શુક્રવાર, 10 જુલાઈ, 2020

૧૦૦ શબ્દોની વાત : લડવૈયાનો પ્રકાશપુંજ

ઉત્પલ વૈષ્ણવ

પ્રકાશપુંજની તાજગી પ્રસારવા માગતા યોદ્ધામાં હિંમત અને ચપળતા એક સાથે હોવાં જોઈએ.

ત્રુટિયુક્ત વ્યૂહરચનાના બે નિશ્ચિત માર્ગ છે :

૧. વિના વિચારે કુદી પડવું

૨. બહુ વિચારે ચડી અમલ ઢીલમાં મુકવો

ત્રુટિનાં છટકાંમાં ન ફસાવા માટે યોદ્ધો દરેક પરિસ્થિતિ આગવી જ છે તેમ માનીને ચાલે છે. કોઈ મદદગાર માર્ગદર્શક નીતિનિયમ નથી કે ન હોવાં જોઈએ કોઈ લાગણી બંધન તે ચોક્કસપણે જાણે છે   .

તો પછી તે દરેક વખતે સફળ જ કેમ થાય છે?

હેતુ સ્પષ્ટ કર્યા સિવાય મેં કોઈ લડાઈ શરૂ નથી કરી ; લડાઈમાં મારી પુરી તાકાત અજમાવ્યા સિવાય કે નિર્ણાયક સફળતા મેળવ્યા સિવાય મેં કોઈ લડાઈ છોડી નથી.'

  • ઉત્પલ વૈષ્ણવના લેખ In 100 Words: Gladiator of Radianceનો અનુવાદ
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો