એક રાષ્ટ્રીય પુસ્તકાલયે મારાં પુસ્તક ‘Sita:
An illustrated retelling of the Ramayana,’ વિષે
એક ઈ-મેલ બધાંને મોકલ્યો હતો જેમાં મારાં એ પુસ્તકને તેઓએ 'કલ્પિત
સાહિત્ય' તરીકે વર્ગીકૃત કરેલ. મને બહુ નવાઈ લાગી, એટલે
મેં તેમને નીચે મુજબનો ઈ-મેલ કર્યો -
પ્રિય મહોદય / મહોદયા,
મારૂં નામ દેવદત્ત
પટ્ટનાઈક છે.મારાં ધ્યાન પર આવ્યું છે કે મારૂં પુસ્તક ‘Sita: An
illustrated retelling of the Ramayana’ (Penguin, India) એ
હવે તમારાં પુસ્તકાલયમાં ઉપલ્બ્ધ છે. એ માટે તમારો આભાર.પરંતુ, સભ્યોને મળેલ ઈ-મેલ
અનુસાર તેને 'કલ્પિત સાહિત્ય' તરીકે
વર્ગીકૃત કરાયેલ છે. મને તેને કારણે અચરજ થયું છે.
• જો ધર્મને લગતાં, બાઈબલ, જિસસ, મોહમ્મદ, બુધ્ધ, ગીતા, જૈન
ધર્મ જેવાં બધાં જ પુસ્તકોને 'કલ્પિત
સાહિત્ય' વિભાગમાં રાખતાં હો તો
તમારો આ નિર્ણય સમજી શકાય એમ છે.
• પરંતુ, જો
એમ ન હોય, તો મારી તમને વિનંતિ
છે કે રામયણને 'કલ્પિત સાહિત્ય' વિભાગમાં
રાખવા અંગે ફેરવિચારણા કરજો. પૌરાણિક માન્યતાઓના અભ્યાસશાસ્ત્રને 'બિનકલ્પિત
સાહિત્ય' વિભાગમાં રાખવું વધારે
ઉચિત છે કેમકે તે લોકોનાં સ્વાનુભાવરસિક સત્ય સાથે સંદર્ભ ધરાવે છે. એટલે
કે તેમાં શ્રધ્ધા ધરાવનારાં માટે એ સત્ય છે જ્યારે શ્રધ્ધા ન ધરાવનારાંઓ માટે એ
સત્ય નથી.• એસ ભયરપ્પાની કન્નડ
નવલકથા 'પર્વ' કે
એમટી વાસુદેવન નાયરની મલયાલમ નવલ કથા Second Turnને
જરૂર કલ્પિત સાહિત્ય વિભાગમાં રાખી શકાય. જ્યારે મારૂં પુસ્તક પૌરાણિક કલ્પિત
સાહિત્ય નથી. એ તો રામયણનું પુનર્કથન અને તેના પરનું વિવરણ છે.મને આશા છે કે આપ મારી ચિંતા સમજી શકશો. મને આપના જવાબની આશા છે.સાદર,
છેવટે તેમનો જવાબ
આવ્યો કે મારાં પુસ્તક 'સીતા'ને ‘ધર્મ’
હેઠળ વર્ગીકૃત કરેલ છે.
વર્ગીકરણમાં એક તાકાત
છે. આપણે કોને કલ્પિત સાહિત્ય કહેશું કે બિનકલ્પિત સાહિત્ય કહીશું? જેમ
કે, કેટલાંક લોકોના મત અનુસાર ઈશ્વર તો કલ્પના નો એક તુક્કો માત્ર
છે અને તેથી બધાં ધાર્મિક પુસ્તકો કલ્પિત સાહિત્યમાં મૂકાવાં જોઈએ. બૌધ્ધ ધર્મ
જેવા ધર્મોમાં ઈશ્વરની પરિકલ્પના જ નથી, પણ
પુર્નજન્મની વાત તો એ લોકો પણ કરે છે.રેશનાલિસ્ટ નાસ્તિકની દુનિયામાં તો તેને પણ
કલ્પિત સાહિત્યમાં મૂકી દેવામાં આવે. મને એક સવાલ રહે છે કે વેટિકનનાં કે સાઉદી
એરેબીઆનાં કે શિકાગો કે હાર્વર્ડ કે કેમ્બ્રિજ યુનિવર્સિટીઓનાં પુસ્તકાલયમાં
કલ્પિત સાહિત્ય વિભાગમાં કેવાં પુસ્તકો હશે? ચોક્કસ
માપણી પર આધારિત નથી, એવાં મનોવિશ્લેષણ કે
છદ્મવિજ્ઞાન જેવા વિષયોનાં પુસ્તકો કયા
વિભાગમાં રાખવામાં આવતાં હશે? અસાધારણ
ઘટનાઓને લગતાં પુસ્તકો કયા વિભાગમાં રખાતાં હશે? જેમાં
ધાર્મિક વડાઓ કે રાજકીય નેતાઓનાં રંગીન ચિત્રણ કરવામાં આવ્યાં હોય છે તેવાં
સંતચરિત્ર લેખન પરનાં પુસ્તકો ક્યાં રાખવામાં આવતાં હશે?
હેતુલક્ષિતાને બહુ
વધારે પડતું મહત્ત્વ અપાય છે. હેતુલક્ષી દરેક વ્યક્તિ પોતાનાં હેતુઓ કે તાર્કીક
દૃષ્ટિકોણને બીજાના એવા જ હેતુઓ કે તાર્કીક દૃષ્ટિકોણથી અલગ રીતે રજૂ કરીને પોતાનો
પ્રભાવ પાડવા માટેના ખેલ જ કરે છે.સત્તાના ખેલ ક્યારે પણ તર્કસંગત ન હોઈ શકે. તેના
વડે ઊંડે ઘૂસેલ ચિંતાઓ કે ભયોના અગ્નિને હવા મળે છે. આપણેએક નાની જંગલી જાતિની બહુજ આસ્થા ધરાવતું મંદિર ધરાર
તોડી નાખી ને તેને અંધશ્રધ્ધા કહીને હસી કાઢી શકીએ. પણ કોઈ બહુ મોટા, શક્તિશાળી ધર્મની
નાની સરખી પણ ધાર્મિક ઈમારતને એવાં જ કારણસર તોડી કાઢવાનો પ્રયાસ કરીએ તો તો
મહાનાશ નોતરી બેસીએ. બંદૂકને ખોટે છેડે,
માની લીધેલ વાસ્તવિકતાઓ ઈતિહાસ બની ગઈ છે - વાત પછી હુલ્લડોની હોય કે ચુંટણીઓની
હોય કે પછી હોય પુસ્તકાલયોની.
§
ધ મિડ ડેમાં ૧૦ સપ્ટેમ્બર, ૨૦૧૪ ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, God as Fiction નો અનુવાદ
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૨૧ ડીસેમ્બર, ૨૦૧૭
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો