ઉત્પલ વૈષ્ણવ
"આપણા વિચારોને દબાવી દેવાની ટેવ ન પાડીએ.તેને બદલે, વિચારો ને આપણા સુધી પહોંચવા દઇએ અને આપણે એક પ્રકારે નિરીક્ષક બની જઇએ. આપણા પોતાના જ મનને નિરખવાથી શરૂઆત કરીએ. છટકવાનું ન કરશો; તમારા વિચારોથી ડરશો નહીં."- સ્વામી રામ
સાચાં કે ખોટાંથી પર થાઇએ. આજની ઘડી માણીએ. બસ, શ્વાસ લેતાં રહીએ.
આપણી જાતને ખુશખુશાલ રાખવી એ સતત પ્રક્રિયા છે.
આપણા વિચારોને સાક્ષીભાવે જોઇએ.તેનાથી ભાગી ન છૂટીએ. ડર પણ ન રાખીએ.નક્કી આપણે જ કરવાનું રહે છે કે આપણે આપની જીંદગી ડરથી વિતાવવી છે કે સંભાવનાઓથી?
મેં તો સંભાવનાઓ પર પસંદ ઉતારી છે, અને કદી પસ્તાવાનો વારો નથી આવ્યો. તમને પણ આમંત્રણ છે.
- મૂળ કૃતિ સંદર્ભઃ In 100 Words: How to Transform Yourself into a Happier Being?
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો