અનુવાદકની નોંધઃ વર્ષ ૨૦૧૪ની આ પહેલી
પૉસ્ટ ડૉ. દેવદત્ત પટ્ટનાઇકના ભારતીય પુરાણશાસ્ત્ર પરના લેખોનો ૧૦૦મો અનુવાદ છે.
ભારતના રાષ્ટ્રીય
ધ્વજનાં કેન્દ્રમાં એક ચક્ર છે. તે શેનું પ્રતિનિધિત્વ કરે છે? આ સવાલના જવાબની શોધ
આપણને ભારતના ઇતિહાસ,પુરાણો અને
તત્વજ્ઞાનની એક અનોખી કેડી પર જ લઈ જાય છે.
રાષ્ટ્રીય
ધ્વજમાંનું ચક્ર, ભારતની આઝાદીની
ચળવળમાં બહુ જ મહત્વની ભૂમિકા ભજવનાર, ભારતીય રાષ્ટ્રીય
કોંગ્રેસના ધ્વજ પર ગાંધીજીના પ્રખ્યાત
રેંટીયાના ચરખા પરથી લેવામાં આવ્યું છે. હાથશાળ પર નભતા કાપડ ઉદ્યોગ અને એવા જ નાના ઉદ્યોગોની
કમ્મર ભાંગી નાખી, દેશના કરોડો
શ્રમજીવીઓને દારિદ્રયનાં ખપ્પરમાં ધકેલી દેતાં બ્રિટનના મિલનાં કાપડ અને અન્ય
ઔદ્યોગિક પેદાશોના વિરોધનું પ્રતિક રેંટીયો
બની ગયો હતો.
હિંદુ
જ્ઞાતિ પ્રથાએ દલિતોને તેમના હક્કોથી વંચિત રાખ્યા છે તેવી પ્રબળ વિચારસરણી ધરાવતા
ડૉ. આંબેડકરે જે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો, તે બૌદ્ધ ધર્મનું પણ
આ ચક્ર પ્રતિનિધિત્વ કરે છે. સમગ્ર વિશ્વમાં આરાવાળું ચક્ર બૌદ્ધ ધર્મનું પ્રતિક
મનાય છે.મોંગોલીઆ, શ્રી લંકા અને
સિક્કિમનાં ભૂત પૂર્વ બૌદ્ધ રાજ્યનાં રાજચિહ્નો પર આ ચક્ર જોવા મળે છે. કેન્દ્રમાં
આવેલ ધુરા ચિંતન દ્વારા પ્રાપ્ત થતાં એકચિત્ત ધ્યાન અને સ્થિરતાનું પ્રતિક છે, જ્યારે પૈડાંની વાટ સજગતાનું અને આરા
બૌદ્ધ ધર્મના વિવિધ સિદ્ધાંતોનું પ્રતિક છે. બહુ ઘણા સમય સુધી ચક્ર પોતે જ
બુદ્ધનું પ્રતિક ગણાતું હતું. ઇસવી સનની પહેલી સદીની આસપાસ, જ્યારે બુધ્ધની
પ્રતિમા અતિ લોકપ્રિય બની ગઈ ત્યારે એ ચક્ર બુદ્ધના ચહેરાની પાછળનું પ્રભામંડળ બની
રહ્યું.
ઘણી
વાર ચક્રની આસપાસ બંને બાજુએ હરણ ઊભેલાં પણ બતાવવામાં આવે છે. મૃગ ઉદ્યાન, સારનાથમાં અપાયેલા પહેલા બુદ્ધના
ઉપદેશનું આ પ્રતિક છે. ચક્રની બાજુમાં હરણનું ચિહ્ન જૈન દેરાસરોમાં પણ જોવા મળે
છે. મૂર્તિ શાસ્ત્રમાં, હરણ માનવ મનની ચંચળતા અને ચિંતાને દર્શાવે
છે, જ્યારે પૈડું તેની
સતત ચાલતી રહેતી ગતિને કારણે કોઇની રાહ ન જોતા કાળનું પ્રતિક ગણવામાં આવે છે. આમ, હરણ એ માનવીનાં
પૈડાંની ગતિનો સ્વાભાવિક પ્રતિસાદનું પ્રતિક છે. અથવા બીજા શબ્દોમાં, પારંપારિક હિંદુ વિચારસરણીના પુરૂષ અને
પ્રકૃતિના સિધ્ધાંતનું પ્રતિક પણ કહી શકાય.
હડ્ડપાના
અવશેષોમાં પણ પૈડાંને જોવા મળે છે, એટલે કે આજથી ૪૦૦૦
વર્ષ પહેલાં પણ ભારતવર્ષમાં આરા સાથેનાં પૈડાનાં અસ્તિત્વ હતું. મૌર્ય કાળમાં
ભારતવર્ષમાં ચક્રવર્તીનો ખ્યાલ બહુ પ્રચલિત બની ચૂક્યો હતો. ચક્રવર્તી રાજાની આણ
સમગ્ર વિશ્વમાં પ્રસરેલી હોય છે. જૈન શાસ્ત્રોમાં તે સન્માનીય વ્યક્તિ - શલાકા
પુરૂષ - તરીકે ઓળખાય છે. ચક્રવર્તીને ચક્રની ધરી તરીકે અંકિત કરાય છે, વર્તુળાકાર ક્ષિતિજ તેનાં સામ્રાજ્યની
સીમાઓ દર્શાવે છે, જ્યારે આરા રાજ્ય
ધર્મના કાયદાઓ અને નિયમનો દર્શાવે છે જેના વડે તે પોતાનાં રાજ્યને સાંકળી રાખે છે.
પૈડું રાજ્યના દોરી માર્ગો પર સતત ફરતા રહેતા રાજાના અજેય રથનાં પૈડાંનું
પ્રતિનિધિત્વ પણ કરે છે. આ ચક્ર મહારાજા અશોકનાં સ્થંભ પર પણ જોવા મળે છે, ભારતના રાષ્ટ્રધ્વજ પર સ્થાન પામવા માટે
એ પણ એક મહત્વનું પ્રેરણાત્મક પરિબળ છે. આજથી લગભગ ૨૩૦૦ વર્ષ પૂર્વે, મૌર્ય વંશના પ્રતાપી સમ્રાટ અશોકનું
રાજય હાલનાં અફઘાનિસ્તાનથી માંડીને દક્ષિણમાં છેક આંધ્ર પ્રદેશ અને કર્ણાટક સુધી
પ્રસરેલ હતું. તેના સ્થંભ પરના ચક્ર પરના
ચાર સિંહ રાજવી સત્તાનું પ્રતિક છે. આમ ધર્મચક્ર શબ્દપ્રયોગ, બૌદ્ધ કે જૈન ધર્મની વિચારસરણીથી અલગ પડીને, કંઇક અંશે ભૌતિકવાદી અને રાજાશાહી
અભિવ્યક્તિ રજૂ કરતો જણાય છે.
'મિડ ડે'માં જુલાઇ ૦૭, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ
v અસલ અંગ્રેજી લેખ, The Wheel has Many Spokes, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર ઑક્ટોબર ૨૩, ૨૦૧૩ના રોજ Indian Mythology • Myth Theory ટૅગ હેઠળ પ્રસિધ્ધ
થયેલ છે.
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ જાન્યુઆરી ૦૬, ૨૦૧૪
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો