જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IVના આંશિક અનુવાદ, મારી દૃષ્ટિએ (૧૯૪૪ - ૪૫) : ભાગ ૪ - જ્યોર્જ ઑર્વેલ [૧] થી આગળ
ટ્રિબ્યુન
૧૧ નવેમ્બર, ૧૯૪૬
લોકોને પૂરતી સ્પષ્ટતા સાથે કહેવામાં આવતું નથી કે શું,શા માટે, થઈ રહ્યું છે અને નજીકના ભવિષ્યમાં શું થવાની અપેક્ષા છે. પરિણામે, દરેક મોટી કે નાની આફત જનતાને આશ્ચર્યચકિત કરે છે, અને સરકાર એવું એવું કરવા માટે અપ્રિય થવાનો ભોગ બને છે જે કોઈપણ સરકારે, ગમે તે રંગની હોય, એવી સમાન પરિસ્થિતિઓમાં એ મુજબ જ કરવું પડ્યું હોત.
તાજેતરમાં સમાચારમાં ઘણો જોવા મળતો, આ દેશમાં વિદેશી મજૂરોનું સ્થળાંતર, જેવો એક પ્રશ્ન જ લઈએ જે ક્યારેય યોગ્ય રીતે બહાર પાડવામાં આવ્યો નથી. તાજેતરમાં આપણે TUC (ટ્રેડ્સ યુનિયન કોંગ્રેસ) કોન્ફરન્સમાં પોલ્સને ખાણોમાં અને જમીન પર જ્યાં મજૂરની સૌથી વધુ જરૂર છે એવાં બે સ્થળોએ કામ કરવાની મંજૂરી આપવા સામે ભારે હોબાળો જોયો.
આ વાતને સામ્યવાદી તરફ સહાનુભૂતિધારકો દ્વારા 'ઉપજાવેલી' વાત ગણીને હું એવું કહીને ઉડાડી નહીં દઉં અને બીજી બાજુ એવું કહીને તેને ન્યાયી ઠેરવવાનું કામ નહીં કરૂં કે પોલિશ શરણાર્થીઓ બધા એવા ફાસીવાદી છે જેઓ એક આંખનું ચશ્મું પહેરીને અને બ્રીફ-કેસ લઈને 'ફરતા' રહે છે. પ્રશ્ન એ છે કે, જો પ્રશ્ન કથિત ફાસીવાદીઓનો નહીં પણ ફાસીવાદના સ્વીકૃત પીડિતોનો હોત તો શું બ્રિટિશ ટ્રેડ યુનિયનોનું વલણ વધુ મૈત્રીપૂર્ણ હોત?
ઉદાહરણ તરીકે, લાખો બેઘર યહૂદીઓ હવે પેલેસ્ટાઇન જવા માટે ખૂબ જ પ્રયાસ કરી રહ્યા છે. તેમાં કોઈ શંકા નથી કે તેમાંથી ઘણા આખરે સફળ થશે, પરંતુ ઘણા નિષ્ફળ પણ જશે. આ દેશમાં સ્થાયી થવાનો ઇનકાર કરનારા ૧૦૦,૦૦૦ યહૂદીઓને આમંત્રણ આપીએ? અથવા લગભગ દસ લાખ જેટલા વિસ્થાપિત લોકોનું શું, જેઓ જર્મનીના કેમ્પોમાં પથરાયેલા છે, જેમનું કોઈ ભવિષ્ય નથી અને જવા માટે કોઈ સ્થાન નથી, જેમને અમેરિકા અને બ્રિટિશ સંસ્થાનોએ પહેલાથી જ નોંધપાત્ર સંખ્યામાં તેમને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે? તેમને બ્રિટિશ નાગરિકત્વ આપીને તેમની સમસ્યાનો ઉકેલ કેમ ન લાવવો?
કલ્પના કરવી સરળ છે કે સરેરાશ તળ બ્રિટિશ પ્રજાજનનો જવાબ શું હશે. યુદ્ધ પહેલાં પણ, નાઝીઓના જુલમ પૂરજોશમાં ચાલી રહ્યા હતા, ત્યારે મોટી સંખ્યામાં યહૂદી શરણાર્થીઓને આ દેશમાં પ્રવેશ આપવાના વિચારને કોઈ લોકપ્રિય સમર્થન નહોતું: ન તો ફ્રાન્કોના જુલ્મ ભાગી ગયેલા લાખો સ્પેનિયાર્ડ્સને ફ્રાન્સમાં કાંટાળા તાર પાછળ કેદ કરવા માટે કોઈ ગળે ઉતરે એવું કારણ આપવાનું પગલું ભરવામાં આવ્યું હતું.
એમ તો, ૧૯૪૦ માં પીડિત જર્મન શરણાર્થીઓને નજરકેદ કરવા સામે ખૂબ જ ઓછો વિરોધ થયો હતો. તે સમયે મેં મોટે ભાગે જે ટિપ્પણીઓ સાંભળી હતી તે તો આ પ્રકારની હતીઃ 'તેઓ અહીં શા માટે આવવા માંગતા હતા?' કે 'તેઓ ફક્ત અમારી નોકરીઓની પાછળ પડી ગયા છે'.
હકીકત એ છે કે આ દેશમાં વિદેશી દેશાંતર વસવાટ સામે મજબૂત લોકલાગણી છે. તે અંશતઃ બધુ સીધા પરદેશીઓ સામેના અણગમા, કે અંશતઃ વેતનમાં ઘટાડો થવાના ડરથી, પરંતુ સૌથી વધારે તો, બ્રિટનમાં વસ્તી જાય, અને વધુ વસ્તી એટલે વધુ બેરોજગારી, એવી જૂની માન્યતામાંથી ઉદ્ભવે છે.
વાસ્તવમાં, ઉપલબ્ધ નોકરીઓ કરતાં કામદારો વધુ હોવા છતાં, આપણી પાસે ખરા અર્થમાં શ્રમિકોની અછત છે, જે ફરજિયાત ભરતી ન થવાનું ચાલુ રહેવાથી વધુ તીવ્ર બનશે, અને વસ્તીમાં વૃદ્ધત્વનાં વધતાં જતાં પ્રમાણને કારણે સુધરવાને બદલે વધુ ખરાબ થશે.
દરમિયાન, આપણો જન્મદર હજુ પણ ભયજનક રીતે ઓછો છે, અને લગ્નયોગ્ય વયની લાખો સ્ત્રીઓને પતિ મળવાની કોઈ શક્યતા નથી. પરંતુ આ હકીકતો કેટલી વ્યાપક રીતે જાણીતી છે કે સમજી શકાય છે?
છેવટે, શંકાસ્પદ મુદ્દો એ રહે છે કે શું આપણે યુરોપથી સ્થળાંતરને પ્રોત્સાહન આપ્યા વિના આપણી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકીશું. કામચલાઉ રીતે સરકારે આમ કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તે પ્રયાસને ફક્ત અજ્ઞાન દુશ્મનાવટનો સામનો એટલે કરવો પડ્યો છે, કે જનતાને સંબંધિત હકીકતો અગાઉથી કહેવામાં આવી નથી. તેવી જ રીતે આવી અસંખ્ય અન્ય અપ્રિય બાબતો સાથે પણ સમયે સમયે કામ લેવું પડશે.
પરંતુ સૌથી જરૂરી પગલું કોઈ ચોક્કસ કટોકટી માટે જાહેર અભિપ્રાય તૈયાર કરવો તે નહીં, પરંતુ રાજકીય સમજણનું સામાન્ય સ્તર સુધારવું: સૌથી વધારે તો જે ક્યારેય યોગ્ય રીતે સમજી શકાઈ નથી એ હકીકતને સમજવાની જરૂર છે કે બ્રિટિશ સમૃદ્ધિ મોટાભાગે બ્રિટનની બહારના પરિબળો પર આધારિત છે.
લેબર સરકાર માટે પ્રચાર અને સમજાવટનો આ માર્ગ સરળ નથી, કારણ કે તેને એક એવાં અખબાત જગતનો સામનો કરવો પડે છે જે મોટે ભાગે પ્રતિકૂળ હોય છે. તેમ છતાં, જનતા સાથે વાતચીત કરવાના અન્ય રસ્તાઓ પણ છે, અને મહેરબાન એટલી અને તેમના સાથીદારો રેડિયો પર વધુ ધ્યાન આપી શકે છે રેડિયો એક એવું માધ્યમ છે જેને આ દેશમાં બહુ ઓછા રાજકારણીઓએ ગંભીરતાથી લીધું છે.
એક પ્રશ્ન છે જે પહેલી નજરે તુચ્છ અને ઘૃણાસ્પદ લાગે છે પણ જેનો જવાબ મને મળતો જોવા મળશે. તે સવાલ છે - છેલ્લા કેટલાક વર્ષોમાં સમગ્ર યુરોપમાં અસંખ્ય યુદ્ધ ગુનેગારોની થયેલી ફાંસીઓમાં, કઈ પદ્ધતિ અપનાવવામાં આવી છે - ગળે ફાંસો દેવાની જૂની પદ્ધતિ, કે પીડિતની ગરદન એક પળમાં તોડી નાખવાની આધુનિક, પ્રમાણમાં માનવીય પદ્ધતિ માનવામાં આવે છે એ?
સો વર્ષ કે તેથી વધુ સમય પહેલાં, લોકોને ફક્ત ઉપર લટકાવીને અને લાતો મારીને અને મૃત્યુ પામે ત્યાં સુધી સંઘર્ષ કરવા દઈને ફાંસી આપવામાં આવતી હતી, જેમાં લગભગ એક કલાકનો સમય લાગતો. તે પછી લટકાવી દેવાની પદ્ધતિ અપનાવાઈ જે સૈદ્ધાંતિક રીતે તાત્કાલિક મૃત્યુ લાવી દેતી. જોકે દરેક કિસ્સામાં આ રીતે હંમેશા ખૂબ સારી રીતે કામ કરતી હોય એવું નથી પણ બનતું.
તાજેતરના વર્ષોમાં, ગળે ફાંસો દેવાનું વલણ વધારે જોવા મળે છે. ખાર્કોવ ખાતે જર્મન યુદ્ધ ગુનેગારોને ફાંસી આપવાની ન્યૂઝ ફિલ્મ મેં જોઈ નથી, પરંતુ બ્રિટિશ પ્રેસમાંના વર્ણનો બતાવે છે કે તેમાં જૂની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાલ્કન દેશોમાં વિવિધ ફાંસી આપવાની પણ આ જ પદ્ધતિ અપનાવાઈ હતી.
ન્યુરેમબર્ગ ખટલામાં ફાંસીની સજા વિશે અખબારોમાં અસ્પષ્ટ અહેવાલો હતા. લટકાવી વિશે ચર્ચા થઈ હતી, પરંતુ દોષિતોને મૃત્યુ પામવામાં દસ કે વીસ મિનિટ લાગતી હોવાની પણ ચર્ચા થઈ હતી. કદાચ, સામાન્ય રીતે એંગ્લો-સેક્સન વિચારસરણી મુજબનાં સમાધાન રૂપે, લટકાવી દેવાની રીતનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ તેને અસરકારક બનવા માટે મૃત્યુ તરત આવે તે રીત અખત્યાર કરવી એમ નક્કી થયું.
આ દેશમાં ફાંસી હજુ પણ મૃત્યુદંડનું સ્વીકૃત સ્વરૂપ હોવું જોઈએ તે સારું લક્ષણ નથી. ફાંસી એ કોઈને પણ મારવાની એક ક્રૂર, બિનકાર્યક્ષમ રીત છે, અને તેના વિશે ઓછામાં ઓછી એક - મારા મતે, ખૂબ જ જાણીતી છે - હકીકત છે તે એટલી અશ્લીલ છે કે લગભગ છાપી શકાય તેમ નથી.
છતાં, હમણા સુધી આપણે આ વિષય પર થોડી અસ્વસ્થતા અનુભવતા હતા, અને ખાનગીમાં ફાંસી આપતા હતા. ખરેખર, યુદ્ધ પહેલા, લગભગ દરેક સભ્ય દેશમાં જાહેરમાં ફાંસી આપવી એ ભૂતકાળની વાત હતી. હવે તે, કમસે કમ રાજકીય ગુનાઓ માટે, પાછું આવી રહ્યું હોય તેવું લાગે છે. જોકે આપણે પોતે તેને હજુ સુધી ફરીથી અમલમાં નથી મુક્યું, અમે સમાચાર ફિલ્મો જોઈને પરોક્ષ રીતે ભાગ લઇએ છીએ.
પાછળ ફરીને વિચારવું વિચિત્ર છે કે માત્ર એક ડઝન વર્ષ પહેલાં મૃત્યુદંડ નાબૂદ કરવો એ એવી બાબતોમાંની એક હતી જેની, છૂટાછેડા સુધારાઓ કે ભારતને સ્વતંત્રતા જેવા વિષયોની જેમ, દરેક પ્રબુદ્ધ વ્યક્તિએ હિમાયત કરતી હતી. હવે, બીજી બાજુ, ફાંસીને મંજૂરી આપવી એ માત્ર જ્ઞાન લાધવાની નિશાની નથી, પરંતુ ફાંસીઓ ખાસ અપાતી જ નથી એટલે તે અંગે હોબાળો મચાવવો એ જ્ઞાન લાધવાની નિશાની બની ગયેલ છે.
તેથી મને એ જાણવું થોડું મહત્વનું લાગે છે કે શું ગળે ફાંસો દઈને દેવાતી દેહાંત દંડની પ્રથા હવે ફરીથી સર્વસામાન્ય બની રહી છે? જો લોકોને ફક્ત મૃત્યુ પર જ નહીં પરંતુ ત્રાસના એક વિચિત્ર ભયાનક સ્વરૂપ પર ગર્વ કરવાનું શીખવવામાં આવી રહ્યું હોય, તો તે ૧૯૩૩ થી આપણે જે પતન તરફ જઈ રહ્યા છીએ તેના પર બીજો વળાંક દર્શાવે છે.
+ + + +
જ્યોર્જ ઓર્વેલના
બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45)
: Part
IVનો આંશિક અનુવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો