શુક્રવાર, 6 જુલાઈ, 2018

૧૦૦ શબ્દોની વાત : માઠું કે મીઠું?

તન્મય વોરા


]નીક વૂયૂસિક ઝીદાદીલ ઈન્સાન છે.
જન્મથી જ તેમને હાથ કે પગ ન હતાં! એક હતાશ બાળક તરીકે શરૂઆતનો થોડો સંધર્ષ તેમને આત્મહત્યા સુધી દોરી ગયેલ. પરંતુ,તેમના જેવી જ પંગુતાથી પીડાતા એક વ્યક્તિની લડત વિષેના, તેમની માતાએ વંચાવેલા પ્રેરણાદાયી લેખે, તેમનું જીવન બદલી નાખ્યું.  
એ જ્ઞાને તેમના પર ઊંડી અસર કરી. જીવન તરફનો તેમનો દ્રષ્ટિકોણ જ બદલી ગયો, શારીરીક અક્ષમતા પર પ્રભુત્વ મેળવી,આજે તેઓ કોઇ પણ સામાન્ય વ્યક્તિની જેમ  જીવે છે. આજે તે સફળ સ્વયંસેવી-સંસ્થા ચલાવે છે અને સમગ્ર દુનિયામાં જીવનના પડકારો ઝીલવાનો સંદેશ ફેલાવે છે.
તેમનો સવાલ છે,"જિંદગીના પડકારો તમને માઠા કે મીઠા બનાવી શકે છે.તમે શું પસાંદ કરશો?"
  • અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો