બુધવાર, 20 માર્ચ, 2024

મારી દૃષ્ટિએ (૧૯૪૩ - ૧૯૪૪) : ભાગ ૧ - જ્યોર્જ ઑર્વેલ [૩]

 જ્યોર્જ ઑર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1943 – 1944) : Part Iના આંશિક અનુવાદ  મારી દૃષ્ટિએ (૧૯૪૩ - ૧૯૪૪) : ભાગ ૧ ના અંશ (૨)થી આગળ

હવે, મારે તો જોઈએ છે હકીકતો. આ છોકરા છોકરીઓને હકીકત સિવાય બીજું કશું શીખવાડશો નહીં. જીવનમાં જરૂર માત્ર હકીકતોની જ છે. બીજું કશું વાવશો નહી, અને તે સિવાયનું બધું ઊખેડીને ફેંકી દો. તર્કશીલ દિમાગ ધરાવતાં પ્રાણીઓનું ઘડતર માત્ર હકીકતો વડે જ થઈ શકે : એ સિવાય એમની બીજી કોઈ સેવા ન હોઈ શકે. આ સિદ્ધાંત પર જ મેં મારાં સંતાનોને ઉછેર્યાં છે અને આ સિદ્ધાંત પર જ હું આ છોકરાંઓને ઊછેરવા માગું છું. સાહેબ, હકીકતોને જ વળગી રહો !

પુસ્તક પહેલુંઃ બીજ રોપણી - પ્રકરણ પહેલું: કરવા લાયક એક બાબત - હાર્ડ ટાઈમ્સ, ચાર્લ્સ ડિકન્સ[1]


 +                 +                      +                      +

જો ભૂતકાળ કોઈને કોઈ આકારમાં અથવા બીજાં સ્વરૂપે હંમેશા પાછો ફરતો હોય તો ભવિષ્ય જ્યારે પણ આવશે ત્યારે કંઈક અંશે પરિચિત જ હશે.

'તમે જે કહી શકો છો અથવા વિચારી શકો છો તે બધું પહેલાં કહેવામાં કે વિચારવામાં આવી ચુક્યું છે'.

વિચારો બદલાતા નથી, પરંતુ વિચાર(નાં અર્થઘટન કે અમલ પર) પર મુકાતો ભાર સતત બદલાય છે.

 +                +                      +                      +

ટ્રિબ્યુન, ૧૯૪૪

૨૫ ફેબ્રુઆરી, ૧૯૪૪


ચેસ્ટરટન દ્વારા એવરીમેન એડિશનમાં ચાર્લ્સ ડિક્ન્સની હાર્ડ ટાઈમ્સનો પરિચય જોઈને, હું સામાન્ય અર્થમાં આખાબોલું કહેવાય એવું સ્પષ્ટ નિવેદન નોંધું છું: 'તેમાં કોઈ નવા વિચારો નથી.' (જોકે, ચેસ્ટરટનનો ડિકન્સનો પરિચય તેણે અત્યાર સુધી લખેલ લગભગ શ્રેષ્ઠ લખાણ છે) ચેસ્ટરટન અહીં દાવો કરે છે કે ફ્રેન્ચ ક્રાંતિને જીવંત કરતા  વિચારો નવા ન હતા પરંતુ તે અગાઉ વિકસી ચુકેલ સિદ્ધાંતોનું પુનરુત્થાન હતું જે પછીથી ત્યજી દેવામાં આવ્યું હતું. પરંતુસૂર્ય હેઠળ કંઈ નવું નથીએવો બુદ્ધિશાળી પ્રતિક્રિયાવાદીઓનો દાવો એક સદા તૈયાર દલીલોમાંની એક છે. કેથોલિક ક્ષમાપ્રાર્થીવાદીઓ 'તમે જે કહી શકો છો અથવા વિચારી શકો છો તે બધું પહેલાં કહેવામાં કે વિચારવામાં આવી ચુક્યું છે'નો ખાસ કરીને, લગભગ આપમેળે, ઉપયોગ કરે છે. ઉદારવાદથી ટ્રોસ્કીવાદ સુધીના દરેક રાજકીય સિદ્ધાંતને પ્રારંભિક ચર્ચમાં કેટલાક પાખંડના વિકાસ તરીકે દર્શાવાઈ શકે છે. ફિલસૂફીની દરેક પ્રણાલી આખરે ગ્રીક લોકોમાંથી જ આવે છે ને! (જો આપણે લોકપ્રિય કેથોલિક અખબારોને માનીએ તો) રોજર બેકન અને અન્યોએ તેરમી સદીના દરેક વૈજ્ઞાનિક સિદ્ધાંત પહેલેથી જ જાણી લીધા હતા. કેટલાક હિંદુ ચિંતકો તેનાથી પણ આગળ વધે છે અને દાવો કરે છે કે માત્ર વૈજ્ઞાનિક સિદ્ધાંતો જ નહીં, પરંતુ એરોપ્લેન, રેડિયો જેવી પ્રયોજિત વિજ્ઞાનની પેદાશો અને યુક્તિઓની આખી થેલી પ્રાચીન હિંદુઓ જાણતા હતા, આવી બધી યુક્તિ-પ્રયુક્તિઓ ધ્યાન આપવા યોગ્ય નથી એમ કહીને એ લોકોએ તેમને પડતી મુકી દીધી..

આ વિચારનું મૂળ પ્રગતિ માટેના ભયમાં છે તે જોવું બહુ મુશ્કેલ નથી. જો સૂર્યની નીચે કંઈપણ નવું નથી, જો ભૂતકાળ કોઈને કોઈ આકારમાં અથવા બીજાં સ્વરૂપે  હંમેશા પાછો ફરતો હોય તો ભવિષ્ય જ્યારે પણ આવશે ત્યારે કંઈક અંશે પરિચિત જ હશે. પહેલાં જે ક્યારેય નથી આવી, અને માટે કોઈપણ રીતે ક્યારેય આવશે નહીં, તેવી નફરત અને ભયજનક વસ્તુ છે - મુક્ત અને સમાન માનવોની દુનિયા. પ્રતિક્રિયાશીલ વિચારકોને ખાસ કરીને દિલાસો આપનારો એ ચક્રીય બ્રહ્માંડનો વિચાર છે, જેમાં ઘટનાઓની એક સરખી સાંકળ વારંવાર બને છે. આવા બ્રહ્માંડમાં લોકશાહી તરફની દરેક દેખીતી પ્રગતિનો સીધો અર્થ એ છે કે જુલમ અને વિશેષાધિકારનો યુગ થોડો નજીક છે. આ માન્યતા, દેખીતી રીતે અંધશ્રદ્ધાયુક્ત હોવા છતાં, આજકાલ વ્યાપકપણે પ્રચલિત છે, અને ફાસીવાદીઓ અને લગભગ ફાસીવાદીઓમાં સામાન્યપણે જોવા મળે છે.

હકીકતમાં, હવે તો નવા વિચારો પણ જોવા મળે છે. દાખલા તરીકે, અદ્યતન સંસ્કૃતિએ ગુલામી પર તગડધિન્ના કરવાની જરૂર નથી તે પ્રમાણમાં નવો વિચાર છે; તે ખ્રિસ્તી ધર્મ કરતાં ઘણો નવો પણ છે. પરંતુ જો ચેસ્ટરટનનું સૂચન સાચું હોય તો પણ, તે માત્ર એ અર્થમાં સાચું હશે કે પથ્થરની દરેક શિલા એક પ્રતિમા સમાયેલી છે. વિચારો બદલાતા નથી, પરંતુ વિચાર(નાં અર્થઘટન, કે અમલ પર, મુકાતો ભાર સતત બદલાય છે. ઉદાહરણ તરીકે, એવો દાવો કરી શકાય કે માર્ક્સના સિદ્ધાંતનો સૌથી મહત્ત્વનો ભાગ આ કહેવતમાં સમાયેલો છે:જ્યાં તમારો ખજાનો છે, ત્યાં તમારું હૃદય પણ હશે.પરંતુ માર્ક્સે તેને વિકસાવી તે પહેલાં, આ કહેવતનો શું પ્રભાવ હતો? તેના પર કોણે ધ્યાન આપ્યું હતું? તેમાંથી કોણે અનુમાન લગાવ્યું હતું - તે ચોક્કસપણે શું સૂચવે છે - કે કાયદાઓ, ધર્મો અને નૈતિક સંહિતાઓ વર્તમાન મિલકત સંબંધો પર બનેલ એક માળખું છે? સુવાર્તા અનુસાર, આ શબ્દો ઉચ્ચાર્યા હતા ઈસુએ પણ તેને જીવંત માર્ક્સે કર્યા. જ્યારથી માર્ક્સે તેને પ્રચલિત કર્યા રાજકારણીઓ, પાદરીઓ, ન્યાયાધીશો, નૈતિકવાદીઓ અને કરોડપતિઓના હેતુઓ સૌથી ઊંડી શંકા હેઠળ છે, અને અલબત્ત, એટલે જ એ બધા માર્ક્સને ખૂબ નફરત કરે છે.

+                 +                      +                      +

જીવન - મૃત્યુની પેલે પારનું અસ્તિત્ત્વ - શ્રદ્ધા કે સગવડ મુજબની માન્યતા?

+                 +                      +                      +

૧૪ એપ્રિલ, ૧૯૪૪

વ્યક્તિગત અમરત્વમાંની માન્યતા ક્ષીણ થઈ રહી છે એ અર્થની માલવર્ન ટોર્ચમાં ખ્રિસ્તી ધર્મ વિશે અમારી વિવિધ ટિપ્પણીઓ કારણે શ્રી સિડની ડાર્ક શ્રી સી. એ. સ્મિથ અને મારી પર સક્રોધ વરસી પડ્યા. તેમનું કહેવું હતું કે, 'હું શરત મારીને કહીશ કે જો ગેલપ મોજણી કરવામાં આવે તો (બ્રિટિશ વસ્તીના) ૭૫ ટકા લોકો અસ્તિત્વ વિશેની અસ્પષ્ટ માન્યતાની કબૂલાત કરશે'. તે જ સપ્તાહ દરમિયાન અન્યત્ર લખતાં, શ્રી ડાર્ક એ આંકડો પંચ્યાસી ટકા પર મૂકે છે.

હવે, કોઈપણ પૃષ્ઠભૂમિની, એવી વ્યક્તિને હું ખૂબ જ દુર્લભ માનું છુંજે વ્યક્તિગત અમરત્વમાં વિશ્વાસ કરવાનું સ્વીકારે છે. તેમ છતાં, મને લાગે છે કે જો તમે દરેકને પ્રશ્ન પૂછો અને હાથમાં પેન્સિલ અને કાગળ મૂકો, તો ઘણી મોટી સંખ્યામાં (ટકાવારી બાબતે હું શ્રી ડાર્ક સાથે એટલાં ખુલ્લાં દિલે સંમત નથી થઈ શક્તો) એવી શક્યતા સ્વીકારશે કે મૃત્યુ પછી પણ 'કંઈક' હોઈ શકે છે. શ્રી ડાર્ક જે મુદ્દો ચૂકી ગયા છે તે એ છે કે આપણા પૂર્વજો માટે હતી જે માન્યતા હતી તે હવે વાસ્તવિકતા નથી. તાજેતરના વર્ષોમાં ક્યારેય, શાબ્દિક અર્થમાં, હું એવાં કોઈને મળ્યો નથી જે ઓસ્ટ્રેલીઆનાં અસ્તિત્વ પર વિશ્વાસ ધરાવતું હોય એટલો વિશ્વાસ આગલી દુનિયા પર રાખતાં હોવાની છાપ મારા પર પાડી હોય. આગલી દુનિયાનાં અસ્તિત્વની માન્યતા સાચી હોય તો લોકોનાં આચરણ પર તેની જેટલી અસર થાય એટલી વાસ્તવિક આચરણને પ્રભાવિત કરતી નથી. મૃત્યુની પેલે પારનાં એ અનંત અસ્તિત્વ સામે, આપણું અહીનું જીવન કેટલું તુચ્છ લાગશે! મોટાભાગના ખ્રિસ્તીઓ નરકમાં વિશ્વાસ કરવાનો દાવો કરે છે. છતાં શું તમે ક્યારેય એવા કોઈ ખ્રિસ્તીને મળ્યા છો જે નરકથી ડરતો હતો જેટલો તે કેન્સરથી ડરતો હશે? ખૂબ શ્રદ્ધાળુ ખ્રિસ્તીઓ પણ નરક વિશે મજાક કરશે. પણ તેઓ રક્તપિત્ત, અથવા આરએએફ પાયલોટ વિશે પોતાના ચહેરાને બાળી નાખતા મજાક કરશે નહીં: પેલે પારનાં અસ્તિત્વનો વિષય ખૂબ પીડાદાયક છે.

મારા મગજમાં સ્વર્ગસ્થ એ.એમ. ક્યુરી દ્વારા લખાયેલું નાનકડું ટ્રાઈઅલિટ (આઠ લીટીનો પ્રાસબદ્ધ અંગ્રેજી છંદ) સ્ફુરે છે:

અફસોસની વાત છે કે પોપ્પાએ તેનો આત્મા વેચી દીધો છે

તેથી તેના નાસ્તામાં સડસડે છે.

પરંતુ હજુ પણ સમગ્ર રીતે પૈસા ઉપયોગી હતા.


અફસોસની વાત છે કે પોપ્પાએ તેનો આત્મા વેચી દીધો છે

જો તેણે બેરોન ડી કોલની જેમ પકડી રાખ્યું હોત

અને જ્યારે કિંમત નીચી હતી ત્યારે વેંચી ન માર્યો હોત.

 

અફસોસની વાત છે કે પોપ્પાએ તેનો આત્મા વેચી દીધો છે

તેથી તેના નાસ્તામાં સડસડે છે.

એક કેથોલિક તરીકે, સંભવતઃ ક્યુરીએ કહ્યું હશે કે તે નરકમાં વિશ્વાસ કરે છે. પણ જો તેના નજીકના પડોશીને બાળી નાખવામાં આવ્યો હોત તો તેણે તેના વિશે હાસ્ય કવિતા લખી ન હોત, તેમ છતાં તે લાખો વર્ષોથી ઉકળતાં તેલમાં તળાતી વ્યક્તિ વિશે મજાક કરી શકે છે. હું તો કહું છું કે આવી માન્યતામાં કોઈ વાસ્તવિકતા નથી. સેમ્યુઅલ બટલરની મ્યુઝિકલ બેંન્ક્સમાંના નાણાંની જેમ તે એક નકલી ચલણ છે.

+                 +                      +                      +


Orwell in Tribune, As I Please and Other Writings 1943-1947" – Paul Anderson - The Orwell Society

જાણીતા પત્રકાર અને વ્યાખ્યાતા, પૉલ એન્ડર્સન, 'ટ્રિબ્યુન' સાથે તંત્રી સહિતની વિવિધ ભુમિકાઓમાં ૧૯૮૬થી ૨૦૧૪ સુધી સંકળાયેલ હતા. 

૧૧ ડિસેમ્બર, ૧૯૨૨ના રોજ તેમણે ઑર્વેલ સોસાયટીના ઉપક્રમે આપેલ પ્રસ્તુત વ્યાખ્યાન તેમનાં પુસ્તક, Orwell in Tribune, As I Please and Other Writings 1943-1947, ના સંદર્ભમાં છે.

 



+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1943 – 1944) : Part Iનો આંશિક અનુવાદ 



[1] Hard Times – Charles Dickens


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો