બુધવાર, 24 મે, 2023

તમારે કેટલી આંખો છે? - દેવદત્ત પટ્ટનાઈક

તમારી બાજુમાં જો એક સ્ત્રી હોય, તો તમે ત્રણ આંખવાળા શિવ જેવા છો. તેના વિના, તમે એક આંખવાળા શુક્ર જેવા છો, પછી ભલેને તમે બે આંખોવાળા કામદેવ જેવા કેમ ન દેખાતા હો. એવું માનવામાં આવે છે કે આ પંક્તિઓની રચના રાજ્ય દરબારના પ્રખ્યાત વિદૂષક તેનાલી રમણ, કરી હોવાનું માનવામાં આવે છે. શું આ શબ્દો પ્રશંસાના છે કે એક આંખવાળા યોદ્ધા અથવા દરબારીનું અપમાન છે? આપણે ક્યારેય ખાતરીથી કંઈ પણ કહી નહીં શકીએ !

પુરાણોમાં, સંહારક શિવને ત્રણ આંખો હોવાનું જાણવા મળે છે જ્યારે અસુરોના ગુરુ શુક્રને માત્ર એક આંખ હતી. પૌરાણિક કથાઓની દુનિયામાં, એક આંખવાળું વ્યક્તિ સર્જનાત્મક અને સાહજિક વ્યક્તિ તરીકે ઓળખાય છે, પરંતુ તેમાં તર્કસંગતતાનું સંતુલન નથી હોતું. બે આંખવાળો સંતુલિત હોય છે. ત્રણ આંખવાળી વ્યક્તિ આંતરદૃષ્ટિ ધરાવતી હોવાનું માનવામાં છે, એટલે કે અન્ય જીવોના દિલ અને દિમાગમાં બીજાં લોકો કરતાં કંઈક વધુ જોવા માટે તે સક્ષમ હોય છે. પણ આપણી પાસે કેટલી આંખો છે: એક, બે કે ત્રણ?

વામન ભગવાનને જમીન આપવાના બાલી નામના અસુરના પ્રયાસ રોકવામાં શુક્રની આંખ ગઈ હોવાનું માનવામાં આવે છે. વામન ભગવાને માગેલી જમીન આપવા માટે, બાલીએ વામનની હથેળી પર ઘડામાંથી પાણી રેડવું પડ્યું. શુક્રએ પોતાની જાતને કદમાં ઘટાડી, એ વાસણમાં પ્રવેશ કરીને નાળચામાં ફસાઈને પાણીને વહેતું અટકાવવાનો પ્રયાસ કર્યો. વિષ્ણુના અવતાર એવા વામનને આ વાતનો ખયાલ આવી ગયો એટલે ઘાસની પટ્ટી લઈન એનાળ્ચાંને સાફ કરવા લાગ્યા. એ દર્ભે શુક્રની એક આંખ વીંધી નાખી અને આમ તેની એક આંખ ગઈ.

દેવતાઓના ખજાનચી કુબેરને એક આંખવાળા પણ કહેવામાં આવે છે. તેણે એકવાર શિવની સામે બડાઈ કરી કે પૈસાથી બધું જ ખરીદી શકાય છે. તેથી દેવીએ ગુસ્સે થૈને તેની એક આંખ કાઢી નાખી અને કુબેરની નવી આંખ બેસાડી લેવાનું આહ્વાન કર્યું. કુબેરને આંખ તો મળી નહી. આમ તેને પાઠ શીખવા મળ્યો.પછીથી કુબેરે ખોવાયેલી આંખને બદલે સોનાની બનેલી આંખ નંખાવી. તેથી તેને, સોનેરી અથવા પીળી આંખવાળા, પિંગળાક્ષ કહેવામાં આવે છે. બીજી એક કથામાં એમ કહેવાય છે કે તેણે દાવો કર્યો હતો કે શિવનો તેના પ્રત્યેનો દેવી શક્તિ કરતા વધારે હતો. જેના કારણે દેવીએ ક્રોધમાં તેની આંખ કાઢી નાખી હતી.

જ્યારે શિવ તેની ત્રીજી આંખ ખોલે છે અને તેમની બીજી આંખો બંધ રાખે છે, ત્યારે તેઓ ખતરનાક બનીને કામનો નાશ કરે છે. પરંતુ જ્યારે દેવી તેમની સામે આવે છે, ત્યારે તે એટલા મોહિત થઈ જાય છે કે તે ત્રણેય આંખો ખોલી નાખે છે. કેટલીક કથાઓમાં શિવ દેવીને મન ભરીને જોવા માટે ચાર વધુ માથું ધારણ કરી લે છે જેથી તેઓ દેવીને દસ આંખોથી જોઈ શકે.

વેદોમાં, વરુણને હજાર આંખવાળા દેવ તરીકે વર્ણવવામાં આવ્યા છે જે માણસના કાર્યો પર નજર રાખે છે અને તેમના વચનનો ભંગ કરનારની નિંદા કરે છે. પુરાણોમાં ઈન્દ્ર સો આંખવાળા છે. વાર્તા કહે છે કે જ્યારે તે અહલ્યા સાથે પથારીમાં પડેલો હતો, ત્યારે ઋષિ ગૌતમે તેને શ્રાપ આપ્યો હતો કે તેનું શરીર વલ્વાથી ઢંકાયેલું રહેશે: જેનો અર્થ છે કે તે આ છિદ્રોમાંથી નિયમિતપણે રક્તસ્ત્રાવ કરશે. પાછળથી, આ વલ્વા આંખોમાં ફેરવાઈ ગયા, સો આંખો, સંવેદનાત્મક ઇચ્છાઓથી સાવચેત રહેવાનું રૂપક.
ગ્રીક પૌરાણિક કથાઓમાં, સાયક્લોપ્સ એક આંખવાળા છે. તેઓ ગૈયા અને યુરેનસના વિકૃત બાળકો છે જેઓ ઝિયસ દ્વારા મુક્ત ન થાય ત્યાં સુધી ટાર્ટારસમાં ટાઇટન્સ દ્વારા કેદ કરવામાં આવે છે. કૃતજ્ઞતામાં, તેઓ ઝિયસ માટે વીજળીનો અવાજ બનાવે છે. ઓડીસીમાં, સાયક્લોપ્સ એક ખતરનાક નરભક્ષક છે જે હીરો ઓડીસીયસ દ્વારા આંધળો છે. ગ્રીક લોકો ત્રણ ગ્રે ડાકણો વિશે પણ બોલે છે જેમણે તેમની વચ્ચે એક આંખ વહેંચી હતી: તેઓએ હીરો પર્સિયસને કહ્યું કે કેવી રીતે ભયંકર મેડુસાને શોધી અને હરાવવા. નોર્સ પૌરાણિક કથાઓમાં, ઓડિન તેની એક આંખ છોડી દે છે જેથી તે મિમિરના વેલ ઓફ નોલેજમાંથી પી શકે. ઇજિપ્તની પૌરાણિક કથાઓમાં, ઓસિરિસના સિંહાસન માટેની લડાઈમાં, સેટ હોરસની એક આંખને બહાર કાઢે છે, અને તે ઇજિપ્તની પ્રખ્યાત આંખ બની જાય છે, એક તાવીજ, જે જાદુઈ શક્તિ સાથે સંકળાયેલ છે, જે દુષ્ટ આંખને દૂર કરે છે. એક, બે કે ત્રણ, આપણે જોઈએ છીએ તેના કરતાં આંખમાં વધુ છે.

વેદોમાં, વરુણને હજાર આંખવાળા દેવ તરીકે વર્ણવવામાં આવ્યા છે જે માણસના કાર્યો પર નજર રાખે છે અને જે લોકો તેમણે આપેલાં વચનનો ભંગ કરે છે તેમની નિંદા કરે છે. પુરાણોમાં ઈન્દ્ર સો આંખવાળા બતાવાયા છે. એક ક્થા અનુસાર જ્યારે તેને અહલ્યા સાથે પથારીમાં કઢંગી હાલતમાં જોઈને ઋષિ ગૌતમે તેને શ્રાપ આપ્યો હતો કે તેનું શરીર નિયમિતપણે રક્તસ્ત્રાવ થતાં યોનિમુખોથી છવાયેલું રહે.પાછળથી શ્રાપમાં થોડી રાહત મળી એટલે એ યોનિમુખો આંખોમાં ફેરવાઈ ગયાં. આમ ઇંદ્રની સો આંખો ઈંદ્રિયોપ્રેરિત વાસનાઓથી સાવચેત રહેવાનાં રૂપક તરીકે જોવા મળે છે.

ગ્રીક પૌરાણિક કથાઓમાં, સાયક્લોપ્સો એક આંખવાળા છે. તેઓ ગૈયા અને યુરેનસનાં એવાં વિકૃત બાળકો છે જેઓ ઝિયસ દ્વારા મુક્ત ન થાય ત્યાં સુધી ટાર્ટારસમાં ટાઇટન્સ દ્વારા કેદ રાખવામાં આવેલ છે. તેના બદલામાં, તેઓ ઝિયસ માટે વીજળીના ચમકારાનો કડાકો રચે છે. ઓડીસીમાં, સાયક્લોપ્સ એક ખતરનાક નરભક્ષક છે જેને હીરો ઓડીસીયસે આંધળો બનાવી દીધો છે. ગ્રીક લોકો ભૂખરા વાળવાળી ત્રણ ડાકણો વિશે પણ વાત કરતાં હોય છે જેમણે તેમની વચ્ચે પોતાની એક આંખ વહેંચી હતી: આ ત્રણ ડાકણોએ નાયક પર્સિયસને બતાવ્યું હતું કે કેવી રીતે ભયંકર મેડુસાને શોધી અને હરાવવો. નોર્સ (સ્કેન્ડેનેવિયા)ની પૌરાણિક કથાઓમાં, ઓડિન તેની એક આંખ ત્યજી દે છે કે જેથી તે મિમિરના જ્ઞાનના કૂવામાં (વેલ ઓફ નોલેજમાં)થી આચમન લઈ શકે. ઇજિપ્તની પૌરાણિક કથાઓમાં, ઓસિરિસના સિંહાસન માટેની લડાઈમાં, સેટ હોરસની એક આંખને ખેંચી કાઢે છે, જે પછીથી ઇજિપ્તની એક તાવીજ તરીકે જાદુઈ શક્તિ સાથે સંકળાયેલ પ્રખ્યાત આંખ બની જાય છે, જે દુષ્ટ આંખની બુરી નજરની અસર દૂર કરે છે. એક, હોય કે બે કે ત્રણ હોય , પણ આંખોની બાબતમાં આપણને જે દેખાય છે તેના કરતાં આંખ (નજર)માં ઘણું વધારે સમાયેલું છે.

·        મિડ - ડે.માં ૨૦ ડિસેમ્બર૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.

·        દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, How many eyes do you have? નો અનુવાદવિશ્વ પુરાણશાસ્ત્રવિદ્યા । ગ્રીક

·        અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૨૪ મે, ૨૦૨૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો