શુક્રવાર, 13 એપ્રિલ, 2018

૧૦૦ શબ્દોની વાત : સકારાત્મકતાને મહત્વ આપો

તન્મય વોરા

૧૯૮૨માં, મનુષ્યનાં ક્રિયામૂલક શિક્ષણનાં માળખાંનો અભ્યાસ કરવાના આશયથી, બે બોલીંગ ટીમોની ઘણી બધી રમતોના, જુદા જુદા દ્રષ્ટિકોણથી, વિડિયો ઉતારવામાં આવ્યા. પછીથી, બન્ને ટીમોને અલગ અલગ રીતે સંપાદિત કરેલ ટૅપ બતાવવામાં આવી. એક ટીમને માત્ર તેમની ભૂલો અને બીજી ટીમને માત્ર તેમના સારા દેખાવને જ બતાવવામાં આવ્યાં. બન્ને ટીમમાં સુધારો તો થયો, પણ જે ટીમે સારા દેખાવપર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું, તેમાં બમણો સુધારો જોવા મળ્યો.

ભૂલો પર વધારે પડતું ધ્યાન આપવાથી દોષારોપણ,થાક કે પ્રતિકારની લાગણી વધે છે. જ્યારે સારાં પરિણામોપર ભાર આપવાથી જુસ્સો, સર્જનાત્મકતા અને ઉત્સાહ જેવી પ્રબળ લાગણીઓ વધે છે.
આપણે જેને વધારે મહત્વ આપીએ, તે જ આપણને વધારે મળે છે.

  • અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ


 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો