ગુરુવાર, 31 માર્ચ, 2022

૧૦૦ શબ્દોની વાત : દોષદર્શન કરે સૌ, પરંતુ અર્થપૂર્ણ સમાલોચના કરી શકે કોઈક

તન્મય વોરા

એક શિખાઉ ચિત્રકારે તેનું સૌ પ્રથમ પેઈન્ટીંગ  રસ્તા પરના ચાર રસ્તા પર મુક્યું અને રાહદારીઓને તેમાં ભુલો દેખાડવા કહ્યું. દિવસને અંતે આખું ચિત્ર ચોકડીઓથી ભરાઈ ગયું હતું.

બીજે દિવસે તેણે ફરીથી એ જ પેઈન્ટીંગ રસ્તાની એ જ જગ્યાએ મુક્યું. આ વખતે તેણે રંગો અને પીંછીઓ પણ સાથે ક્યાં, અને લોકોને જણાવ્યું કે જે સુધારો સુચવવો હોય તે પેઇન્ટીંગ પર જાતે જ દોરીને બતાવે.  દિવસને અંતે ચિત્ર પર એક લસરકો પણ કોઈએ માર્યો ન હ્તો !

સતત નકારકત્મકાતાને દાદ ન આપવું જેટલું જરૂરી છે એટલું જ મહત્ત્વનું અર્થપૂર્ણ, સકારક સમાલોચનાને ધ્યાન પર લેવું છે, કેમકે તે સુધારણા તરફની દિશા ચીંધે છે.

  • તન્મય વોરાના, QAspire.com પરના લેખ In 100 words : On Criticizing Constructivelyનો અનુવાદ
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો