બુધવાર, 26 ઑગસ્ટ, 2026

કેવી રીતે આદિ શંકરાચાર્યે વેરવિખેર દેશને એક કર્યો ! - દેવદત્ત પટ્ટનાઈક

જે લોકો એવો આગ્રહ રાખે છે કે ઇતિહાસ વાસ્તવિક છે અને પૌરાણિક કથાઓ ખોટી છે, તેઓ આદિ શંકરાચાર્યના અદ્વૈતવાદી સિદ્ધાંત: જગત મિથ્યા, બ્રહ્મ સત્યમ્ નો વિરોધ કરે છે. જગત મિથ્યા, બ્રહ્મ સત્યમ્ નો અર્થ થાય છે કે આપણે નિશ્ચિત વૈજ્ઞાનિક નિષ્કર્ષો સહિતનાં જે વિશ્વને અનુભવીએ છીએ તે મૂળભૂત રીતે ભ્રામક અથવા મન-આધારિત જ્ઞાનશાસ્ત્રીય સત્યો છે. એકમાત્ર મન-સ્વતંત્ર સત્તત્વ જ્ઞાનનિંમાસા એ સત્ય બ્રહ્મ છે, સમય અને સંદર્ભ અનુસાર બ્રહ્મનો અર્થ વિવિધ રીતે ભગવાન, આત્મા, ચેતના, ભાષા અથવા અનંત રીતે વિસ્તૃત, શાશ્વત, બિનશરતી મન તરીકે થતો રહ્યો છે. 

વિશ્વને માત્ર ભ્રમ તરીકે જોવાના આ સિદ્ધાંતને માયા-વાદ તરીકે ઓળખવામાં આવે છે, તેણે શંકરાચાર્યને બૌદ્ધો, મીમાંસક (જૂના વૈદિક ગૃહસ્થો) અને વેદાંતીઓ (પછીના વૈદિક સંન્યાસીઓ), શૈવ, વૈષ્ણવ અને શાક્તો સુધી જેવા વિવિધ સમુદાયો અને વૈવિધ્યસભર, દેખીતી રીતે અસંગત, વૈષ્વિક દૃષ્ટિકોણ વડે દેશને એક કરવા સમર્થ બનાવ્યા. આ વાત તેમની વિપુલ સાહિત્યિક અભિવ્યક્તિઓમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.

રાજકીય ઋષિ

શંકરાચાર્યનું દર્શન સ્પષ્ટપણે વૈદિક છે. બૌદ્ધ અને જૈનોથી વિપરીત, તેમણે પોતાનું જ્ઞાન વેદોમાંથી મેળવ્યું અને વેદની અવૈયક્તિક શક્તિને આધીન રહ્યા, જેના કારણે તેઓ આસ્તિક બન્યા. તેમના ભાષ્યો અને એક જ વિષય પરનાં પુસ્તકોમાં, તેમણે વારંવાર એક નિરાકાર દિવ્ય (નિર્ગુણ બ્રહ્મ) ને એકમાત્ર વાસ્તવિકતા તરીકે જોયેલ છે, જે બધી દ્વિસંગી વિચારસરણીઓથી પર છે. આ વાત વેદાંત, બ્રહ્મ-સૂત્ર-ભાષ્ય, તેમની સંસ્કૃત કવિતાઓ વિવેકચુડામણિ અને નિર્વાણ-શટકમ અને તેમના ગ્રંથ "આત્મા-બોધ" પરનં તેમના ભાષ્યમાં સ્પષ્ટ થાય છે. ઘણા લોકો આને વિશ્વના બૌદ્ધ વિષયની અસંબંધિત સરકતી જતી ક્ષણોની શ્રેણી તરીકે સ્વીકારે છે, તેથી તે શૂન્યતા (શૂન્યવાદ) સમાન છે. શંકરાચાર્ય તેને વૈદિક વળાંક આપે છે પરિણામે શંકરાચાર્ય પર ઘણીવાર છદ્મવેશી બૌદ્ધ (પ્રછન્ન બૌદ્ધ) હોવાનું આળ મૂકવામાં આવતું રહ્યું છે.

પરંતુ શંકરાચાર્યનું પદ્ય (સ્તોત્ર) પુરાણોમાં દેખાતા દૈવી (સગુણ બ્રહ્મ) ના અનેક મૂર્ત સ્વરૂપોનાં પણ ગુણગાન કરે છે. તેમણે પૌરાણિક દેવતાઓ: શિવ (દક્ષિણામૂર્તિ-સ્તોત્ર), વિષ્ણુ (ગોવિંદ-અષ્ટક) અને શક્તિ (સૌંદર્ય-લહરી) માટેને મહાન સ્વસ્તીવચનો કહ્યાં છે. ભ આનાથી તેઓ વ્યાસ પછી પ્રથમ વૈદિક વિદ્વાન બને છે જેમણે વૈદિક હિન્દુ ધર્મને પૌરાણિક હિન્દુ ધર્મ સાથે સ્પષ્ટ રીતે જોડ્યો, આ વિચારને થોડી સદીઓ પછી વેદાંતના અન્ય ગુરુઓ રામાનુજ, માધવ અને વલ્લભ દ્વારા વધુ વિસ્તૃત કરવામાં આવ્યો હતો. શંકરાએ તંત્ર પર પણ લખ્યું, જે તે સમયની આસપાસ તંત્રની હાજરીને સ્પષ્ટપણે ઈંગિત કરે છે.

નિરાકારતા, શૂન્યતા અને વિશ્વ એક ભ્રમ હોવા અંગેની તેમની બધી ચર્ચાઓ પુઅરાંત શંકરાચાર્યએ ભારતના ૧૨ જ્યોતિર્લિંગ, ૧૮ શક્તિ-પીઠો અને ૪ર વિષ્ણુ-ધામ જેવા પવિત્ર સ્થળોને જોડવાનું કામ કર્યું જેથી ભારતને એક જ દેશ તરીકે સ્પષ્ટ કરતાં યાત્રાધામો દ્વારા સાંકળી શકાય. તેમના લખાણોમાં કોતરાયું ચે તે મુજબ તેમણે કેરળથી કાશ્મીર, હાલના ઓડિશામાં પુરીથી ગુજરાતના દ્વારકા, હાલના કર્ણાટકમાં શ્રૃંગેરીથી ઉત્તરાખંડમાં બદરી, હાલના તમિલનાડુમાં કાંચીથી ઉત્તર પ્રદેશમાં કાશી સુધી, હિમાલયના ઢોળાવ, નર્મદા અને ગંગા નદીઓના કિનારા અને પૂર્વ અને પશ્ચિમ કિનારાઓ સુધી પ્રવાસ કર્યો.

શંકરાચાર્ય એકલદંડા મહેલના ફિલોસુફ નથી; તેઓ એક રાજકીય ઋષિ છે, જે તેમના સમયના ઐતિહાસિક સંદર્ભમાં સંકળાયેલા છે અને તેના વિશે પ્રતિભાવ આપે છે. ફિલસૂફી, પદ્ય અને યાત્રા દ્વારા, તેમણે ભારતના ઉપખંડને એકસૂત્રમાં જોડવાનો પ્રયાસ કર્યો જેનો ઉલ્લેખ હિન્દુ, બૌદ્ધ અને જૈન ગ્રંથોમાં તેમજ સંકલ્પના વૈદિક વિધિમાં જાંબુલ વૃક્ષના ખંડ, જંબુ-દ્વિપ, અને ભરત રાજાઓની ભૂમિ, ભારત-વર્ષ તરીકે સતત કરવામાં આવતો જોવા મળે છે.

ઐતિહાસિક સંદર્ભ

બ્રહ્મ-સૂત્ર (૧.૩.૩૩) પરના તેમના ભાષ્યમાં, શંકરાચાર્યએ અવલોકન કર્યું છેઃ "કોઈ એવું કહી શકે છે કે જેમ અત્યારે નથી તેમ ક્યારેય કોઈ સાર્વત્રિક શાસક નહોતો." તેમના સમયના તેમના સમાજના વિભાજિત સ્વભાવની આ સ્વીકૃતિ છે અને બૌદ્ધ, જૈન અને હિન્દુ કથાઓમાં જોવા મળતી ચક્રવર્તી અથવા સાર્વત્રિક સમ્રાટની પૌરાણિક કથાને સ્વીકારવાનો ઇનકાર છે.

મોટાભાગના ઇતિહાસકારો સંમત થાય છે કે આદિ શંકરાચાર્ય ૮મી સદીમાં, અથવા ૧,૨૦૦ વર્ષ પહેલાં, બુદ્ધના ૧,૩૦૦ વર્ષ પછી થઈ ગયા છે.

આ સમયગાળો ભારતીય ઇતિહાસમાં ૧,૫૦૦ વર્ષ પહેલાં ગુપ્ત સામ્રાજ્યના પતન અને ૧,૦૦૦ વર્ષ પહેલાં દક્ષિણ એશિયા પર મુસ્લિમ વિજય વચ્ચેના એક મુખ્ય તબક્કાનો હતો. કન્નૌજનો હર્ષવર્ધન મૃત્યુ પામ્યો હતો, રાષ્ટ્રકૂટો નર્મદા નદીના બંને કાંઠે પ્રભુત્વ ધરાવતા હતા, ઉત્તરના પ્રતિહારો, પૂર્વના પાલ અને દક્ષિણના ચાલુક્યો સાથે સતત યુદ્ધમાં હતા. અત્યારે ખૂબ જ પરિચિત છે એવી પ્રાદેશિક ભાષાઓ અને લિપિઓ હજુ સુધી ઉભરી આવી ન હતી. દક્ષિણ ભારતીય મંદિરોમાં તેમના લાક્ષણિક ગોપુરમ પ્રવેશદ્વાર નહોતા, રામાયણનો તમિલમાં અનુવાદ હજુ થયો ન હતો, જયદેવે વિશ્વને રાધાનો પરિચય કરાવતું ગીત-ગોવિંદ લખ્યું ન હતું.

આદિ શંકરાચાર્ય, જેમણે દેશવ્યાપી પ્રવાસ કર્યો હતો, તેમણે દેશના બૌદ્ધિક વર્ગને જોડતી એક જ ભાષા, સંસ્કૃત, દ્વારા વિચારવિનિમય કર્યો હતો.

આ સમયની ભાવનાની કદર કરવા માટે, આપણે ભારતીય સમાજના વ્યાવહારિક વિશ્વનીપુષ્ટિ કરનારા, ધાર્મિક વિધિઓથીબંધાયેલા ગૃહસ્થ અને વિશ્વનો ત્યાગ કરનારા, ધાર્મિક વિધિઓનો અસ્વીકાર કરનારા સંન્યાસી વચ્ચેના મૂળભૂત તણાવને સમજવો જોઈએ.

ગૃહસ્થ વિરુદ્ધ સંન્યાસી

જ્યારે મેસેડોનના એલેક્ઝાંડરે ઇ. સ. પૂર્વે ૩૨૭માં ભારત પર હુમલો કર્યો, ત્યારે વૈદિક વિશ્વનો દૃષ્ટિકોણ ગૃહસ્થની તરફેણ કરતો હતો, જ્યારે બૌદ્ધ (અને જૈન, અને આજીવિક) વિશ્વ દૃષ્ટિકોણ સંન્યાસીની તરફેણ કરતો હતો.

શંકરાચાર્યના સમયમાં, વૈદિક વિશ્વ દૃષ્ટિકોણ ગૃહસ્થની તરફેણ કરતો મીમાંસક વિશ્વ દૃષ્ટિકોણ અને વેદાંતિક વિશ્વ દૃષ્ટિકોણમાં વિભાજિત હતો જે સંન્યાસીની તરફેણ કરતો હતો.

કેટલાક લોકો દલીલ કરે છે કે આમ થવું એ વેદ ધર્મ પર બૌદ્ધ ધર્મનો પ્રભાવ દર્શાવે છે, જેના કારણે હિન્દુ સર્વોપરીવાદીઓ ઉશ્કેરાઈ ગયા હતા. ઘણીવાર જે બાબતને અવગણવામાં આવે છે તે છે બૌદ્ધ ધર્મ પર વેદ ધર્મનો પ્રભાવ, કારણ કે શંકરાચાર્યના સમયમાં, બૌદ્ધિક સંન્યાસી બુદ્ધનું સ્થાન વધુ સાંસારિક બોધિસત્વ અને તેમના સ્ત્રી સ્વરૂપ, તારા દ્વારા લેવામાં આવ્યું હતું, જે જ્ઞાન (પ્રજ્ઞા) કરતાં કરુણાને મહત્વ આપતા હતા.

અને જ્યારે બ્રાહ્મણવાદી ભદ્ર વર્ગ મીમાંસિકોના ધાર્મિક માર્ગો (કર્મ માર્ગ) અને વેદાંતીના બૌદ્ધિક માર્ગો (જ્ઞાન માર્ગ) પર દલીલ કરી રહ્યો હતો, ત્યારે વ્યાસથી વાલ્મીકિ સુધીના ભારતના કથાકારો સંન્યાસી શિવને દેવી શક્તિ સાથે લગ્ન કરવા માટે ફરજ પાડવામાં આવી રહી હતી, અને વિષ્ણુ લક્ષ્મી અને સરસ્વતીની સંભાળ રાખવા માટે બંધાયેલા હતા એવાં (સુત) પુરાણોની રચના સાથે હિન્દુ ધર્મને નાટકીય રીતે ફરીથી આકાર આપી રહ્યા હતા.

જીવનચરિત્ર

શંકરનો જન્મ કેરળના એક ગરીબ બ્રાહ્મણ (નામ્બુદ્રી) પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ શિવગુરુ હતું, જે શૈવ મૂળ સૂચવે છે. શંકરની નાની વયમાં જ તેમના પિતાનું અવસાન થયું હતું, એટલે શંકરનો ઉછેર તેમની માતા દ્વારા કરવામાં આવ્યો હતો. તેમના માને આપણે પણને ફક્ત આર્યમ્બા (ઉમદા મહિલા) તરીકે ઓળખીએ છીએ..તેઓ કૃષ્ણનાં ઉપાસક હતાં, જે તેમનું વૈષ્ણવ મૂળ દર્શાવે છે. તેમની માતાના વિરોધ છતાં, મીમાંસિકો કરતાં પ્રચલિત વેદાંતિક વિશ્વ દૃષ્ટિકોણને શંકર વધારે પસંદ કરતા હતા એટલે તેમણે સંન્યાસ લીધો. તેમના ગુરુ, ગોવિંદ ભાગવતપદ,નું નામ તેમનું વૈષ્ણવ મૂળ સૂચવે છે. તેઓએ નર્મદા નદીના કિનારે સંન્યાસી જીવન ગાળવાનું પસંદ કર્યું હતું. તેઓ બૌદ્ધ ધર્મથી ખૂબ પ્રભાવિત હતા.

મધ્ય ભારતમાંથી, શંકરાચાર્ય કાશી ગયા જ્યાં તેમનો સામનો સ્મશાનગૃહના રક્ષક એક ચાંડાલ સાથે થયો. એ ચાંડાલનો ધર્મ હિન્દુ જાતિના પદાનુક્રમમાં સૌથી પ્રદૂષિત વ્યવસાય હતો. જ્યારે શંકરએ તેમને એક બાજુ ક્સી જવાનું કહ્યું, ત્યારે ચાંડાલે તેમને ઠપકો આપ્યો, "મારું શરીર, કે મારો આત્મા, રૂપ, કે નિરાકાર, મર્યાદિત કે અમર્યાદ?" આ ઘટનાનો શંકરાચાર્ય પર ઊંડો પ્રભાવ પડ્યો, કારણ કે તેનાથી તેઓ સંન્યાસી પરંપરા દ્વારા પ્રસ્તાવિત દેહની અમાન્યતા પર પ્રશ્ન ઉઠાવતા થયા. શંકરાચાર્ય પરંપરાગત વર્ણ-આશ્રમ-ધર્મમાં ખુંપેલા હતા, જ્યાં જાતિની શુદ્ધતા અને પ્રદૂષણ મહત્વપૂર્ણ હતાં. તેથી તેમના ગુરુ તરીકે ચાંડાલનો સ્વીકાર વિશેષ મહત્વ ધરાવે છે. આ ઘટના તેમને મનીષા-પંચકમ રચવા તરફ દોરી ગઈ, જ્યાં તેઓ દ્વૈત (આત્મા અને શરીર અલગ) બનાવતા વિભાજનથી આગળ જુએ છે અને અદ્વૈતની પુષ્ટિ કરે છે. અહીં જ્ઞાનને જાતિથી આગળ વધવાના સાધન તરીકે જોવામાં આવે છે.

ત્યારબાદ શંકરાચાર્ય બિહારના મહિષ્મતીમાં મહાન મીમાંસક વિદ્વાન મંદન મિશ્રાને મળ્યા મંદન મિશ્રને તેમણને કર્મકાંડ (કર્મ) કરતાં જ્ઞાનની શ્રેષ્ઠતા અંગે વિશ્વસ્ત કર્યા. પરંતુ પછી, મંદનનાં પત્ની, ઉભય ભારતીએ, રમતિયાળ રીતે શંકરને કામોત્તેજના (કામ-શાસ્ત્ર) ના જ્ઞાન માટે પડકાર ફેંક્યો. બ્રહ્મચારી શંકરાએ એ વિશે અજ્ઞાનતા પ્રદર્શિત કરી. ત્યારે મહિલાએ તેમને પૂછ્યું કે તેઓ ઇન્દ્રિય આનંદ અને ભાવનાત્મક આત્મીયતાનો અનુભવ કર્યા વિના વિશ્વને કેવી રીતે સમજી શકે છે. ત્યારબાદ જે બન્યું તે રહસ્યમાં ઢંકાયેલું છે, અને પછીના સમયના શુદ્ધિકરણ દ્વારા સંપાદિત કરવામાં આવ્યું છે.

શંકરએ તેમની યોગિક શક્તિઓનો ઉપયોગ કાશ્મીરના રાજા અમરુના શરીરમાં પ્રવેશ કરવા અને તેને તમામ પ્રકારના દેહના આનંદને માણવા માટે લાંબા સમય સુધી જીવંત રાખવા માટે કર્યો. દંતકથા છે કે તેના કારણે શંકરાચાર્ય અમરુ-શટક તરીકે ઓળખાતી શૃંગારિક પ્રેમ કવિતા લખી શક્યા. ત્યારબાદ કાશ્મીરમાં, અને પછીથી શ્રૃંગેરીમાં (હાલના કર્ણાટકમાં), શંકરએ તેમના વ્યક્તિગત દેવતા, શારદાના મંદિરો સ્થાપ્યાં. શારદાને આપણે સામાન્ય રીતે સરસ્વતી તરીકે ઓળખીએ છીએ. તેમના એક હાથમાં એક ગ્રંથ છે. જોકે, તેમની પાસે એક વાસણ અને પોપટ પણ છે, જે ગૃહસ્થ જીવન અને ઇન્દ્રિય જીવનનાં પ્રતીકો છે, અને જે શંકર દ્વારા ઇન્દ્રિયો, દેહ, પદાર્થની સ્વીકૃતિ દર્શાવે છે: બીજા શબ્દોમાં કહીએ તો, તંત્ર. દૈવી સ્ત્રીત્વ, શ્રી-યંત્રના તાંત્રિક ભૌમિતિક પ્રતીક સાથે શંકરનો સંબંધ આ વાતને મજબૂત બનાવે છે. શું શારદાદેવીનું સ્વરૂપ ઉભય ભારતીથી પ્રેરિત હતું, કે પછી ગૃહસ્થ ધ્રમનું જ્ઞાન રજૂ કરતાં રહેતાં તેમની માતાનું હતું? આપણે ફક્ત અનુમાન કરી શકીએ છીએ.

તેમની માતાના મૃત્યુની જાણ થતાં શંકરાચાર્ય માતાના અંતિમ સંસ્કાર કરવા માટે કેરળ પાછા ફર્યા. મગરના હુમલામાં બચી ગયા પછી, જ્યારે માતાએ આખરે તેમને સંન્યાસી બનવાની પરવાનગી આપી હતી ત્યારે શંકરે પોતાની માતાને આ વચન આપ્યું હતું.

જોકે, વૈદિક પરંપરામાં, ગૃહસ્થ જીવનનો ત્યાગ કર્યા પછી, સંન્યાસી અંતિમ સંસ્કાર જેવી ગૃહસ્થ વિધિઓ કરી શકતો નથી. સંન્યાસી તરીકે, શંકરએ પુત્ર તરીકેની ભૂમિકા છોડી દીધી હતી, અને તેથી તેમની માતા પ્રત્યે કોઈ જવાબદારી નહોતી. પરંતુ શંકરએ અહીં એક સતાની અવજ્ઞા કરતા ક્રાંતિકારીની ભાવના દર્શાવી. જ્યારે તેમને સ્મશાનમાં માતાના સંસ્કાર કરવાથી રોકવામાં આવ્યા, ત્યારે તેઓ તેમની માતાના શરીરને તેમના ઘરના પાછળના આંગણામાં લઈ ગયા અને ત્યાં ધાર્મિક વિધિઓ કરી.

ત્યારબાદ તેઓ ભારતભરમાં પ્રવાસ કરવા લાગ્યા, ભારતના ચારે ખૂણામાં પોતાની સંસ્થા (મઠ) સ્થાપ્યા. તેમના પ્રવાસો દરમિયાન તેઓ યાત્રાળુઓના માર્ગોની મુલાકાત લેતા અને તેના નકશા બનાવતા રહ્યા. કહેવાય છે કે તેમણે સંન્યાસીઓના વિવિધ અખાડાઓની સ્થાપના કરી હતીઽ. અખાડાઓમાંના સંન્યાસીઓએને તેમણે હિન્દુ ધર્મના રક્ષણ માટે તેમના જ્ઞાન, શારીરિક અને યોગિક શક્તિઓનો ઉપયોગ કરવાનું જણાવ્યું. કુંભ મેળા દરમિયાન તીર્થ સ્થળોએ આ અખાડાઓને લઈ જવાનું અને તેમની સભાઓનું પણ શંકરાચાર્યએ આયોજન કર્યું.

શંકરાચાર્યનું મૃત્યુ બત્રીસ જ વર્ષની નાની ઉંમરે હિમાલય ક્ષેત્રમાં થયું હતું. કથા એવી છે કે તેમના પિતાએ જ્યારે દેવતાઓ પાસેથી વરદાન મગ્યું હતું ત્યારે લાંબાં આયુષ્યવાળા સામાન્ય પુત્ર કરતાં, ટૂંકા આયુષ્યવાળા મહાન પુત્રની તેમણે ઇચ્છા રાખી હતી. દંતકથા અનુસાર, એક અકાલપરિપક્વ પ્રતિભાસંપન્ન બાળક તરીકે આઠ વર્ષની ઉંમરે મૃત્યુ થવાનું હતું, પરંતુ તેમને આઠ વર્ષનો સમયગાળો આપવામાં આવ્યો જેથી તેઓ વેદોના સત્યને ખોદી શકે. તેમના ભાષ્યો અને એક વિષય પરના ગ્રંથો એટલા તેજસ્વી હતા કે વેદોના પૌરાણિક આયોજક વ્યાસે પોતે તેમના વિચારોને વિશ્વમાં ફેલાવવા માટે તેમનું આયુષ્ય બીજા ૧૬ વર્ષ લંબાવી આપ્યું હતું.

શંકરાચાર્યના જીવનનૂ અર્થઘટન



વિદ્વાનોને આશ્ચર્ય થાય છે કે શું જ્ઞાનને મહત્વ આપનાર દાર્શનિક શંકર અને ભક્તિ કવિતા રચનાર શંકર એક જ હતા. શું તીર્થસ્થાનોની સ્થાપના કરનાર શંકર એ જ હતા જેમણે ભજ ગોવિંદમમાં આટલી સુંદર રીતે વ્યક્ત કરાયેલ નિરર્થક વિધિઓની વાત પણ કરી હતી? શું તેઓ વૈદિક હતા કે તાંત્રિક હતા? તેઓ શૈવ હતા કે વૈષ્ણવ, કે શાક્ત હતા? શું તે આ કે તે, કે પછી બંને, કે બેમાંથી કોઈ નહીં? શું તેઓ બૌદ્ધ વિરોધી હતો કે બૌદ્ધ તરફી વિધ્વંસક હતા? તેમના જીવન દર્પણના વિવિધ કકડાઓ શંકરાચાર્યના સમયમાં ભારતને આકાર આપનારા વિવિધ વિભાજિત વૈશ્વિક દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે, અને આજે પણ એ દૃષ્ટિકોણ વિભાજિત દરશન જ રજૂ કરે છે.

મધ્ય પૂર્વ, યુરોપ અને અમેરિકાની તુલનામાં ભારતની વિવિધતા નિર્વિવાદ છે. તે વિશ્વને મૂંઝવણમાં મૂકે છે. બહારના લોકો માટે, એ વૈવિધ્યમાં અસ્તવ્યસ્તતા છે, અને એવો સમાજ પતન અને વિભાજનને આરે છે. અંદરના લોકો માટે, તેમાં ઉન્મત પાગલપનનો અર્થ રહેલો છે. તેથી ભારત વિશેનો બાહ્ય અને આંતરિક દૃષ્ટિકોણ અલગ છે.

બહારના લોકો ભારતની વિવિધતાને વિભાજનકારી દ્રષ્ટિકોણથી જોવાનું વલણ ધરાવે છે: તે કાં તો ઊંચનીચ (જાતિવાદ, મનુસ્મૃતિ દ્વારા લાદવામાં આવેલ બ્રાહ્મણવાદ) નું પરિણામ છે, અથવા બૌદ્ધોના, સાતત્યક્રમને નકારતા, શૂન્યવાદને પ્રતિબિંબિત કરતી જટિલ અનુઆધુનિક દલીલો પ્રમાણે, ભારત અસ્તિત્વમાં ન હોવાનું કહેવા માટે થાય છે. તેનાથી વિપરીત, એક અંદરની વ્યક્તિ તરીકે, શંકરાચાર્યએ ખંડિત અને સીમિત વૈશ્વિક દૃષ્ટિકોણનાં લોકશાહીકરણ કરવા માટે ભ્રમના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો: આ જગત અંગેનાંં બધા મંતવ્યો, બધી ધારણાઓ, શબ્દોની બધી સમજણો અપૂર્ણ અને અધુરી છે, પરંતુ એ બધાં આપણને એવું ધારવામાં ભ્રમિત કરે છે કે તેઓ પૂર્ણ અને પુરાં છે.

શંકરાચાર્યને સમજવા માટે, આજની રાજકીય અને વૈજ્ઞાનિક વિચારધારાને પણ પ્રભાવિત કરતી એક જ સાચા ભગવાન અને અન્ય દેવો ખોટા એવા દૃઢ અબ્રાહમિક દ્વિસંગી અભિગમથીઆપણે મુક્ત થવાની જરૂર છે. આપણે હિન્દુત્વના, એકદમ પ્રવાહી, દ્વિસંગી દૃષ્ટિકોણ તરફ આગળ વધવું પડશે જ્યાં દૈવત્વ (દેવ , મૂડીકરણ વિના) મર્યાદિત અને (ઈશ્વર, મૂડીકરણ સાથે) અમર્યાદિત હોઈ શકે છે; જ્યાં સ્વરૂપ અને નિરાકાર દૈવીનો સંબંધ ધ્વનિ અને અર્થ વચ્ચેના સંબંધ જેવો છે જેના વિના કોઈ શબ્દનું અસ્તિત્વમાં શક્ય નથી.

શંકરાચાર્ય પોતાની આસપાસની દુનિયાને બૌદ્ધોની જેમ ખંડિત ક્ષણિક મર્યાદિત સત્યોથી ભરેલી જુએ છે. જોકે, બૌદ્ધોથી વિપરીત, તેઓ ચોક્કસપણે માને છે કે તેઓ એક અખંડ શાશ્વત અમર્યાદિત સત્યના મંચ પર અસ્તિત્વ ધરાવે છે જે અર્થ અને મૂલ્યને અસ્તિત્વમાં રાખે છે. પહેલું સુલભ છે; બીજું દિવ્ય અને માયાવી છે. જીવનના અનુભવો મર્યાદિત અને ક્ષણિક આનંદ અને દુ:ખથી ભરેલા છે. દિવ્ય આધાર વિના, જીવન અર્થહીન, મૂલ્યહીન બની જાય છે.

આપણા બધાની અંદર અને બહાર કંઈક કાયમી અને એકરૂપ છે એવાં બ્રહ્મનો અસ્વીકાર શૂન્યવાદમાં પરિણમે છે, અને સ્વ (નિર્વાણ) ની વિસ્મૃતિ સાથે મઠના હઠાગ્રહ તરફ દોરી જાય છે, જ્યારે બ્રહ્મનો સ્વીકાર વ્યક્તિને જીવનની સુંદરતા, તેના રંગ, તેના રસ, તેની લાગણીઓ (ભાવ), તેના અનુભવો, નશ્વરતા દ્વારા વધુ સુંદર બનતી દિવ્યતાની વિવિધ અભિવ્યક્તિઓ તરીકે માણવા સક્ષમ બનાવે છે. તેથી, શંકરાચાર્ય દ્વારા, પુરાણોમાં વૈદિક સત્યોને ઉજાગર કરતાં હિન્દુ પૌરાણિક કથાઓના ઉત્તેજક પાત્રોને આપવામાં આવેલું મહત્વ તેમને સમગ્ર ભારતમાં, પર્વતોની ટોચ પર, ગુફાઓમાં અને નદીઓના સંગમ પર આવેલાં તીર્થ સ્થળોએ સ્થાયી કરે છે,. જોકે આ એક એવો વિચાર જે પરંપરાગત વૈદિક ધાર્મિક કર્મકાડીઓઓને ભયભીત કરશે.

ભારતમાં બૌદ્ધ ધર્મનો વિકાસ ન થયો તેનું એક કારણ કલાવ્યાસંગને ક્ષણિક ભોગવિલાસ તરીકે જોવું એવું કલાઓથી તેનું સ્પષ્ટ અંતર છે. તેનાથી વિપરિત , પૌરાણિક હિન્દુ ધર્મમાં દેવતાઓ વિવેક દૃષ્ટિની સમજણ વ્યકત કરવા માટે નૃત્ય અને ગાયન કરતા. બૌદ્ધ ઉચ્ચ વર્ગના લોકો બૌદ્ધ મંદિરોમાં, જનતામાં લોકપ્રિય એવી, ધાર્મિક વિધિઓથી દૂર રહ્યા. તેનાથી વિપરીત, શંકરાચાર્યને સમજાયું કે કથાઓ અને ગીતો લોકો સાથે કેવી રીતે સંકળાય છે અને જીવનના વિસ્તૃત દૃષ્ટિકોણનો માર્ગ કેવી રીતે બનાવે છે. તેથી તેમણે પૌરાણિક મંદિરો અને તેમની ધાર્મિક વિધિઓને એવી રીતે અપનાવી, જે પ્રમાણમાં વધુ સમાવિષ્ટ (જાતિવાદના નિયમો હજુ પણ પ્રચલિત હતા), અને વધુ કઠોર વિશિષ્ટ વૈદિક ધાર્મિક વિધિઓ કરતાં વધુ કલાત્મક અને જાહેર હતી. આમ થવાથી હિન્દુ ધર્મના તારણહાર તરીકે શંકરાચાર્યનીની લોકપ્રિયતા સ્થાપિત થઈઅ.

કયું ભાષ્ય, કવિતા, તીર્થયાત્રા, વિશ્વ દૃષ્ટિકોણ, કે ઈશ્વર વધારે શ્રેષ્ઠ કે વધારે વ્યાપક ભાગ છે તે અંગે દલીલ કરવાને બદલે, શંકરાચાર્ય ભારપૂર્વક કહે છે કે એકમાત્ર સત્ય જે મહત્વનું છે તે બ્રહ્મ છે, જે તર્ક અને દલીલ દ્વારા અપ્રાપ્ય છે, અને ફક્ત શ્રદ્ધા દ્વારા, વેદના માર્ગે જ પહોંચી શકાય છે.

શું આ વાસ્તવિકતા છે, કે વ્યૂહાત્મકતા છે? આપણે ખાતરીપૂર્વક કહી શકીએ તેમ નથી. પણ, આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે શ્રેષ્ઠ કંઈ નથી, અને બધું ભ્રામક ન હોય, તો પરસ્પર આદર, એકબીજાની અપૂર્ણતાઓ પ્રત્યે જાગૃતિ, અને પરસ્પર પૂરક અથવા પૂરક બનવાની સહાનુભૂતિ, વિકલ્પ તરીકે હોઈ શકે છે.

જ્યાં સુધી આપણે જ્ઞાનથી દૂર રહીએ છીએ ત્યાં સુધી શાંતિ આપણાથી દૂર રહે છે. જ્યારે આપણે આપણી યાત્રાને અન્ય દૃષ્ટિકોણથી કરીએ છીએ ત્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે - જેમ કે શંકરાચાર્ય તેમના ગુરુ, ચાંડાલ, ઉભય ભારતી અને અંતે તેમની માતા સાથે જોડાયા - અને એક વિશાળ દિવ્ય મનથી સ્વતંત્ર વાસ્તવિકતા, બ્રહ્મમાં વિશ્વાસ ધરાવતા થયા.

વાદવિવાદ

ઘણા લોકો માને છે કે શંકરાચાર્યનું દર્શન બૌદ્ધિક વર્ગ માટે છે, અને તેમની કવિતા અને તીર્થયાત્રાઓ ઓછા બૌદ્ધિક લોકો માટે છે. આ નમ્ર સૂચન ઘણીવાર એવા લોકો દ્વારા કરવામાં આવે છે જેઓ પોતાને બૌદ્ધિક માનતા હોય છે કારણ કે તેઓ શંકરાના વિવિધ કાર્યને એકીકૃત સમગ્ર તરીકે જોવામાં નિષ્ફળ જાય છે.

ઘણા લોકો માને છે કે શંકરાચાર્યનું દર્શન બૌદ્ધિક વર્ગ માટે છે, અને તેમનું પદ્ય અને તીર્થયાત્રાઓ ઓછા બૌદ્ધિક લોકો માટે છે. આ નમ્ર સૂચન ઘણીવાર એવા લોકો દ્વારા કરવામાં આવે છે જેઓ પોતાને બૌદ્ધિક માનતા હોય છે કારણ કે તેઓ શંકરાચાર્યના વિવિધ કાર્યને એકીકૃત સમગ્ર તરીકે જોવામાં નિષ્ફળ જાય છે.

ભારતીય ઇતિહાસના કોઈપણ પ્રાચીન અથવા મધ્યયુગીન વ્યક્તિની જેમ, શંકરાચાર્યના જીવન વિશેની કાલ્પનિક કૃતિઓથી હકીકતને અલગ કરવી મુશ્કેલ છે. વિદ્વાનોને ચોક્કસપણે કહી શકે તેમ નથી કે તેમની કઈ સાહિત્યિક કૃતિઓ પ્રમાણિત રૂપેતે તેમની છે, અને કઈ કૃતિઓ કાયદેસરતા અથવા લોકપ્રિયતા મેળવવા માટે તેમને આભારી છે. કોઈ શું પસંદ કરે છે તેના આધારે, શંકરાચાર્યને શિવના અવતારમાં ફેરવી શકાય છે, હિન્દુ ધર્મના આર્ષપ્રણેતા જેણે બૌદ્ધોને હાંકી કાઢ્યા, એક અદ્ભુત અને ફળદાયી તર્કશાસ્ત્રી અને કવિ, એક સવર્ણ જાતિવાદી હિન્દુ, કે વિરોધાભાસનો સમાધાન કરનાર તરીકે મુકી શકાય છે. 

સૌથી રસપ્રદ વાત એ છે કે તેમના જન્મ પછી સદીઓ પછી લખાયેલી તેમની (અતિશયોક્તિપૂર્ણ) જીવનકથાઓ ને ઘણીવાર દિગ્-વિજય તરીકે ઓળખવામાં આવે છે, જેમાં મંદન મિશ્રા જેવા ફિલસૂફ સાથેના તેમના મુકાબલાઓનું વર્ણન લડાયક અને વિજયી શબ્દોમાં કરવામાં આવ્યું છે.

વાદવિવાદમાં બૌદ્ધિકોને હરાવવાના આ જુસ્સાનો સંબંધ જ્ઞાનનો વિસ્તાર કરવા કરતાં અહંકારને પ્રેરિત કરવાનો વધારે જણાય છે. ખરો વૈદિક ફિલસૂફ આવી પ્રવૃત્તિમાં જોડાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે, કારણ કે વેદ અહંકાર (અહમ) ને ગ્રહણ તરીકે જુએ છે જે, દરેકની અંદર આત્મા તરીકે રહેતા, બ્રહ્મ પ્રત્યેના આપણા દૃષ્ટિકોણને અવરોધે છે..

અહંકાર હિંસા અને ઉલ્લંઘન પર ખીલે છે અને તેથી ચર્ચા (સમ-વાદ) કરતાં દલીલ (વિ-વાદ) પસંદ કરે છે. વિ-વાદચર્ચાને, આપણે સમજવા માટે નહીં પણ જવાબ આપવા માટે સાંભળીએ છીએ, આમ અજ્ઞાન (અવિદ્યા) માં ફસાયેલા રહીએ છીએ. સમ-વાદ ચર્ચાને, આપણે આપણા વિચારોને સુધારવા, જ્ઞાન (વિદ્યા) મેળવવા માટે સાંભળીએ છીએ. કદાચ શંકરાચાર્ય વિશેની આપણી સમજ તેમના, પ્રભુત્વના વિચારને પસંદ કરતા, બિન-બૌદ્ધિક ચાહકો અને અનુયાયીઓની મહત્વાકાંક્ષાઓથી ખડાયેલી છે. આ વાત પરિચિત લાગે છે ને? 

પરંતુ આપણે ખરાબ વિચારમાં રહીને જેટલો વધુ દલીલ કરીએ છીએ, તેટલા જ આપણે તેમાં ફસાઈએ છીએ. આપણે વફાદાર વિરોધમાં પરિણમીએ છીએ. આ અભિગમનેને છોડી દેવો અને વૈકલ્પિક વિચારો શોધવા એ વધુ મહત્વનું છે. આ નિબંધ આ વૈકલ્પિક વિચારને રજૂ કરવાનો પ્રયાસ છે: જગતને મિથ્યા, બ્રહ્મને સત્યમ (શ્લોક ૨૦, બ્રહ્મજ્ઞાનાવલિમાળા) તરકે જોઈએ; અનુભવને ભુંસી કાઢવા કે હિન્દુ સર્વોપરિતા સ્થાપિત કરવા માટેના નિવેદન તરીકે નહીં, પરંતુ અનેક વિચારોને સ્વીકૃતિ આપવા, સ્વીકારવા અને આત્મસાત કરવા, ભારતમાં અને વૈશ્વિક ગ્રામમાં, વિવિધતામાં એકતા શોધવા માટેનાં એક સરળ માળખા તરીકે જોઈએ.


  • Scroll.in માં ૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, How Adi Shankaracharya united a fragmented land નો અનુવાદ  | હિંદુ  પુરાણશાસ્ત્રવિદ્યા, વિશ્વ  પુરાણશાસ્ત્રવિદ્યા

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ૨૬ ઓગસ્ટ ૨૦૨૬

બુધવાર, 19 ઑગસ્ટ, 2026

શતમ્ જીવ શરદ: - ૫ચાસે પહોંચ્યા પછી, મનની શાંતિ જળવાઈ રહે એ સારૂ, તમારી નાણાકીય સ્થિતિમાં પાચ ફેરફાર આવશ્યક બની રહે છે

 

હવે પછીનું જીવન કેવું રહેશે?

આપણામાંથી ઘણા લોકો માટે, ૫૦ અને ૬૦ ના દાયકામાં, આ પ્રશ્ન હવે કાલ્પનિક નથી રહ્યો - તે વ્યક્તિગત છે. આપણે સ્વસ્થ છીએ, લાંબું જીવીએ છીએ અને જીવનના હજુ બીજા ૩૦-૪૦ સક્રિય વર્ષોના ઉંબરે ઉભા છીએ. પરંતુ જ્યારે આયુષ્ય વધ્યું છે, ત્યારે તે સમય સાથે શું કરવું તે અંગે સ્પષ્ટતા સમય સાથે તાલ મેળવી શકી નથી.

વિચાર કરી મૂકતી આ શ્રેણી, Live to 100”. માં સંજય મેહતા આપણને થોભીને, વધતી ઉમર વિશે નહીં પણ જીવનને વધારે ઉંડાણથી જીવવા વિશે, વિચાર કરવાનું કહે છે.

શુક્રવાર, 14 ઑગસ્ટ, 2026

સજા ન કરીએ, સુધારવાની તક બતાવીએ

તન્મય વોરા

ઘણી સંસ્થાઓમાં આ મુજબની કાર્યપ્રણાલી જોવા મળે છે -
 

સંસ્થાની કાર્ય પ્રક્રિયાઓનું ઘડતર ISO જેવાં કેટલાંક ચોક્કસ માપદંડો કે ધારાધોરણોને પ્રમાણિત કરવાના ઉદ્દેશ્યથી થતું હોય છે. સમગ્ર સંસ્થામાં એ કાર્ય પ્રક્રિયાઓ એમ સમાન રીતે અમલ કરવામાં આવતી હોય છે. પરિણામે કાર્ય પ્રક્રિયાઓ કર્ય કરવાની સ્વાભાવિક લય ચુકીને માત્ર નિશ્ચિત ધારાધોરણનાં અનુપાલનનું માધ્યમ બની જાય છે. કેટલીકવાર, સંસ્થાના સંચાલન અગ્રણીઓ વ્યક્તિઓના કાર્યસિદ્ધિ પ્રદર્શનને અનુપાલનના સ્તરની સાથે જોડવાની જાળમાં ફસાઈ જાય છે. પરિણામે, સંસ્થામાં "મર્યાદા"સિમિત  માનસિકતાનું વાતાવરણ ઘેરાઈ જાય  છે. જો લોકો અનુપાલન કરવામાં અસફળ રહે, તો તેમને સજા કરવામાં આવતી હોય છે. આપણે પ્રક્રિયા પાલનના એટલે હદે હઠાગ્રહી બનવા લાગીએ છીએ કે લોકો વાસ્તવિક અને વ્યવહારિક સ્તર  મુદ્દાઓનો સામનો કરી રહ્યાં હોય છે તે આપણી નજરમાં નથી આવતા.

મેં મારાં પુસ્તક #QUALITYtweet – 140 bite-sized ideas to deliver quality in every projectમાં લખ્યું છે કે પ્રક્રિયાને ગુણવત્તા ઘડતરના સાધન તરીકે નહીં ગણીએ, તો પ્રક્રિયા આપણને દોરવણી આપવાની વૃત્તિ ધરાવવા લાગે છે.

મારા મતે આમ થવું ખૂબ જ પ્રતિ-ઉત્પાદક છે. પ્રક્રિયા સુધારણા માટે જવાબદારા અગ્રણીઓ માર્યાદા-સિમિત માનસિકતાનાં કોચલામાંથી બહાર નીકળીને પ્રક્રિયા અમલનો અભ્યાસ કરે તે જરૂરી છે.

 લોકો કોઈ પ્રક્રિયાને અનુસરતા નથી, ત્યારે તેનો અર્થ એ થાય છે કે કાં તો તેઓ પ્રક્રિયાનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી અથવા  પ્રક્રિયાની જે રીતે બાંધણી  કરાઈ છે તે તેમના માટે કામ કરતી નથી. બંને કિસ્સાઓમાં, પ્રક્રિયાને મૂળથી સુધારવાની તક છે.

અહીં કેટલાક પ્રશ્નો રજૂ કર્યા છે જે જ્યારે કોઈ પ્રક્રિયા કામ કરતી નથી ત્યારે આત્મનિરીક્ષણમાં મદદ કરી શકે છ, :

·       શું આ પ્રક્રિયા (અથવા પેટા-પ્રક્રિયા) ખરેખર લોકોને તેમનું કાર્ય વધુ સારી રીતે કરવામાં મદદ કરે છે?

·       શું લોકોને જાણે છે કે આ પ્રક્રિયા શા માટે જરૂરી છે અને તે તેમને વધુ અસરકારક કેવી રીતે બનાવી શકે છે? શું તેઓ આ પ્રક્રિયા રાખવા પાછળના હેતુ વિશે સ્પષ્ટ છે?

·       શું આ પ્રક્રિયા (અથવા પેટા-પ્રક્રિયા) ને એવી રીતે વધુ સરળ બનાવી શકાય જેથી જે છે એટલી , કે વધુ સારી રીતે, અસરકારક બની રહે?

·       શું કોઈ એવું કાર્ય નજરે ચડે છે કે જે વર્તમાન પ્રક્રિયાઓના સમૂહમાં આવરી લેવાયેલ નથી?

·       શું લોકોને પ્રક્રિયા કેવી રીતે કરવી તેની પુરતી જાણ ન હોય તો વધારાની કેવી અને કઈ તાલીમ/કાઉન્સેલિંગની જરૂર છે? શું સસ્થા પાસે એ માટે જરૂરી માર્ગદર્શન/સંદર્ભો ઉપલબ્ધ છે?

·       શું સંસ્થામાંના મધ્યમ સ્તરમાં આવેલા સંચાલકો પ્રક્રિયાઓ રાખવા માટેના સંસ્થાના દૃષ્ટિકોણ સાથે વૈચારિક અને લાગણીના સંબંધે સંકળાયેલા છે, તેમની ટીમનાં સભ્યો પ્રક્રિયાને સહેતુક અનુસરે એ માટે પોતાનાં વાણી અને વર્તનથી યોગ્ય દાખલો બેસાડી રહ્યા છે?

મુખ્ય વાત: પ્રક્રિયાઓનો અમલ કરતી વખતે વ્યવહારિક અભિગમ અપનાવાય એવું વાતાવરણ સર્જાતું અને જળવાતું રહેવું જરૂરી છે.જ્યારે પ્રક્રિયાઓનું પાલન ન થતું હોય, ત્યારે લોકોને તરત જ ટપકારવાને બદલે, ઘણીવાર "શા માટે?" (પાલન નથી થઈ શકતું) એમ પૂછવું જોઈએ. પાલન ન કરવાના મૂળ સુધી પહોંચવાથી તમને વાસ્તવિક સમસ્યા શું છે તે જાણવા મળશે. પાલન ન થવું એ ફક્ત એક દેખીતી ઘટના છે. યોગ્ય પ્રશ્નો પૂછવામાં અને તેમના જાવાબો શોધવામાં, તેમજ પ્રક્રિયા ખરેખર હેતુને પૂર્ણ કરેવા માટે સુસંગત અને પર્યાપ્ત છે તેનું મૂલ્યાંકન કરવામાં તમારી ટીમના દરેક  સભ્યને સામેલ કરો.

સ્રોત સંદર્ભ::  Don’t Just Punish Them If They Don’t Comply

- - - . . . - - - . . . - - -

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

બુધવાર, 12 ઑગસ્ટ, 2026

ટ્રાન્સજેન્ડર (અન્ય લૈંગિક) વિરુદ્ધ સમલિંગકામી - દેવદત્ત પટ્ટનાઈક

 

ગ્રીક પૌરાણિક કથાઓમાં, પુરુષો પુરુષોને પ્રેમ કરે, અને સ્ત્રીઓ સ્ત્રીઓને પ્રેમ કરે એવી સમલૈંગિક પ્રેમની ઘણી કથાઓ છે. એપોલો હાયસિન્થસના પ્રેમમાં પડે છે, જ્યારે તેની બહેન આર્ટેમિસ કેલિસ્ટોને એક પુરુષ તેને ગર્ભવતી કરે છે ત્યારે તે તેને ભગાડી જાય છે. હિન્દુ પૌરાણિક કથાઓમાં, આપણને આવી કથાઓ મળતી નથી. પરંતુ આપણને ટ્રાન્સજેન્ડરોની વાર્તાઓ મળે છે: પુરુષો સ્ત્રીઓમાં ફેરવાય છે, સ્ત્રીઓ પુરુષોમાં ફેરવાય છે. વિષ્ણુ એક કન્યા બને છે અને શિવ અર્ધ-સ્ત્રી બને છે. તેથી જ્યારે ગ્રીક પૌરાણિક કથાઓ સમલૈંગિક જાતીયતા (અદ્રશ્ય લાગણીઓ)ને સ્વીકારતી જણાય છે, ત્યારે હિન્દુ પૌરાણિક કથાઓ સમલિંગ કામી (દૃષ્ટિગોચર શરીર)ને સ્વીકારતી જોવા મળે છે.

ટ્રાન્સજેન્ડરોની ગ્રીક પૌરાણિક કથાઓ છે, જેમ કે ટાયરેસિયસની કથામાંતે નાગણીને મારી નાખે છે ત્યારે તે સ્ત્રી બને છે. પરંતુ આ પ્રબળ સૂર નથી. તેવી જ રીતે, સમલૈંગિકતા હિન્દુ પૌરાણિક કથાઓમાં પ્રબળ સૂર નથી, જોકે શુદ્રી-બ્રાહ્મણિ તીર્થ જેવી કથાઓ સમલિંગ રતિ નારીઓનો પ્રેમ દર્શાવે છે.

આ વિભાજન આધુનિક LGBTIQ રાજકારણમાં જોવા મળે છે. ગ્રીક પૌરાણિક કથાઓથી પ્રભાવિત પાશ્ચાત્ય સંસ્કૃતિ, ટ્રાન્સજેન્ડર કરતાં સમલૈંગિકતાને વધુ સ્વીકારતી જોવા મળે છે. તેનાથી વિપરીત, હિન્દુ પૌરાણિક કથાઓથી પ્રભાવિત ભારત, સમલૈંગિકો કરતાં ટ્રાન્સજેન્ડરો સાથે વધુ સહાનુભૂતિ દર્શાવે છે. તેથી, આપણી પાસે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે, જે ટ્રાન્સજેન્ડર અધિકારો વિશે ખૂબ જ આરામથી બોલે છે, પરંતુ યોગ નિષ્ણાત અને FMCG ગુરુ રામદેવ બાબા, સ્મલિંગ કામી પુરુષો વિશેના અધિકારોનો જોરશોરથી વિરોધ કરી રહ્યા છે, તેઓ તો આગ્રહ રાખે છે કે તે એક રોગ છે જેનો ઉપચાર શાસોચ્ચશ્વાસ દ્વારા થાય તે જરૂરી છે. ઉજ્જૈન ખાતે સિંહસ્થ કુંભ મેળામાં, સરકારને ટ્રાન્સજેન્ડરો (સ્થાનિક રીતે કિન્નર તરીકે ઓળખાતા) માટે શૌચાલય પૂરા પાડવામાં કોઈ સમસ્યા નહોતી. અમેરિકામાં ટ્રાન્સજેન્ડરોના શૌચાલય અને ટ્રાન્સજેન્ડર લોકો માટે પૂરવ્ગ્રહ ધરાવતા નારીવાદીઓના ઉદય પરની ચર્ચાઓ સાથે આની તુલના કરો.

અબ્રાહમિક ધર્મો સમલૈંગિકતા અને લિંગના બધા સંદર્ભોને ટાળે છે. ઈશ્વર સ્પષ્ટપણે પુરુષ છે અને તેમના મોટાભાગના અગ્રણી પયગંબરો પણ પુરુશછે. ડેવિડ અને શાઉલના પુત્ર જોનાથન વચ્ચે સમલૈંગિક પ્રેમની કથાઓ પરંતુ ધ્યાન, ભગવાન દ્વારા નાશ કરવામાં આવ્યો હતોએવાં, સદોમ અને ગોમોરાહ શહેરો પર છે કારણ કે આ શહેરના રહેવાસીઓ સમલૈંગિકોનો આનંદ માણતા હતા. આ પૌરાણિક કથાઓમાંથી વધુ રૂઢિચુસ્ત યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામિક સમુદાયોમાં જોવા મળતો સમલૈંગિકતા માટેનો અને સમલિંગકામીઓ માટેનો ભય નિપજ્યો.

ભારતમાં સમલૈંગિકતા માટેના અને સમલિંગકામીઓ માટેના ભયનાં મૂળ રૂઢિચુસ્ત ખ્રિસ્તી અને ઇસ્લામિક સમુદાયોમાંથી અને હિન્દુ ધર્મને અબ્રાહમિક તરાહ પર ફરીથી ગોઠવવાનો પ્રયાસ કરતા હિન્દુ સર્વોપરીવાદીઓમાંથી શોધી શકાય છે. રસપ્રદ વાત એ છે કે, મધ્ય પૂર્વ અને મધ્ય એશિયાના ઘણા ભાગોમાં, બચ્ચા-બાઝી (પુરુષ-છોકરા કામુક સંબંધો) ની પ્રથા પ્રચલિત છે, અને સ્ત્રી ટ્રાન્સજેન્ડરોને સ્ત્રીઓ તરીકે જોવામાં આવે છે, પરંતુ બંનેમાંથી કોઈને અકુદરતી અથવા ક્વિઅર હોવાનું ઠેરવવામાં આવતું નથી. હિન્દુ, બૌદ્ધ અને જૈન સાહિત્યમાં ત્રણ લિંગનો સ્પષ્ટ ઉલ્લેખ છે: પુરુષ, સ્ત્રી અને ક્વિઅર. એવા પુરુષો માટે, સંસ્કૃતમાં ક્લીબ; પાલીમાં પંડક ઘણા શબ્દો છે જે સંપૂર્ણપણે પુરુષો નથી અને સ્ત્રીઓ જે સંપૂર્ણપણે સ્ત્રીઓ નથી.. કોઈ પણ નકારી શકે નહીં કે ટ્રાન્સજેન્ડર ભારતીય સંસ્કૃતિનો ભાગ છે.

પણ સમલૈંગિકતા? પુરુષો પુરુષોને પ્રેમ કરે છે અને સ્ત્રીઓ સ્ત્રીઓને પ્રેમ કરે. તે એટલું સ્પષ્ટ નથી, અને અર્થઘટન અને દલીલ માટે અવકાશ રહે છે. મંદિરોમાં, દેવી ઘણીવાર બીજી દેવી સાથે સ્થાપિત હોય છે; મંદિરની દિવાલો પર આપણને બે ઋષિઓ હંમેશા સાથે જોવા મળે છે. આપણે આ મૂર્તિઓઓ કેવી રીતે સમજીએ છીએ? જો તમે મૂળભૂત રીતે માનતા હો કે કોઈપણ પ્રકારની કામક્રીડા ખરાબ છે અને તમારી કામવાસનાઓથી શરમ અનુભવો છો, તો સમલૈંગિકતા (અથવા તેના હળવાં લાગતાં સંસ્કરણો), સમકામવાસના અને સમસામાજિકપ્રિયતાનાં સૂચન પણ તમારાં આંતરવસ્ત્રને ઊંચુંનીચું કરી નાખી શકે છે.

  • મિડ-ડે માં ૧૮ સપ્ટેમ્બર૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખTransgenders versus homosexualsનો અનુવાદ  | હિંદુ  પુરાણશાસ્ત્રવિદ્યા, વિશ્વ  પુરાણશાસ્ત્રવિદ્યા

અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ  ૧૨ ઓગસ્ટ ૨૦૨૬

શુક્રવાર, 7 ઑગસ્ટ, 2026

એવું કંઇક કરીએ જે બીજાં માટે પ્રેરક કહાની બની રહે

ઉત્પલ વૈશ્નવ
મારાં વ્યવસાય-વિશ્વને કર્મચારીઓ થકી

ઘડવામાં મને ક્યારેય રસ નથી પડ્યો.


હા, લોકો દાખલ જરૂર કર્મચારીઓ તરીકે થાય છે. 

પરંતુ અમે એવું વાતાવરણ રચીએ છીએ કે એ લોકો 
ઉદ્યોગ સાહસિક તરીકેની ભાવનાથી ખીલે.

એમાંથી કેટલા ઉદ્યોગ સાહસિકો પણ પાકે છે. .

- કેટલાક અમારી  EightQor પારિસ્થિતિકી તંત્રવ્યવસ્થામાં નીવડે છે.
- કેટલાક બહાર જઈને ઉભરે છે.

જીત તો બન્ને કિસ્સાઓમાં છે. 
કેમકે સંસ્થા માટે ખરાં પરિણામ
તેનં ઉત્પાદનો કે તેણે ઊભી કરેલી નવી કંપનીઓ જ નથી.

એ તો નવઘડતર કરનારાંઓ છે. 

મારૂં કામ એ મોકળાશ ઊભી કરવાનું છે. 

તમારૂં કામ છે એવું કંઇક કરવાનું  જે બીજાં માટે પ્રેરક કહાની બની રહે.

+        +       +

પાદ નોંધઃ


થોડા દિવસો પહેલાં મેં
વિનય કામથનું પ્રેરક પુસ્તક, Titan: Inside India's Most Successful Consumer Brand  વાંચ્યું હતું. 

પરંતુ એ પુસ્તક પરથી બનેલી વેબસિરીઝ જોવા માટે મને આગ્રહપૂર્વકનું સૂચન ૬,૨૩૦ કિ. મી.. દૂર બેઠેલ કવિતાએ કર્યું.

મને એ સૂચન બહુ જ આનંદદાયક નીવડ્યું.

ઘણી વાર આપણે કેટલીય વાતો જાણતાં હોઈએ છીએ. 

પરંતુ  એ વિશેનો કોઈ અલગ જ અનુભવ આપણામાં નવો જ દૃષ્ટિકોણ ખોલી આપે છે. 

આ વેબ સિરીઝ જોવી એ પણ એવો જ એક અનુભવ રહ્યો..

હવે મારી અંદર માત્ર કંપનોઓ કે કપનીઓનું ઝુમખું નહીં, પણ Tata Group જેવી સસ્થાનું ઘડતર કરવાનો તણખો પ્રગટ્યો છે.  

+        +       +

થોડાં વર્ષો પછી #LifeAtUpsquare યાદ કરીને કહેશે - 'ટાઈટન યાદ આવે છે?"

રૂમમાં બેઠેલ દરેકને બરાબર ખ્યાલ આવી જશે કે શેની વાત થઈ રહી છે. 


ગયે અઠવાડીયે
, અમે બધાંએ એક સાથે વેબસિરીઝ Made in India: A Titan Story જોઈ.

એક બેઠકે નહીં. 

દરરોજના બબ્બે કલાક કરીને ત્રણ દિવસ લાગ્યા.

પહેલે દિવસે મધ્યાંતરમાં બધાંએ પૉપકૉર્નની મજા માણી. 

બીજે દિવસે બધાં પોતાનાં લચબોક્ષમાં કંઈક ને કંઇક વાનગીઓ લઈ આવ્યાં હતા. શાળાના દિવસોની જેમ બધાંએ દાબડા ઉજાણી કરી. અમારી ટેક કંપની એ દિવસે શાળાના રિયુનિયનના મુડમાં ફેરવાઈ ગઈ હતી. 

ત્રીજે દિવસે સિરીઝ પુરી થઈ એટલે ટેરેસ પર પાણીપુરીની જ્યાફત પણ માણી. 

આ બધાં વચ્ચે અમે સંસ્થાના ઘડતરની પરિકલ્પનાનું ચિત્ર પણ મનમાં દોરી લીધું.

જ્યારે પરિણામોમાં અનિશ્ચિતતા દેખાતી હોય ત્યારે ધીરજ રાખવાનું મૂલ્ય સમજાયું. 

પુરાવો દેખાય તે પહેલાં ભરોસાની પ્રતિતી કરવાનું સમજાયું.

કંઇ પણ નિશ્ચિત, નક્કર દેખાવા લાગે તે પહેલાં તેની પાછળ લાગેલી વર્ષોની જહેમતની કિંમત સમજાઈ. 

પરંતુ, કોઈ અનુભવને સાથે અનુભવવાની ખરી ખુબી પછીથી કળાવા લાગે છે. 

કંપનીના દરેક સભ્ય પાસે હવે એક સમાન સદર્ભ રેખા છે.

મહિનાઓ પછી જ્યારે કોઈ વાત સમજાવવાની થશે ટાઈટનના કોઇ વિચારનાં દૃશ્યોને જ યાદ કરાવવાનાં રહે. તો કોઈએ ટાઈટનનાં કોઈ પાત્ર, કે નિર્ણય-પ્રક્રિયા કે પેલી મુશ્કેલ ઘડીઓની યાદ કરાવવાની રહે. 

ચર્ચાઓ માટે મિટિંગો કે પ્રેઝન્ટેશન વગેરે , કદાચ, જરૂર જ ન પડે. 

સંદર્ભ તો બધાંની આંખ સામે જ છે.

#Upsquareની બાબતે પણ આપણે એવું જ વિચારતાં થઈશું.

દરેક કંપનીની પોતપોતાની ભાષા, ધીમે ધીમે, વિકસવા લાગે છે.

કંઈક કામ શીખવે છે.

કંઈક નિષ્ફળતાઓ શીખવી જાય છે.

કંઈક લોકો અંદરોઅંદર એ બીજને વિકસાવી લે છે.

તો કેટલુંક સાથે રહીને થયેલા અનુભવો શીખવવાનું સિંચન કરે છે. 

કંપનીની સંસ્કૃતિના મૂળિયાં કંપનીના લોકોનાં સંસ્મરણોનાં જાળાંઓના સમુહોમાં કાયમનો વસવાટ કરે છે. 

માટે જ, જે યાદો આપણે સર્જીએ છીએ તે વિશે થોડું વધારે વિચારશીલ થઈએ.


ઉત્પલ વૈશ્નવની લેખમાળા #DhandheKaFunda ના મૂળ લેખ,  Your work is to build something worth telling a story about નો અનુવાદ

અનુવાદક અશોક વૈષ્ણવ, અમદાવાદ | ૭ ઓગસ્ટ ૨૦૨૬

બુધવાર, 5 ઑગસ્ટ, 2026

પત્રિકા સાહિત્ય, ૧૯૪૩ - જ્યોર્જ ઑર્વેલ

 

એક હજાર શબ્દોમાં પંદર પત્રિકાઓની પર્યાપ્ત સમીક્ષા કરી શકાય તેમ નથી, મેં પંદરની સંખ્યા એટલા સારુ પસંદ કરી છે કે તેમ કરવાથી વર્તમાન પત્રિકાઓના નવ મુખ્ય પ્રકારન પ્રવાહોમાંથી આઠનું પ્રતિનિધિત્વ કરે છે. (ખુટતો પ્રકાર શાંતિવાદ છે: મારી પાસે તાજેતરનો શાંતિવાદી પત્રિકા નથી.) તાજેતરના વર્ષોમાં પત્રિકાઓના પુનરુત્થાનમાં કેટલીક વિચિત્ર સુવિધાઓ સમજાવવાનો પ્રયાસ કરતા પહેલા, હું તેમને અલગ અલગ શીર્ષકો હેઠળ, ટૂંકી ટિપ્પણીઓ સાથે અહીં સુચિબદ્ધ કરીશ..

સાહિત્યિક શિષ્ટ ચોપાનિયાં 

૧.. ડાબેરી વિરોધી અને અણછતું-ફાશીવાદી: એ સોલ્જર્સ ન્યુ વર્લ્ડ. 2d. (ઉપ-શીર્ષક, 'શિબિરમાં લખાયેલ એક વિષયાંતર-વિરોધી પત્રિકા'; આ ઉચ્ચ કક્ષાનું વલણ ધરાવે છે અને સાબિત કરે છે કે સામાન્ય માણસ સમાજવાદ ઇચ્છતો નથી. મુખ્ય વાક્ય: 'કાબેલ લોકો ક્યારેય સરળ વસ્તુઓમાં આનંદ માણવાનું શીખ્યા નથી'.) ગોલાંઝ ઈન જર્મન વન્ડરલેન્ડ. 1s. (વેન્સિટારટાઇટ). વર્લ્ડ ઑર્ડર અથવા વર્લ્ડ રુઈનર. 6d. (આયોજન-વિરોધી; જી. ડી. એચ. કોલેએ ખંડન કરેલ.)
૨.. રૂઢિચુસ્ત: બોમ્બર કમાન્ડ કન્ટીન્યુઝ. 7d. (સત્તાવાર પત્રિકાનો સારો નમૂનો.)
૩. સમાજવાદી લોકશાહીની હિમાયત: ધ કેસ ઓફ ઑસ્ટ્રિયા. 6d. (ફ્રી ઑસ્ટ્રિયન મૂવમેન્ટ દ્વારા પ્રકાશિત.)
૪. સામ્યવાદી: ક્લિઅર આઉટ હિટલર'સ એજન્ટ્સ. 2d. (ઉપ-શીર્ષક, 'બ્રિટનમાં ટ્રોત્સ્કીવાદી વિક્ષેપનું પ્રદર્શન; અતિશય અપ્રમાણિક.)
૫. ટ્રોત્સ્કીવાદી અને અરાજકતાવાદી : ધ ક્રોનસ્ટાડ્ટ રિવોલ્ટ. 2d. (અરાજકતાવાદી પત્રિકા, મોટે ભાગે ટ્રોત્સ્કી પર હુમલો.)
૬. બિન-પક્ષીય કટ્ટરપંથી: વ્હૉટ'સ રોંગ વિથ ધ આર્મી? 6d. (એક હર્રીકેન પુસ્તક, સારી રીતે માહિતગાર અને સારી રીતે લખાયેલ બ્લિમ્પ વિરોધી દસ્તાવેજ.) આઈ, જેમ્સ બ્લન્ટ. 6d. (રૂંવાડાં ઉભું કરી દે એવું; એવી વાજબી ધારણા પર આધારિત કે અંગ્રેજ લોકોના મોટાભાગનાએ હજુ સુધી ફાશીવાદ વિશે સાંભળ્યું નથી.) બેટલ ઑફ જાયન્ટ્સ. કિંમત નથી જણાવાઇ, કદાચ 6d. (લોકપ્રિય બિન-સામ્યવાદી રશિયા તરફી સાહિત્યનો રસપ્રદ નમૂનો.)
૭. ધાર્મિક: એ લેટર ટુ ધ કન્ટ્રી ક્લર્જીમેન. ૨ સે. (ફેબિયન પેમ્ફલેટ, ડાબેરી એંગ્લિકન.) લડવૈયાઓ એવર. ૬ સે. (બુચમેનને સાચા ઠેરવાયા છે.)
૮. મહામૂર્ખ: બ્રિટન'સ ટ્રાયમ્ફન્ટ ડેસ્ટિની, અથવા રાઈચસનેસ નો લોન્ગ ઑન ધ ડીફેન્સીવ . ૬ સે. (બ્રિટિશ ઇઝરાયલ, પુષ્કળ ચિત્રો સાથે.) વ્હેન રશિયા ઇન્વેડ્સ પેલેસ્ટાઇન. ૧ સે. (બ્રિટિશ ઇઝરાયલ. લેખક, એ. જે. ફેરિસ, બી. એ., એ સંબંધિત વિષયો પર પત્રિકાઓની લાંબી શ્રેણી લખી છે, જેમાંથી એકનું ભારે વેચાણ થયું છે. ૧૯૪૦માં પ્રકાશિત તેમનું "વ્હેન રશિયન બોમ્બ્સ જર્મની",ની ૬૦,૦૦૦ થી વધુ નકલ વેંચાઈ હતી.) 'સિવિસ બ્રિટાનિકસ સમ' નું ‘હિટલર'સ સ્ટોરી એન્ડ પ્રોગ્રામ ટુ કોન્ક઼ર ઈંગ્લેન્ડ. ૧ સે. (નમૂનાનો ફકરો: 'રમત રમવી' એ એક મહાન બાબત છે, અને એ જાણવું કે કોઈ તેમ કરી રહ્યું છે. પછી, જ્યારે એવો દિવસ આવે છે કે દિવસ પુરો થયે સ્ટમ્પ ઉપાડી લેવામાં છે કે છેલ્લી વાર સીટી વાગે છે:

ધ ગ્રેટ સ્કોરર તમારા છેલ્લા નામ સામે લખવા આવશે,

તમે જીત્યા છો કે હારી ગયા છો તે નહીં; પણ તમે રમત કેવી રીતે રમી.')

મેં જે થોડા નામ આપ્યા છે તે તો પત્રિકા સાહિત્યના સમુદ્રમાં ફક્ત એક ટીપું છે. તેમાંથી બને એટલું વધારે જાતનું સાહિત્ય મળી શકે એ માટે મેં એવાં ઘણા બધાનો સમાવેશ કર્યો છે જેના વિશે સરેરાશ વાચકે સાંભળ્યું પણ હશે. આ નાના નમૂનામાંથી કોઈ શું તારણો કાઢી શકે છે?

રસપ્રદ હકીકત જે સરળતાથી સમજાવી શકાતી નથી તે એ છે કે પત્રિકા સાહિત્યકરણ લગભગ ૧૯૩૫ થી પુર જોશમાં પુનર્જીવિત થયું છે,અને તે પણ ખરેખર મૂલ્યનું કંઈપણ પેદા કર્યા વિના. છેલ્લા છ વર્ષ દરમિયાન બનાવેલ મારો પોતાના સંગ્રહનો આંકડો ઘણા સેંકડોમાં હશે, પરંતુ તેમ છતાં, કદાચ કુલ નિપજના દસ ટકા જેટલું પણ એ પ્રતિનિધિત્વ કરતું નથી. આમાંની કેટલાક પત્રિકાઓનું ખૂબ જ વેચાણ થયું છે. ખાસ કરીને ધાર્મિક અને દેશભક્તિપૂર્ણ વિષયોની પત્રિકાઓ, જેમ કે શ્રી ફેરિસ, બી. એ. ની કે હિટલર'સ લાસ્ટ વિલ એન્ડ ટેસ્ટામેન્ટ જેવી ગંદા પત્રિકાઓ લાખોમાં વેચાયા હોવાનું કહેવાય છે. સીધી રાજકીય પત્રિકાઓ ક્યારેક મોટી સંખ્યામાં વેચાય છે, પરંતુ કોઈપણ પક્ષની મુખપત્ર જેવી હોય છે તેનો પ્રસાર બનાવટી હોવાની શક્યતા છે. મારા સંગ્રહમાંથી જોતાં, મને લાગે છે કે એવી પત્રિકાઓ લગભગ બધી જ કચરો છે. એ બધી ફક્ત ગ્રંથસૂચિ માટે રસપ્રદ છે.

જોકે મેં વર્તમાન પત્રિકાઓને નવ શીર્ષકો હેઠળ વર્ગીકૃત કરી છે, તેમ છતાં એમને મૂળત:, પક્ષની મુખપત્રિકાઓ કે ભવિષ્યવાણી કરતી પત્રિકાઓ એમ બે વિચારધારાઓમાં મુકી શકાય. એ ક્યાં રો એકહથ્થુ સત્તનો વાણીવિલાસ છે કે વહેમીલાં વિષયોનો બકવાસ છે, પરંતુ દરેક કિસ્સામાં તે છે તો સાવ બકવાસ જ. વાંચનનો વિષય માનવામાં આવે છે એવી ફેબિયન સોસાયટીની સુમાહિતગાર પત્રિકાઓ પણ નિરાશાજનક રીતે નીરસ હોય છે. સૌથી જીવંત પત્રિકાઓ લગભગ હંમેશા બિન-પક્ષીય હોય છ, જેનું એક સારું ઉદાહરણ બ્લેસ'એમ ઓલ છે, જેની કિમત એ શિલંગ અને ૬ પેન્સ છે, તો પણ તેની ગણના એક પત્રિકા તરીકે થાય છે.

 

પુસ્તકો અને સાહિત્ય


સમકાલીન પત્રિકાઓમાંની ખરાબી કંઈક અંશે આશ્ચર્યજનક છે. તેનું કારણ એ છે કે પત્રિકાઓ આપણા જેવા જ યુગનું સાહિત્યિક સ્વરૂપ હોવું જોઈએ. આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યારે રાજકીય જુસ્સો ખૂબ જ હાવી છે, મુક્ત અભિવ્યક્તિના માર્ગો ઘટી રહ્યા છે, અને પહેલાં ક્યારેય જોવા ન મળ્યું હોય એ હદે સંગઠિત જુઠ્ઠાણું એવા પાયે અસ્તિત્વ ધરાવે છે. ઇતિહાસમાં જે નાનાં નાનાં ફાંકાં રહી ગયાં છે તે ભરવા માટે પત્રિકા આદર્શ સ્વરૂપ છે. છતાં જીવંત પત્રિકાઓ ખૂબ જ ઓછી છે તેને માટે હું જે એકમાત્ર, ભલે સાવ નબળી, સમજૂતી આપી શકું છું તે એ છે કે પ્રકાશન વેપાર અને સાહિત્યિક અખબારો /સામયિકોએ ક્યારેય વાંચકોને પત્રિકાઓ પ્રત્યે સભાન કરવાની તસ્દી જ નથી લીધી.

પત્રિકાઓ એકત્રિત કરવામાં એક મુશ્કેલી એ છે કે તે કોઈપણ પ્રકારની નિયમિતતાથી પ્રકાશિત નથી થતી. સંગ્રહાલયોનાં પુસ્તકાલયોમાંથી પણ હંમેશા મેળવી શકાતી નથી, ભાગ્યે જ જાહેરાત કરવામાં આવે છે અને તેની સમીક્ષા પણ ભાગ્યે જ થાય છે. એક સારા લેખક જે કંઈક ભારપૂર્વક કહેવા માંગે છે - પત્રિકા સાહિત્યનો સાર પણ એ જ છે કે શક્ય તેટલા વધુ લોકોને તમે કંઈક કહેવા માંગો છો - તેને તે પત્રિકા સ્વરપે રજૂ કરતાં અચકાશે, કારણ કે તેને ભાગ્યે જ ખબર હશે કે તેને કેવી રીતે પ્રકાશિત કરવી, અને જે લોકો સુધી તે પહોંચવા માંગે છે એ લોકો ક્યારેય તે વાંચશે કે નહીં તે શંકાસ્પદ હોય છે. કદાચ તે પોતાના વિચારને અખબારના લેખમાં ઉતારશે અથવા તેને પુસ્તકમાં પ્રકાશિત કરશે. પરિણામે, મોટી સંખ્યાની પત્રિકાઓ ક્યાં તો એકલા પડી ગયેલા પાગલ લોકો દ્વારા લખવામાં આવે છે જેઓ પોતાના ખર્ચે પ્રકાશિત કરે છે, કે પછી તે ગાંડા ઘેલા ઝનૂની ધર્મોની ઉપ-દુનિયાની હોય છે, કે પછી રાજકીય પક્ષો દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. પત્રિકા પ્રકાશિત કરવાની સામાન્ય રીત રાજકીય પક્ષ દ્વારા છે, અને પક્ષ એ ચોક્કસ કરશે કે તેમાં પક્ષના વિચારો બાબતે કોઈપણ 'ફેર' ન હોય- અને માટે જે એવી એવી પત્રિકાઓનું કોઈપણ સાહિત્યિક મૂલ્ય નથી હોતું.

તાજેતરના વર્ષોમાં થોડી સારી પત્રિકાઓ બની છે. ડી. એચ. લોરેન્સનું પોર્નોગ્રાફી એન્ડ ઓબ્સીનિટી એવી એક છે. પોટોકી ડી મોન્ટાલ્કનું સ્નોબરી વિથ વાયોલન્સ બીજી છે. અને ધ એનિમીમાં વિન્ડહામ લુઈસના કેટલાક નિબંધો ખરેખર આ વર્ગ હેઠળ આવે છે.

હાલમાં સૌથી આશાસ્પદ લક્ષણ, હરિકેન બુક્સ જેવી, બિન-પક્ષીય ડાબેરી પત્રિકાઓનો દેખાવ છે. જો આ પ્રકારના નિર્માણની નવલકથાઓ અથવા કવિતાના પુસ્તકોની જેમ અખબાર જગતમાં નોંધ લેવાઈ હોત, તો પત્રિકાઓને તેના યોગ્ય લોકોના ધ્યાન પર લાવવા માટે કંઈક કરવામાં આવ્યું હોત, અને સમગ્ર શૈલીનું સ્તર વધી શક્યું હોત. જ્યારે કોઈ વિચારે છે કે પત્રિકા સાહિત્ય કેટલું લવચીક સ્વરૂપ છે, અને આપણા સમયની કેટલીક ઘટનાઓનાં દસ્તાવેજીકરણની કેટલી તાતી જરૂર છે, તો આ બાબત ઇચ્છનીય બની રહી હોત.

+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, Pamphlet Literature, 1943નો અનુવાદ 

+                      +                      +                      +

Pamphlet Literature, 1943 ના અનુવાદને ડાઉનલોડ કરવા માટે ચોપાનિયાં સાહિત્ય, ૧૯૪૩ પર ક્લિક કરો