આમ, અહીંથી આપણને ઋષ્યશૃંગની કથા મળે છે જેનો ઉછેર જ સંન્યાસી તરીકે કરાયો હોય છે, જેને પરિણામે તે મોટો થયો ત્યાં સુધી નારી વિશે તેને કંઈ જ જ્ઞાન નહોતું. આ કથા બૌધ્ધ જાતકોમાં, જૈન વાસુદેવહિંદી અને હિંદુ રામાયણમાં પણ જોવા મળે છે. એ જ રીતે, ખાવાના શોખીન સુદાસની પણ એક કથા છે, જેના મુજબ સુદાસ સ્વાદ માટેનો તેના અતિ-શોખને કારણે એક વાર માનવ માંસ પણ ખાઈ જાય છે અને જ્યાં સુધી એક જૈન મહાપુરુષે આવીને તેનો ઉદ્ધાર ન કર્યો, કે તેને મારી ન નંખાયો, ત્યાં સુધી માનવભક્ષી જ બની રહે છે. તે જ રીતે જૈન, બૌદ્ધ અને પુરાણોની દંતકથાઓમાં એક ગણિકાની કથા પણ સાંભળવા મળે છે જે નાનપણમાં ત્યજી દીધેલા પોતાના પુત્ર સાથે જ પરણી બેસે છે. તુંડ મિજાજી વાસુદત્તાની કથામાં તે પોતાના પતિ અને સંતાનોને વિવિધ કુદરતી આપત્તિઓમાં ખોઈ બેસે છે અને પછી જૈન કે બૌદ્ધ સાધ્વી બને છે. એક અતિથિપરાયણ પક્ષીણીને પારધીએ પકડી લીધી હોય છે તેમ છતાં પોતાના અતિથિ પારધીનું પેટ ભરવા માટે તે પોતાની પતિ પક્ષીને પોતાની જાત સમર્પિત કરવાનું કહે છે. આ વાર્તા મહાભારતનાં શાંતિ પર્વ ઉપરાંત બૌદ્ધ જાતક કથાઓમાં કરુણા, ઉદારતા ને ક્ષમાના ગુણોને સમજાવવાના અર્થમાં જોવા મળે છે.સંતાન માટે ઝઘડતી બે સ્ત્રીઓને બાળકના બે ટુકડા કરી વહેંચી દઈને બન્નેને સરખો ન્યાય મળે તેવો જ્યારે તોડ કહેવામાં આવે છે ત્યારે સાચી માતા એમ કરવાને બદલે બાળકને જ જતું કરવા તૈયાર થઈ જાય છે વાર્તા તો બહુ જાણીતી છે. જૈન પરંપરામાં કૃષ્ણના પિતા, વાસુદેવ,,ને એક એવા વિચક્ષણ રાજા બતાવાયા છે જટિલમાં જટિલ સમસ્યાઓ ઉકેલી આપી શકે છે.બૌદ્ધ પરંપરાઓમાં એવી વ્યક્તિ બોધિસત્વ છે તો બાઈબલમા બધી સમસ્યાઓના હલ ખોળનાર તરીકે રાજા સોલોમનનું પાત્ર છે !
ભાષાંતરકારની નોંધ:
કથા સરિત સાગર અંગ્રેજી અનુવાદ રૂપે –
કથા સરિત
સાગર,ગુજરાતીમાં
Katha-Sarit
Volume 1 Books 1 to 9
Katha-Sarit
Volume II Books 10 to 18
- મિડ-ડેમાં ૧૯ ઓક્ટોબર, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Stories in the language of ghostsનો અનુવાદ| પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો