બુધવાર, 1 જુલાઈ, 2026

પુરાણશાસ્ત્રવિદ્યા અને સંગીત: સતીનો પ્રકોપ - દેવદત્ત પટ્ટનાઈક

 અનિલ શ્રીનિવાસન, દેવદત્ત પટ્ટનાઈક સાથે -  લાઈવ પુરાણશાસ્ત્રવિદ્યા અને સંગીત

અનિલ શ્રીનિવાસન, દેવદત્ત પટ્ટનાઈક, બી એસ પુરુષોત્તમન - કલાક્ષેત્રમાં સંગીતના લાઈવ કાર્યક્રમમાં 

કથાનકમાં ડૉ. દેવદત્ત પટ્ટનાઈક દૈવી સ્ત્રીત્વના શ્યામ, સફેદ અને ભૂખરા રંગોની ઝાંય વિશે વાત કરે છે.

કલાક્ષેત્ર પર આ મારો પહેલો અનુભવ છે. એટલે હું 'કલા' અને ક્ષેત્ર' શું છે ત્યાંથી શરૂઆત કરીશ અને પછી  દેવીસ્ત્રીત્વના  શ્યામ, ધવલ અને ભુખરા સ્વરૂપની ઝાંય વિશે વાત કરીશ.

મેં હંમેશા મારી જાતને પૂછ્યું છે કે 'કલા' શબ્દ ક્યાંથી આવ્યો હશે? અને અલબત્ત આપણે ક્યારેય ખરેખર જાણી શકીશું નહીં પણ કોઈ અનુમાન કરી શકીએ. મને લાગે છે કે તે 'કાલ' શબ્દ પરથી ઉદ્ભવ્યો છે,. કાલનો અર્થ સમય થાય છે. સમયની પ્રકૃતિ  છે કે તે બધું કાપી નાખે છે, બધું તોડી નાખે છે કારણ કે તમે ગઈકાલથી સતત અલગ છો, જેને હિન્દીમાં કાલ (ગુજરાતીમાં પણ કાલ) કહેવામાં આવે છે. તમે આવતીકાલથી પણ અલગ છે. આવતીકાલને પણ કાલ કહેવામાં આવે છે. આમ કાલ કાલ અને કાલ બનાવે છે અને જે બન્ને અલગ છે. તમે ગઈકાલ માટે ઝંખી રહ્યા છો જે તમારો ઇતિહાસ છે અને તમારા આવતીકાલ  માટે પણ ઝંખો છો  જે તમારું ભાગ્ય છે. તમે તમારા ભૂતકાળ અને ભવિષ્ય બંનેથી અલગ છો. તમે કોઈ પ્રકારના સાતત્ય માટે ઝંખી રહ્યા છો કારણ કે વસ્તુઓનું વિભાજન એટલી બધી પરિપૂર્ણતા ધરાવે છે કે તમને આશ્ચર્ય થાય છે કે શું તમે એક થઈ શકો છો. કલા એક થઈ જાય છે. તે રંગોને એક કરે છે. તે સંગીતના ધબકારાને એક કરે છે. તે નૃત્યમાં હાવભાવને એક કરે છે. તે સતત એક થઈ રહ્યું છે અને એક પ્રકારની અનંતતાનું નિર્માણ કરી રહ્યું છે કારણ કે ધૂનમાંથી સૂર આવે છે અને પછી ધીમે ધીમે તમે શરૂઆતના બિંદુ -  ચક્રીય લય - પર પાછા આવો છો.  ત્યાં એક રચના બને છે જેના દ્વારા કળા મર્યાદિતને અનંત બનાવે છે. તેથી એક રીતે કલા આપણને આ અલગતાની ભાવનાથી મુક્ત થવા સક્ષમ બનાવે છે.

કલા મારા ભૂતકાળ, મારા ભવિષ્ય, જેવી સતત અલગતાની ભાવનાથી અલગ થવાને  અને તે આપણને એક સાતત્ય, અનંતતા સાથે જોડે છે.

એ જ વસ્તુ શબ્દ 'ક્ષેત્ર'માંથી આવે છે કારણ કે ક્ષેત્ર શું છે - તે સ્થળ છે.  આપણે હવે સમય વિશે વાત કરી રહ્યા નથી અને આપણે સ્થળ વિશે વાત કરી રહ્યા છીએ. ગીતામાં વારંવાર  ક્ષેત્રનો અને ક્ષેત્રાજ્ઞનો વારંવાર ઉલ્લેખ છે . તે સ્થળ (તન)માં  તમે કોણ છો. એ તમારું સ્થળ છે અને આ સ્થળ મારું સ્થળ નથી. આ મારું છે અને આ મારું નથી. આ મને ખબર છે અને તે અજ્ઞાત છે. એવા વિભાગો છે. આ મારું છે, આ મારું નથી. જ્યાં સુધી આ મારું છે કે કોનું છે તે અંગે આપણે વિવાદ કરીએ છીએ, ત્યાં સુધી તમારી પાસે કુરુક્ષેત્ર રહેશે. અને જે ક્ષણે તમને સાતત્યનો ખ્યાલ આવે છે, ખ્યાલ આવે છે કે આવાં કોઈ વિભાજન નથી, ત્યારે તમે ધર્મક્ષેત્ર તરફ આગળ વધો છો. આ ઝંખના ભારતીય વિચારધારામાં વિભાજન અને જોડાણોનો એક સુસંગત વિષય છે. સાંખ્ય વિવિધ વિભાજન વર્ણવે છે અને યોગ તેમને એકસાથે બાંધે છે -  તેમને એક કરવાનો પ્રયાસ કરે છે. તેઓ એક થાય છે અને તૂટી જાય છે. તેઓ એક થાય છે અને તૂટી જાય છે. આમ સતત બનતું રહે છે અને તમે આ વિચારને ફરી ફરીને ફિલસૂફીમાં જુઓ છો.

તમે તેને નિવૃતિ માર્ગમાં જૂઓ  છો જે બીજાથી દૂર થઈ રહ્યો છે અને પ્રવૃતિ માર્ગ માં જે બીજા સાથે સંકળાયેલો છે. પહેલા માર્ગે સંન્યાસી પોતાને બીજાથી અલગ કરવા માંગે છે અને બીજા માર્ગે ગૃહસ્થ બીજા સાથે સંકળાયેલો છે. અલગતા અને જોડાણની વિભાવના ઝંખના રંગોમાં છે. સફેદ રંગ – કર્પૂર ગૌરવ શિવ છે જે બરફ જેવું  સફેદ છે ત્યાં બેસે છે. કાળો રંગ - શ્યામ વિષ્ણુ અલગ પડે છે.  ભૂખરો રંગ બન્ને રંગોને એક કરે છે.  તે દેવી છે જે બન્ને ને જોડે છે.

જ્યારે તમે આજના યુગને જુઓ છો ત્યારે દેખાશે કે આપણે આપણા પૂર્વજોથી અલગ નથી. પૂર્વજોએ આત્મનિરીક્ષણ, આત્મશોધ, આત્મસાક્ષાત્કાર, આત્મબોધની વાત કરી હતી. આજે આપણે સેલ્ફી વિશે વાત કરવાનું નક્કી કર્યું છે. તે ફક્ત સ્વ વિશે છે. સ્વ પ્રત્યેનો આ જુસ્સો, તે હંમેશા અહમ, અહમ છે. હું હું હું ની જ વાત  આમ છે.

આપણે આત્મસાક્ષાત્કાર જેવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તે ખૂબ જ ઉમદા લાગે છે પરંતુ હકીકત એ છે કે તે શબ્દમાં વિચ્છેદ છે કારણ કે તેમાં બીજાની કોઈ સ્વીકૃતિ નથી. ત્વમ અહમ અને મમ - હું અને મારું અને તવ અને ત્વમ - તું અને તારું. સંન્યાસી બીજાથી દૂર થઈ જાય છે. તે બીજાનો ભાગ બનવા માંગતો નથી. તે પર્વતની ટોચ પર ભવ્ય એકાંતમાં પોતાની સાથે રહેવા માંગે છે. બીજાઓનું શું? એક એવા સંબંધની ઝંખના જે એકલતાને તોડે છે, જે ધ્યાન માંગે છે. પણ મારું શું? સાધુ તરીકે તમે સંન્યાસી બનો છો. તમે જંગલમાં જાઓ છો. મારું શું? હું જંગલમાં જવા માંગતો નથી. મારી જરૂરિયાત કરતાં તમારી જરૂરિયાત વધુ મહત્વપૂર્ણ છે. આ બધા એવા સંવાદો છે જેના વિશે ભારતમાં હમેશા ચર્ચા રહી છે .

તમે વેદનું પ્રાથમિક દૃશ્ય જુઓ તો તે યજ્ઞ છે. યજ્ઞ એક વિશે નથી, તે બે વિશે છે. યજ્ઞમાં યજમાન છે જે તેનું સંચાલન કરે છે અને બીજા દેવતા છે જેમને આહ્વાન કરવામાં આવે છે. યજમાન દેવતાને સ્વાહા કહે છે અને દેવતા યજમાનને તથાત્સુ કહે છે.  સ્વાહા દાન છે અને તથાત્સુ મેળવવું છે. આમ આ એવો  સંબંધ બને છે જે એકસાથે એક બનાવે છે અને સંવાદ ભૂલી જાય છે. જ્યારે આપણે સ્વ-સાક્ષાત્કાર આત્મ-સાક્ષાત્કાર સ્વ-સ્વ જેવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે બીજા પર ધ્યાન કેન્દ્રિત કરતા નથી. દેવતા યજમાન તરફ જોઈ રહ્યો નથી.  આપણે સંસ્કૃતમાં આ બે અદભૂત શબ્દો ભૂલી જઈએ છીએ એક છે આરાધ્યઈષ્ટ, દેવતા અને નિમિત્ત - સાધન. હવે એ સંબંધમાં પોતાને પૂછો કે તમે  આરાધ્ય છો તમે નીમિત્ત છો ? પ્રદર્શનમાં એક મંચ હોય છે જ્યાં કલાકારો ઉભા હોય છે અને પછી પ્રેક્ષકો હોય છે. આરાધ્ય કોણ છે તમે કે દેવતા ? નીમિત્ત કોણ છે – તમે કે દેવતા? સ્વ કોણ છે? અન્ય કોણ છે? જ્યાં સુધી વિભાજન છે, ત્યાં સુધી જાદુ થશે નહીં. બન્ને એક બીજામાં ફાળો આપે છે. તમારા પ્રતિભાવ, તમારું ધ્યાન પ્રદર્શનને પ્રભાવિત કરે છે અને તે જ રીતે ગતિ થાય છે. પણ તે મુશ્કેલ છે, ખરું ને?
શિવ પુરાણ જૂઓ. તમને એક દેવીની ઝંખના દેખાશે જે તેના ભૂતકાળ અને ભવિષ્યને એક કરવાનો પ્રયાસ કરી રહી છે. સતીના પિતા દક્ષ પ્રજાપતિ છે, તે યજ્ઞના મહાન આશ્રયદાતા છે, તે સૈદ્ધાંતિક રીતે યજ્ઞને સમજે છે પણ ભૂલી જાય છે કે યજ્ઞ કોના વિશે છે, અહમ કે ત્વમ, પોતાના વિશે છે કે પુત્રી વિશે છે. તેઓ આગ્રહ રાખે છે કે દરેક વ્યક્તિએ તેણે કહેલા માર્ગે ચાલવું જોઈએ, બીજા કોઈ માર્ગે નહીં અને તેથી તે પોતે જ આંધળો છે, બીજાને જોઈ શકતો નથી. પર્વતની ટોચ પર બેઠેલા ભવ્ય એકાંતમાં રહેલા સંન્યાસી શિવ યજ્ઞમાં ભાગ લેતા નથી. તેમને યજ્ઞમાં રસ નથી. દેવી તેમના પ્રેમમાં પડી જાય છે કારણ કે તે શિવની સુંદરતા જુએ છે. દેવીને પિતા કહે છે કે શિવ  સુંદર નથી, તે કદરૂપા છેમ દેવી સહમત નથી થતાં અને કહે છે પણ મને લાગે છે કે તે સુંદર છે, તે મારું સત્ય છે અને હું તેમને અનુસરૂં છું. દક્ષ  ગુસ્સે થાય છે અને ક હે છે કે ના, મારા ક્ષેત્રમાં, મારા પ્રદેશમાં એ આવકાર્ય સ્વાગત નથી, એમનું સ્વાગત નથી. દેવી પણ ગુસ્સે થઈને તેના પતિ પાસે જાય છે અને કહે છે, "મારા પિતાને માફ કરો." શિવ  કહે છે, " એમાં શું છે? ના જાઓ." અને દેવી શિવથી અલગતા અનુભવે છે કારણ કે તે ઇચ્છે છે કે તેના પિતા અને તેના પતિ એક સાથે રહે. એક યજ્ઞમાં જતા  નથી અને બીજા તેને યજ્ઞમાં પ્રવેશવાની ના પાડે છે. દેવી તેના પિતા અને પતિ વચ્ચે વિભાજિત થઈ ગયેલ છે. પતિ પરવા કરતો નથી અને પિતા પોતાનું જ ધાર્યું કરવા માંગે છે. આખરે ક્રોધમાં આવીને સતી યજ્ઞકુંડમાં કૂદી પડે છે ત્યારે તેના ક્રોધ વચ્ચે એ બધા અનુભવો, યાદ અપાવે છે કે જીવનનો હેતુ યજમાન અને દેવતા વચ્ચેનું - આરાધ્ય અને નિમિત્ત વચ્ચેનું, યહાં અને ત્વમ વચ્ચેનું, ગઈ કાળ અને આવતી કાળ વચ્ચેનું - જોડાણ છે.  એક થવાની સતીની ઝંખના પુરી થઈ રહી નથી,  એ નિરાશાને કારણે સતીનો પ્રકોપ આ ભૌતિક સ્વરૂપમાં પ્રગટ થાય છે.

આપણે બધા ક્રોધ અનુભવીએ છીએ જ્યારે આપણને લાગે છે કે કોઈ આપણી તરફ જોઈ રહ્યું નથી, કોઈ આપણને સાંભળતું નથી, જ્ઞાની ઋષિ સાંભળતા નથી, ઉમદા પૂજારી સાંભળતા નથી, કોઈ સાંભળતું નથી, તમે ક્રોધમાં પોતાને બાળી નાખો છો. સતીનો ક્રોધ પણ એ જ છે.

 


બુધવાર, 24 જૂન, 2026

મારી દૃષ્ટિએ (૧૯૪૬-૧૯૪૭) : ભાગ ૪ - જ્યો ર્જ ઑર્વેલ [૭]

  જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IVના આંશિક અનુવાદ, મારી દૃષ્ટિએ (૧૯૪૪ - ૪૫) : ભાગ ૪ - જ્યોર્જ ઑર્વેલ [] થી આગળ

ટ્રિબ્યુન
૨૮ ફેબ્રુઆરી, ૧૯૪૭
(ટ્રિબ્યુન માટે માન્ચેસ્ટર ઇવનિંગ ન્યૂઝ, ૨૮ ફેબ્રુઆરી ૧૯૪૭)[1]

આજકાલ જ્યારે ટાઇપરાઇટર ખૂબ દુર્લભ બની ગયાં છે ત્યારે એક વાત ધ્યાનમાં આવે છે કે લગભગ દરેક વ્યક્તિના હસ્તાક્ષર નવાઈ લાગે તેટલા ખરાબ હોય છે. જે જોવામાં સુખદ અને વાંચવામાં સરળ, એમ બંને હોય તેવા હસ્તાક્ષર તો હવે ખૂબ દુર્લભ છે. સુધારો લાવવા માટે આપણે જે હવે ગુમાવી બેઠાં છીએ, જે કદાચ ભૂતકાળમાં આપણા માટે જે સામાન્ય રીતે સ્વીકૃત 'શૈલી' હતી, તે વિકસાવવી પડશે.


મધ્ય યુગમાં ઘણી સદીઓ[2]  સુધી વ્યાવસાયિક લેખકોએ એક ઉત્કૃષ્ટ લિપિ (કે લિપિઓની શ્રેણી) લખી, જેની બરાબરી હવે કોઈ કરી શકતું નથી. પછી હસ્તાક્ષરમાં લખવાનું ઘટતું ગયું. અને  સ્ટીલ પેનની શોધ પછી ઓગણીસમી સદીમાં ફરીથી જીવંત થયું. તે સમયે પસંદ કરાયેલ શૈલી કોપ્પરપ્લેટ' હતી. તે સુઘડ અને સુવાચ્ય હતી, પરંતુ તે બિનજરૂરી રેખાઓથી ભરેલી હતી અને શક્ય હોય ત્યાં આભૂષણ દૂર કરવાની આધુનિક વૃત્તિ સાથે બંધબેસતી હતી. પછી બાળકોને લિપિ શીખવવાની ફેશન બની ગઈ, જેનાં પરિણામો મહદ્‍ અંશે વિનાશક રહ્યાં.  ખરેખર સુઘડતાથી હસ્તલિપિ લખવા માટે, વ્યક્તિએ વાસ્તવમાં તો દોરવાનું શીખવું પડે છે, અને તેને હાથ ઉપાડ્યા વિના લખવા જેટલી ઝડપથી લખવું અશક્ય છે. ઘણા યુવાન, અથવા યુવાન જેવડા, લોકો હવે હસ્તલિપિ અને કોપ્પરપ્લેટ વચ્ચેના અસગવડયુક્ત સમાધાનનો ઉપયોગ કરે છે. ખરેખર ઘણા પુખ્ત અને સંપૂર્ણ સાક્ષર લોકો છે જેમના  હસ્તાક્ષર ક્યારેય યોગ્ય રીતે 'ઘડાયેલા' નથી હોતા.

સુઘડ હસ્તાક્ષર અને સાહિત્યિક ક્ષમતા વચ્ચે કોઈ જોડાણ છે કે કેમ તે જાણવું રસપ્રદ રહેશે. મારે કહેવું જ જોઇએ કે જે આધુનિક ઉદાહરણો વિશે હું વિચારી શકું છું તે બહુ સાબિત કરતાં નથી. મિસ રેબેકા વેસ્ટના  ઉત્કૃષ્ટ હસ્તાક્ષર છે, અને શ્રી મિડલટન મરીના પણ છે. સર ઓસ્બર્ટ સિટવેલ, શ્રી સ્ટીફન સ્પેન્ડર અને શ્રી એવલિન વો બધાના હસ્તાક્ષર જે, શક્ય તેટલું નમ્રતાથી કહીએ તો પણ, સારા નથી. પ્રોફેસર લાસ્કીના હસ્તાક્ષર જોવામાં આકર્ષક છે પણ વાંચવામાં મુશ્કેલ છે. આર્નોલ્ડ બેનેટ સુંદર નાના અક્ષરોમાં લખે છે જેના માટે તેમને બહુ શ્રમ કરવો પડે છે. એચ. જી. વેલ્સ પાસે આકર્ષક પણ અસ્વચ્છ લેખન હતું. કાર્લાઇલનું લેખન એટલું ખરાબ હતું કે એક કમ્પોઝિટર તેને કંપોઝ કરવાના કામથી દૂર જવા માટે એડિનબર્ગ છોડીને ગયો હોવાનું કહેવાય છે. શ્રી બર્નાર્ડ શો  નાનું, સ્પષ્ટ પણ ખૂબ જ ભવ્ય હસ્તલેખન લખે છે. અને સૌથી પ્રખ્યાત અને આદરણીય જીવંત અંગ્રેજી નવલકથાકારોની વાત કરીએ તો, તેમનું લેખન એવું છે કે જ્યારે હું બી.બી.સી.માં હતો અને મહિનામાં એક વાર તેમનાં લેખનને પ્રસારણમાં મુકવાનું સન્માન મેળવતો હતો, ત્યારે આખા વિભાગમાં ફક્ત એક જ મદદનીશ હતો જે તેમની હસ્તપ્રતોને ઉકેલી શકતો હતો.[3]

+                 +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IVનો આંશિક અનુવાદ 

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

[1] માન્ચેસ્ટર ઇવનિંગ ન્યૂઝમાં ઓરવેલના કોલમના પ્રકાશન માટે ૨૧ ફેબ્રુઆરી, ૧૯૪૭ ના રોજ 'એઝ આઇ પ્લીઝ' ની હેડનોટ જુઓ. બીજો વિભાગ, જેનો નંબર 75A છે, તે ડેઇલી હેરાલ્ડમાં આગલા દિવસે પ્રકાશિત થયો હતો. કટોકટી દરમિયાન માન્ચેસ્ટર ઇવનિંગ ન્યૂઝે જે ટ્રેડ પેપર્સને આતિથ્ય આપ્યું હતું તેમાંથી એક શૂ એન્ડ લેધર રેકોર્ડ હતું. ઓરવેલના કોલમની નીચે છપાયેલા તે જર્નલના અહેવાલમાં એક નિવેદન હતું કે બળતણની કટોકટીને કારણે ૧૦,૦૦૦,૦૦૦ જૂતાના ઉત્પાદનમાં નુકસાન થયું હતું, જે ઓરવેલને ફૂટવેર શોધવામાં મુશ્કેલી પડી હતી તે બાબતમાં વધારાનો મુદ્દો આપે છે.

[2] (Centuries) પરંતુ છપાયું countries તરીકે હતું

[3] સંદર્ભ . એમ. ફોર્સ્ટરના હસ્તલેખનનો છે. 

બુધવાર, 17 જૂન, 2026

યોગ હિન્દુ છે ? - દેવદત્ત પટ્ટનાઈક

 

હા, યોગ હિન્દુ છે. વધુ યોગ્ય રીતે કહીએ તો, તે ભારતીય છે, કારણ કે આ વિચાર સદીઓથી બૌદ્ધો, જૈનો અને ભારતના ઉપખંડમાં રહેતા ઘણા લોકો દ્વારા વિકસાવવામાં આવ્યો ચે.

પ્રાચીન પર્શિયનો આ ભૂમિના લોકોને હિન્દુ કહેતા હતા, અને પ્રાચીન ગ્રીકો ભારતીયો કહેતા હતા, કારણ કે તેઓ સિંધુ નદીની પેલે પારની ભૂમિમાં રહેતા હતા જેને પર્શિયામાં હિંદ અને ગ્રીસમાં ભારત કહેવામાં આવે છે. અંગ્રેજો આ ઉપખંડને ભારતીય ઉપખંડ કહેતા હતા, અને અમેરિકનો તેને દક્ષિણ એશિયા કહેતા હતા. પુરાણોમાં, આ ભૂમિને જાંબુદ્વીપ કહેવામાં આવે છે, જે જાંબુલ (ભારતીય બ્લેકબેરી) અથવા જાંબુ (ગુલાબ સફરજન) વૃક્ષની ભૂમિ છે. આજે, આ ભૂમિમાં ભારત, પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા અને બાંગ્લાદેશના રાષ્ટ્ર-રાજ્યોનો સમાવેશ થાય છે.

ભારત એક રાજકીય શબ્દ બની ગયો છે, જ્યારે ઈન્ડિક એક સાંસ્કૃતિક શબ્દ છે. હિન્દુ, જે એક સમયે ભૌગોલિક શબ્દ હતો, તે હવે ધાર્મિક શબ્દ બની ગયો છે. તમે કેટલા સારા વકીલ છો તેના આધારે, તમે દલીલ કરી શકો છો કે હિન્દુ ધર્મ એ ૧૯મી સદીમાં બ્રિટીશરો દ્વારા બનાવવામાં આવેલ ધર્મ છે, કે ૫,૦૦૦ વર્ષ પહેલાં ઉભરી આવેલા વિશ્વને જોવાની એક રીત છે.

અમેરિકામાં, યોગ હિન્દુ છે કે નહીં તે પ્રશ્ન રાજકારણ અને અર્થશાસ્ત્રને કારણે ઉઠાવવામાં આવ્યો છે. કેટલાક હિન્દુઓ દલીલ કરે છે કે આ શબ્દ અમેરિકનોએ હસ્તગત કરી લીધો છે, અને તેનું વ્યાપારીકરણ કરી દેવાયું છે, તેથી મલિન બની ગયો છે, તેના આધ્યાત્મિક મહત્વને છીનવી લેવામાં આવ્યું છે. અન્ય કેટલાંક દલીલ કરે છે કે યોગ ક્યારેય હિન્દુઓનો નહોતો અને તેથી પચાવી પાડવાનો પ્રશ્ન ઊભો થતો નથી. મૂળભૂત રીતે, જે તે  "તમારું" છે કે તે "મારું" છે ની માનસિક ગાંઠોને યોગ ઉકેલવા માટે હતું  તે હવે એક પ્રાદેશિક લડાઈ બની ગઈ છે.

પરંતુ એ બાબતે કોઈ શંકા નથી કે આ વિચારસરણી વિશ્વના આ ભાગમાં ઉદ્‍ભવેલ છે, સેંકડો વર્ષોથી ઘણા લોકો દ્વારા પોષવામાં આવેલ છે. આજે આપણે તેને જે સ્વરૂપમાં જાણીએ છીએ તે વીસમી સદીની શરૂઆતમાં ભારતમાં હિન્દુઓ દ્વારા યોગનાં કરેલા પુનઃપેકેજિંગનું પરિણામ છે.

સિંધુ ખીણની મહોરોમાં પર એક માણસ એવી મુદ્રામાં બેઠેલો દેખાય છે જેને યોગ ભદ્રાસન અથવા સિંહાસન તરીકે ઓળખાવામાં છે. શું આ યોગ હતો? આપણે બંને રીતે અનુમાન લગાવી શકીએ છીએ.

,૦૦૦ વર્ષ જૂની વૈદિક પરંપરાઓમાં યોગ શબ્દનો અર્થ બળદને ગાડી સાથે જોડવા અથવા જોતરવાનો થાય છે. આજે પણ, યોગ, અથવા તેનું બોલચાલનું સ્વરૂપ "જોગ" જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહઓની શક્તિઓનાં એક સાથે થવાને વપરાય છે તેમ વિવિધ પરિબળોના એક સાથે થવાને દર્શાવવા માટે વપરાય છે. કોઈ એવી દલીલ કરી શકે છે કે "જુગાડ" શબ્દ "જોગી" - જ્યાં પહેલાં કોઈ અસ્તિત્વમાં નહોતું ત્યાં 'જોગ' બનાવી શકે એવો સાધનસંપન્ન માણસ - પરથી આવ્યો છે. તેથી આ શબ્દ વૈદિક મૂળ ધરાવે છે.

૩૦૦૦ વર્ષ જૂની શ્રમણ પરંપરાઓએ ઘણી વિચારધારાઓને બહાર લાવી, જેને આખરે યોગ તરીકે જોવામાં આવે છે. જેમ કે મનોવૈજ્ઞાનિક શિસ્ત – ધ્યાન કેન્દ્રિત કરવું અને જાગૃતિ કે દ્રષ્ટિકોણ કેળવવો (ધારણા), અથવા મન અને શરીર નિષ્ક્રિય થવું (પ્રત્યાહાર), અને એક પગ પર ઊભા રહેવું, અથવા હાથ ઉપર રાખવા જેવીતપસ્વીઓ દ્વારા વધારે કરાતી જોવા મળતીશારીરિક અંગભંગિઓ (આસન) ને નિયંત્રિત કરવા માટે શ્વાસ લેવાની કસરતો (પ્રાણાયામ). તપસ્વીઓ તરીકે ઓળખાતા સંન્યાસીઓ દ્વારા આ યોગ વ્યાયામો પસંદ કરવામાં આવે છે. એ લોકો તપ તરીકે ઓળખાતા આધ્યાત્મિક અગ્નિનું મંથન કરે છે, અને તેના દ્વારા મનુષ્યોને અલૌકિક શારીરિક અને માનસિક શક્તિઓ (સિદ્ધિ) આપે છે. આ સિદ્ધિઓ તેમને પ્રકૃતિને નિયંત્રિત કરવા સક્ષમ બનાવે છે. તેથી આજે યોગ સાથે સંકળાયેલી પ્રથાઓ શ્રમણ પરંપરામાં મૂળ ધરાવે છે. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ શ્રમણ પરંપરાઓ છે.

પૌરાણિક યુગમાં, એટલે કે ૨૦૦૦ વર્ષ પહેલાં, વૈદિક ધાર્મિક વિધિઓ અને છેવટે શ્રમણ પરંપરાઓ પણ, શિવ, વિષ્ણુ અને દેવી તરીકે પ્રગટ થતી ભગવાનની કથાઓ દ્વારા ઢંકાયેલી હતી. શિવ એવા ભગવાન બન્યા જેમણે યોગને તેમના શિષ્ય પતંજલિ, એક સર્પ, ને સમજાવ્યો, જેણે પછીથી યોગનો વિશ્વમાં પ્રસાર કર્યો. વિષ્ણુ પણ તેને અર્જુન અને કૃષ્ણ અને રામ અને હનુમાન દ્વારા સમજાવે છે. અહીં, આપણે એક વિભાજન જોવાનું શરૂ કરીએ છીએ. કેટલાક લોકો માનસિક પાસાં પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમ કે વ્યક્તિગત આત્મા (જીવ-આત્મા) નું બ્રહ્માંડિક આત્મા (પરમ-આત્મા, પરમેશ્વર) સાથે જોડાણ, જેને સમાધિ તરીકે ઓળખવામાં આવે છે. અન્ય કેટલાંક લોકો બ્રહ્મચર્ય સાથે સંબંધિત રહસ્યમય શક્તિઓ જેવાં  ભૌતિક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ખાસ કરીને જેને સિદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે.

સમાધિનું ધ્યાન વૈદિક તરીકે અને સિદ્ધિનું ધ્યાન તાંત્રિક તરીકે જોવામાં આવે છે, જોકે આવા ભાગલા મનથી માની લીધેલાં છે. વિવિધ ગ્રંથોમાં ધ્યાનનું કેન્દ્ર બદલાય છે. ઉદાહરણ તરીકે, મહાભારતના ભાગ, ભગવદ ગીતામાં, યોગના મનોવૈજ્ઞાનિક પાસાં અને પ્રાણાયામનો ઉલ્લેખ છે, પરંતુ આસનોનો નથી, જ્યારે પતંજલિના યોગસૂત્રમાં, આસનોનો ઉલ્લેખ ઓછામાં ઓછો છે, તે યોગની, મનની વાંકીચુંકી ગાંઠો દૂર કરનાર તરીકે સ્પષ્ટ વ્યાખ્યા આપે છે , અને ખપથી વધારે આસ્તિક બનવાની કોઈ ફરજ પાડતો નથી.

,૦૦૦ વર્ષ પહેલાં વધુને વધુ લોકપ્રિય બનવા લાગેલી નાથ પરંપરાઓમાં, વિવિધ યોગિક મુદ્રાઓ અને શ્વાસ લેવાની કસરતો જેવાં યોગના ભૌતિક પાસાંનો સ્પષ્ટ ઉલ્લેખ છે.  આનો ઉપયોગ રાખ ચોળેલા ભિક્ષુકો દ્વારા કરવામાં આવે છે જેઓ મત્સ્યેન્દ્ર-નાથ અને ગોરખ-નાથનો આદર કરે છે. આ વિચારધારાના વધુ કટ્ટરપંથી સભ્યો નગ્ન સાધુઓ છે જે પશ્ચિમને આકર્ષિત કરે છે, અને કંઈ સાવ જ નવાં માટેની તેમની તરસને સંતોષે છે.

૧૯મી સદીથી, બ્રિટિશ શાસન દરમિયાન, યુરોપિયન વ્યાખ્યાનો સામનો કરવા માટે, અને યુરોપિયન શૈલીના જિમ્નેસ્ટિક્સના સંપર્કમાં આવ્યા પછી, મૈસુરના વોડેયાર રાજાઓના આશ્રય હેઠળ, કૃષ્ણમાચાર્ય જેવા પરંપરાગત ભૌતિક સંસ્કૃતિના સ્થાનિક ગુરુઓએ આજે આપણે જે યોગ જાણીએ છીએ, તે આયંગર અને શિવાનંદ જેવા ગુરુઓ દ્વારા ભારત અને સમગ્ર વિશ્વમાં ફેલાયો. પતંજલિના યોગસૂત્ર જેવા પ્રાચીન અને મધ્યયુગીન યોગ ગ્રંથોના અનુવાદો અને ટિપ્પણીઓ વિવેકાનંદ સહિત વિદ્વાનો અને શિક્ષણવિદો દ્વારા કરવામાં આવી છે.

આજે, યોગની વિચારસરણી અને પ્રથા સમગ્ર વિશ્વમાં વ્યાપકપણે ફેલાઈ છે, જે એક તરફ આને ગુપ્ત હિન્દુ મિશનરી પ્રવૃત્તિ તરીકે જોતા ખ્રિસ્તી અને મુસ્લિમ અલગતાવાદીઓ અને સર્વોપરિતાવાદીઓ  અને પોતાનો વિશ્વાસ અને સંસ્કૃતિ ખોઈ બેસવાથી ડરી રહેલા હિન્દુ અલગતાવાદીઓ અને સર્વોપરિતાવાદીઓને  ચિંતા પ્રેરે છે. આ બધા ઉપરાંત નાસ્તિકો અને ધર્મનિરપેક્ષતાવાદીઓ પણ છે, જેઓ સર્વોપરિતા શોધે છે, જેઓ પરંપરા અથવા ધર્મ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તેમાં કંઈને કંઈ જોખમ જૂએ છે.

બધી સંસ્કૃતિઓમાં બહારના ગણી શકાય એવા જમણેરી અને ડાબેરી વિચારકો દ્વારા રજૂ કરાયેલા દલીલોથી આપણે સાવચેત રહેવું જોઈએ. કેમકે એ લોકો ચર્ચા પર પ્રભુત્વ મેળવવા અને યોગની બારીકીઓ છીનવી લેવાનું વલણ ધરાવે છે. જમણેરી પાંખ, ખાસ કરીને તેમનામાં હિન્દુ સર્વોપરિતાવાદીઓ, એવું માને છે કે યોગ હિન્દુ ધર્મમાં તેના સંપૂર્ણ મૂળ સ્વરૂપમાં ક્યાંક દૂરના ભૂતકાળમાં, સિંધુ ખીણ સંસ્કૃતિ પહેલાં પણ ઉભરી આવ્યો હતો. ડાબેરી પક્ષ પ્રાચીન, ધાર્મિક કે પરંપરાગત દરેક વસ્તુ પ્રત્યે તિરસ્કાર ધરાવે છે. ઇતિહાસ સરળ કે રેખીય નથી તે સમજવાને બદલે આ બંને પક્ષો એકબીજાના વિચારો સામે દલીલ કરીને એકબીજાને કાપે છે.

યોગનો ભારત સાથે, હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ સાથે કોઈ ખાસ સંબંધ નથી તેમ કહેવું એ કહેવા જેવું છે કે અમેરિકાને મૂળ અમેરિકનોની લાશો પર પોતાની સમૃદ્ધિ ચણવા સિવાય તેમની સાથે કોઈ લેવાદેવા નથી. તે સાથે, પશ્ચિમ પર યોગ ચોરી કરવાનો આરોપ મૂકવો અન્યાયપૂર્ણ છે. સાંસ્કૃતિક આદાનપ્રદાન પછી વિચારો જરૂર બદલાય છે. "પવિત્રતા" ને વળગી રહેતા ઘણા ધાર્મિક અને શૈક્ષણિક લોકો ખતરનાક છે કારણ કે એલોકો જ આખરે "અસ્પૃશ્યતા" સ્થાપિત કરે છે.

  • Dailyyo.in માં ૧૪ સપ્ટેમ્બર૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખIs yoga Hindu? નો અનુવાદ | હિંદુ  પુરાણશાસ્ત્રવિદ્યા

અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ  ૧૭ જૂન ૨૦૨૬

શુક્રવાર, 12 જૂન, 2026

દરેક સંજોગોમાં, અસરકારક અગ્રણી સકારાત્મક અભિગમ જાળવી રાખે છે

 તન્મય વોરા

નેતા કેવી રીતે વાતચીત કરે છેતે પોતાના વ્યક્તિત્વને કેવી રીતે રજૂ કરે છે એવાં સંવાદનાં વિવિધ પાસાંઓ અસરકારક નેતૃત્વનાં મૂળમાં છે.

થોડા વર્ષો પહેલા, હું પ્રોજેક્ટના અગ્રણીઓ સાથે ચર્ચાનું આયોજન કરી રહ્યો હતો. ચર્ચાનું ધ્યેય પ્રક્રિયાઓમાં સુધારા માટેની તકો ઓળખવાનું હતું. શરૂઆતની થોડી મિનિટોમાં મને સમજાવા લાગ્યું કે વાતચીત યોગ્ય દિશામાં ચાલી રહી નથી. પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહેલા મોટાભાગના સહભાગીઓએ ફક્ત તેમની લડાઈઓની અને સંઘર્ષની અને અત્યાર સુધીની સમસ્યાઓ વિશે વાત કરી રહ્યા હતા. તેઓ સમસ્યાના લક્ષણો અને અસરો પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરતા હતા, પરંતુ સમસ્યાના (સંભવિત) મૂળ કારણ પર તેઓનું ધ્યાન કેન્દ્રિત નહોતું થઈ રહ્યું. 

સમસ્યાઓને બદલે ઉકેલો પર તેમનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે મારે થોડો પ્રયાસ કરવો પડ્યો. પરંતુ એ પ્રયાસોને કારણે હું બેએક બાબતો શીખી શક્યો:

·       અસરકારક નેતાઓ સકારાત્મક દૃષ્ટિકોણ જાળવી રાખે છે. સામનો કરવાની જરૂર છે એવી સમસ્યાઓ છે તેમાં બેમત ન હોઈ શકે. સમસ્યા વિશે નકારાત્મક ચર્ચા ફક્ત સમસ્યા સ્પષ્ટ ન થાય ત્યાં સુધી મર્યાદિત હોવી જોઈએ. એકવાર સમસ્યા (એટલે ​​કે મૂળ કારણ) જાણી લેવામાં આવે, પછી સમસ્યા વિશે વારંવાર ગાવાનો કોઈ અર્થ નથી. ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી અગ્રણીઓને સકારાત્મક દૃષ્ટિકોણ જાળવવામાં મદદ મળે છે.

·       અસરકારક અગ્રણીઓ અંતિમ પરિણામ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અગ્રણીના મનમાં ઉદ્દેશ્ય હંમેશાં કેન્દ્રમાં રહેવો જોઈએ. પ્રોજેક્ટ દરમિયાન કરવામાં આવેલી બધી 'પ્રવૃત્તિઓ' અને 'સમસ્યાઓનું નિરાકરણ'   નિશ્ચિત ધ્યેય પ્રાપ્ત કરવાના સાધન છે. પરંતુ ક્યારેક, અગ્રણીઓ સાધનોમાં એટલા ડૂબી જાય છે કે સાધ્ય (પરિણામ) દૃષ્ટિ સામેથી ખોવાઈ જાય છે. જે લોકો ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા કૃતનિશ્ચય તે ઉદ્દેશ્યોને સતત પોતાની સામે રાખે છે.

·       અસરકારક અગ્રણીઓ તેમની વાતચીત - સંવાદ પ્રત્યે સભાન હોય છે. તેઓ દરેક શબ્દની અસર જાણે છે. તેઓ તેમની વાતચીત જે (ગર્ભિત તેમજ સ્પષ્ટ) સંદેશાઓ પહોંચાડે છે તેના વિશે તેઓ સભાન હોય છે.

મેં તાજેતરમાં ટ્વિટર પર આ મુજબ વાંચ્યું - સંવાદ એ નેતૃત્વનું ચલણ છે.

દરેક અગ્રણીએ સંવાદની બાબતે પોતાને પૂછવા જોઈએ તેવા કેટલાક પ્રશ્નો અહીં આપ્યા છે:

  • આ સંવાદ મને મારી ટીમના લોકો પાસેથી ઇચ્છિત પ્રદર્શન/પરિણામો મેળવવામાં કેવી રીતે મદદ કરી રહેલ છે?
  • આ સંવાદ કાર્યસિદ્ધિ કરવા માટે જરૂરી જ્ઞાનને કેટલી અસરકારક રીતે હસ્તાંતરિત કરે છે?
  • આ સંવાદ લોકોના ટીમના, અને તેમનાં પોતાનં, ધ્યેય પ્રત્યેના માનસિક અને ભાવનાત્મક જોડાણને કેવી રીતે મજબૂત બનાવી રહેલ છે?
  • આ સંવાદ મને સંબંધો બનાવવામાં, અને જાળવી રાખવામાં, કેવી રીતે મદદરૂપ બની રહેલ છે?

સ્રોત સંદર્ભ::  Leadership and Maintaining a Positive Outlook

- - - . . . - - - . . . - - -

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

બુધવાર, 10 જૂન, 2026

મારી દૃષ્ટિએ (૧૯૪૬-૧૯૪૭) : ભાગ ૪ - જ્યોર્જ ઑર્વેલ [૬]

 જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IVના આંશિક અનુવાદ, મારી દૃષ્ટિએ (૧૯૪૪ - ૪૫) : ભાગ ૪ - જ્યોર્જ ઑર્વેલ [] થી આગળ

ટ્રિબ્યુન

૨૧ ફેબ્રુઆરી, ૧૯૪૭
માન્ચેસ્ટર ઇવનિંગ ન્યૂઝ, ટ્રિબ્યુનને બદલે.

ફેબ્રુઆરી ૧૯૪૭ના ત્રીજા અને ચોથા અઠવાડિયા માટે, ઇંધણની તીવ્ર અછત હતી અને તેને પરિણામે વીજળી કાપ લગાવવાને કારણે સરકારી આદેશ દ્વારા રાષ્ટ્રીય સપ્તાહાંત સમીક્ષાઓ અને ઘણા વેપાર પત્રોના પ્રકાશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કટોકટી દરમિયાન મદદ કરવા માટે, ધ ઓબ્ઝર્વર, માન્ચેસ્ટર ઇવનિંગ ન્યૂઝ અને ડેઇલી હેરાલ્ડે ટ્રિબ્યુનને તેમના કોલમનું આતિથ્ય આપ્યું હતું. ઓરવેલે ૨૬ ફેબ્રુઆરી ૧૯૪૭ના રોજ ડ્વાઇટ મેકડોનાલ્ડને લખેલા પત્રમાં ટ્રિબ્યુનના સસ્પેન્શન અને આવકના નુકસાનનો ઉલ્લેખ કર્યો છે. નીચે 'ટ્રિબ્યુન'માં દર અઠવાડિયે પ્રકાશિત થતા જ્યોર્જ ઓરવેલના મારી દૃષ્ટિએ ('એઝ આઈ પ્લીઝ' – As I Please)ના અંશો છે.

છેલ્લા કેટલાક મહિનામાં બીજી વખત, મંચન માટે પ્રતિબંધિત નાટક બી.બી.સી. દ્વારા પ્રસારિત થવાના સમાચાર  બ્રિટનમાં સાહિત્યિક સેન્સરશીપને નિયંત્રિત કરતા નિયમોની વાહિયાતતાને એકવાર બહાર લાવે છે. પ્રતિબંધિત નાટક કદાચ મંચન કરવામાં આવત તેના કરતાંબી.બી.સી. દ્વારા પ્રસારિત થવાથી ઘણા વધારે લોકો સુધી પહોંચશે.



ફક્ત મંચન થતાં નાટકો અને ફિલ્મોને જ રિલીઝ થાય તે પહેલાં સેન્સરશીપ માટે રજૂ કરવી પડે છે.. પુસ્તકોની વાત કરીએ તો , તમે જે પસંદ કરો છો તે છાપી શકો છો અને કેસ ચાલે તેનું જોખમ લઈ શકો છો. આમ, ગ્રાનવિલ બાર્કરના 'વેસ્ટ' [1] અને બર્નાર્ડ શોના 'મિસિસ વોરેન'સ પ્રોફેશન (Mrs. Warren’s Profession' જેવા પ્રતિબંધિત નાટકો તરત જ પુસ્તકના સ્વરૂપમાં રજૂ થઈ શકે છે, જેમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહીનો ભય નથી, અને નિઃશંકપણે અગાઉ થઈ ચુકેલ બદનક્ષીને કારણે વધુ સારી રીતે વેચાય છે. એ કહેવું વાજબી છે કે, જો સારાં હોય, તો પ્રતિબંધિત નાટકો સામાન્ય રીતે વહેલા કે મોડા પ્રકાશમાં આવે છે. રાજકારણ તેમજ સેક્સને પણ આકર્ષિત કરતું 'વેસ્ટ'ને પણ લખાયાના ત્રીસ વર્ષ પછી આખરે પ્રદર્શિત થવાની મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે તેની તાકાત કહી શકાય એવી પ્રસંગોચિતતા અપ્રસ્તુત બની ગઈ હતી.


નાટકોની લૉર્ડ ચેમ્બરલેનન દ્વારા સેન્સરશીપ સાથેની સમસ્યા એ નથી કે તે લાગુ કરાય છે, પરંતુ એ છે કે તે ક્રૂર અને મૂર્ખતાપૂર્ણ છે, અને, દેખીતી રીતે, કોઈ પ્રકારની સાહિત્યિક તાલીમ વિનાના અમલદારો દ્વારા લાગુ કરવામાં આવે છે. જો સેન્સરશીપ હોવી જ હોય, તો તે પહેલેથી થાય એ વધુ સારું છે, જેથી લેખકને ખબર પડે કે પોતે ક્યાં છે. બ્રિટનમાં પુસ્તકો પર ભાગ્યે જ પ્રતિબંધ મૂકવામાં આવે છે, પરંતુ જે પ્રતિબંધો લાગુ પડે છે તે સામાન્ય રીતે મનસ્વી હોય છે. ઉદાહરણ તરીકે, 'ધ વેલ ઓફ લોનલીનેસ (The Well of Loneliness)[2] દબાવી દેવામાં આવ્યું હતું, જ્યારે તે જ સમયે પ્રકાશિત થતા અન્ય પુસ્તકો કોઈના ધ્યાન પર આવ્યા ન હતાં.

જે પુસ્તક બચી જાય છે તે કોઈ અભણ અધિકારીના ધ્યાન પર લાવવામાં આવ્યું હશે તેવું લાગે છે. કદાચ હવે પ્રકાશિત થતી અડધી નવલકથાઓ પણ જો યોગ્ય હાથમાં જાય તો આ દુર્ઘટનાનો ભોગ બની શકે છે. જોકે મૃત્યુ પામેલા હંમેશા આદરણીય હોય છે પરંતુ મને શંકા છે કે જો આપણા મેજિસ્ટ્રેટ અને પોલીસ વધુ સારા વાચકો હોત તો પેટ્રોનિયસ, કે ચોસર, કે રાબેલાઈસ, કે શેક્સપિયર સુદ્ધિકરણ(!)ની પ્રક્રિયામાં મુક્ત રહેત કે નહીં.  

+                 +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IVનો આંશિક અનુવાદ 



[1] હાર્લી ગ્રાનવિલે-બાર્કર (૧૮૭૭ - ૧૯૪૬) દ્વારા લખાયેલ વેસ્ટ (Waste)૧૯૦૭માં લોર્ડ ચેમ્બરલેન દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલ કારણ કે નાટકમાં એક દુર્ઘટના - ર્ભપાત-નો સમાવેશ થતો હતો. ૧૯૩૬માં તે જાહેરમાં રજૂ કરવામાં આવ્યું હતું.


[2] (માર્ગુરાઇટ) રેડક્લિફ હોલ (૧૮૮૦ - ૧૯૪૩), નવલકથાકાર અને કવિ હતાં. તેમણે ૧૯૦૬-૧૫ દરમિયાન કવિતાના અનેક ગ્રંથો અને પછી નવલકથાઓ અને વાર્તાઓ પ્રકાશિત કરી, જેમાં એડમ્સ બ્રીડ (૧૯૨૬), વેલ ઓફ લોનલીનેસ (The Well of Loneliness ) (૧૯૨૮), અને માસ્ટર ઓફ હાઉસ (૧૯૩૨)નો સમાવેશ થાય છે. એડમ્સ બ્રીડને જેમ્સ ટેટ બ્લેક મેમોરિયલ પ્રાઇઝ, ફેમિના વિ હ્યુર્યુઝ પ્રાઇઝ અને આઇશેલબર્ગર ગોલ્ડ હ્યુમન એવોર્ડ મળ્યા હતા. સ્ત્રી સમલિંગતાના ચિત્રણને કારણે થયેલ બદનામી બાદ ૨૮ ઓગસ્ટ ૧૯૨૮ના રોજ ઇંગ્લેન્ડમાં વેલ ઓફ લોનલીનેસ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. તે તરત પેરિસમાં ફરીથી પ્રકાશિત થયું અને તે ૧૯૨૮માં ન્યૂ યોર્કમાં પણ પ્રકાશિત થયું, જેમાં હેવલોક એલિસ દ્વારા ટિપ્પણી કરવામાં આવી. નવલકથા ૧૯૪૯માં લંડનમાં (કોઈપણ ટિપ્પણી વિના) ફરીથી પ્રકાશિત થઈ. મિસ હોલના સાથી, લેડી ઉના વિસેન્ઝો ટ્રુબ્રિજે લાઇફ એન્ડ ડેથ ઓફ રેડીફ હોલ (૧૯૬૧) લખી.