આ ચોકઠાં સામે હવે સવાલો કરાઈ રહ્યા છે. પણ જે નુકસાન થવાનું હતું તે તો થઈ ચુક્યું છે. રામાયણના લેખકો અદાલતના દાવપેચોમાં અટવાયેલા છે, જ્યાં રામ પર કોઈને કોઈ સમસ્યા હેઠળ સતત કાર્યવાહી કરવામાં આવે છે. બચાવકર્તાઓને 'જમણેરી કટ્ટરપંથી' માનવામાં આવે છે અને ફરિયાદીઓને 'ડાબેરી ઉદારવાદી' તરીકે કલ્પવામાં આવે છે.
પરંતુ, જેમ આપણે મુંબઈની શેરીઓમાં ઘણી વાર સાંભળ્યું છે: નજર બદલી તો નજ઼ારા બદલા - જ્યારે નજર બદલાય છે, ત્યારે દુનિયા બદલાયેલી દેખાય છે. જે લોકો પ્રભુત્વ મેળવવાનું પસંદ કરે છે તેમના માટે જમણેરી-ડાબેરી રમતમાંથી બહાર આવવાનો સમય આવી ગયો છે. પરિણામે એક નવું રામાયણ, અથવા જે મહદ્ અંશે જૂનું, વાલ્મીકિ રામાયણ, ઉભરી આવે છે. રામાયણનું એ સંસ્કરણ સમજાવે છે કે હિન્દુઓ, જૈનો અને બૌદ્ધો તેમજ દક્ષિણ પૂર્વ એશિયાના લોકો, કમોડિયા, થાઇલેન્ડ, બાલી અને બર્મા સુદ્ધાંમાં શા માટે રામની પ્રશંસા કરવામાં આવતી હતી.
અચાનક, તમને કથાના ઘણા સંઘર્ષો સમજાવા લાગેછે: અન્યાયી દુનિયામાં કેવી રીતે શિષ્ટ બનવું? એવા પુરુષને કેવી રીતે પ્રેમ કરવો જે કુટુંબના નિયમોનું પાલન કરશે, ભલે નિયમો અન્યાયી હોય? એવી સ્ત્રીને કેવી રીતે પ્રેમ કરવો જેનું પોતાનું મન હોય? એવા પુરુષનું ગૌરવ ક્યારે પણ કેવી રીતે નકારી શકાય જે કોઈ નિયમો અથવા પસંદગીઓનો આદર કરતો નથી? જ્યારે તમે કોઈને સજા કરો છો ત્યારે આવતા દુઃખને કેવી રીતે સ્વીકારવું? તમારા પોતાના દ્વારા બનાવેલા ન હોય તેવા દુર્ભાગ્યને કેવી રીતે સ્વીકારવું? તેમને ત્યજી દેનારા પિતા પ્રત્યે દ્વેષ ન પેદા થાય એ રીતે બાળકોને પ્રેમથી કેવી રીતે ઉછેરવાં ? જેમનો સ્વીકાર નથી કરાતો તેમની ગરિમા છીનવી લીધા વિના કેવી રીતે જવા દેવા?
હિંદુ ધર્મમાં ન્યાયાધીશનો કોઈ ખ્યાલ નથી. હિન્દુ ધર્મમાં ભગવાન ન્યાયાધીશ નથી. છતાં, આપણે આપણા હિન્દુ 'નેતાઓ'ને હંમેશા ચુકાદો આપતા જોઈએ છીએ. શા માટે? આ દૃષ્ટિકોણનું ચોકઠું ક્યાંથી આવ્યું ? માનવોને નાયક, ખલનાયક અથવા પીડિતોમાં ફેરવવાની આ ઇચ્છા ક્યાંથી પેદા થઈ? ખ્રિસ્તી પૌરાણિક કથાઓમાંથી? ગ્રીક પૌરાણિક કથાઓમાંથી?
વૈકલ્પિક દૃષ્ટિકોણ શોધવાનો સમય આવી ચુક્યો છે.. એવી દુનિયા શોધવાની જરૂર છે જ્યાં કોઈ સારું કે ખરાબ નથી. જ્યાં ફક્ત નિયમો, પસંદગીઓ, પરિણામો છે પણ કોઈ બાયંધરી નથી. તો પછી જવાબદારીભર્યું, દોષ વિનાનું આપણું જીવન આપણે કેવી રીતે જીવી શકીએ? આ રામાયણની દૈવી દુનિયા છે, જ્યાં એક કુમારિકા પસંદગી કરીને એવા રાજકુમારના પ્રેમમાં પડી કે જે નિયમોનું પાલન કરવા માટે બંધાયેલો હતો.
- મિડ-ડે માં ૧૭ જુલાઈ, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, The girl who chose નો અનુવાદ | હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા
·
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ‖ ૩૦ જુલાઈ ૨૦૨૫
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો