દુનિયામાં લગભગ બધે જ નોકરી માટેના, વિધિસરના, ઔપચારિક, ઈન્ટરવ્યુ દરમ્યાન અંગત પ્રશ્નો નથી પૂછી શકાતા. તેઓ ક્યાં રહે છે અને શી
રીતે કામનાં સ્થળે આવજા કરે છે, તેમના જન્મના દેશ,તેમની જાતિ કે લૈંગિક માન્યતાઓ, તેમની ધાર્મિક
માન્યતાઓ, ઉમર, તેમનાં પરિણીત જીવન કે
બાળકો કે કુટુંબ જેવી બાબતો સવાલો પૂછવાના દાયરામાં નથી સમાવી શકાતી.
કારણ માત્ર એટલું જ કે જો ઉમેદવારને નોકરી ન મળે તો ઉમર, જાતિ, ધર્મ, દેશ,
પરિણીત જીવનની સ્થિતિ જેવી કોઈ પણ બાબતે તેની સાથે ભેદભાવ દાખવવામાં
આવ્યો છે એમ કહીને તમારા કાયદાકીય દાવો થઇ શકવાની શક્યતા પૂરેપૂરી છે. આજના
વૈશ્વિક વાતાવરણમાં તમારી કંપનીએ પણ આવાં વૈશ્વિક ધારાધોરણોનો પાળવાં રહ્યાં કેમ
કે તેને કારણે વિશ્વમાં આપણે ન્યાયીક અને ઉચિત સમાનતા તેમ જ બીનવ્યક્તિગત સંબંધોની
પુષ્ટિ કરીએ છીએ તેમ સાબિત કરી શકાય છે.
આજના સમયમાં આપણે કોઈને તેનાં કૌશલ્ય માટે નોકરીએ રાખીએ
છીએ અને કૌશલ્ય અને અનુભવ પ્રમાણે તેમને મહેનતાણું આપીએ છીએ, માટે એ વ્યક્તિની યોગ્યતાનું મૂલ્યાંકન પણ એ જ ધોરણે
કરવામાં આવશે તે અભિપ્રેત છે. પૂર્ણ વિરામ. ન ઓછું, ન વધારે.
આપણે એ વ્યક્તિનાં અંગત જીવનનાં પાસાંઓને આધારે તેને નોકરીએ નથી રાખતાં, પરંતુ આપણે તે શું કરી શકે છે અને
કામગીરીમાં અપેક્ષા મુજબ અસરકારક નીવડશે તે માપદંડના આધારે તેને નોકરીએ રાખીએ છીએ.
પણ માણસને એ દૃષ્ટિએ મૂલવવું ઉચિત છે ખરૂં?
આજે કેટલાય દેશોમાં દેશાંતર કરીને આવેલાં લોકોના
સમલૈંગિક હોવાને કારણે કે ત્વચાના રંગને કારણે કે અમુક દેશમાંથી આવેલ હોવાને કારણે
કે અમુકતમુક ધર્મ કે જાતિનાં હોવાનાં કારણે કે વ્યક્તિ વિકલાંગ છે કે તેમણે નોકરી
આવવા માટે પોતાનાં ઘરથી બેત્રણ કલાક ખર્ચવા પડશે એવા અનેક પ્રકારના ભેદભાવને લગતા
દાવાઓ અંગે અદાલતોના ચુકાદાઓ જોઈએ તો દેખીતી રીતે અદાલતો તો આમ જ માનતી દેખાય છે.
મૅનેજમૅન્ટમાં વ્યક્તિની સાથે સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર
રાખીને તેનાં જીવનને પણ કામ સાથે વણી લેવાથી વ્યક્તિની સ્વયંપ્રેરણાને કંપનીના
ઉદ્દેશ્યો સાથે દિલથી સાંકળી શકાય છે તે હવે માનવ સંબંધો અંગેની પ્રણાલી તરીકે
પ્રસ્થાપિત થઈ ચૂકેલ છે. આપણાં શાસ્ત્રોમાં દરેક શક્ય પાસાંની દૃષ્ટિએ કંઇ પણ
નીરખવાને દર્શન કહેવામાં આવે છે. આજે હવે જે રીતે
ઈન્ટરવ્યુ લેવા પડે છે તેમાં આ બધા
પ્રશ્નો ન પૂછવાથી આપણને એ વ્યક્તિનાં વ્યક્તિત્વનું દર્શન કરવાની તક નથી મળતી.
નોકરીની અરજીઓમાં તો કંઈ કેટલી બડાશો મારી શકાતી હોય છે. ખાનગી પાયે એ વ્યક્તિ
તપાસ કરવાથી તેની કામના સ્થળે વર્તણૂક અંગે પણ ઘણી માહિતી મળી શકે છે. પરંતુ
ચોક્કસ સંજોગોમાં વ્યક્તિનું કૌશલ્ય કેવું નીવડશે તે તો એનાં વ્યક્તિત્વના સમગ્ર
પાસાંઓને ચકાસવાથી સમજી શકાય. જે વ્યક્તિને આપણે નોકરીએ રાખીએ છે તે નિયમપાલન
કરનાર રામ છે કે નિયમો મરોડનાર કૃષ્ણ? એ
વ્યક્તિ સમય અને સંજોગ મુજબ જૂદાં જૂદાં સ્વરૂપ ધારણ કરી શકતા વિષ્ણુ છે કે
નિસ્પૃહી શિવ? એ આકરાં નિયમનોમાં માનનાર રાજા દક્ષ છે કે
મોજમજા કરનાર ઈન્દ્ર? ઇન્ટરવ્યુ દરમ્યાન તો બાહોશ ઉમેદવાર
કોઈ પણ સવાલોના સકારાત્મક છાપ પાડી શકે તેવા જવાબો આપી શકે, તેને
આપણે નોકરીએ રાખી પણ લઈએ, અને પછી ખબર પડે કે તે તો
સંસ્થાનાં વાતવરણમાં એટલી હદે બંધ નહીં બેસે કે, સીતાના
રાવણના હાથમાં પડવાથી જેમ થયું હતું એમ, બન્ને પક્ષે જે નુકસાન
થાય તેની બહુ મોટી કિંમત ચૂકવવી પડે.
વ્યક્તિનાં દેખીતાં કૌશલ્ય, તેની સિધ્ધિઓ (કે નિષ્ફળતાઓ)ની ઉસ પાર જોવું એ ખરૂં દર્શન
છે. તેની કારકીર્દીના એ કયા તબક્કામાં છે - પરવારી ચૂકેલ છે કે હજૂ ઘણું કરવાનું
બાકી છે એમ માને છે? આ પહેલાં સફળતાઓ (કે નિષ્ફળતાઓ) કેવી
હતી, ક્યાં કારણોસર હતી? તેની
પ્રેરણાનાં ચાલક બળ કયાં છે? આ બધી બાબતો પર અલગ અલગ
દૃષ્ટિકોણથી જો વાર્તાલાપ થાય તો સંસ્થાની ભવિષ્યની જરૂરીયાતો અને વાતાવરણ તેમ જ
સંસ્કૃતિના સંદર્ભમાં વ્યક્તિનાં આંતરીક સામર્થ્ય વિષે કયાસ બાંધી શકાય છે.
વ્યક્તિના ભૂતકાળના, વર્તમાનના
તેમ જ ભાવિ કૌટુંબિક સંબંધો અંગે પણ દર્શન કરવું જોઈએ. તેના પર કેટલી અને કેવી
જવાબદારીઓ છે? માબાપ બહુ મોટાં છે, સાથે
રહે છે કે અલગ, સંતાનોનો અભ્યાસ કયે તબક્કે છે, પત્ની (કે પતિ) શું કરે છે જેવાં પરિબળોના અભ્યાસથી વ્યક્તિનાં પ્રેરકબળો, જોખમ
ખેડવાની તૈયારી જેવાં તેનાં સામર્થ્યનાં સંદર્ભોચિત પાસાંઓ ને સમજવું શક્ય બને છે.
વ્યક્તિની સંદર્ભોચિત વર્તણૂકની પાછળ આવાં કંઈક કંઈક મૂળ ભૂત કારણો ભાગ ભજવતાં હોય
છે.
જો કે ઉમેદવારને આ પ્રકારના પ્રશ્નો ખૂબ જ શિષ્ટતાથી, આક્રમક થયા વગર કે પૂર્વગ્રહ રહિત શૈલીમાં, તેની અનુમતિથી પૂછી શકાય છે. ખણખોદ કહી શકાય એટલી હદે કોઈની અંગત
જિંદગીમાં ઊંડે ઉતરવું તે પણ દર્શનની પાયાની શરતની વિરૂધ્ધ ગણાય. અહીં એ યાદ
રાખવું રહે કે સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર સ્વીકાર્ય છે, પણ
ચંચુપાત કહી શકાય એ હદે દર્શન કરવું સ્વીકાર્ય નથી ગણાતું.એમાં પણ સામેની વ્યક્તિ
જો વાંકદેખી હોય તો તેને દર્શન પણ વાંકી દૃષ્ટિએ અનુભવાય. જેમ કે અમેરિકામાં કોઈની
સામે તાકીને જોવું પણ કાયદાની દૃષ્ટિએ ગુન્હો બની શકાય છે.
મજાની વાત એ છે કે વાસ્તવમાં તો લોકોને બધાં પોતા તરફ
ધ્યાન આપે એ ગમતું હોય છે. જો કે લોકો આપણને આપણી સિધ્ધિઓનાં સંદર્ભમાં જૂએ, પોતે જે કરી શકે છે તે માટે તેમને માનથી જૂએ એવી અપેક્ષા
કરતાં હોય છે. પોતે જે છે તે માટે તેમને પ્રેઅઆદર મળે તે એમના માટે મહત્ત્વનું છે.
પણ સંસ્થાની ગતિવિધિઓ વ્યક્તિની આવી જરૂરિયાતોને નકારી કાઢે છે. ત્યાં તો એમ
માનવામાં આવે છે કે આવી બાબતોમાં ઉંડા ઉતરવાનો દુરૂપયોગ થવાની શક્યતાઓ ઘણી વધી જતી
હોય છે. લોકોની જિંદગીમાં બેરોકટોક જોવાનું શક્ય બને છે સલામતીના કારણોસર કામના
સ્થળે લગાડેલા ક્લોઝ્ડ સર્કીટ કેમૅરા કે અલગ અલગ હેતુ માટે એકઠી કરાતી ખાનગી
માહિતી વડે કે નોકરીના ઇન્ટરવ્યુ દરમ્યાન
કરાતા તમારાં મન અને વ્યક્તિત્વના મનોવૈજ્ઞાનિક પરીક્ષણો વડે.
ધ ઈકોનોમિક
ટાઈમ્સ માં ૨૪ ઓગસ્ટ,૨૦૧૪ના રોજ
પ્રકાશિત થયેલ
§ દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Don’t ask me that question!નો અનુવાદ
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૫ જુલાઈ, ૨૦૧૭
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો