જ્યારે જ્યારે ભારી ભરખમ સ્ટારથી લદાયેલી મેગા-બજેટ ફિલ્મ રજૂઆત
પામે છે ત્યારે પાર્ટીઓમાં ફિલ્મ કેટલી બેકાર છે તેને આંખના ઈશારોથી કહેવાનું શરૂ
થઈ જાય; કૉફી શૉપ, ચાની લારીઓ કે પાનના ગલ્લે મિત્રોને દિનબદિન
નીચાં જતાં ધોરણોની ચિંતા કોરી ખાવા લાગે;
બોલીવુડ
પાર્ટીઓના પાસ પર પકડ ધરાવતા મેગા સિતારાઓની ખફગી ન વહોરવી પડે. અને છતાં શક્ય એટલા પ્રમાણિક રહીને, ટીવી અને ફિલ્મ સામયિકોમાંના ફિલ્મ
વિવેચકો, ફિલ્મની સમીક્ષાનું ધોરણ
જાળવી રાખવા મથતા રહે છે. એક સમયના સુપરસ્ટારનું દિલ હવે કેવું પેટ બની ગયું છે કે
તેના ફરીફની છાતીના સિક્સ-પૅક્સમાં સળ વર્તાય છે કે વળી ત્રીજાં તો એ બધું ઉઘાડું કરી દેવાની હોડમાં છે. તેના પરની જોક્સ ને ફેસબુકના વાચકોની
લાઈક્સ મળ્યે જાય છે.…એમાંથી પછી એક દિવસે આખાં
પાનાની જાહેરાત નજરે ચડે કે રજૂઆતની સાથે જ ફિલ્મે ૧૦૦ કરોડનો.. ના ના.. ૨૦૦ કરોડનો, અરે.. ના ના હવે તો ૩૦૦ કરોડનો
વકરો અંકે કરી લીધો છે. ….એટલે ફિલ્મમાં કઈક તો સારૂં
જરૂર હશે એમ આપણે પણ સ્વીકારવાની ફરજ પડે.સાંભાળો છો ને બુદ્ધિવાદીઓ! સાંભળો છો ને
વિવેચકો !! બીએમડબલ્યુનું છેલ્લામાં છેલ્લું મૉડેલ કે પેલી ફૂટડી છોકરીઓનો સંગાથ
કે આખી રાત ચાલતી મહાપાર્ટીમાં આમંત્રણ તમને નહીં મળે ! પરાજિતો સાંભળો છો ને કે
ફરી ફરીને આમ જ થાય છે. તમને ભલે લાગે કે આ કોઈ ભેદી છટકું છે જે કલા-વિરોધીઓને
તેમજ તેમની મશ્કરી કરનારાઓને ફસાવીને ઠાઠથી બેઠું છે.
કળા-સંસ્કૃતિના વિરોધ બાબતે વિકીપીડિયાનું કહેવું છે કે: તત્વજ્ઞાન
અને સૌંદર્યશાસ્ત્રનાં ક્ષેત્રોમાં,
'કળા-વિરોધી'
શબ્દપ્રયોગ એવા પ્રતિબુધ્ધિવાદી સામાજિક અભિગમને વર્ણવે છે જે
કળા, સુંદરતા અને બુદ્ધિનું
અવમૂલ્યન અને તિરસ્કાર કરે છે;
‘કળા-વિરોધીની વર્તણૂક, ટેવો કે ચારિત્ર્ય કે વિચારવાની ઢબ'. કળા-વિરોધી વ્યક્તિ ટુંકી, આપડાહી મનોવૃતિ અને પરંપરાગત નૈતિકતા
ધરાવે છે જેના ભૌતિકવાદી સ્થૂળ વિચારો અને અભિરુચિઓ સાંસ્કૃતિક અને સૌંદર્યલક્ષી
મૂલ્યોનો અભાવ અને બેપરવાઈ બતાવે છે.
'કળા-વિરોધી' શબ્દનો ઉદ્ભવ ૧૭મી સદીનાં જર્મનીમાં
અસંસ્કારી ગામડીયાં લોકો અને યુનિવર્સિટીઓમાં ભણતાં વિદ્યાર્થીઓથી અલગપણે ઓળખવા
માટે થયો હતો. એનું મૂળ બાઈબલનાં જૂના કરારમાં જોઈ શકાય છે જ્યાં ફિલિસ્તીની એવાં
લોકો હતાં જે 'ગ્રંથનાં લોકો / People of the Book'ના વરદાયિત ભૂમિમાં વસવાટના
વિરોધી હતાં. આ એ લોકો હતાં જેના આક્રમણનો સામનો બાઈબલમાંના પ્રખ્યાત નાયક 'સેમસને' કરવો પડ્યો હતો.
પૌરાણિક ભારતમાં,
વર્ણ
વ્યવસ્થાના ચડાઉતર વર્ગીકરણનો ઉપયોગ સંસ્કૃત-વિરોધીપણાની વાત કહેવા માટે થતો હતો.
જે કળાની કદર કરી શકતો તે બ્રાહ્મણ -વર્ણનો કહેવાતો અને જે તેમ ન કરી શકતો તે
શૂદ્ર વર્ણનો કહેવાતો. (અહીં 'બ્રાહ્મણ'નો શબ્દપ્રયોગ જાતિ માટે નથી કરાયો પણ
વ્યાપક સંવેદનશીલતા અને શિષ્ટ અભિરુચિની માનસીક સ્થિતિ માટે કરાયો
છે.)વૈશ્ય-વર્ણને માત્ર વ્યાપારમાં જ કળા દેખાતી જ્યારે ક્ષત્રિય-વર્ણને પ્રસાર
અને યુધ્ધમાં જ કળા દેખાતી. કળાનું દૃષ્ટિબિંદુ લોકોને બ્રાહ્મણ-વર્ણની ઊંચાઈઓ
સુધી લઈ જવાનું હતું. બધાં એ કક્ષાએ ભલે પહોંચી ન શકતાં, પણ લક્ષ્ય તો એ જ રહેતું.
જે લોકો એ કક્ષાએ પહોંચી ન શકતાં એમની મજાક ન ઉડાવાતી કેમકે
દરેક પોતાના ગુણનાં સ્તરથી ઉપર નથી જઈ શકવાનું. તમસ-ગુણી લોકો હંમેશાં
નિષ્ક્રિયતાની સ્થિતિમાં રહે છે, જતું કરવાથી કે કંઈક નવું
કરવાથી ડરતાં રહે છે. રાજસ-ગુણનાં લોકો હંમેશાં નકારાત્મક અને વિદ્રોહી માનસદશામાં
જ રહે છે, દુનિયા વિષેના તેમના
દૃષ્ટિકોણને જે કોઈ પડકારે તેની મજાક અને મશ્કરી કરે છે. સત્વ-ગુણી લોકોમાં પોતાના
સગવડીયા કોઠાની બહાર જોવાની વિવેકબુદ્ધિ અને ખુલ્લા વિચારપણું છે, વિકસવાની, પરિપક્વ બનવાની અને પરિવર્તન પામવાની તૈયારી છે.
લોકોને કળા-સંસ્કૃતિના વિરોધી થવા દેવામાં બહુ હિંમત જોઈએ છે.
ખરેખર તો, જ્યારે કોઈ કળા-સંસ્કઇતિ
વિરોધીનો આપણે વિરોધ કરીએ છીએ ત્યારે તેને એડી ખોડીને ઊભા રહી જવાનું પ્રોત્સાહન
મળે છે. એટલે એમના ભલાં માટે કરીને,
એ જેવા છે
તેવા તેમને રહેવા દઈએ. જો શક્ય હોય તો તેમની ૧૦૦૦ કરોડની ફિલ્મ તરફની સવારીનાં
ડંકાનિશાન બનીએ, એ લોકો ભલેને આપણને 'અતિદયાળુ'માં ખપાવે તો પણ. એમાં તો,
ખરેખર, મજા આવે એવું છે, અને વળી તે ખૂબ જ લોકપ્રિય પણ છે.
§
'ધ મિડ ડે'માં
૨ નવેમ્બર, ૨૦૧૪
ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, The Right to be a Philistine , નો અનુવાદ
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૮ ઓગસ્ટ, ૨૦૧૮
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો