરી શકાય તેમ નથી, મેં પંદરની સંખ્યા એટલા સારુ પસંદ કરી છે કે તેમ કરવાથી વર્તમાન પત્રિકાઓના નવ મુખ્ય પ્રકારન પ્રવાહોમાંથી આઠનું પ્રતિનિધિત્વ કરે છે. (ખુટતો પ્રકાર શાંતિવાદ છે: મારી પાસે તાજેતરનો શાંતિવાદી પત્રિકા નથી.) તાજેતરના વર્ષોમાં પત્રિકાઓના પુનરુત્થાનમાં કેટલીક વિચિત્ર સુવિધાઓ સમજાવવાનો પ્રયાસ કરતા પહેલા, હું તેમને અલગ અલગ શીર્ષકો હેઠળ, ટૂંકી ટિપ્પણીઓ સાથે અહીં સુચિબદ્ધ કરીશ..

સાહિત્યિક શિષ્ટ ચોપાનિયાં 

૧.. ડાબેરી વિરોધી અને અણછતું-ફાશીવાદી: એ સોલ્જર્સ ન્યુ વર્લ્ડ. 2d. (ઉપ-શીર્ષક, 'શિબિરમાં લખાયેલ એક વિષયાંતર-વિરોધી પત્રિકા'; આ ઉચ્ચ કક્ષાનું વલણ ધરાવે છે અને સાબિત કરે છે કે સામાન્ય માણસ સમાજવાદ ઇચ્છતો નથી. મુખ્ય વાક્ય: 'કાબેલ લોકો ક્યારેય સરળ વસ્તુઓમાં આનંદ માણવાનું શીખ્યા નથી'.) ગોલાંઝ ઈન જર્મન વન્ડરલેન્ડ. 1s. (વેન્સિટારટાઇટ). વર્લ્ડ ઑર્ડર અથવા વર્લ્ડ રુઈનર. 6d. (આયોજન-વિરોધી; જી. ડી. એચ. કોલેએ ખંડન કરેલ.)
૨.. રૂઢિચુસ્ત: બોમ્બર કમાન્ડ કન્ટીન્યુઝ. 7d. (સત્તાવાર પત્રિકાનો સારો નમૂનો.)
૩. સમાજવાદી લોકશાહીની હિમાયત: ધ કેસ ઓફ ઑસ્ટ્રિયા. 6d. (ફ્રી ઑસ્ટ્રિયન મૂવમેન્ટ દ્વારા પ્રકાશિત.)
૪. સામ્યવાદી: ક્લિઅર આઉટ હિટલર'સ એજન્ટ્સ. 2d. (ઉપ-શીર્ષક, 'બ્રિટનમાં ટ્રોત્સ્કીવાદી વિક્ષેપનું પ્રદર્શન; અતિશય અપ્રમાણિક.)
૫. ટ્રોત્સ્કીવાદી અને અરાજકતાવાદી : ધ ક્રોનસ્ટાડ્ટ રિવોલ્ટ. 2d. (અરાજકતાવાદી પત્રિકા, મોટે ભાગે ટ્રોત્સ્કી પર હુમલો.)
૬. બિન-પક્ષીય કટ્ટરપંથી: વ્હૉટ'સ રોંગ વિથ ધ આર્મી? 6d. (એક હર્રીકેન પુસ્તક, સારી રીતે માહિતગાર અને સારી રીતે લખાયેલ બ્લિમ્પ વિરોધી દસ્તાવેજ.) આઈ, જેમ્સ બ્લન્ટ. 6d. (રૂંવાડાં ઉભું કરી દે એવું; એવી વાજબી ધારણા પર આધારિત કે અંગ્રેજ લોકોના મોટાભાગનાએ હજુ સુધી ફાશીવાદ વિશે સાંભળ્યું નથી.) બેટલ ઑફ જાયન્ટ્સ. કિંમત નથી જણાવાઇ, કદાચ 6d. (લોકપ્રિય બિન-સામ્યવાદી રશિયા તરફી સાહિત્યનો રસપ્રદ નમૂનો.)
૭. ધાર્મિક: એ લેટર ટુ ધ કન્ટ્રી ક્લર્જીમેન. ૨ સે. (ફેબિયન પેમ્ફલેટ, ડાબેરી એંગ્લિકન.) લડવૈયાઓ એવર. ૬ સે. (બુચમેનને સાચા ઠેરવાયા છે.)
૮. મહામૂર્ખ: બ્રિટન'સ ટ્રાયમ્ફન્ટ ડેસ્ટિની, અથવા રાઈચસનેસ નો લોન્ગ ઑન ધ ડીફેન્સીવ . ૬ સે. (બ્રિટિશ ઇઝરાયલ, પુષ્કળ ચિત્રો સાથે.) વ્હેન રશિયા ઇન્વેડ્સ પેલેસ્ટાઇન. ૧ સે. (બ્રિટિશ ઇઝરાયલ. લેખક, એ. જે. ફેરિસ, બી. એ., એ સંબંધિત વિષયો પર પત્રિકાઓની લાંબી શ્રેણી લખી છે, જેમાંથી એકનું ભારે વેચાણ થયું છે. ૧૯૪૦માં પ્રકાશિત તેમનું "વ્હેન રશિયન બોમ્બ્સ જર્મની",ની ૬૦,૦૦૦ થી વધુ નકલ વેંચાઈ હતી.) 'સિવિસ બ્રિટાનિકસ સમ' નું ‘હિટલર'સ સ્ટોરી એન્ડ પ્રોગ્રામ ટુ કોન્ક઼ર ઈંગ્લેન્ડ. ૧ સે. (નમૂનાનો ફકરો: 'રમત રમવી' એ એક મહાન બાબત છે, અને એ જાણવું કે કોઈ તેમ કરી રહ્યું છે. પછી, જ્યારે એવો દિવસ આવે છે કે દિવસ પુરો થયે સ્ટમ્પ ઉપાડી લેવામાં છે કે છેલ્લી વાર સીટી વાગે છે:

ધ ગ્રેટ સ્કોરર તમારા છેલ્લા નામ સામે લખવા આવશે,

તમે જીત્યા છો કે હારી ગયા છો તે નહીં; પણ તમે રમત કેવી રીતે રમી.')

મેં જે થોડા નામ આપ્યા છે તે તો પત્રિકા સાહિત્યના સમુદ્રમાં ફક્ત એક ટીપું છે. તેમાંથી બને એટલું વધારે જાતનું સાહિત્ય મળી શકે એ માટે મેં એવાં ઘણા બધાનો સમાવેશ કર્યો છે જેના વિશે સરેરાશ વાચકે સાંભળ્યું પણ હશે. આ નાના નમૂનામાંથી કોઈ શું તારણો કાઢી શકે છે?

રસપ્રદ હકીકત જે સરળતાથી સમજાવી શકાતી નથી તે એ છે કે પત્રિકા સાહિત્યકરણ લગભગ ૧૯૩૫ થી પુર જોશમાં પુનર્જીવિત થયું છે,અને તે પણ ખરેખર મૂલ્યનું કંઈપણ પેદા કર્યા વિના. છેલ્લા છ વર્ષ દરમિયાન બનાવેલ મારો પોતાના સંગ્રહનો આંકડો ઘણા સેંકડોમાં હશે, પરંતુ તેમ છતાં, કદાચ કુલ નિપજના દસ ટકા જેટલું પણ એ પ્રતિનિધિત્વ કરતું નથી. આમાંની કેટલાક પત્રિકાઓનું ખૂબ જ વેચાણ થયું છે. ખાસ કરીને ધાર્મિક અને દેશભક્તિપૂર્ણ વિષયોની પત્રિકાઓ, જેમ કે શ્રી ફેરિસ, બી. એ. ની કે હિટલર'સ લાસ્ટ વિલ એન્ડ ટેસ્ટામેન્ટ જેવી ગંદા પત્રિકાઓ લાખોમાં વેચાયા હોવાનું કહેવાય છે. સીધી રાજકીય પત્રિકાઓ ક્યારેક મોટી સંખ્યામાં વેચાય છે, પરંતુ કોઈપણ પક્ષની મુખપત્ર જેવી હોય છે તેનો પ્રસાર બનાવટી હોવાની શક્યતા છે. મારા સંગ્રહમાંથી જોતાં, મને લાગે છે કે એવી પત્રિકાઓ લગભગ બધી જ કચરો છે. એ બધી ફક્ત ગ્રંથસૂચિ માટે રસપ્રદ છે.

જોકે મેં વર્તમાન પત્રિકાઓને નવ શીર્ષકો હેઠળ વર્ગીકૃત કરી છે, તેમ છતાં એમને મૂળત:, પક્ષની મુખપત્રિકાઓ કે ભવિષ્યવાણી કરતી પત્રિકાઓ એમ બે વિચારધારાઓમાં મુકી શકાય. એ ક્યાં રો એકહથ્થુ સત્તનો વાણીવિલાસ છે કે વહેમીલાં વિષયોનો બકવાસ છે, પરંતુ દરેક કિસ્સામાં તે છે તો સાવ બકવાસ જ. વાંચનનો વિષય માનવામાં આવે છે એવી ફેબિયન સોસાયટીની સુમાહિતગાર પત્રિકાઓ પણ નિરાશાજનક રીતે નીરસ હોય છે. સૌથી જીવંત પત્રિકાઓ લગભગ હંમેશા બિન-પક્ષીય હોય છ, જેનું એક સારું ઉદાહરણ બ્લેસ'એમ ઓલ છે, જેની કિમત એ શિલંગ અને ૬ પેન્સ છે, તો પણ તેની ગણના એક પત્રિકા તરીકે થાય છે.

 

પુસ્તકો અને સાહિત્ય


સમકાલીન પત્રિકાઓમાંની ખરાબી કંઈક અંશે આશ્ચર્યજનક છે. તેનું કારણ એ છે કે પત્રિકાઓ આપણા જેવા જ યુગનું સાહિત્યિક સ્વરૂપ હોવું જોઈએ. આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યારે રાજકીય જુસ્સો ખૂબ જ હાવી છે, મુક્ત અભિવ્યક્તિના માર્ગો ઘટી રહ્યા છે, અને પહેલાં ક્યારેય જોવા ન મળ્યું હોય એ હદે સંગઠિત જુઠ્ઠાણું એવા પાયે અસ્તિત્વ ધરાવે છે. ઇતિહાસમાં જે નાનાં નાનાં ફાંકાં રહી ગયાં છે તે ભરવા માટે પત્રિકા આદર્શ સ્વરૂપ છે. છતાં જીવંત પત્રિકાઓ ખૂબ જ ઓછી છે તેને માટે હું જે એકમાત્ર, ભલે સાવ નબળી, સમજૂતી આપી શકું છું તે એ છે કે પ્રકાશન વેપાર અને સાહિત્યિક અખબારો /સામયિકોએ ક્યારેય વાંચકોને પત્રિકાઓ પ્રત્યે સભાન કરવાની તસ્દી જ નથી લીધી.

પત્રિકાઓ એકત્રિત કરવામાં એક મુશ્કેલી એ છે કે તે કોઈપણ પ્રકારની નિયમિતતાથી પ્રકાશિત નથી થતી. સંગ્રહાલયોનાં પુસ્તકાલયોમાંથી પણ હંમેશા મેળવી શકાતી નથી, ભાગ્યે જ જાહેરાત કરવામાં આવે છે અને તેની સમીક્ષા પણ ભાગ્યે જ થાય છે. એક સારા લેખક જે કંઈક ભારપૂર્વક કહેવા માંગે છે - પત્રિકા સાહિત્યનો સાર પણ એ જ છે કે શક્ય તેટલા વધુ લોકોને તમે કંઈક કહેવા માંગો છો - તેને તે પત્રિકા સ્વરપે રજૂ કરતાં અચકાશે, કારણ કે તેને ભાગ્યે જ ખબર હશે કે તેને કેવી રીતે પ્રકાશિત કરવી, અને જે લોકો સુધી તે પહોંચવા માંગે છે એ લોકો ક્યારેય તે વાંચશે કે નહીં તે શંકાસ્પદ હોય છે. કદાચ તે પોતાના વિચારને અખબારના લેખમાં ઉતારશે અથવા તેને પુસ્તકમાં પ્રકાશિત કરશે. પરિણામે, મોટી સંખ્યાની પત્રિકાઓ ક્યાં તો એકલા પડી ગયેલા પાગલ લોકો દ્વારા લખવામાં આવે છે જેઓ પોતાના ખર્ચે પ્રકાશિત કરે છે, કે પછી તે ગાંડા ઘેલા ઝનૂની ધર્મોની ઉપ-દુનિયાની હોય છે, કે પછી રાજકીય પક્ષો દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. પત્રિકા પ્રકાશિત કરવાની સામાન્ય રીત રાજકીય પક્ષ દ્વારા છે, અને પક્ષ એ ચોક્કસ કરશે કે તેમાં પક્ષના વિચારો બાબતે કોઈપણ 'ફેર' ન હોય- અને માટે જે એવી એવી પત્રિકાઓનું કોઈપણ સાહિત્યિક મૂલ્ય નથી હોતું.

તાજેતરના વર્ષોમાં થોડી સારી પત્રિકાઓ બની છે. ડી. એચ. લોરેન્સનું પોર્નોગ્રાફી એન્ડ ઓબ્સીનિટી એવી એક છે. પોટોકી ડી મોન્ટાલ્કનું સ્નોબરી વિથ વાયોલન્સ બીજી છે. અને ધ એનિમીમાં વિન્ડહામ લુઈસના કેટલાક નિબંધો ખરેખર આ વર્ગ હેઠળ આવે છે.

હાલમાં સૌથી આશાસ્પદ લક્ષણ, હરિકેન બુક્સ જેવી, બિન-પક્ષીય ડાબેરી પત્રિકાઓનો દેખાવ છે. જો આ પ્રકારના નિર્માણની નવલકથાઓ અથવા કવિતાના પુસ્તકોની જેમ અખબાર જગતમાં નોંધ લેવાઈ હોત, તો પત્રિકાઓને તેના યોગ્ય લોકોના ધ્યાન પર લાવવા માટે કંઈક કરવામાં આવ્યું હોત, અને સમગ્ર શૈલીનું સ્તર વધી શક્યું હોત. જ્યારે કોઈ વિચારે છે કે પત્રિકા સાહિત્ય કેટલું લવચીક સ્વરૂપ છે, અને આપણા સમયની કેટલીક ઘટનાઓનાં દસ્તાવેજીકરણની કેટલી તાતી જરૂર છે, તો આ બાબત ઇચ્છનીય બની રહી હોત.

+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, Pamphlet Literature, 1943નો અનુવાદ 

+                      +                      +                      +

Pamphlet Literature, 1943 ના અનુવાદને ડાઉનલોડ કરવા માટે ચોપાનિયાં સાહિત્ય, ૧૯૪૩ પર ક્લિક કરો

બુધવાર, 29 જુલાઈ, 2026

અમૃતસર : અમૃતનું સરોવર - દેવદત્ત પટ્ટનાઈક

અમૃતસરની મુલાકાત શા માટે લેવી જોઈએ? ભાગલા જોવા માટે કે ઐક્ય જોવા માટે? અહીં ભાગલા ભારત-પાકિસ્તાન વચ્ચે વાઘા સરહદ તરીકે પ્રગટ થાય છે. વાઘા સરહદ પર ભાઈ-બહેન વચ્ચેની રાષ્ટ્રવાદી દુશ્મનાવટ ભવ્ય રીતે પ્રદર્શિત થાય છે.

આ ભાગલા ૧૯૧૯માં જલિયાંવાલા બાગ ખાતે અંગ્રેજો દ્વારા કરાયેલા હત્યાકાંડ તરીકે પ્રગટ થાય છે, જે હવે એક પર્યટન સ્થળ પણ છે. આ ભાગલા ૧૯૮૪માં ઓપરેશન બ્લુ સ્ટાર તરીકે પ્રગટ થાય છે, જ્યારે ભારતીય સેનાએ સુવર્ણ મંદિર સંકુલમાં દાખલ થવું પડ્યું હતું. આ ભાગલા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) ની સરમુખત્યારશાહી શૈલી સામે વ્યગ્રતા તરીકે પ્રગટ થાય છે એસજીપીસી ૧૯૨૫ના ગુરુદ્વારા સુધારણા અધિનિયમથી સુવર્ણ મંદિર સંકુલના વહીવટકર્તા છે, જેમણે, શીખ પરંપરાની ગાથાઓના એક સમયના રક્ષકો, ઉદાસી સંપ્રદાયના સાધુઓને બાજુ પર કર્યા છે. આ ભાગલા મીરી-પીરી તરીકે પ્રગટ થાય છે - શીખ સમુદાયના ખાલસાના નેતૃત્વનાં સ્થાનક અકાલ તખ્તમાં મૂર્તિમંત થયેલ લૌકિકતા (મીરી) અને અમરત્વ (અમૃત) પ્રદાન કરવાનું મનાતાં માનવસર્જિત સરોવરની મધ્યમાં આવેલ હરમિંદર સાહિબ - સુવર્ણ મંદિરનું વિધિપુરઃસરનું નામ-ની દિવ્યતા (પીરી) વચ્ચે વિભાજન દર્શાવે છે.

