નેહા ફુલ્લ[1]
બૃહદારણ્યક ઉપનિષદમાં, ઋષિ યાજ્ઞવલ્ક્ય અને તેમનાં પત્ની, મૈત્રી,ના સંવાદમાં માનવીના
પોતા વિશેના સંબંધ વિશે આ મુજબ કહેવાયું છે
‘પત્ની પોતાના પતિને તે પતિ છે માટે પ્રેમ
કરતી નથી, પણ આત્મા છે માટે તે પતિને ચાહે છે, કારણકે તે આત્માને ચાહે છે. પત્ની છે માટે કોઈ પત્નીને ચાહતું નથી પણ તે
આત્મા છે માટે પત્નીને ચાહે છે. સંતાનોને સંતાનો છે માટે કોઈ ચાહતું નથી, પણ તે માણસ આત્માને ચાહે છે, તેથી તે સંતાનોને ચાહે
છે. દ્રવ્યને તે દ્રવ્ય છે માટે કોઈ ચાહતું નથી, પણ માણસ
આત્માને ચાહે છે માટે ધન તેને પ્રિય છે.
જે મુમુક્ષુને દુન્યવી અપેક્ષાઓ નથી પણ મનથી જે આધ્યાત્મિક
છે તે આ આદર્શને પોતાના મનમાં ઉતારવા માટે આધ્યાત્મિક યાત્રાએ નીકળી પડે છે.
સામાન્ય જિંદગીની ભૂમિકાની તૈયારી
આ ધ્યેયની ખોજમાં નીકળેલા સામાન્ય માનવીના માર્ગમાં આવી આવી સૂક્ષ્મ વિડંબણાઓ આવી પડતી હોય છેઃ
·
જેટલું વધારે વાર
શક્ય હોય તેટલું પીછેહઠ કરવાની તાતી ઈચ્છા અને પોતાની જીવન પ્રત્યેની 'ફરજ'
પ્રત્યે ધ્યાન ન આપવાની ગુનાહિત લાગણી વચ્ચે પીસાતા રહેવું.
·
સંગાં સંબંધીઓ અને
મિત્રો કે પોતાની બુદ્ધિ પર,જીવનભર, આધાર રાખવાનું
હાડોહાડ શીખ્યા પછી ઈશ્વર પર આધાર રાખવાનું શી રીતે શીખવું? ઇશ્વર
પર આધાર રાખવો એ મુમુક્ષુને ખોટું લાગે છે.
·
એકાદ ઝાટકો વાગે ને
ઐક્યના આસપાસનાં પારિસ્થિતિકી તંત્ર સાથે જોડેલા તાણાવાણા તૂટવા લાગે છે.
·
ભૂતકાળ અને તેની
સાથે સંકળાયેલ વ્યર્થતા સમજાવાનું શરૂ થાય તો પણ આ દુનિયામાં ચાલુ રહેવા માટે
તેમને કુદરતનો ખેલ સમજીને સ્વીકારવાની અને દૃઢ કરવાની તેમજ તેમની સાથે સમજપૂર્વક
ભાગ લેવાની ઇચ્છા ચાલુ રહેવી.
·
પ્રેમ અને આસક્તિ
અને તેની સામે ત્યાગની ભાવનાની ચઢતી ભરતી.
·
દુન્યવી નિરાશાઓ
સાથે અને આધ્યાત્મિક માર્ગ સ્પષ્ટપણે ન જોઈ શકવાને સહન કરતા રહેવું.
·
દુનિયાની માગણી
મુજબની ભૌતિક મદદ પૂરી ન પાડી શકવાની સહજ લાચારી.
·
દુનિયાની રીતરસમો
સાથે અનુકૂળ ન થઈ શકવાની અસમર્થતા અને તે અસમર્થતામાં તેને પણ કુદરતનો ખેલ ન સમજી
શકવાની અશક્તિની નિરાશા.
દિવાદાંડીઓ મુમુક્ષુને ઉત્તર આપે છે
મુમુક્ષુના આત્માને નીચોવી
નાખતી આ મથામણ વચ્ચે પણ આપણી દીવાદાંડીઓ બતાવે છે અંધારા પછી અજવાળું તો છે. એ
પ્રકાશ કેમ કરીને જોવો? ગમે તેટલો
થાકી હારી ગયો હોય તો પણ મુમુક્ષુ હાર માનવા તૈયાર નથી ! એ દિવાદાંડીઓના પ્રેમાળ
માર્ગદર્શન હેઠળ જીવનની કલ્પના કરે છે અને આ વિચારબીજો સુધી પહોંચે છે -
સ્વ-પ્રયાસ અને આગળ ધપતા રહેવું
· મુમુક્ષુ સ્વીકારે છે કે તે જે જૂએ છે તે (તેનું ધ્યેય, તેનો આદર્શ) સ્વતંત્રતા
તરફ જતો સર્પાકાર, ઘુમરાતો માર્ગ, ઉનાલોમે[3], છે.
· તે એવાં જોડાણોના ટુકડાઓની શોધમાં લાગી જાય છે જે
તેને પાછા ફરી ન શકાય એ રીતે આદર્શ ભણી દોરી જાય છે કે પેટે ઘસડાઇને ઘસાતી
વિડંબણાઓ એક એક કરીને શાંત પડવા લાગે છે.
· પોતાની શક્તિવિહિન સમજણને બદલે તે પોતાના મનનાં
ઊંડાણમાં રહેલી દિવ્યતા સાથે પોતાની આસપાસનાં વાતાવરણના તાણાવણા બાંધવાનું શીખવા
લાગે છે.
· પોતાના બધા અનુભવોને અંતે તેને સમજાઈ જાય છે કે
પુનરાવર્તનમાં જ સમસ્યાની ચાવી રહેલી છે. પુસ્તકો મંત્રો, ભજનો જેવાં દરેકે દરેક સાધનનાં સતત વાંચન અને રટણ વડે તેણે ઈશ્વરનાં નામને
આત્મસાત કરવાનું છે. પોતાના અનહદ ભોગવિલાસને તેણે ઈશ્વર પ્રત્યેની અથાક ભક્તિમાં
પરિવર્તિત કરવાનું છે.
· દુનિયાના ભારમાંથી તેણે, ફરજ અને સ્વ-પ્રયાસ રૂપે નહીં પણ તેના ફળ રૂપે, મુક્ત થવાનું છે. તો કદાચ, એ
અનાસક્તિના ખજાનાને ખોલી શકશે.
· લાગણીઓને મનમાંથી કાઢી નાખવાને બદલે તે તમામને પોતાના
ધ્યેય તરફ કેન્દ્રિત કરવાનું તે શીખવા લાગે છે. આ સભાન પગલું તેને લાગણીશીલ થવાને
બદલે ભક્તિભાવપૂર્ણ બનાવવા લાગે છે.
·
તે પોતાની નિરાશાઓની સાથે બહુ જ મથીને પ્રયત્નપૂર્વક કામ લેવા માગે છે.
નિરાશાઓને એકઠી કરીને ઈશ્વરને ચરણે ધરી દેવા માગે છે.
·
તે હકીકતોમાં આરામ કરવા માગે છે. જ્યારે ભૌતિક મદદ ન કરી શકાય ત્યારે લાચારી સ્પષ્ટપણે
ન અનુભવાવી જૉઇએ એ રીતે પોતાના વિચારોનું પુનઃગઠન કરવા માગે છે. તે તો એવી માન્યતા
મનમાં ગ્રહણ કરવા માગે છે કે શાંત અને સન્નિષ્ઠ પ્રાર્થનાની ક્ષમતા ક્યારેક તો
સૌથી વધારે ઉચ્ચ મદદ બની શકે છે. તે દૈવી કૃત્ય તો છે જ, પણ સાથે સાથે પોતાનાં મનને વિસ્તારવાની જ નહીં પણ, પોતાની પ્રાર્થનાઓ થકી દૈવત્વમાંનાં અને દૈવત્વમાંથી જ બધાં જોડાણોને પોષીને
બધા જ દુન્યવી સંબંધોને સૂક્ષ્મપણે દૈવ્ય સ્વરૂપ કરવાની સંભાવના ધરાવે છે.
·
એક પગલું પણ ખરેખર પૂરતું છે એ હકીકત તે જીવી લેવા માગે છે.
સ્વામી સ્મરણાનંદ લખે છે
કેઃ
કાર્ડિનલ જોહ્ન હેન્રી ન્યુમૅનનાં સૉનેટ[4]ની
કેટલીક પંક્તિઓ મને યાદ આવે છે, જેમાં
તેઓ કહે છે કે 'મારે દૂર સુધી જોવાનું નથી
માગવું, મારા માટે એક જ પગલું પૂરતું
છે.' હું જ્યારે નાનો હતો
ત્યારે મને આ વાક્યનો અર્થ નહોતો સમજાયો. પણ મારી યાદદાસ્તમાં એ શબ્દો કોતરાઈ ગયા
હતા. ઘણાં વર્ષો પછી ચર્ચમાં જોડાયા પછી એક દિવસ ભારતમાં પહાડ ચડતો હતો અને અચાનક
ગાઢ ધુમ્મસમાં બધું જ
ઢંકાઈ ગયું. એવામાં જો પગલું ચુકાયું તો હજારો ફૂટ નીચે ગબડી પડાય તેમ હતું. જોકે
મને એક પગલું આગળ અને એક પગલું પાછળ એટલું દેખાતું હતું. તે સાથે જ મને 'મારા માટે એક જ પગલું પૂરતું છે' યાદ આવી
ગયું. મને આગળ વધવાનું બળ મળી ગયું. દૂર સુધી નહીં દેખાય તો વાંધો નહિ, એક એક પગલાં જેટલું દેખાશે તો પણ આગળ વધતાં જ જવાશે. આધ્યાત્મિક જીવનમાં પણ
દૂર સુધી ન દેખાય તેનો વાંધો નથી, તે શક્ય
પણ નથી. પરંતુ એક એક પગલું ભરતાં ભરતાં આપણે આપણા માર્ગ પર આગળ વધતા રહેવાનું છે.
સામાન્ય જીવનનાં
દૈવ્યીકરણનું વિચારબીજ ખીલે છે
· કર્મના હાથમાં લાચારી અનુભવવાથી લઈને કર્મને સ્વીકારવામાં અને દૈવી તાકાત
કર્મની જગ્યા લઈ છે એમ સમજવામાં
· બધામાં દૈવત્વ જોવાની બૌદ્ધિક શ્રદ્ધા અને ભાવનાત્મક સંતોષ વિકસાવવામાં
· સામાન્ય જીવન અવરોધ નહીં પણ ભક્તિ માટે ફળદ્રુપ શક્યતાઓ ધરાવે છે તેમ સમજવામાં
· ખરાં વ્યસનો અને ભોગવિલાસને નવી નજરથી સમજવા માટે આંતરિક દૃષ્ટિનાં દૈવત્વને
કેળવવામાં
મુમુક્ષુના મનમાં સવાલ છે
મુમુક્ષુના મનમાં મોટામાં
મોટો મોટો પ્રશ્ન છે કે મંદિરની બહાર પગ મુક્યા પછી દુનિયા નજરે પડવા લાગે ત્યારે
એ જ લગન અને એ જ ભક્તિભાવ કેમ કરીને ટકાવી રાખવાં? બંધ આંખે જે ઈશ્વરને જૂએ છે તેને ખુલ્લી આંખે શી રીતે જોવા?
પ્રશ્નનો ઉત્તર પ્રશ્નમાં
જ છે. ખુલ્લી આંખે પણ ઈશ્વરને એ જ ઉત્કટતા અને ભક્તિભાવથી જોવાની મહાપ્રાણોચ્ચાર
આકાંક્ષા જગવવી પડે. અદમ્ય
મહાત્વાકાંક્ષા વિના દર્શન કેમ કરીને શક્ય બને? ઈશ્વરને મંદિરમાં જ મુકીને બહાર આવતા રહીએ તો ઈશ્વર તો મંદિરમાં જ કેદ રહી
જાય! દૈવત્વનું આ જ અધ્રુરૂં અર્થઘટન છે - ઇશ્વર તો નાનામાં નાના કણમાં પણ વસે છે
- એ તો ઇરાદાથી વાસ્તવિકતા એમ બધે જ છે. દુનિયાની લાખો કરોડો વસ્તુઓમાં ઇશ્વરને
જોતાં શીખવાનું છે. મનની બધી એષણાઓને ઇશ્વર ભણી કેન્દ્રિત કરવાની છેં.
મુશ્કેલ પણ ઉપાયોન્મુખ પ્રક્રિયા
જેવું જોઈએ એવું મળે. એટલે
દિવ્ય ઘડીઓના પ્રાદુર્ભાવની રાહ જોવાને બદલે આપણી આસપાસ બનતી દરેક ક્ષણમાં જોવાના
દૃષ્ટિકોણને કેળવવાની જરૂર છે. આ ખોજમાં ઈશ્વર ક્યાં છે તેનું બૌદ્ધિક વિશ્લેષણ
દાખલ ન થવા દેવું. બુદ્ધિને દાખલ કરવાથી ઉકેલની શોધ વર્તુળમાં ઘુમરાયા કરશે અને
અંતમાં તેની ટુંકી સમજ એવો જ ક્ષુલ્લક ઉપાય લાવી મુકશે. સીધી, સરળ અને વ્યવહારુ પ્રક્રિયા તો પરમેશ્વરને પુછવાની છેઃ હે ઇશ્વર, હું આ જે પીડામાંથી પસાર થાઉં છું એમાં તમે ક્યાં છો? સવાલમાં જેટલો સરળ શ્રધ્ધાનો ભાવ એટલી
ઈશ્વરને શોધની આકાંક્ષાની પ્રબળતા. ઈશ્વરને યોગ્ય લાગશે ત્યારે જ તે પ્રગટ થશે -
એકાંતમાં આંખો બંધ કરીને ધ્યાન નહી ધર્યું હોય અને કુદરતના ખેલની ધમધમાટ
પ્રવૃતિઓની વચ્ચે આંખો ખુલ્લી હશે તો પણ.
આવી મહત્વાકાંક્ષાની
વ્યાખ્યા કેમ કરવી? સંજીવની
પુરતી આકાંક્ષા એટલે ફળની અપેક્ષા વિના ઈશ્વરમાં શ્રધ્ધા - બીજા બધા પ્રયાસોમાંથી
વૈરાગ્ય. આવું તાદૃશ્ય ચિંતન અંતરમાં વસેલ દિવ્યનાં સદાય અસ્તિત્વ માટે જગ્યા
બનાવે છે, તેની પહોચને વિસ્તારે છે, બધામાં દિવ્યતા જોઈ શકવાની દૃષ્ટિને વિસ્તારે છે અને પ્રબળ બનાવે છે. જેટલો
વધારે વિરોધ કરવામાં આવે એટલું દુન્યવી બળનો વિરોધ પ્રબળ થશે. જેટલો વિરોધ ઓછો, એટલી વધારે અંતરમાં સદાય વસેલાં અસ્તિત્વની પ્રબળતા. સ્વામી વિવેકાનંદ તો કહે
જ છે કે, 'પહેલાં આધીન થતાં શીખો, પ્રભુત્વ આપોઆપ આવશે.'
મુમુક્ષુએ ચંડિપાઠની
પંક્તિઓ, या देवी सर्वभुतेषु:, યાદ કરીને ઉત્કટ ઇચ્છા કરવી જોઈએઃ
સર્વ જીવોમાં માતાના
રૂપમાં બિરાજમાન, સર્વ જીવોમાં ચેતનારૂપ, તેજ, દિવ્ય પ્રકાશ, ઊર્જાના રૂપમાં તમામ જીવોમાં વિરાજમાન, જાતિ-જન્મ, સર્વ વસ્તુનું મૂળ, સર્વ
જીવોનાં મૂળ કારણ, દયા રૂપે, શાંતિ રૂપે, સહનશીલતા અને ક્ષમા રૂપે, બુદ્ધિ અને જ્ઞાન રૂપે, શ્રદ્ધા, આદર અને સન્માન રૂપે, ભક્તિ, વફાદારી અને સ્નેહ સ્વરૂપે, લક્ષ્મી, વૈભવ, ઈચ્છા, ભૂખ સ્વરૂપે સર્વ જીવોમાં વિરાજમાન એવાં દેવીમા, મને દર્શન આપો.
મુમુક્ષુનું મનોમંથન જેમ જેમ વધતું જાય છે તેમ તેમ તેની
આકાંક્ષા પણ વદહ્તી જાય ચઃએ. તો પણ તેતેની સામે રહેલા અસ્તિત્વના પહાડ પર ડગલાં
ભરતો આગળ વધ્તો જ રહે છે. તેન અએક હાથમાં સત્યનાં રટણનો દંડ છે તો બીજા હાથમાં
પોતાની નિષ્ઠાના ભાવનો દંડ છે. દરેક ડગલે તે પોતાને તેને આધીન થતો જાય છે. તેને
શ્રદ્ધા છે કે આ ચડાવની યાત્રામાં ક્યાંક તો ઇશ્વર પ્રગટ થશે. ઈશ્વર જ્યારે પ્રગટ
થશે ત્યારે જ્ઞાનના પ્રકાશનો પુંજ રેલાશે તેમાં તેને દેખાતું સમગ્ર વિશ્વ ઈશ્વરમય
થઈ જશે.
સ્વામી વિવેકાનંદ -
પરિત્યાગનો પ્રભાવ અને ઈશ્વર પર શ્રદ્ધા
તે ખોવાઈ ગયો હતો. ક્યાં જવું તે સૂઝતું નહોતું. એવામાં
તેને રેલ્વે યાર્ડમાં એક પેટી દેખાણી. તે એટલો થાકી ચૂક્યો હતો કે એ પેટીનું ત્યાં
હોવું એ ઈશ્વરી સંકેત જણાયો અને તે ત્યાં ઊંધી ગયો. બે દિવસ પછી તે અમેરિકાની
(ધર્મ) સંસદને હચમચાવી નાખવાનો હતો એ પણ નિયતિ હતી અને આ પણ નિયતિ હતી કે અત્યારે
તે એકલો અટૂલો, અજાણ્યો અને ઉપેક્ષિત હતો. કદાચ, વધારે
સાચું એ હતું કે પોતાની ભૂમિનો એ એવો સંન્યાસી હતો જેને જ્યાં સાંજ ઢળે ત્યાં જ
સુઈ જવાનું હતું.
આપણને શબ્દશઃ કદાચ આવો અનુભવ ન પણ થાય, પણ
તેનું હાર્દ આપણા જીવનમાં જરૂર ઉતારવું જોઈએ. આપણાથી શક્ય હતું તે બધું જ કરી ચૂક્યા
પછી પણ પરિસ્થિતિ વિપરીત જ રહે ત્યારે બધી ચિંતાઓ છોડીને, સવારના
પ્રકાશમાં આપણને ઉપાય દેખાશે એવી ઈશ્વર પર શ્રદ્ધા રાખીને 'સંજોગોની
પેટી'માં નિદ્રાવશ થઈ જવું જોઈએ.
શ્રી રામકૃષ્ણ પરમહંસ -
પ્રેમ અને દિવ્યતાનું દેહસ્વરૂપ
'હે ઈશ્વર! બધું જ તારૂં છે - તન, મન, ઘર, પરિવાર, વિશ્વ અને બધાં સજીવો, બધાં તારાં જ છે. મારૂં તો
કંઈ જ નથી.'
દરેકમાં ઈશ્વરનો વાસ જોવાની સમજણ પડવાની અને તેને જીવનમાં
ઉતારવાની કોશિશ કરતાં રહીએ ત્યાં સુધી તો આ મહાન યુગદૃષ્ટા માર્ગદર્શકે આટલા સરળ, અને
સચૉટ, શબ્દોમાં સમજાવી દીધું છે કે બધે જ ઈશ્વરનો વાસ છે.
એમનાં જીવનનાં અનુભવોના ઊંડાણમાંથી દરેક બોલને આપણા જીવનમાં ઉતારવો એ પણ આપણા માટે
એટલી જ પવિત્ર પ્રવૃતિ છે.
મા શારદામણિ દેવી - બધાંને
પોતાનાં સંતાન ગણવાં એવો માતૃત્વભાવ
દુનિયાને પોતાની બનાવતાં શીખીએ. કોઈ જ અજાણ્યું નથી, સમગ્ર
વિશ્વ આપણું છે.
મા શારદાદેવીના દેહવિલય પહેલાંના છેલ્લા શબ્દો પૈકી આ શબ્દો
છે. એમાં એમનાં આખાં જીવનનો અર્ક સમાઇ ગયો છે. તેમની વિનમ્ર સાદગી અને મનનીય, તલસ્પર્શી
પ્રવૃત્તિઓ દ્વારા તેમના સંપર્કમાં જે કોઈ આવ્યું એમને તેઓએ માતાનો પ્રેમ આપ્યો.
તેમના માતૃત્વના ભાવને શબ્દમાં કદાચ વ્યક્ત ન કરી શકીએ, પણ
કોઈ જ અજાણ્યું નથી એવો ભાવ તો આપણા મનમાં દૃઢ કરતાં રહી જ શકીએ.
ઉપનિષદના શબ્દોનું
માર્ગદર્શન
ઈશોપનિષદના પહેલા જ મંત્રમાં શું કરવું જોઈએ તે સીધું જ
કહેવાયું છે -
ईशा वास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत्।
तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्धनम् ॥
ચરાચર જગતમાં જે કંઈ છે આ, ઈશ્વર તેમાં વ્યાપ્ત
છે;
ત્યાગભાવથી ભોગવ તેને, આસક્ત તેમાં ન થજે.
દિવ્ય જીવનઃ મધુર વિદાય
એક બાજુ જીવનને સામાન્ય તરીકે જોવાની અને બીજી બાજુ
સંન્યાસીનાં જીવનને જોવાની, અસરમાં સહેલાઈથી આવી જનારાં મનને
માર્ગદર્શનની, તાલિમની જરૂર છે જેથી તેને સામાન્ય અને
સંન્યાસી જીવનને એકબીજાં ભેળવી દેવા તર્ફ દિશાનિર્દેશ કરવાની જરૂર છે. બન્ને
પ્રકારનાં જીવનમાં દિવ્યતાને પ્રાપ્ત કરવા માટે પરિત્યાગ આવશય ક છે, અને તે દરેકનો દૈવી હક્ક છે.દસમા શિખ ગુરુ, ગુરુ
ગોબિન્દ સિંગ, દ્વારા રચાયેલ દસમ ગ્રંથમાં પરિત્યાગના આ દૈવી
હક્કને બહુ જ સરળતાથી સમજાવાયો છે.
रे मन ! ऐसो करि संनिआसा।[5]
बन से सदन सबै करि समझहु, मन ही माहिं उदास॥
जत की जटा जोग को मंजनु, नेम के नखन बढ़ाओ।
ग्यान गुरू, आतम उपदेसहु, नाम-बिभूति लगाओ॥
अल्प अहार सुल्प सी निद्रा, दया छिमा तन प्रीत।
सील सँतोख सदा निरबाहिबो, ह्वैबो त्रिगुन अतीत॥
काम क्रोध हंकार लोभ हठ, मोह न मन सौं ल्यावै।
- પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી ૨૦૨૫ના (Divinising Human Relationships) શીર્ષસ્થ વિશેષાંક માં Neha Phull ના મૂળ અંગ્રેજી લેખ The Self vs. the self: The Churning of an Ordinary life નો સંકલિત અનુવાદ
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
[1]
નેહા ફુલ્લ બેંગ્લુરુ સ્થિત પ્રમાણિત નેતૃત્વ પ્રશિક્ષક છે.
[2] BHAG, "બિગ હેરી ઓડેસિયસ ગોલ" - આ શબ્દ મૂળ રીતે જીમ કોલિન્સ અને જેરી પોરાસ દ્વારા લખાયેલા
"બિલ્ટ ટુ લાસ્ટ: સક્સેસફુલ હેબિટ્સ ઓફ વિઝનરી કંપનીઝ" પુસ્તકમાં
ઉપયોગમાં લેવાયો હતો.
Lead, Kindly Light, amid the encircling gloom,
Lead Thou me on!
The night is dark, and I am far from home —
Lead Thou me on!
Keep Thou my feet; I do not ask to see
The distant scene, — one step enough for me.
I was not ever thus, nor pray’d that Thou
Should’st lead me on.
I loved to choose and see my path; but now
Lead Thou me on!
I loved the garish day, and, spite of fears,
Pride ruled my will: remember not past years.
So long Thy power hath blest me, sure it still
Will lead me on,
O’er moor and fen, o’er crag and torrent, till
The night is gone;
And with the morn those angel faces smile
Which I have loved long since, and lost awhile.
https://www.cardinaljohnhenrynewman.com/?post_type=post&p=4053
પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી ૨૦૨૫ના કુટુંબ, કાર્યસ્થળ, સમાજ અને સીમાઓમાં વણાયેલા માનવ સંબંધોનું દિવ્યકરણ (Divinising Human Relationships) શીર્ષસ્થ વિશેષાંકના મૂળ અંગ્રેજીમાં લખાયેલા કેટલાક લેખોના સંકલિત અનુવાદ, અહીં દર્શાવાયેલ હાયપર લિંક પર ક્લિક કરવાથી, એક જ જગ્યાએ વાંચી શકાય છે / ડાઉનલોડ કરી શકાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો