બુધવાર, 7 જાન્યુઆરી, 2026

મારી દૃષ્ટિએ (૧૯૪૪ - ૪૫) : ભાગ ૩ - જ્યોર્જ ઑર્વેલ [૧]

 

 ટ્રિબ્યુન

ઓગસ્ટ, ૧૯૪૪

સંતૃપ્ત બોમ્બમારા (સેચ્યુરેટેડ બોમ્બિંગ)ના સંદર્ભમાં, મારી સાથે બહુ જ અસંમત એવા એક સંવાદદાતા એ ખુબ જ ભારપૂર્વક ઉમેર્યું કે તે પોતે કોઈ પણ રીતે શાંતિવાદી નથી. પરંતુ, 'હુણોને મારી હટવવા જોઈએ' એને તો તેઓ સ્વીકારે છે. તેઓ આપણે જે ક્રૂર પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છીએ ફક્ત તેનો વિરોધ કરી રહ્યા હતા.

હવે, મને લાગે છે કે લોકોને 'હુણ' કહેવા કરતાં બોમ્બ ફેંકીને તમે ઓછું નુકસાન પહોંચાડો છો. દેખીતી રીતે, જ્યાં સુધી ટાળી શકાય ત્યાં સુધી કોઈ મૃત્યુ કે ઘાયલ થવા નથી માંગતું. પરંતુ હું એવું માનતો નથી કે ફક્ત હત્યા જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. આપણામાંથી મોટાભાગના 'કુદરતી મૃત્યુ' તરીકે ઓળખાતી ઘૃણાસ્પદ ભયાનકતાથી સો વર્ષથી ઓછા સમયમાં મરી જઈશું. ખરેખર ખરાબ બાબત એ છે કે શાંતિપૂર્ણ જીવન અશક્ય બની જાય એવી રીતે વર્તવું. સંસ્કૃતિના વિનાશ દ્વારા નહીં (યુદ્ધની ચોખ્ખી અસર સમગ્ર વિશ્વની ઉત્પાદક ક્ષમતામાં વધારો કરવા માટે પણ હોઈ શકે છે), કે માનવ હત્યા દ્વારા પણ નહીં પરંતુ નફરત અને અપ્રમાણિકતાને ઉત્તેજન આપીએ યુદ્ધ સંસ્કૃતિના માળખાને નુકસાન પહોંચાડે છે. તમારા દુશ્મન પર ગોળીબાર કરીને તમે તેને સૌથી ઊંડા અર્થમાં અન્યાય નથી કરતા. પરંતુ દુશ્મનને નફરત કરીને, તેમના વિશે જુઠ્ઠાણા ફેલાવીને અને એ જુઠ્ઠાણાઓ પર વિશ્વાસ કરવા માટે બાળકોને ઉછેરીને, યુદ્ધોને અનિવાર્ય બનાવે એવી અન્યાયી શાંતિની શરતો માટે બૂમો પાડી પાડીને, તમે એક નાશવંત પેઢી પર નહીં, પરંતુ માનવતા પર જ પ્રહાર કરી રહ્યા છો.

એ વાતની ખાસ નોંધ લેવી જોઈએ કે યુદ્ધના ઉન્માદથી સૌથી ઓછા ગ્રસ્ત લોકો ખરેખર લડાઈ લડી રહેલા સૈનિકો છે. બધા લોકો  કરતાં તેઓ દુશ્મનને નફરત કરવા, જૂઠાણાના પ્રચારને ગળે ઉતારી જવા કે બદલો લેવાની ભાવનાથી શાંતિની માંગ કરવા માટે ઓછામાં ઓછું વલણ ધરાવે છે. લગભગ બધા સૈનિકો - અને શાંતિ સમયમાં વ્યાવસાયિક સૈનિકોને પણ આ લાગુ પડે છે - યુદ્ધ પ્રત્યે સમજદાર વલણ ધરાવે છે. તેઓ સમજે છે કે યુદ્ધ ઘૃણાસ્પદ છે, અને છતાં તે ઘણીવાર જરૂરી હોઈ શકે છે. નાગરિક માટે આવું વલણ ધરાવવું મુશ્કેલ છે, કારણ કે સૈનિકનું અલગ વલણ કંઈક અંશે થાક, ભયની ગંભીર અસરો અને તેના પોતાના લશ્કરી મશીન સાથે સતત ઘર્ષણને કારણે છે. સુરક્ષિત અને સારી રીતે ખાતાપીતા નાગરિકમાં વધુ ફાજલ લાગણી હોય છે, અને તે તેનો ઉપયોગ જો તે દેશભક્ત હોય તો દુશ્મનને, જો તે શાંતિવાદી હોય તો તેના પોતાના પક્ષને, કે કોઈ પણ બીજાને નફરત કરવા માટે સૌથી વધારે તૈયાર હોય છે. પરંતુ, જેમ ગોળીઓના ડરને દૂર કરી શકાય છે તેમ યુદ્ધની માનસિકતાની સામે સંઘર્ષ કરી શકાય છે અને તેને દૂર કરી શકાય છે. મુશ્કેલી એ છે કે પીસ પ્લેજ યુનિયન[1] કે નેવર અગેઇન સોસાયટી યુદ્ધની માનસિકતાને જુએ છે ત્યારે તે માંસિકતાને ઓળખી શકતા નથી. દરમિયાન, આ યુદ્ધમાં 'હુણ' જેવા આક્રમક ઉપનામો મોટા ભાગના લોકોમાં ફેલાયાં નથી તે હકીકત મને શુભ શુકન લાગે છે.

છેલ્લા યુદ્ધના સૌથી આઘાતજનક કાર્યોમાંનું એક કૃત્ય મને હંમેશા એવું લાગતું હતું કે તેનો હેતુ કોઈને મારવાનો નહોતો. - તેનાથી વિપરીત, તેને કારાણે, કદાચ, ઘણા લોકોના જીવ બચ્યા હશે. કાપોરેટો પર પોતાનો મોટો હુમલો શરૂ કરતા પહેલા, જર્મનોએ ઇટાલિયન સૈન્યને નકલી સમાજવાદી પ્રચાર પત્રિકાઓથી લાદી દીધું. એ પત્રિકાઓનો સુર જર્મન સૈનિકો તેમના અધિકારીઓને ગોળી મારવા અને તેમના ઇટાલિયન સાથીઓ સાથે ભાઈચારો કરવા તૈયાર હતા જેવા આરોપ કરવાનો હતો કે.. ઘણા ઇટાલિયનોને પકડવામાં આવ્યા, જર્મનો સાથે ભાઈચારો કરવા આવ્યા તેમને કેદી બનાવવામાં આવ્યા - અને, હું માનું છું કે, તેમનાં ભોળપણ માટે એ લોકોની મજાક પણ ઉડાવવામાં આવી હશે. મેં સાંભળ્યું છે કે આવાં કારનામાંઓનો બચાવ યુદ્ધ કરવાની એક ખૂબ જ ચાતુર્યભરી અને માનવીય રીત તરીકે કરવામાં આવે છે - ખાસ કરીને  જો તમારો એકમાત્ર ઉદ્દેશ્ય શક્ય તેટલાં વધુ લોકોને છાવરવાનો હોય તો. અને છતાં, હિંસાનું કોઈ પણ કૃત્ય ન કરી શકે  એવી રીતે આવી યુક્તિ માનવ એકતાના મૂળને  નુકસાન પહોંચાડે છે.
હું જોઉં છું કે લંડનના એક પછી એક ચોકમાં રેલિંગ પાછી આવી રહી છે - છે ભલે ફક્ત લાકડાની, પણ એ હકીકત છે કે એ રેલિંગ છે. આમ થવાથી ચોકના કાયદેસર રહેવાસીઓ ફરીથી તેમની કિંમતી ચાવીઓનો ઉપયોગ કરી શકે છે, અને ગરીબોના બાળકોને બહાર રાખી શકાય છે.

જ્યારે ઉદ્યાનો અને ચોકની આસપાસની રેલિંગ દૂર કરવામાં આવી, ત્યારે આંશિક રીતે ઉદ્દેશ્ય લોખંડનો ભંગાર એકઠો કરવાનો હતો. પરંતુ રેલિંગ દૂર કરવી એ લોકશાહીનો સંકેત પણ માનવામાં આવતો હતો. હવે ઘણી વધુ હરિયાળી જગ્યાઓ જાહેર જનતા માટે ખુલ્લી હતી, અને તમે ઉદ્યાન બંધ થવાના સમયે ભયાનક ચહેરાવાળા ચોકીદારો દ્વારા બહાર કાઢી મુકાવાને બદલે ઘણે લાંબે સુધી ઉદ્યાનોમાં રહી શકો છો. એવું પણ જાણવા મળ્યું કે આ રેલિંગ ફક્ત બિનજરૂરી જ નહીં પણ ભયંકર કદરૂપી પણ હતી. ઉદ્યાનોને ખુલ્લા મૂકવાને કારણે હવે તેમની ઓળખ સાવ બદલી ગઈ. તેમને એક મૈત્રીપૂર્ણ, લગભગ ગ્રામીણ દેખાવ મળ્યો જે પહેલાં ક્યારેય નહોતો. જો રેલિંગ કાયમ માટે અદૃશ્ય થઈ ગઈ હોત, તો કદાચ બીજો સુધારો થયો હોત. જે મૂળતઃ જ ઇંગ્લેન્ડને અનુકૂળ ન હતા અને લંડનમાં પણ હંમેશા ધૂળવાળા જ રહેતા હતા એવા લૉરેલ અને પ્રાઇવેટના ઉદાસ દેખાતા છોડવાઓને કદાચ ઉખેડી નાખીને તેની જગ્યાએ ફૂલોની પથારી વાવી દેવાઈ હોત.  રેલિંગની જેમ, લોરેલ અને પ્રાઈવેટના છોડવાઓને પણ માત્ર વસ્તીને બહાર રાખવા માટે ત્યાં મૂકવામાં આવ્યા હતા. જો કે, બીજા કેટલાય સુધારાઓની જેમ ઉચ્ચ અધિકારીઓ આ સુધારાને ટાળવામાં સફળ રહ્યા. જ્યાં જુઓ ત્યાં, મજુરી અને લાકડાના બગાડને ધ્યાનમાં લીધા વિના, લાકડાના ખૂટાંઓની વાડ ઊભી કરાઈ રહી છે. 

જ્યારે હું હોમગાર્ડમાં હતો ત્યારે અમે કહેતા હતા કે જ્યારે કોરડા મારવાની શરૂઆત થશે એ ખરાબ સંકેત હશે. મારું માનવું છે કે હજુ સુધી એવું થયું નથી, પરંતુ બધા નાનાં નાનાં સામાજિક ચિહ્નો એક જ દિશામાં નિર્દેશ કરે છે.  જો ટોરી સામાન્ય ચૂંટણી જીતી જાય તો મારું માનવું છે કે જે લગભગ તરત જોવા મળી શકે એવો સૌથી ખરાબ સંકેત એ હશે કે- લંડનની શેરીઓમાં, અન્ત્યવિધિ કરનારાઓ કે બેન્કરો સિવાય ટોપ-હૅટ[2] પહેરનારાઓ વધારે દેખાવા લાગશે. ફરીથી દેખાવ થશે નહીં. આપણને આ દિશામાં શું થયું તેની સમીક્ષા બહુ ટુંક સમયમાં કરવા મળવી જોઈએ.  તે દરમિયાન મેરી પેનેથ દ્વારા લખાયેલ બ્રાન્ચ સ્ટ્રીટ નામના અસાધારણ પુસ્તક તરફ ધ્યાન દોરવાની હું તક લેવા માગીશ. લેખિકા ચિલ્ડ્રન ક્લબમાં સ્વૈચ્છિક કાર્યકર છે, કે કદાચ હતાં. તેમના આ પુસ્તકમાં તેઓ લંડનના કેટલાક બાળકો હજુ પણ જે ક્રૂર પરિસ્થિતિઓમાં મોટા થાય છે તે દર્શાવે છે. જોકે, યુદ્ધના પરિણામે આ પરિસ્થિતિઓ હજુ વધુ ખરાબ થઈ છે કે કેમ તે સ્પષ્ટ નથી. બાળકો પર યુદ્ધની અસરના અધિકૃત અહેવાલને હું વાંચવા માંગુ છું - મને લાગે છે કે આવી કોઈ વસ્તુ ક્યાંક અસ્તિત્વમાં હશે, પરંતુ મને તેની ખબર નથી. શહેરોના લાખો બાળકોને ગ્રામીણ જિલ્લાઓમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે, ઘણાનું શિક્ષણ મહિનાઓ સુધી રખડી ગયું છે, બીજાં કેટલાંય બાળકોને લોકોને બોમ્બમારાના ભયાનક અનુભવો થયા છે (યુદ્ધની શરૂઆતમાં હર્ટફોર્ડશાયર ગામમાં સ્થળાંતર કરવામાં આવેલી હતી આઠ વર્ષની એક નાની છોકરીએ મને ખાતરીપૂર્વક કહ્યું હતું કે તે સાત વખત બોમ્બમારાનો ભોગ બની હતી), જો બીજાં કેટલાંક  અંડરગ્રાઉન્ડ ટ્યુબ આશ્રયસ્થાનોમાં, ક્યારેક એક વર્ષ કે તેથી વધુ સમય માટે, સૂઈ રહે છે. મારે એ જણવું છે કે કે શહેરના બાળકોએ ગામડાના જીવન સાથે કેટલી હદ સુધી અનુકૂલન સાધ્યું છે - શું તેઓ પક્ષીઓ અને પ્રાણીઓમાં રસ ધરાવતા થયા છે, કે પછી શું તેઓ ફક્ત તસવીરો લગાવેલાં ઘરોમાં પાછા ફરવા માટે ઉત્સુક છે - અને શું કિશોરવયનાં બાળકોના ગુનામાં કોઈ નોંધપાત્ર વધારો થયો છે. શ્રીમતી પેનેથે વર્ણવેલ બાળકો, રશિયન ક્રાંતિની આડ પેદાશ ગણાતાં, લગભગ 'જંગલી બાળકો' ના ટોળા જેવા લાગે છે.
અઢારમી સદીમાં, જ્યારે ભારતીય મલમલ વિશ્વના અજાયબીઓમાંનું એક હતું, ત્યારે એક ભારતીય રાજાએ લુઇ પંદરમાના દરબારમાં વેપારના કરાર કરવા માટે વાટાઘાટો કરવા માટે દૂતો મોકલ્યા. રાજા જાણતો હતો કે યુરોપમાં સ્ત્રીઓનો રાજકીય પ્રભાવ ઘણો વધારે છે, અને દૂતો તેમની સાથે મોંઘા મલમલનો એક તાકો લાવ્યા હતા, જે લુઇની રખાતને રજૂ કરવાની સૂચના આપવામાં આવી હતી. કમનસીબે એ દૂતોની માહિતી જૂની થઈ ગઈ હતી : લુઇનો પ્રેમ હવે બીજી સ્ત્રી તરફ ઢળી ગયો હતો. એટલે જે રખાતને મખમલનો તાકો ભેટ અપાયો તેને પહેલાથી જ ત્યજી દેવાઈ હતી. પરિણામે, મિશન નિષ્ફળ ગયું, અને ઘરે પહોંચ્યા પછી દૂતોનો શિરોચ્છેદ કરવામાં આવ્યો.

મને ખબર નથી કે આ વાર્તામાં કોઈ બોધપાઠ છે કે નહીં, પણ જ્યારે આપણા વિદેશ મંત્રાલયને જે પ્રકારના લોકો સાથે મળવાનું ગમે છે તેમને હું જોઉં છું, ત્યારે મને ઘણીવાર આ કહાણી યાદ આવે છે..

+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IIIનો આંશિક અનુવાદ 

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

શુક્રવાર, 2 જાન્યુઆરી, 2026

કોઈ જોતું હોય કે ન જોતું હોય, તમારામાંના નેતૃત્વને રોક્યું નથી રોકી શકાતું

ઉત્પલ વૈશ્નવ

સંચાલન કક્ષાએ પહોંચેલાં ઘણાં લોકોનાં પદમાં અગ્રણી હોવાનું લેબલ તો હોય છે.

પરંતુ, ખરા અર્થમાં નેતૃત્વ બહુ ઓછાં લોકો પૂરૂં પાડતાં હોય છે.

પોતાના પદ અનુસારનું કામ કરવું તો સહેલું છે.

નક્કી કરેલાં કામ કરવાં.

નિશ્ચિત કરેલ ધ્યેય સિદ્ધ કરવાં.

મિટિંગોમાં ભાગ લેવો.

અને, પગાર મેળવવો.

નેતૃત્વ પૂરૂં પાડવું એ અલગ જ બાબત છે.

તંત્ર વ્યવસ્થાની તિરાડ ખાઈ બને તે પહેલાં ધ્યાન પર લેવી.

ચૂપ રહેવું શ્રેયકારક હોય ત્યારે અપ્રિય લાગે તેવી વાત કહી શકવી.

દોષારોપણનો ટોપલો પોતાની ટીમના સાથીદારને માથે ન જવા દઈને પોતે પહેરી લેવો.

ટૂંકે ગાળે મોંઘા પડતાં લાગતા નિર્ણયો લઈને લાંબા ગાળાના ફાયદા કરી શકવા.

આ બધાં માટે વધારે વેતન કે વધારે નોંધ ન પણ લેવાય.

પદની જવાબદારીઓ સોંપાય ત્યારે આવું બધું કહેવાયું ન હોય.

ઘણી વાર  તો આભારના બે બોલ પણ કોઈ ન કહે. 

તમે પણ આ બધું એટલે કરો છો કે તેમ કર્યા વિના તમને ચાલે તેમ નથી.

પોતાનાં કામ માટે પગાર મળે છે.

તમારામાંના નેતૃત્વને રોક્યું નથી રોકી શકાતું, કોઈ જોતું હોય કે ન જોતું હોય.


ઉત્પલ વૈશ્નવની લેખમાળા #DhandheKaFunda ના મૂળ લેખ, Leadership is what you can’t not do, even when no one is watching. નો  અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ | ૨ જાન્યુઆરી ૨૦૨૬ 

બુધવાર, 31 ડિસેમ્બર, 2025

ધાર્મિક ઓળખની આગવી પુનઃસ્થાપના ઉભરી રહી છે - દેવદત્ત પટ્ટનાઈક

છેલ્લા ૭૦ વર્ષોમાં હિન્દુ ઓળખ નાહકનો બચાવ ન કરતી અને વધુ સ્વમતાગ્રહી, આક્રમક અને ઊતરતી સરખામણી ન સહન કરી લેવાનું વલણ ધરવાવા લાગતી જોવા મળવા લાગી છે. આમ થવા પાછળ ઇતિહાસનો પ્રતિભાવ જણાય છે. ધર્મનિરપેક્ષતા બધા ધર્મો પ્રત્યે સમાનભાવનામાંથી મત બેંકોને ખુશ કરવાનું વાહન બનતી જતી મનાવા લાગી છે. વૈશ્વિક પ્રસાર માધ્યમો અને શૈક્ષણિક વર્તુળોમાં જોવા મળતી ચર્ચાઓનો પણ પ્રતિભાવને કારણે પણ ધર્મનિરપેક્ષતા વધુને વધુ નાસ્તિકવાદી અને અમુક ચોક્કસ બાબતોમાં તર્કસંગત બની રહી છે. હિન્દુ ધર્મની ટીકા કરવાથી 'ઉદારવાદી' બની શકાય છે અને ઇસ્લામ વિશે ઘસાતું બોલનારા 'કટ્ટરપંથી' ગણાઇ જાય છે.

મારાં માતા-પિતા ૫૦ વર્ષ પહેલાં ઓડિશાથી મુંબઈ આવીને સ્થિર થયાં હું ચેમ્બુર નામના પરામાં ઉછર્યો. ચેમ્બુરમાં, મોટા ભાગે તમિલનાડુ, કેરળ, ગુજરાત, ગોવા, બંગાળ અને પંજાબથી આવીને વસેલાં લોકો રહેતાં, જેમાં થોડા સ્થાનિક મહારાષ્ટ્રીયનો પણ હતા. હું એક મિશનરી શાળા, અવર લેડી ઓફ પર્પેચ્યુઅલ સક્કરમાં ભણ્યો. મારા શિક્ષકો તેમજ સહપાઠી વિદ્યાર્થીઓમાં ખ્રિસ્તી, પારસી અને મુસ્લિમોનો સમાવેશ થતો હતો. હું ઘણો મોટો થયો મને ખ્યાલ આવ્યો કે અમને બિન-હિંદુઓને તેમના ધર્મ (ખ્રિસ્તી, મુસ્લિમ, પારસી) અને હિન્દુઓને તેમની ભાષા (ઓડિયા, બંગાળી, મહારાષ્ટ્રીયન, તમિલ, મલયાલી, કન્નડી, પંજાબી) દ્વારા ઓળખવાનું, લગભગ ફરજિયાત જ કહી શકાય એ રીતે, શીખવાડવામાં આવતું હતું. ત્યારે મને એ મને ધ્યાન નહોતું આવ્યું કે જે પણ હિન્દુ સાથે મારો વ્યવહાર હતો તે બધા 'સવર્ણ' હતા.

હકીકતમાં, પછી ભલે તે મિત્રો સાથે તમિલ સુબ્રમણ્યમ મંદિરની મુલાકાત લેવાનું હોય (જેના વિશે મારી માતાને કોઈ ખ્યાલ નહોતો), અથવા સ્થાનિક ગણેશ અથવા હનુમાન મંદિર (ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોથી ભરેલું) જવું હોય, અથવા મારા માતાપિતા સાથે હાજી અલી દરગાહ અથવા અજમેર દરગાહની મુલાકાત લેવાનું હોય, અથવા મુંબઈના પ્રખ્યાત માઉન્ટ મેરી, અથવા ગોવાના બેસિલિકા જવાનું થતું, મને ક્યારેય આપસભાનતાથી પણ ધર્મનિરપેક્ષ કે હિન્દુ, કે ખાસ વિશેષાધિકાર પ્રાપ્ત હોવાનું શીખવવામાં આવ્યું ન હતું. જાહેર પ્રસાર માધ્યમો ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયોથી આગળ વિસ્તર્યાં તે પછીથી આ પ્રકારનાં વિશેષણો વપરાવા લાગ્યાં.

ઇતિહાસ અને નાગરિકશાસ્ત્ર વિષયોમાં અમને શાળામાં ભારતીય રાષ્ટ્રીય ચળવળ વિશે શીખવવામાં આવતું. એટલે પાકિસ્તાન અને બાંગ્લાદેશના નિર્માણ માટે કેટલાક લોકોએ બિનસાંપ્રદાયિકતા (ભારતની વિચારધારા)ને બદલે ધર્મ (ઈસ્લામ) ને પસંદ કર્યો ત્યારે અમને દુઃખ થયું. શાળામાં અમને ધર્મ વિશે નહીં પણ વિજ્ઞાન, ગણિત અને ભાષાઓ, વિશે જ શીખવાડાતું. એ ભણતરે અમને ડૉક્ટર અને એન્જિનિયર બનવામાં મદદ કરી. પાઠ્યપુસ્તકોમાં ઇતિહાસનો અંત દેશને સ્વતંત્રતા મળવા સાથે થયો. અમે મહાત્મા ગાંધીની હત્યા, નક્સલબારી ચળવળ, અથવા ઈન્દિરા ગાંધીની કટોકટી પછી થયેલા બ્રાહ્મણ વિરોધી રમખાણો વિશે અમને શાળામાં શીખવાડવામાં નહોતું આવ્યું.

હું હજુ શાળામાં હતો ત્યારે ભારતીય સેનાએ અમૃતસરના સુવર્ણ મંદિર પર હુમલો કર્યો, અને ઈન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી, અને દિલ્હીમાં શીખ વિરોધી રમખાણો થયા. અમને ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે શીખો પોતાને હિન્દુ, કે ભારતીય પણ માનતા નથી, અને ખાલિસ્તાન નામના રાજ્ય માટે લડી રહ્યા છે. થોડા સમય પછી, અમે ટેલિવિઝન પર રામાયણ અને મહાભારત જેવાં બે મહાન મહાકાવ્ય જોયાં જેને જોવા આખો દેશ થંભી જતો. મુસ્લિમ જૂથોના વિરોધને કારણે બાઇબલની વાર્તાઓ પર આધારિત હિન્દી શ્રેણી અચાનક બંધ થઈ ગઈ. કોલેજમાં હતા ત્યારે, મેં રામ જન્મભૂમિ, બાબરી મસ્જિદ ધ્વંસ, મુંબઈમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો અને પછી ગોધરા વિશે સાંભળ્યું. તે જ સમયે, મેં MTV, ઇન્ટરનેટ અને મોબાઇલ ફોનના વપરાશના અનુભવનાં પગરણ થવાં લાગ્યાં હતાં. દુનિયા નાટકીય રીતે બદલાઈ રહી હતી. આપણે દુનિયા વિશે વધુને વધુ પરિચિત થઈ રહ્યા હતા અને ધર્મ પ્રત્યે વધુ ને વધુ સભાન થતા હતા.

જેમ જેમ વર્ષો વીતતાં ગયાં, તેમ તેમ મસ્જિદોમાંથી નમાઝ માટે મોટેથી અને મોટેથી અઝાન સંભળાતી થઈ. મારા પડોશમાં તેને કારણે વધુમાં વધુ લોકો પરેશાની અનુભવવા લાગ્યા. ત્યારબાદ મંદિરો અને તહેવારો દરમિયાન ભક્તિ સંગીત મોટેથી અને મોટેથી સંભળાતું થઈ ગયું. લગભગ સ્પર્ધાત્મક ભાવનાથી કરાતી આ પ્રવૃતિઓથી કંટાળી, ચિડાઈને લોકો રજાઓ લઈને તહેવારોના સમયે શાંત હિલ સ્ટેશનો પર જતા રહેતાં.

શાળામાં, આર એસ એસ વિશે ગુસપુસમાં વાત થતી કે તે ગેરકાયદેસર હિન્દુ ઉગ્રવાદી સંગઠન હતું જે મહાત્મા ગાંધીની હત્યા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જવાબદાર હતું. કોલેજ છોડી ત્યાં સુધીમાં, હું હિન્દુત્વ શબ્દ વધુને વધુ, વારંવાર, સાંભળતો હતો. અમને સમજાવા લાગ્યું કે તે એક પ્રકારની ક્રોધપ્રેરિત, હિંસક હિન્દુ ઓળખ છે, જે ઘરમાં જાણવા મળેલી હિન્દુ ઓળખથી ઘણી અલગ છે.

મારા બાળપણમાં, અમે ક્યારેય હિન્દુ હોવા વિશે વાત કરતા નહોતા. તે જીવનનો એક ભાગ હતો. હિન્દુ કથાઓ અમર ચિત્ર કથા અને ચાંદમામા જેવા કોમિક્સ અને કેટલીક ફિલ્મો અને ટેલિવિઝન સિરિયલો દ્વારા અમારા સુધી પહોંચી. રામકૃષ્ણ મિશન, ચિન્મય મિશન અને ઇસ્કોન દ્વારા હિન્દુ ફિલસૂફી અમારા સુધી પહોંચી. જોકે તે સમયે કોઈએ ક્યારેય ધ્યાન આપતું નહીં કે શા માટે 'મિશન' બ્રહ્મચારી પુરુષો દ્વારા નિયંત્રિત હતાં કે ઇસ્કોન અબ્રાહમી ધર્મોને વધુ અનુરૂપ પ્રચાર નમૂનાઓનો ઉપયોગ કેમ કરતું હતું. અમે બધા ખજુરાહો મંદિરો વિશે ઉત્તેજિત થતા અને શરમ અનુભવતા. અમે બધા માનતા હતા કે રામાયણ આદર્શવાદી હતું જ્યારે મહાભારત વાસ્તવિક હતું. જ્યારે પૌરાણિક કથાઓનો મારો શોખ વિદ્વતાપૂર્ણ શોધખોળનો વિષય બન્યો ત્યારે બધું બદલાઈ ગયું, અને મને સમજાયું કે મોટાભાગના લોકોનો હિન્દુ ધર્મ પ્રત્યેનો દૃષ્ટિકોણ સંસ્થાનવાદી ઢાંચા પરથી ઘડાયો હતો.

જેમ જેમ મારો અભ્યાસ ઊંડો બનતો ગયો, તેમ તેમ મેં ગીતા પ્રેસ ગોરખપુર (તે સમયે તેમનું વલણ જમણેરી છે તે સમજાયું ન હતું) દ્વારા પ્રકાશિત પુસ્તકોમાં હિન્દુ કથાઓ, પ્રતીકો અને ધાર્મિક વિધિઓ જે રીતે રજૂ કરવામાં આવતાં હતાં તેની સરખામણીમાં વિદેશી શિક્ષણવિદો (તે સમયે તેમનું વલણ ડાબેરી છે એવું સમજાયું ન હતું) અને મોતીલાલ બનારસીદાસ પ્રેસ દ્વારા પ્રકાશિત પુસ્તકોમાં સ્પષ્ટ તફાવત જોયો. ગીત પ્રેસે હિન્દુ ધર્મને અદ્‍ભૂત, પરિપૂર્ણ, કોઈપણ લિંગ કે જાતિના પૂર્વગ્રહ વિનાની દુનિયા તરીકે, જે રીતે ભદ્ર હિન્દુઓ ધર્મને જોવા માંગતા હતા એ રીતે, રજૂ કર્યો. મોતીલાલ બનારસી પ્રેસ અને એ મુજબની વિચારધારાએ હિન્દુ ધર્મને, સ્ત્રી-જાતિ પ્રત્યે અત્યંત પૂર્વગ્રહથી જોતી અને જાતિવાદને વધુ મહત્વ આપતી, એક દમનકારી સામંતશાહી તાકાત તરીકે રજૂ કર્યો. અનુઆધુનિક ફિલસૂફીના સંપર્કમાં આવવાથી બંને વિચારધારાઓમાં પૂર્વગ્રહયુક્ત દ્રષ્ટિકોણ છતો થયો. હિન્દુ ધર્મને રાજકીય ઓળખ બનાવવાના ઇરાદાથી, ‘હિન્દુત્વવાદી’ (જમણેરી) રાજકારણીઓએ ગીતા પ્રેસ ગોરખપુરના હિન્દુ ધર્મના, ગાયને માનવ જીવન કરતાં વધુ મૂલ્યવાન માનતા, દૃષ્ટિકોણને પસંદ કર્યો. તેની સામે, ડાબેરી ઉદારવાદીઓ, પોતાની હિન્દુ ઓળખથી શરમાઈને, જાતિથી લઈને કર્મ સુધીની દરેક બાબતની પાશ્ચાત્ય સમજને ટીકા કર્યા વિના સ્વીકારી લીધી.

તાજેતરના સમયમાં, નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને કારણે એક ખુલ્લેઆમ હિન્દુ રાજકીય પક્ષના સત્તામાં આવવાથી આપણે, મોટે ભાગે ઘસાતું બોલતા ઇન્ટરનેટ ટ્રોલ તરીકે, એનઆરઆઈ હિંદુઓનો ઉદય વધુને વધુ જોઈ રહ્યા છીએ. વિદેશમાં સ્થાયી થયેલા હિન્દુઓમાં એ લોકો લઘુમતી હોવા છતાં, ખાસ કરીને રાત્રે જ્યારે ભારત સૂતું હોય, ત્યારે આગિયાની જેમ બહુ જ જોવા મળે છે. આમાંના ઘણા લોકો ઉચ્ચ જાતિના હિન્દુ પૃષ્ઠભૂમિના છે. ભારતના લાઈસન્સ રાજ, તમિલનાડુમાં બ્રાહ્મણ વિરોધી ચળવળો, શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત નીતિઓ અને અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને મુસ્લિમોની તરફેણ કરતી વોટ-બેંકના રાજકારણથી હતાશ થઈ જઈને આ લોકો આર્થિક કારણોસર અમેરિકા ગયા છે. જે દેશો હિન્દુ ધર્મને આદિમ, મૂર્તિપૂજક અથવા અજબ માને છે, એવા દેશોમાં આ વર્ગ અળગાપણું અનુભવે છે. તેઓ કલ્પનાનાં એવા હિન્દુ ભારતમાં 'ઘરે પાછા' આવવા ઝંખે છે જે તેમને, બ્રિટિશરો અને મુસ્લિમો પહેલાંના, વેદ, સમ્રાટ અશોક અને રાજપૂતોના સમયના, વિશ્વ પર પ્રભુત્વ મેળવેલાં ભવ્ય, 'તે સમય'નાં હિન્દુ રાષ્ટ્રને લાવવા માટે કટિબદ્ધ છે એવાં આરએસએસ અને બીજેપી સાથે સાંકળે છે. વિશ્વ પ્રત્યેના આ દૃષ્ટિકોણનાં મૂળમાં ક્રોધાવેશ અને હીનતાની ભાવના છે. તે પૌરાણિક કથાઓની જરૂરિયાતને પુસ્તકો અને ટેલિવિઝનમાં વેગ આપે છે, ખાસ કરીને જ્યાં શિવને વિશ્વ હિન્દુ પરિષદના પોસ્ટરો પર જોવા મળતા રામ જેવાં બાવડાં હોય એવા મૈત્રીપૂર્ણ ‘મર્દ’ પુરુષ તરીકે રજૂ કરવામાં આવે છે.

તેમ છતાં, છેલ્લા વીસ વર્ષોમાં હિન્દુ ધર્મના પ્રગતિશીલ અને પરિપક્વ પાસાં દર્શાવતા મારા લખાણો અને ટીવી શૉની વધતી જતી લોકપ્રિયતા મને એવું માનવા પ્રેરે છે કે આધુનિક, વિવેકબુદ્ધિથી સમજનારી હિન્દુ ઓળખ માટે પણ ઝંખતો એવો વર્ગ પણ છે, જે ડાબેરી વિચારધારાઓથી કંટાળી ગયો છે અને જમણી વિચારધારાઓથી સાવધ છે, જે ભૂતકાળની પરવા નથી કરતો, પરંતુ, જ્યાં વૈશ્વિક સામાજિક પરિવેશમાં હિન્દુઓને હિન્દુ હોવામાં શરમ નથી આવતી એવાં, ભવિષ્ય તરફ જોઈ રહેલ છે.

  • www.theweek.in માં ૨૧ ઓગસ્ટ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ The rise of religion  નો અનુવાદ | હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા

·       અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ  ૩૧ ડિસેમ્બર ૨૦૨૫

બુધવાર, 24 ડિસેમ્બર, 2025

માનવ સંબંધોનું દિવ્યકરણ : સ્વ અને સ્વયંઃ સામાન્ય જીવનની મથામણ

 

નેહા ફુલ્લ[1]

બૃહદારણ્યક ઉપનિષદમાં, ઋષિ યાજ્ઞવલ્ક્ય અને તેમનાં પત્ની, મૈત્રી,ના સંવાદમાં માનવીના પોતા વિશેના સંબંધ વિશે આ મુજબ કહેવાયું છે 

પત્ની પોતાના પતિને તે પતિ છે માટે પ્રેમ કરતી નથી, પણ આત્મા છે માટે તે પતિને ચાહે છે, કારણકે તે આત્માને ચાહે છે. પત્ની છે માટે કોઈ પત્નીને ચાહતું નથી પણ તે આત્મા છે માટે પત્નીને ચાહે છે. સંતાનોને સંતાનો છે માટે કોઈ ચાહતું નથી, પણ તે માણસ આત્માને ચાહે છે, તેથી તે સંતાનોને ચાહે છે. દ્રવ્યને તે દ્રવ્ય છે માટે કોઈ ચાહતું નથી, પણ માણસ આત્માને ચાહે છે માટે ધન તેને પ્રિય છે.

જે મુમુક્ષુને દુન્યવી અપેક્ષાઓ નથી પણ મનથી જે આધ્યાત્મિક છે તે આ આદર્શને પોતાના મનમાં ઉતારવા માટે આધ્યાત્મિક યાત્રાએ નીકળી પડે છે.

સામાન્ય જિંદગીની ભૂમિકાની તૈયારી

આધ્યાત્મિક ખોજ પર નીકળેલો સામાન્ય માનવી હોય કે ભગવાં વસ્ત્રધારી સન્યાસી હોય, બન્નેનાં જીવનનું લક્ષ્ત તો સ્વની પ્રાપ્તિ (ઈશ્વરનો સાક્ષાત્કાર) હોય છે. દુન્યવી દૃષ્ટિકોણથી જોતાં સ્પષ્ટ, મહત્વાકાંક્ષી અને પ્રેરણાદાયી ધ્યેય (BHAG[2]) દુષ્કર જણાય છે. 'વૈચારિક સ્પષ્ટતા' મુમુક્ષુને વધારે સારૂં આંતરિક વિશ્વ આપી શકે અને કંઈક અંશે શાંતિપૂર્ણ અનુભૂતિ જરૂર આપી શકે પણ તેને કારણે BHAG માટેનો માર્ગ મળી શકે. બહુ સ્પષ્ટ અને મહત્વાકાંક્ષી ધ્યેયની ખોજમાં આંખ સામેનાં દૃશ્યોને કુદરતની સહજ કાર્યપદ્ધતિ ગણીને અણદેખી કરી દેવાનું જોખમ રહેલું છે.

ધ્યેયની ખોજમાં નીકળેલા સામાન્ય માનવીના માર્ગમાં આવી આવી સૂક્ષ્મ વિડંબણાઓ આવી પડતી હોય છેઃ 

·       જેટલું વધારે વાર શક્ય હોય તેટલું પીછેહઠ કરવાની તાતી ઈચ્છા અને પોતાની જીવન પ્રત્યેની 'ફરજ' પ્રત્યે ધ્યાન ન આપવાની ગુનાહિત લાગણી વચ્ચે પીસાતા રહેવું.

·       સંગાં સંબંધીઓ અને મિત્રો કે પોતાની બુદ્ધિ પર,જીવનભર, આધાર રાખવાનું હાડોહાડ શીખ્યા પછી ઈશ્વર પર આધાર રાખવાનું શી રીતે શીખવું? ઇશ્વર પર આધાર રાખવો એ મુમુક્ષુને ખોટું લાગે છે.

·       એકાદ ઝાટકો વાગે ને ઐક્યના આસપાસનાં પારિસ્થિતિકી તંત્ર સાથે જોડેલા તાણાવાણા તૂટવા લાગે છે.

·       ભૂતકાળ અને તેની સાથે સંકળાયેલ વ્યર્થતા સમજાવાનું શરૂ થાય તો પણ આ દુનિયામાં ચાલુ રહેવા માટે તેમને કુદરતનો ખેલ સમજીને સ્વીકારવાની અને દૃઢ કરવાની તેમજ તેમની સાથે સમજપૂર્વક ભાગ લેવાની ઇચ્છા ચાલુ રહેવી.

·       પ્રેમ અને આસક્તિ અને તેની સામે ત્યાગની ભાવનાની ચઢતી ભરતી.

·       દુન્યવી નિરાશાઓ સાથે અને આધ્યાત્મિક માર્ગ સ્પષ્ટપણે ન જોઈ શકવાને સહન કરતા રહેવું.

·       દુનિયાની માગણી મુજબની ભૌતિક મદદ પૂરી ન પાડી શકવાની સહજ લાચારી.

·       દુનિયાની રીતરસમો સાથે અનુકૂળ ન થઈ શકવાની અસમર્થતા અને તે અસમર્થતામાં તેને પણ કુદરતનો ખેલ ન સમજી શકવાની અશક્તિની નિરાશા.

દિવાદાંડીઓ મુમુક્ષુને ઉત્તર આપે છે

મુમુક્ષુના આત્માને નીચોવી નાખતી આ મથામણ વચ્ચે પણ આપણી દીવાદાંડીઓ બતાવે છે અંધારા પછી અજવાળું તો છે. એ પ્રકાશ કેમ કરીને જોવો? ગમે તેટલો થાકી હારી ગયો હોય તો પણ મુમુક્ષુ હાર માનવા તૈયાર નથી ! એ દિવાદાંડીઓના પ્રેમાળ માર્ગદર્શન હેઠળ જીવનની કલ્પના કરે છે અને આ વિચારબીજો સુધી પહોંચે છે -

સ્વ-પ્રયાસ અને આગળ ધપતા રહેવું

·       મુમુક્ષુ સ્વીકારે છે કે તે જે જૂએ છે તે  (તેનું ધ્યેય, તેનો આદર્શ) સ્વતંત્રતા તરફ જતો સર્પાકાર, ઘુમરાતો માર્ગ, ઉનાલોમે[3], છે.

·       તે એવાં જોડાણોના ટુકડાઓની શોધમાં લાગી જાય છે જે તેને પાછા ફરી ન શકાય એ રીતે આદર્શ ભણી દોરી જાય છે કે પેટે ઘસડાઇને ઘસાતી વિડંબણાઓ એક એક કરીને શાંત પડવા લાગે છે.

·       પોતાની શક્તિવિહિન સમજણને બદલે તે પોતાના મનનાં ઊંડાણમાં રહેલી દિવ્યતા સાથે પોતાની આસપાસનાં વાતાવરણના તાણાવણા બાંધવાનું શીખવા લાગે છે.

·       પોતાના બધા અનુભવોને અંતે તેને સમજાઈ જાય છે કે પુનરાવર્તનમાં જ સમસ્યાની ચાવી રહેલી છે. પુસ્તકો મંત્રો, ભજનો જેવાં દરેકે દરેક સાધનનાં સતત વાંચન અને રટણ વડે તેણે ઈશ્વરનાં નામને આત્મસાત કરવાનું છે. પોતાના અનહદ ભોગવિલાસને તેણે ઈશ્વર પ્રત્યેની અથાક ભક્તિમાં પરિવર્તિત કરવાનું છે.

·       દુનિયાના ભારમાંથી તેણે, ફરજ અને સ્વ-પ્રયાસ રૂપે નહીં પણ તેના ફળ રૂપે, મુક્ત થવાનું છે. તો કદાચ, એ અનાસક્તિના ખજાનાને ખોલી શકશે.

·       લાગણીઓને મનમાંથી કાઢી નાખવાને બદલે તે તમામને પોતાના ધ્યેય તરફ કેન્દ્રિત કરવાનું તે શીખવા લાગે છે. આ સભાન પગલું તેને લાગણીશીલ થવાને બદલે ભક્તિભાવપૂર્ણ બનાવવા લાગે છે.

·       તે પોતાની નિરાશાઓની સાથે બહુ જ મથીને પ્રયત્નપૂર્વક કામ લેવા માગે છે. નિરાશાઓને એકઠી કરીને ઈશ્વરને ચરણે ધરી દેવા માગે છે.

·       તે હકીકતોમાં આરામ કરવા માગે છે. જ્યારે ભૌતિક મદદ ન કરી શકાય ત્યારે લાચારી સ્પષ્ટપણે ન અનુભવાવી જૉઇએ એ રીતે પોતાના વિચારોનું પુનઃગઠન કરવા માગે છે. તે તો એવી માન્યતા મનમાં ગ્રહણ કરવા માગે છે કે શાંત અને સન્નિષ્ઠ પ્રાર્થનાની ક્ષમતા ક્યારેક તો સૌથી વધારે ઉચ્ચ મદદ બની શકે છે. તે દૈવી કૃત્ય તો છે જ, પણ સાથે સાથે પોતાનાં મનને વિસ્તારવાની જ નહીં પણ, પોતાની પ્રાર્થનાઓ થકી દૈવત્વમાંનાં અને દૈવત્વમાંથી જ બધાં જોડાણોને પોષીને બધા જ દુન્યવી સંબંધોને સૂક્ષ્મપણે દૈવ્ય સ્વરૂપ કરવાની સંભાવના ધરાવે છે. 

·       એક પગલું પણ ખરેખર પૂરતું છે એ હકીકત તે જીવી લેવા માગે છે.

સ્વામી સ્મરણાનંદ લખે છે કેઃ

કાર્ડિનલ જોહ્ન હેન્રી ન્યુમૅનનાં સૉનેટ[4]ની કેટલીક પંક્તિઓ મને યાદ આવે છે, જેમાં તેઓ કહે છે કે 'મારે દૂર સુધી જોવાનું નથી માગવું, મારા માટે એક જ પગલું પૂરતું છે.' હું જ્યારે નાનો હતો ત્યારે મને આ વાક્યનો અર્થ નહોતો સમજાયો. પણ મારી યાદદાસ્તમાં એ શબ્દો કોતરાઈ ગયા હતા. ઘણાં વર્ષો પછી ચર્ચમાં જોડાયા પછી એક દિવસ ભારતમાં પહાડ ચડતો હતો અને અચાનક ગાઢ ધુમ્મસમાં  બધું જ ઢંકાઈ ગયું. એવામાં જો પગલું ચુકાયું તો હજારો ફૂટ નીચે ગબડી પડાય તેમ હતું. જોકે મને એક પગલું આગળ અને એક પગલું પાછળ એટલું દેખાતું હતું. તે સાથે જ મને 'મારા માટે એક જ પગલું પૂરતું છે' યાદ આવી ગયું. મને આગળ વધવાનું બળ મળી ગયું. દૂર સુધી નહીં દેખાય તો વાંધો નહિ, એક એક પગલાં જેટલું દેખાશે તો પણ આગળ વધતાં જ જવાશે. આધ્યાત્મિક જીવનમાં પણ દૂર સુધી ન દેખાય તેનો વાંધો નથી, તે શક્ય પણ નથી. પરંતુ એક એક પગલું ભરતાં ભરતાં આપણે આપણા માર્ગ પર આગળ વધતા રહેવાનું છે. 

સામાન્ય જીવનનાં દૈવ્યીકરણનું વિચારબીજ ખીલે છે

·       કર્મના હાથમાં લાચારી અનુભવવાથી લઈને કર્મને સ્વીકારવામાં અને દૈવી તાકાત કર્મની જગ્યા લઈ છે એમ સમજવામાં 

·       બધામાં દૈવત્વ જોવાની બૌદ્ધિક શ્રદ્ધા અને ભાવનાત્મક સંતોષ વિકસાવવામાં

·       સામાન્ય જીવન અવરોધ નહીં પણ ભક્તિ માટે ફળદ્રુપ શક્યતાઓ ધરાવે છે તેમ સમજવામાં

·       ખરાં વ્યસનો અને ભોગવિલાસને નવી નજરથી સમજવા માટે આંતરિક દૃષ્ટિનાં દૈવત્વને કેળવવામાં 

મુમુક્ષુના મનમાં સવાલ છે

મુમુક્ષુના મનમાં મોટામાં મોટો મોટો પ્રશ્ન છે કે મંદિરની બહાર પગ મુક્યા પછી દુનિયા નજરે પડવા લાગે ત્યારે એ જ લગન અને એ જ ભક્તિભાવ કેમ કરીને ટકાવી રાખવાં? બંધ આંખે જે ઈશ્વરને જૂએ છે તેને ખુલ્લી આંખે શી રીતે જોવા?

પ્રશ્નનો ઉત્તર પ્રશ્નમાં જ છે. ખુલ્લી આંખે પણ ઈશ્વરને એ જ ઉત્કટતા અને ભક્તિભાવથી જોવાની મહાપ્રાણોચ્ચાર આકાંક્ષા જગવવી પડે. અદમ્ય મહાત્વાકાંક્ષા વિના દર્શન કેમ કરીને શક્ય બને? ઈશ્વરને મંદિરમાં જ મુકીને બહાર આવતા રહીએ તો ઈશ્વર તો મંદિરમાં જ કેદ રહી જાય! દૈવત્વનું આ જ અધ્રુરૂં અર્થઘટન છે - ઇશ્વર તો નાનામાં નાના કણમાં પણ વસે છે - એ તો ઇરાદાથી વાસ્તવિકતા એમ બધે જ છે. દુનિયાની લાખો કરોડો વસ્તુઓમાં ઇશ્વરને જોતાં શીખવાનું છે. મનની બધી એષણાઓને ઇશ્વર ભણી કેન્દ્રિત કરવાની છેં.

મુશ્કેલ પણ ઉપાયોન્મુખ પ્રક્રિયા

જેવું જોઈએ એવું મળે. એટલે દિવ્ય ઘડીઓના પ્રાદુર્ભાવની રાહ જોવાને બદલે આપણી આસપાસ બનતી દરેક ક્ષણમાં જોવાના દૃષ્ટિકોણને કેળવવાની જરૂર છે. આ ખોજમાં ઈશ્વર ક્યાં છે તેનું બૌદ્ધિક વિશ્લેષણ દાખલ ન થવા દેવું. બુદ્ધિને દાખલ કરવાથી ઉકેલની શોધ વર્તુળમાં ઘુમરાયા કરશે અને અંતમાં તેની ટુંકી સમજ એવો જ ક્ષુલ્લક ઉપાય લાવી મુકશે. સીધી, સરળ અને વ્યવહારુ પ્રક્રિયા તો પરમેશ્વરને પુછવાની છેઃ હે ઇશ્વર, હું આ જે પીડામાંથી પસાર થાઉં છું એમાં તમે ક્યાં છો? સવાલમાં જેટલો સરળ શ્રધ્ધાનો ભાવ  એટલી ઈશ્વરને શોધની આકાંક્ષાની પ્રબળતા. ઈશ્વરને યોગ્ય લાગશે ત્યારે જ તે પ્રગટ થશે - એકાંતમાં આંખો બંધ કરીને ધ્યાન નહી ધર્યું હોય અને કુદરતના ખેલની ધમધમાટ પ્રવૃતિઓની વચ્ચે આંખો ખુલ્લી હશે તો પણ.

આવી મહત્વાકાંક્ષાની વ્યાખ્યા કેમ કરવી? સંજીવની પુરતી આકાંક્ષા એટલે ફળની અપેક્ષા વિના ઈશ્વરમાં શ્રધ્ધા - બીજા બધા પ્રયાસોમાંથી વૈરાગ્ય. આવું તાદૃશ્ય ચિંતન અંતરમાં વસેલ દિવ્યનાં સદાય અસ્તિત્વ માટે જગ્યા બનાવે છે, તેની પહોચને વિસ્તારે છે, બધામાં દિવ્યતા જોઈ શકવાની દૃષ્ટિને વિસ્તારે છે અને પ્રબળ બનાવે છે. જેટલો વધારે વિરોધ કરવામાં આવે એટલું દુન્યવી બળનો વિરોધ પ્રબળ થશે. જેટલો વિરોધ ઓછો, એટલી વધારે અંતરમાં સદાય વસેલાં અસ્તિત્વની પ્રબળતા. સ્વામી વિવેકાનંદ તો કહે જ છે કે, 'પહેલાં આધીન થતાં શીખો, પ્રભુત્વ આપોઆપ આવશે.'

મુમુક્ષુએ ચંડિપાઠની પંક્તિઓ, या देवी सर्वभुतेषु:, યાદ કરીને ઉત્કટ ઇચ્છા કરવી જોઈએઃ

સર્વ જીવોમાં માતાના રૂપમાં બિરાજમાન, સર્વ જીવોમાં ચેતનારૂપ, તેજ, દિવ્ય પ્રકાશ, ઊર્જાના રૂપમાં તમામ જીવોમાં વિરાજમાન, જાતિ-જન્મ, સર્વ વસ્તુનું મૂળ, સર્વ જીવોનાં મૂળ કારણદયા રૂપે, શાંતિ રૂપે, સહનશીલતા અને ક્ષમા રૂપે, બુદ્ધિ અને જ્ઞાન રૂપે, શ્રદ્ધા, આદર અને સન્માન રૂપે, ભક્તિ, વફાદારી અને સ્નેહ સ્વરૂપે, લક્ષ્મી, વૈભવ, ઈચ્છા, ભૂખ સ્વરૂપે સર્વ જીવોમાં વિરાજમાન એવાં દેવીમા, મને દર્શન આપો. 

મુમુક્ષુનું મનોમંથન જેમ જેમ વધતું જાય છે તેમ તેમ તેની આકાંક્ષા પણ વદહ્તી જાય ચઃએ. તો પણ તેતેની સામે રહેલા અસ્તિત્વના પહાડ પર ડગલાં ભરતો આગળ વધ્તો જ રહે છે. તેન અએક હાથમાં સત્યનાં રટણનો દંડ છે તો બીજા હાથમાં પોતાની નિષ્ઠાના ભાવનો દંડ છે. દરેક ડગલે તે પોતાને તેને આધીન થતો જાય છે. તેને શ્રદ્ધા છે કે આ ચડાવની યાત્રામાં ક્યાંક તો ઇશ્વર પ્રગટ થશે. ઈશ્વર જ્યારે પ્રગટ થશે ત્યારે જ્ઞાનના પ્રકાશનો પુંજ રેલાશે તેમાં તેને દેખાતું સમગ્ર વિશ્વ ઈશ્વરમય થઈ જશે.

સ્વામી વિવેકાનંદ - પરિત્યાગનો પ્રભાવ અને ઈશ્વર પર શ્રદ્ધા

તે ખોવાઈ ગયો હતો. ક્યાં જવું તે સૂઝતું નહોતું. એવામાં તેને રેલ્વે યાર્ડમાં એક પેટી દેખાણી. તે એટલો થાકી ચૂક્યો હતો કે એ પેટીનું ત્યાં હોવું એ ઈશ્વરી સંકેત જણાયો અને તે ત્યાં ઊંધી ગયો. બે દિવસ પછી તે અમેરિકાની (ધર્મ) સંસદને હચમચાવી નાખવાનો હતો એ પણ નિયતિ હતી અને આ પણ નિયતિ હતી કે અત્યારે તે એકલો અટૂલો, અજાણ્યો અને ઉપેક્ષિત હતો. કદાચ, વધારે સાચું એ હતું કે પોતાની ભૂમિનો એ એવો સંન્યાસી હતો જેને જ્યાં સાંજ ઢળે ત્યાં જ સુઈ જવાનું હતું.

આપણને શબ્દશઃ કદાચ આવો અનુભવ ન પણ થાય, પણ તેનું હાર્દ આપણા જીવનમાં જરૂર ઉતારવું જોઈએ. આપણાથી શક્ય હતું તે બધું જ કરી ચૂક્યા પછી પણ પરિસ્થિતિ વિપરીત જ રહે ત્યારે બધી ચિંતાઓ છોડીને, સવારના પ્રકાશમાં આપણને ઉપાય દેખાશે એવી ઈશ્વર પર શ્રદ્ધા રાખીને 'સંજોગોની પેટી'માં નિદ્રાવશ થઈ જવું જોઈએ. 

શ્રી રામકૃષ્ણ પરમહંસ - પ્રેમ અને દિવ્યતાનું દેહસ્વરૂપ

'હે ઈશ્વર! બધું જ તારૂં છે - તન, મન, ઘર, પરિવાર, વિશ્વ અને બધાં સજીવો, બધાં તારાં જ છે. મારૂં તો કંઈ જ નથી.'

દરેકમાં ઈશ્વરનો વાસ જોવાની સમજણ પડવાની અને તેને જીવનમાં ઉતારવાની કોશિશ કરતાં રહીએ ત્યાં સુધી તો આ મહાન યુગદૃષ્ટા માર્ગદર્શકે આટલા સરળ, અને સચૉટ, શબ્દોમાં સમજાવી દીધું છે કે બધે જ ઈશ્વરનો વાસ છે. એમનાં જીવનનાં અનુભવોના ઊંડાણમાંથી દરેક બોલને આપણા જીવનમાં ઉતારવો એ પણ આપણા માટે એટલી જ પવિત્ર પ્રવૃતિ છે. 

મા શારદામણિ દેવી - બધાંને પોતાનાં સંતાન ગણવાં એવો માતૃત્વભાવ

દુનિયાને પોતાની બનાવતાં શીખીએ. કોઈ જ અજાણ્યું નથી, સમગ્ર વિશ્વ આપણું છે.

મા શારદાદેવીના દેહવિલય પહેલાંના છેલ્લા શબ્દો પૈકી આ શબ્દો છે. એમાં એમનાં આખાં જીવનનો અર્ક સમાઇ ગયો છે. તેમની વિનમ્ર સાદગી અને મનનીય, તલસ્પર્શી પ્રવૃત્તિઓ દ્વારા તેમના સંપર્કમાં જે કોઈ આવ્યું એમને તેઓએ માતાનો પ્રેમ આપ્યો. તેમના માતૃત્વના ભાવને શબ્દમાં કદાચ વ્યક્ત ન કરી શકીએ, પણ કોઈ જ અજાણ્યું નથી એવો ભાવ તો આપણા મનમાં દૃઢ કરતાં રહી જ શકીએ.   

ઉપનિષદના શબ્દોનું માર્ગદર્શન

ઈશોપનિષદના પહેલા જ મંત્રમાં શું કરવું જોઈએ તે સીધું જ કહેવાયું છે -

ईशा वास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत्
तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्धनम्

ચરાચર જગતમાં જે કંઈ છે આ, ઈશ્વર તેમાં વ્યાપ્ત છે;

ત્યાગભાવથી ભોગવ તેને, આસક્ત તેમાં ન થજે.

દિવ્ય જીવનઃ મધુર વિદાય

એક બાજુ જીવનને સામાન્ય તરીકે જોવાની અને બીજી બાજુ સંન્યાસીનાં જીવનને જોવાની, અસરમાં સહેલાઈથી આવી જનારાં મનને માર્ગદર્શનની, તાલિમની જરૂર છે જેથી તેને સામાન્ય અને સંન્યાસી જીવનને એકબીજાં ભેળવી દેવા તર્ફ દિશાનિર્દેશ કરવાની જરૂર છે. બન્ને પ્રકારનાં જીવનમાં દિવ્યતાને પ્રાપ્ત કરવા માટે પરિત્યાગ આવશય ક છે, અને તે દરેકનો દૈવી હક્ક છે.દસમા શિખ ગુરુ, ગુરુ ગોબિન્દ સિંગ, દ્વારા રચાયેલ દસમ ગ્રંથમાં પરિત્યાગના આ દૈવી હક્કને બહુ જ સરળતાથી સમજાવાયો છે.

रे मन ! ऐसो करि संनिआसा।[5]

बन से सदन सबै करि समझहु, मन ही माहिं उदास॥

जत की जटा जोग को मंजनु, नेम के नखन बढ़ाओ।

ग्यान गुरू, आतम उपदेसहु, नाम-बिभूति लगाओ॥

अल्प अहार सुल्प सी निद्रा, दया छिमा तन प्रीत।

सील सँतोख सदा निरबाहिबो, ह्वैबो त्रिगुन अतीत॥

काम क्रोध हंकार लोभ हठ, मोह न मन सौं ल्यावै।

           तब ही आत्म-तत्त कों दरसै, परम पुरुष कहँ पावै॥