પછી ઐક્ય આવે છે: જ્યારે તમે તળાવમાં ડૂબકી લગાવો છો, અને મંદિર અથવા ગુરુદ્વારા (ગુરુનું દ્વાર)માં પ્રવેશ કરો છો; જ્યારે તમે ગુરુ ગ્રંથ સાહિબ (શીખોનો પવિત્ર ગ્રંથ) સમક્ષ નમન કરો છો; જ્યારે તમે ગુરુઓ, સંતો અને પીરોના ભક્તિ અને સૂફી પરંપરાઓમાંથી ગ્રંથસાહિબમાંના જ્ઞાની શબદો અને ગીતોનું શ્રવણ કરો છો ; જ્યારે તમે સાંપ્રદાયિક ભોજનગૃહ (લંગર) માં ભોજન કરો છો; જ્યારે તમે સેવા કરતી વખતે જપ અને પ્રાર્થના (સિમરન) કરતાં કરતાં રસોઈ, સેવા અને સફાઈ કરો છો અને બીજાઓને પણ ધર્મ, જાતિ, વર્ગ, રાષ્ટ્રીયતા, જાતિ, લિંગ અથવા જાતિયતાને ધ્યાનમાં લીધા વિના, સંપૂર્ણ વિનમ્રતા અને ધર્મનિષ્ઠા સાથે આમ કરતા જુઓ છો. અહીં, મનુષ્ય ભગવાન સાથે જોડાયેલો છે, અને એવી દૈવી શક્યતા જૂએ છે કે બધા વાડાઓનું વિસર્જન થાય જેથી ઊંચનીચ, પ્રભુત્વ અને સત્તા સંઘર્ષો પણ નિશેષ થાય, કારણ કે હવે ભય રહેતો નથી અને પ્રાદેશિક સંકુચિતતા રાખવાની કોઈ જરૂર નથી.

આ વિચાર શીખ પરંપરાના મૂળ-મંતરમાં સમાવિષ્ટ છે જે ભય, દ્વેષ, મૃત્યુ, જન્મથી પરે એવી સાર્વત્રિક એકતા, સર્વોચ્ચ અપરિવર્તનશીલ સત્યવાદ, સર્જક, પાલનહારનું દ્યોતક છે, અને જે સ્વયં-સમાવિષ્ટ છે અને ગુરુની કૃપા તરીકે પ્રગટ થાય છે તેનું વર્ણન કરે છે. શીખ ધર્મના પ્રથમ ગુરુ, ગુરુ નાનક, જે ૫૦૦ વર્ષ પહેલાં થઈ ગયા હતા, તેમણે આ શીખ ધર્મની રચના કરી હતી.

શીખ ધર્મ ભૌગોલિક, ઐતિહાસિક અને માનસિક રીતે હિન્દુ ધર્મ અને ઇસ્લામ એમ બે મુખ્ય ધર્મોના આંતરછેદ પર ઉભરી આવ્યો: અને એ બે પ્રભાવોને ખૂબ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ઉદાહરણ તરીકે, હરમિંદર નામ 'હરિ કા મંદિર' પરથી ઉતરી આવ્યું છે, જેમાં હરિ એ હિન્દુ દેવતા, વિષ્ણુનું ઉપનામ છે, પરંતુ શીખ ધર્મમાં તેનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તે બધા સાંપ્રદાયિક અર્થોને દૂર કરે છે. રસોડા સંપૂર્ણપણે શાકાહારી છે. પરંતુ હિન્દુ ધર્મથી વિપરીત, શીખ ધર્મ સ્પષ્ટ રીતે વર્ણવાયેલ પવિત્ર ગ્રંથ દ્વારા ખૂબ જ સંગઠિત છે, જ્યાં ગીતો ભગવાનને નિરાકાર અને નિર્ગુણ તરીકે રજૂ કરે છે અને જે જુલમ વિના ન્યાયની દુનિયાને સન્માન આપે કરે છે. આદિ ગ્રંથ તરીકે ઓળખાતા, ગુરુ ગ્રંથ સાહિબ, ૩૦૦ વર્ષ પહેલાં ધર્મને વિધિપુરઃસરનો બનાવ્યો એવા અંતિમ, દસમા ગુરુ, ગુરુ ગોવિંદ સિંહ દ્વારા જાહેર કરવામાં આવેલ.

ગુરુ ગ્રંથ સાહિબને એક ઉચ્ચ સ્થાન (તખ્ત) પર મૂકવામાં આવે છે અને તેને કાપડ (રુમાલ) થી ઢાંકવામાં આવે છે અને તેના પર ચોવરી (ચૌર), યાકની પૂંછના વાળમાંથી બનાવેલ ચમર ઢોળાતું રાખવામાં આવે છે. પ્રાચીન ભારતમાં, ચોવરી ફક્ત રાજાઓ માટે અનામત હતી. મંદિરોમાં, તે ફક્ત રામ માટે અનામત હતી, કારણ કે રામ વિષ્ણુનો રાજાશાહી અવતાર છે. ૨૦૦ વર્ષ પહેલાં હરમિંદર સાહિબને સોનાથી માઢાવી આપનાર મહારાજા રણજીત સિંહ સહિત શીખ રાજાઓએ પોતાને આ સન્માનથી બાકાત રાખ્યા હતા, જેથી શીખ લોકોને યાદ અપાવી શકાય કે અંતિમ આણ જેમના માટે ચોવરી હંમેશા માટે અનામત રાખવામાં આ વેલ છે એ ગ્રંથસાહિબની જ રહે છે.

શીખ ધર્મના ગુરુઓ, શરૂઆતથી જ, સમાજને વિભાજીત કરનારા તમામ પરિબળોનો અંત લાવવા માંગતા હતા. ધાર્મિક ભાગલા, જાતિ આધારીત ભાગલા, વર્ગ આધારીત ભાગલા, લિંગ આધારીત ભાગલા જેવા મોટાભાગના ભાગલા ખાવાના કૃત્યમાં જોવા મળતા હતા. હિન્દુઓ મુસ્લિમો સાથે બેસીને ખાતા નહોતા, બ્રાહ્મણો દલિતોના ખોરાકને સ્પર્શતા નહોતા, પુરુષો પહેલા ખોરાક ખાતા હતા અને પછી ઘરની સ્ત્રીઓ જમતી. પ્રતીકાત્મક રીતે, લંગર આ સીમાઓ અને ઉંચનીચના ભેદને ઓગાળી દે છે: દરેક વ્યક્તિ રસોઈ કરે, પીરસે અને સાથે બેસીને ખાય. આમ 'ભોગ' ની હિન્દુ વિધિ એવા શીખ રિવાજમાં પરિવર્તિત થાય છે જે સમાનતા સ્થાપિત કરે છે. અલબત્ત, કર્મશીલો જાતિ અધારીત વિભાજન તરફ નિર્દેશ કરે છે જે ભારત અને વિદેશમાં, આધુનિક શીખ ગુરુદ્વારાઓમાં વધુને વધુ ઘૂસી રહેલાં જોવા મળે છે. તેમાં પણ જાટ શીખ અને દલિત શીખ વચ્ચેનાં વિભાજન વધારે ઊંડા જણાય છે.

શીખ ધર્મ સતત ગૃહસ્થના જીવનને સંન્યાસીઓ કરતાં વધુ મૂલ્યવાન માને છે. લગ્ન અને પરિવારને સમાજના પાયા તરીકે જોવામાં આવતા હતા. પવિત્ર ગ્રંથમાં સ્ત્રી સંતો દ્વારા લખાયેલા કોઈ ગીતો નથી, પરંતુ તે વારંવાર લિંગ સમાનતા વિશે વાત કરે છે, જે પાંચ સદીઓ પહેલા તો એક ક્રાંતિકારી વિચાર હતો. જો શીખ ધર્મ સ્વીકારનાર પુરુષને સિંહ (સિંહ) કહેવામાં આવતો હતો, તો સ્ત્રીને સિંહણ (કૌર) કહેવામાં આવતી હતી, આમ શીખ સ્ત્રીને પોતાની એક ઓળખ આપવામાં આવતી હતી, જે તેના પિતા કે પતિ પર આધારિત નથી. શીખ ધર્મમાં મહિલાઓએ મુખ્ય ભૂમિકા ભજવી છે. ઉદાહરણ તરીકે, માઈ ભાગોની કથા છે જેમણે ૧૮મી સદીમાં સૈન્યમાંથીભાગી નીકળેલા ૪૦ લોકોને પ્રેરણા આપી અને બદલી નાખ્યા અને તેમનેપીછો કરી રહેલી મુઘલ સૈન્ય સામે આત્મઘાતી મિશન પર દોરી ગયા..

ગુરુ ગ્રંથ સાહિબમાં સમલૈંગિક જાતિઓ અને જાતીયતા સંબંધિત બાબતો પર કંઈ કહેવાયું નથી. કોઈ માર્ગદર્શિકાના અભાવે, શીખ ધર્મ કઈ દિશામાં જશે તે અંગે કોઈને પણ આશ્ચર્ય થાય છે. શું તે જન્મસાખી 'બી૪૦' (ગુરુ નાનકના જીવન અને યાત્રાઓ પર મૌખિક રીતે પ્રસારિત લોકકથા) થી પ્રભાવિત હશે જે આપણને બગદાદમાં ગુરુ નાનક અને પરજાતિનો પહેરવેશ પહેરતા સૂફી સંત શેખ સરાફ વચ્ચે દિવ્ય પ્રકૃતિ પર સંવાદ કરતું લઘુચિત્ર ચિત્ર રજૂ કરે છે? કે પછી તે હિન્દુ, ઇસ્લામિક, ખ્રિસ્તી અને બૌદ્ધ કટ્ટરપંથી જૂથોના વલણને અનુસરશે જેમણે રૂઢિચુસ્ત મૂલ્યોને શુદ્ધ અને મૌલિક તરીકે આકર્ષક સ્વરૂપ આપ્યું છે? કદાચ શીખ ધર્મ, ઉપખંડનો સૌથી નાનો એવો ધર્મ છે, જેણે હંમેશા સીમાઓ, વિભાજન અને પૂર્વગ્રહોને પડકાર્યા છે, અને જે એકવીસમી સદીમાં વધુ સમાનતાવાદી માર્ગ બતાવી શકે તેમ છે.

  •  બેંગલોર મિરર માં ૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Amritsar: The Lake of Nectar નો અનુવાદ  | પ્રાયોગિક  પુરાણશાસ્ત્રવિદ્યા

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ૨૯ જુલાઈ ૨૦૨૬

બુધવાર, 22 જુલાઈ, 2026

પૂર્વભૂમિકા - શતમ જીવ શરદ: - ખરૂં, પણ કેવાં જીવવાં જોઈએ?

पश्येम शरदः शतम् ।।

जीवेम शरदः शतम् ।।

बुध्येम शरदः शतम् ।।

रोहेम शरदः शतम् ।।

पूषेम शरदः शतम् ।।

भवेम शरदः शतम् ।।

भूयेम शरदः शतम् ।।

भूयसीः शरदः शतात् ।।

(अथर्ववेद, काण्ड १९, सूक्त ६७ दीर्घायुत्वम् )

અર્થાત આપણે સો શરદ (પાનખર) જીવીએ, સો વર્ષ સુધી આપણી દૃષ્ટિ તીવ્ર રહે; આપણે સો વર્ષ સુધી સાંભળી શકીએ, સો વર્ષ સુધી બોલવા સક્ષમ રહીએ; આપણે બીજા પર નિર્ભર ન રહેવું પડે એવું જીવન જીવીએ, આપણી બધી ઇન્દ્રિયો, કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય બંને - નબળી ન પડે; આપણે માત્ર સો વર્ષ જ નહીં પણ તેનાથી આગળ પણ સ્વસ્થ રહીએ.


જીવેમ શતઃ શરદમ્. આપણે સો વર્ષ જીવીએ એવી તો મનેચ્છા, અંદર ખાને, થોડે ઘણે અંશે, લગભગ બધાંને રહેતી હોય જ છે.

પરંતુ નરસિંહ મહેતા લખે છે તેમ ‘ઉંમરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ, ગોળી તો ગંગા થઈ રે, અંગે ઉજળા થયા છે કેશ, ઘડપણ કોણે મોકલ્યું જાણ્યું જોબન રહે સૌ કાળ.’ જેવી હાલત થઈ તો?

શ્રેણીબદ્ધ ઉદ્યોગસાહસિક સંજય મેહતાએ દીર્ઘાયુષ્ય અને જીવનના બીજા અંકના ઉદ્દેશ્ય અને પુનઃશોધના વિષયને કેન્દ્રમાં રાખીને એક શ્રેણી - “What If You Live To Be 100” - શરૂ કરી છે,જે ફાનાન્સિયલ એક્ષપ્રેસમાં Live to 100 ના સ્વરૂપે પ્રકાશિત થઈ રહી છે.

What If You Live To Be 100” ના પ્રવેશક મણકામાં સંજય મેહતા માત્ર ૧૦૦ વર્ષ સુધી જીવી જવાની વાત નથી કરવા માગતા. તેઓનો ઉદ્દેશ્ય આશ્રેણી દ્વારા સારી રીતે, સહેતુક, ઉર્જાવાન, જિજ્ઞાસામય અને કોઇને કોઈ સંબંધને સંદર્ભ સાથે જીવવાના માર્ગની દિશા ચીંધવાનો પણ છે. પરંતુ સાચી વાત તો એ છે કે, આપણામાંથી મોટાભાગના લોકોનો ઉછેર શાળાજીવન, કામ, કે કદાચ નિવૃત્તિ માટે યોજના બનાવવાની દૃષ્ટિથી જ થયો છે. પરંતુ આપણને કોઈએ શીખવ્યું નહીં કે જીવનના જીવંત, વિસ્તૃત એવા, ૩૦ વર્ષ, ૪૦ વર્ષ કે ૫૦ વર્ષ પછીના બીજા ભાગ માટે કેવી રીતે તૈયારી કરવી. અને હવે, આપણે જીવનના ૫૦ અને ૬૦ ના દાયકાના તબક્કે તો આવી પહોંચ્યા છીએ.... પરંતુ "આગળ શું" ની વાત આવે ત્યારે મૌનથી ઘેરાઈ જઈએ છીએ.

What If You Live To Be 100” શ્રેણી એ સવાલનો જવાબ શોધવાનો ઉપક્રમ છે. એવા લોકો માટે છે જેઓ આગામી પ્રકરણ પર પડદો પાડવાની નહીં, પણ જે સમય બાકી છે તેના માટેની પુનઃકલ્પના કરવા તૈયાર છે, એ સમયને ફરીથી ઉર્જા મેળવવા, ફરીથી શોધવા અને ફરીથી જિંદગી સાથે જોડાવા માટેના સમય તરીકે જોવા તૈયાર છે.

ફાઇનાન્સિયલ એક્ષપ્રેસના કોલમ, Live to 100 , માં સંજય મેહતા જિંદગીની બીજી ઇનિંગ્સમાં નાણાંના મહત્વને અલગ કહી શકાય એવા દૃષ્ટિકોણથી ચર્ચાને એરણે મૂકે છે.

સંજય મેહતાની ડિજિટલ ઉદ્યોગસાહસિક, રોકાણકાર, બોર્ડ સલાહકાર અને જાહેર વક્તા તરીકે વ્યાપક અને બહુપરિમાણીય કારકિર્દી રહી છે. બે દાયકાથી વધારેના તેમના ડિજિટલ માર્કેટીંગ અને સ્ટાર્ટ અપ પારિસ્થિતિકીતંત્રવ્યવસ્થા ક્ષેત્રના અનુભવને કારણે વ્યવસાય અને ટેકનોલોજીમાં જટિલ વલણોને વ્યવસાય તેમજ વ્યક્તિગત વિકાસ એમ બંને માટે વ્યવહારુ અને ઉપયોગી સૂઝમાં વહેંચી નાખવાની તેમની ક્ષમતા માટે તેમને વ્યાપકપણે માન આપવામાં આવે છે.

તેમના અનુભવ કાર્યક્ષેત્રો, તેમની વર્તમાન પ્રવૃત્તિઓ વિશેની વિગતવાર રૂપરેખા Sanjay Mehta અને Sanjay Mehta એમ અલગ જગ્યાએ વાંચી શકાય છે.

તેમની શ્રેણી “What If You Live To Be 100” માટે સંજય મેહતાએ અલગથી વેબસઈટ, https://whatifyoulivetobehundred.com/ , પણ તૈયાર કરી છે. આ વેબસાઈટ પર તેમના વિચારો બ્લૉગપૉસ્ટ, વિડીયો અને પોડકાસ્ટનાં રૂપમાં જોવા મળે છે. તે ઉપરાંત ઇન્સ્ટાગ્રામ, લિન્કડ ઈન અને ફેસબુક પર પણ તેમના વિચારો વાંચી શકાય છે.

આપણે “What If You Live To Be 100” અને Live to 100 એમ બન્નેના ભાવાનુવાદને વારાફરતી આપણા આ મંચ પર દર મહિનાના ત્રીજા બુધવારે રજૂ કરીશું.

What If You Live To Be Hundred | Pilot Episode | Hosted by Sanjay Mehta

  • સંજય મેહતાની શ્રેણીWhat If You Live To Be 100ના Pilot Episode   પરથી તૈયાર કરેલ સંકલિત ભાવાનુવાદ 

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ૨૨ જુલાઈ  ૨૦૨૬

બુધવાર, 15 જુલાઈ, 2026

પુરાણશાસ્ત્રવિદ્યા અને સંગીત: ગોપિકાની કથા - દેવદત્ત પટ્ટનાઈક

 અનિલ શ્રીનિવાસન, દેવદત્ત પટ્ટનાઈક સાથે -  ગોપિકાની કથા  

અનિલ શ્રીનિવાસન, દેવદત્ત પટ્ટનાઈક, બી એસ પુરુષોત્તમન - કલાક્ષેત્રમાં સંગીતના લાઈવ કાર્યક્રમમાં 

કથાનકમાં ડૉ. દેવદત્ત પટ્ટનાઈક ગોપિકાની કથા વિશે વાત કરે છે.

વેતાલ વિક્રમાદિત્યને ગોપીકાની કથા કહેવાનું શરૂ કરે છે.

ગોપિકાને ત્રણ સંતાનો હતાં. એક બુદ્ધિશાળી હતું, બીજું બીમાર રહેતું હતું અને ત્રીજું સામાન્ય હતું.ગોપીકાની સમસ્યા એ હતી કે ત્રણેયને સરખે ભાગે ખાવાનું આવે એવી કઈ રીતે વહેંચણી કરે !

તેની પાસે અમર્યાદિત સાધનો તો હતાં નહીં. બુદ્ધિશાળી સંતાનને કંઈક વધારે આપે, બિમારને તો વધારે આપવું જ જોઈએ. પણ એમ કરવા જતાં સામાન્યને ભાગે તો બહુ ઓછું આવે. 

વેતાલ વિક્રમાદિત્યને આ કોયડો ઉકેલવા કહે છે, અને વિક્રમાદિત્ય તેમ કરી શકે તો વેતાલ પાછો સ્મશાનમાં વડ પર જતો રહેશે.

આ સંસારમાં આવા કોયડાઓનો સાચો જવાબ શું એ નક્કી કરવું બહુ મુશ્કેલ બની જતું હોય છે.  

અહં એક નક્કી કરે છે, ત્વમ બીજું જ નક્કી કરે છે. વળી પાછાં એવાં ત્વમ તો અસંખ્ય છે, પણ મારી જાત તો એક જ છે. મારે કુટુંબનાં દરેક સાથે વહેવાર કરવાના છે અને એ દરેકને ખુશ પણ રાખવાનાં છે. પિતાને ખુશ રાખવાના છે, સસરાને ખુશ રાખવાના છે. પતિને ખુશ રાખવાનો છે. દેરાણી જેઠાણી, ડેર જેઠ, બેન અને નણંદ, મા અને સાસુ, ભાઈ, દીકરી એ બધાંને પણ ખુશ રાખવાનાં છે. હે, એન એજે નીચે

આ બધાં વચ્ચે કોઈ વાર મને જાતનો જ વિચાર કરવાનું મન થાય છે.

પરંતુ, હે કૃષ્ણ, જેવું હું તેમ કરું છું બધું તૂટવા લાગે છે. કુરુક્ષેત્ર ઊભું થઈ જાય છે. ધર્મક્ષેત્રનો અંત આવી જાય છે. આ માંરૂ છે, આ તમારું નથી.

ત્યારે ગોપીઓને સમજાય છે કે એમણે ગામ ભલે છોડ્યું હોય પણ ગામે એમને છોડ્યાં નથી. રાસનો એ જ તો અદ્ભૂત સંવાદ છે.    

રાસ એ માત્ર એક સમૂહ નૃત્ય જ નથી. એ સંસારનું સંગીતમય ચક્ર છે. એ સંસારનીં એક બહુ જ સામાન્ય, રોજબરોજની ઘટના સમજાવે છે – જે ઉપર જાય છે તે નીચે આવે છે , જે નીચે છે તે ઉપર આવશે.


શુક્રવાર, 10 જુલાઈ, 2026

માનસિક સલામતીનાં ઘડતર માટે માત્ર સંકલ્પ જ નહી પણ સાતત્યપૂર્ણ વર્તન પણ આવશ્યક છે

તન્મય વોરા

માનસિક સલામતી ફક્ત ઇરાદાથી નહીં, પણ સુસંગત વર્તનથી બને છે.

અપલિફ્ટિંગ આઇડિયાઝ પોડકાસ્ટ પર "ધ સાયકોલોજિકલ સેફ્ટી પ્લેબુક ફોર ચેન્જમેકર્સ" ના લેખકો, મિનેટ નોર્મન અને કેરોલિન હેલ્બિગ સાથે મારે બહુ અર્થપૂર્ણ વાતચીત થઈ.

મારા માટે જે એક ખાસ સમજ નીપજી તે એ કે:

"તમે કહી શકો છો કે 'અહીં બોલવું સલામત છે', પરંતુ જે ક્ષણે કોઈ પણ અગ્રણી મુશ્કેલ પ્રશ્નનો રક્ષણાત્મક રીતે જવાબ આપે છે, તે ક્ષણે વિશ્વાસ જતો રહે છે. માત્ર સુસંગત વર્તન જ માનસિક સલામતી બનાવે છે."

મેં  જે વાતચીત આગળ ધપાવી hatI તેમાંથી વિચારણીય ત્રણ મુદ્દાઓ :

૧. આપણામાંની  દરેક વ્યક્તિ પરિવર્તન લાવી શકનાર છે. એ માટે કોઈ પદવીની જરૂર નથી. સંસ્કૃતિ એવી વસ્તુ નથી જે "ત્યાં" અસ્તિત્વમાં છે પરંતુ એવી વસ્તુ છે જે સંસ્થામાં દરેક વ્યક્તિ શું કરે છે તેનો સરવાળો છે. પ્રભાવ તે ક્ષણથી શરૂ થાય છે જ્યારે તમે અલગ રીતે કાર્ય કરવાનું પસંદ કરો છો.

૨. પ્રતિકાર ખેલનો એક ભાગ છે, અવરોધ નહીં. વાસ્તવિક પરિવર્તન એ છે કે તમારા વિષે શંકાશીલ રહેતા લોકો વિશે ખરેખર ઉત્સુક બનવું, તેમને નકારી કાઢવાને બદલે ખુલ્લાં મનથી પ્રશ્નો પૂછવા. જ્યારે વિરોધીઓને એમ લાગે છે કે તેમણે જોવામાં અને સાંભળવામાં આવે છે, ત્યારે ગતિશીલતા સંપૂર્ણપણે બદલાઈ જાય છે.

૩. છટણી, મર્જર, AI વિક્ષેપો જેવા સમયમાં, ધરમૂળથી પારદર્શક બનો... આ વિક્ષેપો આપમેળે માનસિક સલામતીનો નાશ કરતા નથી. અગ્રણીઓ તે પછી શું કરે છે તે મહત્વનું છે. વિક્ષેપોને નજરાદાંજ કર્યા વિના કે તેને બિનમહત્વના ગણ્યા વિના મુશ્કેલીઓને સ્વીકારો. પ્રામાણિકતા બીજા કંઈથી પણ ન ઘડાય  તેવો ભરોસો પ્રમાણિકતા રચી શકે છે.

એક પ્રાચીન ભારતીય દૃષ્ટિકોણ આ રીતે પડઘાય  છે: જ્યારે મન (વિચારો) + વચન (શબ્દો) + કર્મ (કાર્યો/ક્રિયાઓ) એક સાથે સંકળાય એ નેતૃત્વની પ્રામાણિકતા છે. તે એવું રેખીય જોડાણ છે જે વાણી અને વર્તનને એક સ્તરે લાવી મૂકે છે.

મિનેટ અને કેરોલિન દ્વારા રચાયેલ તેમનું પુસ્તક કાર્યસ્થળ પર માનસિક સલામતી (અને પરિવર્તન કાર્યક્રમોમાં) વૈભવ નથી, પરંતુ એ વિષયની મૂળભૂત બાબતો પર પર પ્રકાશ પાડતું રહે છે.

સંપૂર્ણ વાતચીત અહીં છે: https://open.spotify.com/episode/2sfhBcsIOxFmSnS5Bl4TTW

સ્રોત સંદર્ભ::  Psychological safety is built through consistent behavior, not just intention.

- - - . . . - - - . . . - - -

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

બુધવાર, 8 જુલાઈ, 2026

મારી દૃષ્ટિએ (૧૯૪૬-૧૯૪૭) : ભાગ ૪ - જ્યો ર્જ ઑર્વેલ [૮ ]

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IVના આંશિક અનુવાદ, મારી દૃષ્ટિએ (૧૯૪૪ - ૪૫) : ભાગ ૪ - જ્યોર્જ ઑર્વેલ [] થી આગળ

ટ્રિબ્યુન

[તારીખ નથી]


૧૯૪૦ ની એ રાત્રે જ્યારે લંડન પર પહેલી વાર મોટા મોટા ગોળીબાર કરવામાં આવી રહ્યા હતા. જ્યારે ગોળીઓ વરસવા લાગી હતી ત્યારે હું પિકાડિલી સર્કસમાં હતો. કાફે રોયલમાં હું આશ્રય લેવા માટે ભાગ્યો. ભીડની વચ્ચે, લગભગ પચીસ વર્ષનો એક સુંદર, સુઘડ યુવાન પીસ ન્યૂઝની એક નકલ લઈને, ઉપદ્રવ મચાવીને, તે આજુબાજુના ટેબલ પર બધાનું ધ્યાન ખેંચી રહ્યો હતો. મેં તેની સાથે વાતચીત શરૂ કરી, અને વાતચીત કંઈક આ રીતે થઈ:

યુવાન: ‘મારૂં કહેવું છે કે નાતાલ સુધીમાં બધું સમાપ્ત થઈ જશે. શાંતિ માટે સમાધાન થશે. હું સર સેમ્યુઅલ હૉર પર મને વિશ્વાસ છે. એમના પર વિશ્વાસ કરવો એ નીચાજોણું છે એ હું કબૂલ કરું છું, પરંતુ હજુ પણ હૉર આપણા પક્ષમાં છે. જ્યાં સુધી હૉર મેડ્રિડમાં છે, ત્યાં સુધી હંમેશા ભેદ ખૂલવાની આશા રહે છે.’

ઓર્વેલ: ‘બધે સંતાવા માટેના ખાડાઓ કરી રહ્યા છે, સ્થાનિક સંરક્ષણ સ્વયંસેવકો ઊભા કરી રહ્યા છે એવી બધી આક્રમણ સામે તેઓ જે તૈયારીઓ કરી રહ્યા છે, તેનું શું?’

યુવાન: ‘ઓહ, તેનો અર્થ એ છે કે જ્યારે જર્મનો અહીં આવે તે સમયે તેઓ મજૂર વર્ગને કચડી નાખવા માટે તૈયાર થઈ રહ્યા છે. મને લાગે છે કે તેમાંના કેટલાક પ્રતિકાર કરવાનો પ્રયાસ કરવા જેટલા મૂર્ખ હોઈ શકે છે, પરંતુ ચર્ચિલ અને જર્મનો આપસી સમાધાન કરવામાં લાંબો સમય લેશે નહીં. ચિંતા કરશો નહીં, તે ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે.’

ઓર્વેલ: ‘શું તમે ખરેખર તમારા બાળકોને નાઝીઓ તરીકે મોટા થતા જોવા માંગો છો?’

યુવાન: ‘બકવાસ ! તમને નથી લાગતું કે જર્મનો આ દેશમાં ફાશીવાદને પ્રોત્સાહન આપશે, ખરું ને? તેઓ તેમની સામે લડવા માટે યોદ્ધાઓની જાતિ ઉછેરવા માંગતા નથી. તેમનો ઉદ્દેશ્ય આપણને ગુલામ બનાવવાનો હશે. તેથી જ હું શાંતિવાદી છું. તેઓ મારા જેવા લોકોને પ્રોત્સાહિત કરશે.’

ઓર્વેલ: ‘અને મારા જેવા લોકોને ગોળી મારી દેશે?’

યુવાન: ‘ એવું થાય તો તે ખૂબ ખરાબ હશે.’

ઓર્વેલ : ‘પણ તમે જીવતા રહેવા માટે આટલા ઉત્સુક કેમ છો?’

યુવાન: ‘અલબત્ત, જેથી હું મારું કામ ચાલુ રાખી શકું,’

વાતચીતમાંથી એવું બહાર આવ્યું હતું કે તે યુવાન એક ચિત્રકાર હતો - ભલે તે સારો હોય કે ખરાબ, મને ખબર નથી; પરંતુ ગમે તે હોય, ચિત્રકામમાં નિષ્ઠાપૂર્વક રસ ધરાવતા અને તેના માટે ગરીબીનો સામનો કરવા માટે તૈયાર એક ચિત્રકાર તરીકે, તે કદાચ જર્મન કબજા હેઠળ લેખક કે પત્રકાર કરતાં કંઈક અંશે સારો હોત. પરંતુ તેમ છતાં, તેણે જે કહ્યું તેમાં એક ખૂબ જ ખતરનાક ભ્રમ હતો, જે હવે એવા દેશોમાં ખૂબ જ વ્યાપક છે જ્યાં સર્વાધિકારવાદ ખરેખર સ્થાપિત થયો નથી.

એવું માનવું કે સરમુખત્યારશાહી સરકાર હેઠળ તમે અંદરથી મુક્ત રહી શકો છો એ ભ્રમણા છે. ઘણા લોકો આ વિચારથી પોતાને સાંત્વના આપે છે, હવે વિશ્વના દરેક ભાગમાં એક યા બીજા સ્વરૂપમાં સર્વાધિકારવાદ સ્પષ્ટપણે ઉપર તરફ વધી રહ્યો છે. બહાર શેરીમાં લાઉડસ્પીકરો વાગે છે, છત પરથી ધ્વજ લહેરાતા હોય છે, પોલીસ તેમની ટોમી-ગન સાથે આમતેમ ફરતી હોય છે, ચાર ફૂટ પહોળા નેતાનો ચહેરો, દરેક હોર્ડિંગમાંથી ચમકતો હોય છે; પરંતુ ઉપરના માળે શાસનના ગુપ્ત દુશ્મનો તેમના વિચારો સંપૂર્ણ સ્વતંત્રતામાં રેકોર્ડ કરી શકે છે - આ વિચાર છે, ભલે ઓછો તો ઓછો. ઘણા લોકો એવું માને છે કે આ હવે જર્મની અને અન્ય સરમુખત્યારશાહી દેશોમાં ચાલી રહ્યું છે.

આ વિચાર કેમ ખોટો છે? હું એ હકીકતને અવગણી રહ્યો છું કે જૂના જમાનાના તાનાશાહીઓ જે છટકબારીઓ છોડતી હતી તે શિક્ષણની સર્વાધિકારવાદી પદ્ધતિઓને કારણે બૌદ્ધિક સ્વતંત્રતાની ઇચ્છાના સંભવિત નબળા પડવાના કારણે પણ, આધુનિક સરમુખત્યારશાહીઓ, હકીકતમાં, છોડતી નથી. સૌથી મોટી ભૂલ એ કલ્પના કરવી છે કે માનવી એક સ્વાયત્ત વ્યક્તિ છે. તાનાશાહી સરકાર હેઠળ તમે જે ગુપ્ત સ્વતંત્રતાનો આનંદ માણી શકો છો તે બકવાસ છે, કારણ કે તમારા વિચારો ક્યારેય સંપૂર્ણપણે તમારા પોતાના નથી હોતા. ફિલોસોફરો, લેખકો, કલાકારો, વૈજ્ઞાનિકોને પણ, ફક્ત પ્રોત્સાહન અને પ્રેક્ષકોની જરૂર નથી, તેમને અન્ય લોકો પાસેથી સતત ઉત્તેજનાની જરૂર છે. વાત કર્યા વિના વિચારવું લગભગ અશક્ય છે. જો ડેફો ખરેખર રણદ્વીપ પર રહેતા હોત, તો તે રોબિન્સન ક્રુસો લખી શક્યા ન હોત, અને લખવાની ઇચ્છા પણ ન કરી હોત. વાણી સ્વાતંત્ર્ય છીનવી લો, એટલે સર્જનાત્મક ક્ષમતાઓની સરવાણીઓ સુકાઈ જાય. જો જર્મનો ખરેખર ઇંગ્લેન્ડ પહોંચી ગયા હોત તો, ટૂંક સમયમાં જ, કાફે રોયલ ખાતેના મારા પરિચિત મિત્રનું ચિત્ર બગડતું જોવા મળ્યું હોત, પછી ભલેને ગેસ્ટાપોએ તેને એકલો છોડી દીધો હોત. જ્યારે યુરોપ પરથી ઢાંકણ હટાવવામાં આવશે, ત્યારે મને લાગે છે કે આપણને આશ્ચર્ય થશે કે સરમુખત્યારશાહી હેઠળ ગુપ્ત રીતે રચાયેલું કોઈપણ પ્રકારનું લેખન - ઉદાહરણ તરીકે, ડાયરી જેવી વસ્તુઓ પણ - કેટલું ઓછું મૂલ્યવાન હતું.

                                       +                     +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IVનો આંશિક અનુવાદ 

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

શુક્રવાર, 3 જુલાઈ, 2026

ચૂસીએ નહીં, સીંચીએ

ઉત્પલ વૈશ્નવ

[આર્કિટેક્ટની નોંધ]

૨૯ મે, ૨૦૨૬ ના રોજ, હું એવા ક્રિયાપદનું ઓડિટ કરી રહ્યો છું જે હું જાણું છું કે તે દરેક સંસ્થા ચલાવે છે. એ ક્રિયાપદ છે : 'ખેંચી કાઢવું'.

ખરીદી વિભાગ પુરવઠાકારો પાસે બહાર કાઢતો રહે છે. માનવ સંશાધન વિભાગ કર્મચારીઓમાં ચુસતો રહે છે. સામગ્રી ખરીદી વિભાગ જેમ સામગ્રીઓ ખરીદે તેમ માનવ સંસાધન વિભાગ લોકોને ખરીદે, અને પછી લોકોને તેના પર ગર્વ કરવા માટે તાલીમ આપી. મેં પોતે પણ એમ કહ્યું છે. હું કંપની માટે એક મહાન સંપત્તિ છું. સંપત્તિના ઘસારાનું સમયપત્રક હોય છે. આપણે આપણા પોતાના ઘસારાની ઉજવણી કરવાનું શીખ્યા અને તેને મહત્વાકાંક્ષાના શીર્ષકથી નવાજ્યું.


બધું એક સંસાધન બન્યું

આધુનિક વ્યવસ્થાપન હેઠળ એક ડિફોલ્ટ કાર્યકારી તંત્રવ્યવસ્થા ચાલી રહી છે.

તેમાં, બધું એક સંસાધન છે.

જમીન એક સંસાધન છે. મૂડી એક સંસાધન છે. કુદરત એક સંસાધન છે. લોકો એક સંસાધન છે.

તંત્રવ્યવસ્થા એટલી સંપૂર્ણ છે કે તે હવે આપણી નજરે પણ નથી ચડતી.  આપણે તેની અંદર એવી રીતે ગોઠવાઈ જઈએ છીએ જેમ માછલી પાણીની અંદર ગોઠવાય છે. આપણને પ્રશ્ન પણ નથી થતો નથી કે આપણી સામેનો માનવી સ્ત્રોત છે કે પુરવઠો.

આ દૂષણ ઉપરથી નીચે નથી પ્રસરતું.

સ્થાપક સ્ટાફને એક સંસાધન તરીકે માને છે. સ્ટાફ કંપનીને એક સંસાધન તરીકે માને છે. અને આપણે બધા, ઠંડે કલેજે, આપણને પોતાને પણ એક સંસાધન જ માનીએ છીએ.

આખી ઇમારતમાંથી કોઈ પણ આમાં બાકાત નથી. આ વાયરાનાં કોઈ માબાપ નથી. 

સંસાધન સહાયક છે.  સ્રોત સર્જક છે.

આ એવી વિશિષ્ટતા જે આખી તંત્રવ્યવસ્થાને ચલાવે  છે.

સંસાધન મદદ કરે છે.  સ્રોત સર્જન કરે છે.

જ્યારે તમે કોઈને સંસાધન તરીકે માનો છો, ત્યારે તેઓ ફક્ત તેમના KPI માં લખેલી જવાબદારીઓ સ્વીકારે છે. એટલા માટે નહીં કે તેઓ નાના  કર્મચારીઓ છે. પરંતુ એટલા માટે  કે આ સ્થાપત્યમાં કરારથી આગળ વધવામાં નુકસાન બતાવાયું છે, પણ કોઈ ફાયદો નથી બતાવાયો.

જ્યારે તમે કોઈને સ્ત્રોત તરીકે માનો છો, ત્યારે માલિકીભાવ આપોઆપ સ્વભાવ બની જાય છે.

તમારે તેને સ્થાપવું નથી પડતું. તમે તેને પ્રતિબંધિત નથી કર્યું.

ભાડુઆત દરેક જગ્યાએ સંસાધનો જુએ છે અને એક પ્રશ્ન પૂછે છે: આ મુજબ થાય તે પહેલાં હું કેટલું વધારેમાં વધારે ખેંચી લઈ શકું?

સાર્વભૌમ આર્કિટેક્ટ સ્ત્રોતો જુએ છે અને એક અલગ પ્રશ્ન પૂછે છે: આપણામાંથી કોઈ એકલા વડે જે બનાવી શકાયું નહીં એવું આપણે સાથે મળીને શું બનાવી શકીએ ?

સમાન પરિસ્થિતિ. સાવ જૂદા જ પ્રશ્ન. સંપૂર્ણપણે અલગ અવનતિ.

માટી બાકીનું શીખવે છે

આનું સૌથી સ્પષ્ટ સંસ્કરણ જમીનમાંથી આવે છે.

નિષ્કર્ષણ ખેતી રસાયણો દ્વારા ઉપજને ત્યાં સુધી ચૂસે છે જ્યાં સુધી માટી ખતમ ન થઈ જાય, પછી વળતર વધારવા માટે વધુ રસાયણો ઉમેરે છે. જમીન નો રસકસ ખતમ ન થઈ જાય ત્યાં સુધી નિપજનો આલેખ બરાબર દેખાય છે. ઘટાડો દેખાતો નથી કેમ કે તે ધીમો છે.

મોટાભાગની સંચાલન પ્રણાલીમાં આ મુજબ જોવા મળે છે.

લક્ષ્યના આંકડાઓ આંબો. માનવ ઉર્જાનેને બાળી નાખો. માનવને બદલી નાખો. આ ચક્રનું પુનરાવર્તન કરતાં રહો.

પુનર્જીવિત ખેતી ધ્યેયને સંપૂર્ણપણે ઉલટાવી દે છે.

ઉપજ પર દાવ નથી લગાવાતો. જમીનની પોતાની શક્તિને પુનઃસ્થાપિત કરવાની છે અને  પછી તેને વિકસાવવાની છે. લણણી, મરી પામેલ ધરતીમાંથી ખેંચ ખેંચ નહીં, પણ જીવંત પ્રણાલીની આડપેદાશ બની જાય છે.

પુનર્જીવિત સંચાલન શું છે?

દબાવી દાબાવીને લોકો પાસેથી નિપજ કાઢવી નહીં.

એવું વાતાવરણ બનાવવું જ્યાં દરેક અંગ પોતાના ઉચ્ચ સ્વરૂપ સાથે જોડાય, અન્યમાં ઉચ્ચ સ્વરૂપ જુએ, અને સમગ્ર તંત્રવ્યવસ્થા એ મુજબની બનાવવા માટે પૂરતા લાંબા સમય સુધી ત્યાં મદદ કરે.

ભાગીદારો અંતરાય નથી

ઇચ્છનીય નવું સંસ્કરણ લોકોને ભાગીદાર ગણે છે.

તે જરૂરી છે. પણ પૂરતું નથી.

બે ભાગીદારો હજુ પણ બે નાના એકમ તરીકે મળી શકે એ અને કંઈક નાનું બનાવી શકે છે.

વાસ્તવિક સ્થાપત્યમાં ત્રણ સ્તરો હોય છે. દરેક વ્યક્તિ પોતાના ઉચ્ચ સ્વરૂપ સાથે જોડાયેલ હોય છે. દરેક વ્યક્તિ બીજામાં ઉચ્ચ સ્વરૂપ જુએ છે. અને એ વાતાવરણ દરેકને ત્યાં જાળવી રાખવા અને ત્યાંથી કાર્ય કરવા માટે રચાયેલ છે.

પ્રવેશ માટેની ટિકિટ એ કોઈ નીતિ ન હોવી જોઈએ.

તે તમે જ છો, તમારી જાતને પહેલા તમારા પોતાનાં જ ઉચ્ચ સ્વરૂપ તરીકે ગણો.

જેમાં તમે પ્રવેશ કર્યો નથી એવી જગ્યા પકડીને બેસી ન રહી શકાય. 

પતન માટે બનાવો, શિખર માટે નહીં

કોઈ પણ પોતાનાં જ ઉચ્ચ સ્તરથી સતત કામ કરી શકતું નથી.

તમારા દાંત સાફ ન હોઈ શકે. પરંતુ તમે તમારા દાંત સાફ તો કરી જ શકો છો.

કાર્ય કાયમી આગમન નથી. તેમાં ઝડપી પુનર્જીવન થતું રહે. એક ક્ષણ ચૂકી જાઓ, તો બીજી ક્ષણે પાછા ફરો. તે એક ક્ષણની એવી સફર છે જે તમે દરેક ક્ષણે કરતાં રહો છો.

અહીં એક અંગ એકલું સંઘર્ષ કરે છે, કારણ કે જ્યારે તમે સૂઈ જાઓ છો, ત્યારે તમને જગાડવા માટે કોઈ બીજું નથી હોતું.

આની આસપાસ કેન્દ્રિત થતાં પાંચ અંગ એક તંત્રવ્યવસ્થા બની જાય છે. જ્યારે એક અંગ સૂઈ જાય છે, ત્યારે બીજું તેને જગાડે છે.

સ્થિતિસ્થાપકતા માળખાકીય છે, એ કંઈ શુરવીરતા નથી. તમે ફક્ત ઇરાદા નહીં પણ સંઘ બનાવો છો, .

ભય નીચેની સપાટીએ રહેલ સ્થિતિ છે

આ તે સ્તર છે જેમાં હું સૌથી વધુ રહેવા માગતો હોઉં છું.

પોતાના ઉચ્ચ સ્તરથી નીચેની કક્ષાએ કાર્ય કરવાને ભય સાથે ઊંડો સંબંધ છે.

ભય ઉપર રચાયેલ કોઇપણ વ્યવસાય કે કોઈપણ સંસ્થા, લગભગ આપોઆપ લોકોને તેમના શ્રેષ્ઠ સ્તરની નીચે રમવા માટે આમંત્રણ આપે છે. પોતાની જાતને નાની ગણવી એ નોકરીના પદ સાથે જોડાયેલા ડરનો પ્રતિભાવ છે.

એટલે પછી કામ પ્રેરણાદાયક નથી રહેતું. તે નિદાનાત્મક બની જાય છે. તમારામાં અને તંત્રવવસ્થામા ભય કેવી રીતે કામ કરે છે તે સમજો, અને તેના વિશે શું કરવું તે નક્કી કરો.

અને નિષ્કર્ષણની સામી બાજુ  ઉદારતા નથી.

સ્ત્રોત ફક્ત આપતો નથી. તે સહ-સર્જન કરે છે. માટી, પાણી, સૂર્ય અને માનવ, તેમાંથી કોઈ પણ એકલું પાક ઉગાડતું નથી. જાદુ ક્યારેય આપવામાં નથી. તે એકસાથે થવામાં છે.

નિર્દેશ

પહેલા ચેતવણી આપે તેવી દૃશ્ય શ્રાવ્ય વ્યવસ્થા સ્થાપિત કરો જેથી નુકસાન થાય તે પહેલાં તે પહેલાં મૂળ સ્થિતિ શું હતી તે શોધી શકાય.

ત્રણ આંતરનાદો : અભિપ્રાય, નિંદા, ભય. ઉત્તેજિત અથવા અસ્વસ્થ થવું. અછત માનસિકતા, જે પોતાની જાતને નાની માનવાની નાના સ્વ સાથે પડછાયાની જેમ ફરે છે. કંટાળો, અને જે ક્ષણે તમને ખ્યાલ આવે કે તમે સાંભળવાનું બંધ કરી દીધું છે. એવી સ્થિતિઓ જેમાં સરકીને તમે તમારી સામેની વ્યક્તિને પુરવઠા તરીકે જોવાનું શરૂ કરો છો.

એ દરેક ડેશબોર્ડ પર દેખાતી ચેતવણી છે, ચુકાદો નથી.

પછી જાળવણી લેવાનું શરૂ કરો.

સવારે પાંચ મિનિટ, અગાઉથી નક્કી કરવા માટે કે તમે દિવસની વાસ્તવિક ક્રિયાપ્રતિક્રિયાઓને તમારા ઉચ્ચ સ્વ તરીકે કેવી રીતે પૂર્ણ કરશો, ત્રણ અવાજોને અલગ રાખીને. રાત્રે પાંચ મિનિટ, ઓડિટ કરવા માટે, ફક્ત તમે ક્યાં ચૂક્યાં તે જ નહીં પણ ક્યાં શું યોગ્ય કર્યું તેનું શ્રેય આપવા માટે. આપણે આપણી ભૂલો જોવા બહુ ટેવાઇ ગયા છીએ.

જ્યારે તમે કોઈના વિશે નીચો અભિપ્રાય રાખતા થાઓ છો, ત્યારે તેને એક સંકેત માનો,  હકીકત તરીકે નહીં, સમાનુભૂતિનો માર્ગ અપનાવો.

અને જે સૌથી વધુ ભારરૂપ છે: જ્યારે તમે તમારી ઉચ્ચ કક્ષાની નીજી ક્ષમતાથી કાર્ય કરી શકતા નથી, ત્યારે વ્યાપક પરિવર્તન ઉદ્દેશ્ય (Massive Transformative Purpose - MTP) ની ફરી મુલાકાત લો. આશય પુનર્જીવન ફરીથી ધબકતું કરવાનો છે.

ઘડતર કરનારાઓ માટે વધુ એક (નિર્દેશ). પહેલા તમારા ઉચ્ચ સ્વ સાથે જોડાઓ, પછી તમારા પસંદગીના AI સાધન સાથે પંદર મિનિટ વિતાવો. સંકેતો બદલાય છે. પરિણામો બદલાય છે. સાધન ક્યારેય અવરોધ નહોતું.

તમે જ હતા.


ઉત્પલ વૈશ્નવની લેખમાળા #DhandheKaFunda ના મૂળ લેખ, Source, Not Resource નો અનુવાદ

અનુવાદક અશોક વૈષ્ણવ, અમદાવાદ | ૩ જુલાઇ ૨૦૨૬