શુક્રવાર, 16 સપ્ટેમ્બર, 2022

૧૦૦ શબ્દોની વાત : તમે પાછળ શું મુકી જાઓ છો

 તન્મય વોરા

તેમના ભાઈની અવસાનનોંધને બદલે ભુલથી પોતાનાં જ મૃત્યુની છપાયેલી એક અવસાનાંજલિ આલ્ફ્રેડ નોબૅલને વાંચવા મળી જેમાં તેમને 'મોતના વેપારી' તરીકે વર્ણવાયા હતા. 'ડાયાનામાઈટ'ની શોધને કારણે અનેક નિર્દોષ લોકોનાં અપમૃત્યો થતાં હોવાથી તેમને એ રીતે વર્ણાવાયા હતા.

નોબેલને આ બાબતે વિચાર  કરતા કરી મુક્યા કે તેમનાં મૃત્યુ પછી તેઓ આ રીતે યાદ રહેવા માગે છે? તેમની યાદની છબિને હંમેશ માટે યાદગાર બનાવી રાખવા માટે પોતાની સંપત્તિનો ૯૪% હિસ્સો  માનવજાત માટે મહાનતમ યોગદાન કરનાર વ્યક્તિઓને પુરસ્કૃત કરવા માટે વસિયત કરી નાખી.

સારી વાત એ છે કે આપણા પછી આપણે કેમ યાદ કરાતા રહેવું ગમશે તે વિચારવા માટે આપણને બધાંને આવી આકસ્મિક સ્મૃતિસુચનાઓની જરૂર નથી.

  • તન્મય વોરાના, QAspire.com પરના લેખ In 100 words : What You Leave Behind નો અનુવાદ
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ


– – – – –

તન્મય વોરાની '૧૦૦ શબ્દોની વાત'ના પ્રકાશિત થયેલા ૫૭ મણકા એક સાથે વાંચવા  માટે '૧૦૦ શબ્દોની વાત /In 100 Words'પર ક્લિક કરો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો