યુરોપની અદાલતમાં ભૂલાઈ જવાના અધિકારને લઈને આજના સમયની એક
આધુનિક લડાઈ ચાલી રહી છે. ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ, જીમેલ, અને ખૂણેખાંચરે
લાગેલ, સરકાર વડે
પ્રાયિજિત કે પછી ખાનગી માલિકીના સીસીટીવી કૅમેરા અને ઉપગ્રહ કૅમેરાઓની મંડરાતી
રહેતી નજરોએ સામાન્ય નાગરિકની બધી જ અને દરેક પ્રકારની માહિતી-સામગ્રી ડીજિટલ
ટેક્નોલોજીના હાથમાં મૂકી દીધેલ છે. આની સામે હવે આમ આદમી ભૂલાઈ જવાના પોતાના અધિકાર માટે અવાજ ઉઠાવી રહેલ છે.
આ વાતે આપણું ધ્યાન શિવનાં 'સ્મર-હર્તા' નામ તરફ ખેંચાય
છે, જે તેમની સ્મૃતિઓનો નાશ કરી નાખવાની શક્તિ પરથી પડેલ
છે.સ્મૃતિને ભુંસી કાઢવાની તેમની આ શક્તિ તેમને યોગ-ઈશ્વર, યોગના ઈશ્વર -યોગેશ્વર- બનાવે છે.
યોગીક પરંપરા અનુસાર આપણું મન (ચિત્ત) એ બહુ મોટો
માહિતી-સામગ્રીસંગ્રહ છે. આપણને સભાનપણે કે અભાનપણે થતા દરેક અનુભવો આપણાં
ચિત્તમાં ઝડપાઈ જવાની સાથે કોતરાઇ જાય છે અને તેમના પર તેમની ઓળખની ચબરખી લાગી જાય
છે. આમ માત્ર આ જન્મના જ નહીં પણ પૂર્વજન્મોના પણ આપણા દરેકેદરેક અનુભવો આપણી
સ્મૃતિમાં અંકાઈ જાય છે. આને કારણે
આપણું મગજ તરડાઈ મરડાઈ જઈ અનેક ગાંઠોથી બંધાઈ જાય છે, જેને કારણે આપણી સામેની વાસ્તવિકતાઓ અને તેની સમજ પણ તરડાયેલાં સ્વરૂપે
દેખાય છે. દુનિયા હવે આપણને એક ચોક્કસ
ઢાચામાં જ દેખાય છે. જ્યાં સુધી આપણું ચિત્ત આમ તરડાયેલું અને ગંઠિત હશે ત્યાં
સુધી આપણે હંમેશાં દુઃખી જ રહેવાનાં.
તો હવે સુખી થવા શું કરવું?
એક સહેલો રસ્તો છે શિવની જેમ હોકલીમાંથી લેવાતી ચુસકી
વડે નશીલાં દ્રવ્યોથી મગજને બહેર મારી દેવું. જોકે શિવજી તો મનમાં મુસ્કરાય છે
કેમકે તેઓ જાણે છે કે આવી રસાયણો પ્રેરિત સુખની સ્થિતિ લાંબું ટકી નથી શકતી. લોકો
પાર્ટીઓ અને ખરીદારીઓમાં વ્યસ્ત રહીને પણ મગજને બહેલાવી લે છે.
બીજી રીત છે વિડીયોગેમ્સ કે કર્મકાંડ જેવી અર્થ વગરની
પુનરાવર્તિત પ્રવૃત્તિઓમાં મગજને રોકી રાખીને તેને વિચાર કરતું રોકવાની અને સમયને
ભુલાવે ચડાવવાની. આ છે શિવના હાથમાં ડમરૂને ડુગડુગાવતા રહીને મર્કટનું, કે પછી બાળકનું,ધ્યાન બીજે
દોરવાની રીત. બોલીવુડ અને ટેલીવિઝન આ પ્રકારના સુખને મેળવવાનાં આસાન રમકડાં છે.
થોડા સમય સુધી તો આ કામ આવે છે, પણ બાળક જેમ
રમક્ડાંથી ઉબાઈ જઈને તેને ફેંકીને ઊભું થઈ જાય છે તેમ આપણે પણ થોડા સમયમાં આનાથી
ધરાઈ જઈએ છીએ.
ચિત્તની અમળાવટને કારણે આપણી જાતને આપણે બલિ માનવા લાગીએ
છીએ અને પછી દુનિયા સાથે આવાં બલિ હોવાની માન્યતા ધરાવતાં લોકો જેવો જ વ્યવહાર
કરવા લાગીએ છીએ.કોઈક વાર આપણે દુનિયા સાથે શહીદ થયા તરીકેનો વ્યવહાર કરીએ છીએ, તો ક્યારેક દુનિયાને બદલી નાખવાના ધખારે ચડી જઈએ છીએ. તરડાયેલું ચિત્ત
આપણને એમ સમજવાથી રોકે છે કે કોઈપણ ખલનાયક પણ પોતાની જાતને એમ જ બલિ કે શહીદ કે
શૂરવીર તરીકે જ જૂવે છે. કાયદાની પેઢી કે માનસાશાસ્ત્રીની ઢળતી ખુરસી દુનિયાને આમ
ઊંધાં ચશ્માંથી ઉચિત અને તર્કસંગત રૂપે જોવા માટે બહુખ્યાત જગ્યાઓ છે.
આ બધાના મૂળમાં છે આપણામાંઊંડે ઊંડે ઉતરી ગયેલી યાદો, જે દુનિયા વિષેની આપણી દૃષ્ટિ ઘડે છે. તેને ભૂંસી નાખી શકાય? યોગ કહે છે, 'હા'.
તેના માટે તે આઠગણો માર્ગ -આર્યાષ્ટાંગમાર્ગ- દેખાડે છે. યોગ એટલે 'ચિત્ત વૃત્તિ નિરોધ' - આઠ-પાસાંના
માર્ગ વડે મનની ગુંચો અને ગાંઠો ઉકેલવાનો માર્ગ, જેમાં અન્યો સાથેના આપણા સંબંધોની ફેરમુલાકાત (યામ), આપણી જ વર્તણૂકોની ફેરમુલાકાત(નિયામ), આપણા અંગવિન્યાસને ફરીથી ઉદિત કરવું (આસન), આપણા શ્વાસોચ્છશ્વાસનું નવસંસ્કરણ કરવું (પ્રાણાયામ), બાહ્ય વિક્ષેપ વિના આત્મનિરીક્ષણ (પ્રત્યાહાર), જાગૃતિ (ધારણા), ધ્યાન (ધ્યાન)
અને છેલ્લે એ બધી સ્મૃતિઓ, ખાલી જગ્યાઓ
અને ચડઉતરના પદાનુક્રમોનાં જાળાં મનમાંથી સાફ કરી પોતાની જાતને બાંધી,એકલા અટૂલા સ્વૈરાચારી કરવી (સમાધિ)નો સમાવેશ કરવાનો રહે છે. આ સાફ
સફાઈ આપણને બધી જ જૂની યાદોના સંગ્રહોમાંથી શુધ્ધ થયેલ, ચૈતન્ય, બનાવે છે. આપણે
હવે દુનિયાને તાજી, બધાજ
પૂર્વગ્રહોથી મુકત પુનઃગઠિત,નજરે જોઈએ છીએ.
‘ધ મિડ-ડે' માં
જુન ૧૫,૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
અસલ અંગ્રેજી લેખ, Wipe out my memories, please , વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર ઓગસ્ટ ૫, ૨૦૧૪ના રોજ Indian Mythology, Mahabharata, Modern Mythmaking, Myth Theory, Ramayana, Society, World Mythology ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ડીસેમ્બર ૨૧, ૨૦૧૬
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો