તમારા જીવનનો એક હિસ્સો એવો છે જેનું મહત્વ
ઘણું છે,પણ તેનું મૂલ્યાંકન કદાચ
એટલું જ ઓછું થતું રહ્યું છે.
અને એ છે યાત્રા.
સામાન્ય તર્કથી જ આપણે જાણીએ છીએ કે આપણો લગભગ
૯૯.૯% સમય યાત્રામાં જ પસાર થાય છે, અને માત્ર ૦.૦૦૧% [તે પણ
થોડું ઉદાર દિલે જોતાં] જ મુકામ પર.મુકામ પર પહોંચતાની સાથે જ આપણું ધ્યાન હવે
પછીના પડાવ તરફ જતું રહે છે અને આપણી નવી યાત્રા શરૂ થઈ જતી હોય છે.અને જો આમ જ
થવાનું હોય, તો પછી મોટા ભાગના લોકો
યાત્રાની મજા કેમ નથી માણતા? શા માટે યાત્રા એ લોકોના
જીવનનો ઓછો મૂલ્યાંકિત હિસ્સો હોવો જોઇએ?
એનો જવાબ રહેલો છે યાત્રાની અંતર્ગત
રૂપરેખામાં.
યાત્રાની અંતર્ગત રૂપરેખા
માનો યા ના માનો, પણ , તમારી યાત્રાની રૂપરેખા અંતર્ગતરીતે જ, એકી સાથે, જટીલ,પ્રતિકૂળ અને હંફાવી દેનાર હોય છે.એટલે એમ નહીં કે યાત્રાને
માણવી નહીં. પરંતુ જે છે તે આ છે.
આપણે શરૂથી જ તેનાથી પરિચિત છીએ તે ઉદાહરણ જ
જોઇએઃ
મુકામઃ ચાલવાની પ્રબળ
ઇચ્છા
યાત્રાઃ ચાલવાનું શીખવું
નિરાશ થઇ જતા હતા ને? હા, થોડા થોડા. ધારો કે તમારો
ધ્યેય આરામથી એક જગ્યાએ પહોંચવાનો હતો.તો, તેમાં તો કોઇ મુશ્કેલી જ
નહોતી,ન કોઇ ગુંચવણને નિરાશા તો
નામની પણ નહીં.
તો હવે શી સમસ્યા? તમારો જરાપણ વિકાસ ન થયો
હોત.
વાત આમ છેઃ તમે વિકાસ ઇચ્છો છો અને તમારા ધ્યેય
તમને પહેલાં ગયા ન હો ત્યાં ત્યાં ફેરવે છે. બધું જ પહેલી વાર થઇ રહ્યું છે,પરંતુ માળું ફરી વાર કરવા કરતાં પહેલી વારમાં જ બધી તકલીફ
છે, પહેલાં ક્દી કર્યું નથી એટલે વધારે પ્રતિકૂળ
અને પહેલી વાર સફળ ન થયા તો પાછું નિરશાજનક પણ ખરૂં.
સારઃ યાત્રા ન માણવા માટે એ
કોઇ કારણ નથી કે તે વધારે મુશ્કેલ, પ્રતિકૂળ અને હંફાવનારી
નાખનાર છે, કારણ કે તે તો તમે જ્યારે
તમારું ધ્યેય નક્કી કર્યું ત્યારે જ તમે સ્વિકારી ચૂક્યા છો.એ તો એક ઉચ્ચક સોદો છે
અને બધી અડચણોનો સામનો કરવો, પ્રતિકૂળ સંજોગોમાં
ગોઠવાવું અને કેટલીક વાર પહેલે પ્રયત્ને સફળ ન થવાની નિરાશાઓને પાર કરી લેવી તે જ
તમારા સતત વિકાસની યાત્રા છે.
શુભ યાત્રા.
- મૂળ લેખ Important, but Underrated
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો