મારી દૃષ્ટિએ, આધુનિક તર્કસંગત વિચારસરણી રૈખિક છે, એટલે તે પાશ્ચાત્ય વિચારસરણીનું સંતાન છે. પાશ્ચાત્ય
વિચારસરણી
ઈસ્લામ, ખ્રિસ્તી અને યહૂદી ધર્મોની પેદાશ છે, જે વળી ગ્રીકો-રોમન વિચારસરણી સાથેના તીવ્ર મતભેદ છતાં તેનાથી
પ્રભાવિત છે. પુરાણવિદ્યાના અભ્યાસી હોવાને કારણે મારા પર હિંદુ વિચારસરણીની અસર ઘણી હોય, તેથી મને તો પાશ્ચાત્ય વિચારસરણી બાઈબલીય પુરાણો અને ગ્રીક
પુરાણો વચ્ચે પીસાતી જણાય છે.
જે લોકો તર્કસંગતતામાં માને
છે (અહીં 'માનવા'ને શબ્દપ્રયોગ ખાસ જાણીજોઈને કરેલ છે), તેમને મારો આ દાવો બહુ પરેશાન કરશે. તર્કસંગત વિચારશક્તિ એમ
માને છે પુરોણોના પ્રશિષ્ટ યુગ અને તે પછીના ધર્મોનાં વાદળોથી ઘેરાયેલ અંધાર
યુગમાંથી, વિજ્ઞાનના પ્રસારવાળા આત્મજ્ઞાનના યુગની
મદદ વડે, ટકી ગયા જવાથી તેમને 'સત્ય' મળી જ ચૂક્યું છે.'તર્કસંગતતા' પોતાને 'માન્યતા'ની સાથે એક પંગતમાં બેઠેલ જોઈ ન શકે.
તેમ છતાં તર્કસંગત વિચારસરણી, કમસે કમ પોતાને તર્કસંગત માનતી આધુનિક વિચારસરણી, માને છે કે આપણે વિકસી રહ્યાં છીએ, એક મહાન ભવિષ્ય તરફ આગળ વધી રહ્યાં છીએ. હિદુ વિચારસરણી જેની
તરફેણ કરે છે એ દુનિયા તરફના પુનરાવર્તક દૃષ્ટિકોણમાં પણ આપણે આવા વિકાસભણી જાતી
દેખાતી માન્યતાઓમાં રાચી રહીએ છીએ;
પરંતુ આપણે થોડું દૂર જોઈએ તો
સમજાઈ જાય કે આપણી હાલત ઘાણીના બળદથી વધારે સારી નથી.
આપણો તકનીકી દૃષ્ટિએ વિકાસ
થયો છે પરંતુ ભાવનાત્મક દૃષ્ટિએ વિકાસ નથી થયો. ભાવનાત્મક માળખાંની દૃષ્ટિએ, આપણે આપણા પૂર્વજોથી બહુ જૂદા નથી પડ્યા. આપણે ક્યાં તો સિકંદર
કે સીઝરની જેમ વિશ્વવિજય કરવા માટે કે ખ્રિસ્તી, ઇસ્લામિક કે હિદું
ધર્મગુરૂઓની માફક દુનિયાને બચાવવા મથી રહ્યાં છીએ. ગુલામી નાબુદીના કાયદાઓ નાબુદ
કરીને હવે આપણે ગુલામની જેમ વર્તી રહે એવા રોબોટ્સ બનાવવા તરફ દોડ મૂકી છે.
બધાં સહમત થાય છે કે, માપણીને વશ નથી એવું સમજી ગયા પછી જેને આપણે માનવવિદ્યાશાસ્ત્રો
કહીએ છીએ તે સમાજશાસ્ત્રોની સમજણનો આપણો ઝોક યુરોપકેન્દ્રી, અને હવે અમેરિકા કેન્દ્રી,
વધારે છે. આ સમજણ માને છે કે
યુરોપ કે અમેરિકામાં જે ચાલે તે આખી દુનિયામાં ચાલે. ચીન કે ભારત જેવાં કેટલાંક
વિરોધ જરૂર કરે છે, પણ તેમનો વિરોધ કોઈને કાને પડતો નથી જણાતો
– તેને બહુ બહુ તો કચકચિયાં છોકરાંઓદ્વારા પોતાની વાતને વળગી
રહેવા જેવી વૃત્તિની નજરે જોવામાં આવે છે.
આ કથનોને કદાચ બહુ વધારે
પડતાં આકરાં કહેવામાં આવી શકે છે. પરંતુ જેની ખોજ નથી એવાં સત્ય આ કથનો ભલે નથી, પણ જેને વધારે વ્યાપકપણે સમજવામાં આવે એવી ભાવનામય આ સત્યો જરૂર
છે. મારાં આ કથનોનો આધાર યુરોપમાં વિદ્યાર્થીઓ અને કેળવણીકારો સાથેના સંવાદો છે.
ભૂતકાળમાં અમેરિકામાં પણ આ પ્રકારના સંવાદો પણ કંઈક આવાં જ તારણો તરફ ઢળે છે. હું
મારી જાતને પ્રેક્ષક તરીકેના ઝોક તરફ હંમેશાં ચેતવતો રહું છું. પરંતુ મહદ અંશે જેટલું તેને ટાળી શકાય તેમ
નથી, એટલું આજના રેશનલ તત્ત્વજ્ઞાનીઓના જુસ્સાભેર કરાતા આ વિષય
બાબતના હુમલાઓને પણ ચલાવી વું રહ્યું.
દુનિયા પર યુરો-અમેરિકન
દૃષ્ટિકોણ છવાયેલો છે જે અનેકેશ્વર વિચારસરણીથી એકેશ્વર વિચારધારા તરફ થઈને હવે
ઇશ્વર છે જ નહીં એમ વિચારવા ભણી સફર કરતો જણાય છે. આ દૃષ્ટિકોણ અનુસાર, અનેકેશ્વરવાદ પૌરાણિક માન્યતાઓ છે, એકેશ્વરવાદ ધર્મ છે અને ઈશ્વર પ્રત્યે અનાસ્થા એ તર્કસંગતતા છે.
ધર્મનિષ્ઠો માટે પૌરાણિક શાસ્ત્રો જૂઠાણાં છે (આ જમાત અહીં અટકી પડી છે).
રેશનાલિસ્ટો માટે ધર્મ પૌરાણિકશાસ્ત્ર છે,
માટે જૂઠાણું છે (આમ માનનાર
લોકોની જમાત ધીમે ધીમે વધી રહી છે). પરંતુ અનેકેશ્વરવાદ, એકેશ્વરવાદ કે નાસ્તિકવાદ એ બધાં પણ પૌરાણિક માન્યતાઓ છે તેવા
અલગ જ મતની દૃષ્ટિએ જોઈએ તો?
કલ્પના કરી શકવાની ક્ષમતાને
કારણે માનવ વિચારશક્તિ બહુ અનોખી છે. કલ્પના સાહજિકપણે બહુ પ્રવાહી હોય છે. પણ
તેને કારણે બધું ચકડોળે ચડી જઈ શકે છે. આસપાસની દુનિયાનાં માળખાના વારસા વડે માણસ
તેને એક ચોક્કસ માળખામાં બંધબેસતું કરવાનું પસંદ કરે છે. માળખાંનો આ વારસો કહાનીઓ, પ્રતિકો અને
રીતરિવાજોની ભાષા દ્વારા પેઢી દર પેઢી
જણાવાતો રહેતો આવ્યો છે. કોઈ એક જાતિ કે સમુદાયની ઓળખ તેની આગવી કહાનીઓ, પ્રતિકો કે રીતરિવાજો દ્વારા શક્ય બને છે. આ કહાનીઓ, પ્રતિકો અને રીતરિવાજોનો અભ્યાસ એ પૌરાણિકશાત્રવિદ્યા છે.
જે લોકોએ પૌરાણિકશાત્રવિધા
શબ્દપ્રયોગ પ્રયોજ્યો તે લોકો તેને એશિયા,
આફ્રિકા કે અમેરિકાની
ગૈર-પાશ્ચાત્ય જાતિઓની કથાઓ, પ્રતિકો અને રીતરિવાજોના અભ્યાસ માટે
પ્રયોજ્યો હતો. ફ્રેંચ ક્રાંતિને એક આગવી,
જૂની, માન્યતાથી દોરાયેલ ચળવળ તરીકે જોવાની મનાઈ છે. અમેરિકાનાં
મૂડીવાદ અને ઉપભોકતાવાદ માટેનાં વળગણને પણ આવાં જ કોઈ જાતિગત, પુરાણી, માન્યતાઓની નજરે જોવાની છૂટ નથી. પરંતુ, મૂળે તો એ પણ અલગ નથી જ. કહાણીઓ, પ્રતિકો કે રીતરિવાજોને જે
ભાષા એક સમુદાયને આજે એકસાથે બાંધી રાખે છે તે જ ગઈકાલે પણ સમુદાયને એકજૂટ કરી
રાખતી હતી.
રેશનાલિસ્ટ નાસ્તિકવાદીઓની
દલીલોને ધ્યાનથી જોઈશું તો તેમાં ખિસ્તી મિશનરીઓમાં એક સમયે દેખાતો , માણસજાતને સારા માર્ગે વાળવાનો ધર્મપ્રચારનો, જુસ્સો જ જોવા મળશે. મોટા ભાગના સામાજિક કર્મશીલોમાં સત્તા સામે
એ જ બંડની ભાવના દેખાશે જે ગ્રીક નાયકોમાં ઓલિમ્પીઅન દેવોએ સર્જેલ અનેકમાથાળા
દૈત્યની સામે માથું ન ઝુકાવવામાં પણ હતી. જો જોઈ શકશો તો પશ્ચિમ ગ્રીક અને
બાઈબલનાં પુરાણોની વચ્ચે ફસાયેલું દેખાશે. એ જાતિના સંતોષ માટે આપણે તેને
તર્કસંગતતા કહીશું.
§
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૧૧ જુલાઈ, ૨૦૧૮
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો