શુક્રવાર, 14 નવેમ્બર, 2025

પાછળ નજર કરતાં જોવાથી મળતાં અર્થગ્રહણ કરવા યોગ્ય, ગાય કાવાસાકીનાં, અવતરણો

તન્મય વોરા

ગાય કાવાસાકી જે રીતે લખે છે તે મને ખૂબ ગમે છે. જ્યારે પણ હું તેમને વાંચું છું, ત્યારે હું મારા વાંચનને અંતે કંઈક નવી અનુભૂતિ, કંઈક નવું શીખવાનું અને કંઈક વધુ વિચારવાની સમજ મેળવું છું.

આજે, મને તેમના બ્લોગ પર ૨૦૦૬ માં લખાયેલ "પાર્શ્વદર્શન (Hindsights) " નામનો એક બહુ રસપ્રદ લેખ વાંચવા મળ્યો. હું તેમના બ્લોગ પરનો આ લેખ વાંચવાની ભારપૂર્વક ભલામણ કરું છું. હાલ તો  અહીં એવા લોકો માટે થોડા અંશો મૂક્યા છે જેમની પાસે એ લેખ વાંચવા સમયનો (કદાચ) અભાવ છેઃ

"ખુશીની નહીં., આનંદની ખોજમાં રહીએ.  મારી વાત માનજો - ખુશી ક્ષણિક અને હાથમાંથી સરકતી રેતી જેવી છે. તેનાથી વિપરીત, આનંદ અકળ છે. ખુશીમાં ન પરિણમી શકેલા આપણા ગમા અણગમા કે આપણા ઉત્કટ શોખની સતત ખોજ આપણા આનંદની કેડી તરફ દોરી જઈ શકે છે." 

"મારા પિતા હવાઈમાં સેનેટર હતા. વકીલ બનવું એ તેમનું સ્વપ્ન હતું., પરંતુ તેમનું શિક્ષણ તો માત્ર હાઇ સ્કૂલ સુધીનું જ હતું. એટલે તેઓ ઇચ્છતા હું વકીલ બનું. તેમના માટે કરીને હું કાયદાનાં ભણતર માટે કીલેજમાં દાખલ થયો.  પરંતુ મારૂં મન કંઈ બીજું ઈચ્છતું હતું, એટલે બે અઠવાડિયા પછી મેં એ કૉલેજ છોડી દીધી. હું આને મારી સ્વાભાવિક સમજનું એક શાનદાર પ્રમાણ માનું છું. જ્યારે મેં કૉલેજ છોડી ત્યારે મારા માતાપિતામાંથી કોઈ ગુસ્સે નહોતાં થયાં. બલ્કે, તેમ છતાં તેમનો મારા માટેનો પ્રેમ ઓછો ન થયો."

"જીવનમાં આપણી સૌથી મોટી ભૂલ પૈકી એક એ છે કે જાણીતી વસ્તુને સ્વીકારવી અને અજાણી વસ્તુનો પ્રતિકાર કરવો.  હકીકતમાં, આપણે બરાબર વિરુદ્ધ કરવું જોઈએ: જાણીતી વસ્તુને કસોટીએ ચડાવીએ અને અજાણી વસ્તુ દ્વારા થનારી કસોટીને સ્વીકારીએ."

"આપણે અત્યારે એક વ્યવસ્થિત, તમારા માટે ઉપયુક્ત વાતાવરણમાં શીખી રહ્યાં છીએ. મોટા ભાગે. આપણે આપણાં માતાપિતાનાં કહેવા અનુસાર કે પહેલેથી પડેલા અનુસાર શાળા અને ભણતરને જોઈએ છીએ.  પરંતુ શાળા અને શિક્ષણને ગૂંચવવાં જ જોઈએ. શક્ય છે કે પરંપરાગત શાળા અને શિક્ષણ આપણને કંઈ ન શીખવે. અને એપણ શક્ય છે કે  શાળા વિના પણ ઘણું શીખી શકાય."

"પોતાની જાતને પસંદ કરવાનું શીખીએ. જ્યાં સુધી પોતાની જાત પસંદ ન પડે ત્યાં સુધી આપણને બદલતાં રહીએ."

"જીતવું એ ફરીથી રમવાની એક વધારે તક પણ છે. ન  કાસાયેલું જીવન જીવવા યોગ્ય ન હોઈ શકે, પરંતુ જીવ્યા વિનાનું જીવન ચકાસવા લાયક નથી."

"મોટા ભાગે, આપણે જેમ જેમ મોટા થઈએ છીએ, તેમ તેમ ખ્યાલ આવતો જાય કે આપણા માબાપ. જ્યારે આપણે પોતે માબાપ બનીએ છીએ ત્યારે તો એ સમજ સ્પષ્ટ થાય જ છે. હું જાણું છું કે , "હા, સાચું" એમ તમને પણ લાગી રહ્યું છે તે હું જાણું છું. મારા શબ્દોને નોંધી રાખજો."

કેટલીક વાર ભૂતકાળની વાતો બહુ જ ગહનતા સાથે વર્તમાનમાં રજૂ થાય છે - ખરું ને?

સ્રોત સંદર્ભ:: Hindsights from Guy Kawasaki

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

- - - . . . - - - . . . - - -

બુધવાર, 12 નવેમ્બર, 2025

માનવ સંબંધોનું દિવ્યકરણ : કુટુંબમાં લગ્નનું અને સંબંધોનું દિવ્યકરણ

 

ડૉ. તપન કે ઘોષ[1]

તેમણે કલ્પેલ વિશ્વમાં એકલા હોવાને કારણે જીવનમાં સુખી નહોતા. આપણે કોઈ પણ જ હોઈએ. આપણી આસપાસ, સાથે, કોઈ હોય તેવું આપણે હંમેશાં ઈચ્છતાં રહેતાં હોઈએ છીએ. તેમને પણ એક સાથીની જરૂર હતી. એટલે પોતાનાં શરીરના બે ભાગ કરીને પતિ અને પત્ની બની ગયાં. બેમંથી કોણ એક બીજાં કરતાં વધારે અડીયાતું કે ઉતરતું છે એવો કોઈ પ્રશ્ન જ ન હતો. એક વગર બીજું અધુરૂં છે. બૃહદારણ્યક ઉપનિષદ ( ૧.૪.૩)માં પતિ અને પત્નીનાં કુટુંબની રચનાને આ જ રીતે વર્ણવવામાં આવેલ છે. આદમ ઉંહી ગયેલ હતો ત્યારે ઈશ્વરે તેની પાંસળી તોડીને તેમાંથી ઈવ બનાવી એવી પાશ્ચાત્ય દંતકથા વિશે સ્વામી રંગનાથન બહુ સરસ પ્રશ્ન કરે છે. સ્ત્રી પુરુષની નગણ્ય એવી પાંસળી જ જો હોય તો પશ્ચિમની નારી પુર્ષથી મુક્તિ ક્યારે પામી શકશે?  

પશ્ચિમની નારી પુરુષ સમોવડી નથી જ બની. એટલે જ, ભારતમાં, ખાસ તો પાશ્ચાત્ય અસર હેઠળ બહુ ન આવેલા મધ્યમ વર્ગના પરિવારોમાં, પત્નીઓએ 'બેટર હાલ્ફ' કહેવાની પ્રથા નથી. આ તો ઉતારી પડાયેલ માનસને ખુશ રાખવાનો - એક પરદા પર બીજું આવરણ ચડાવવાનો - પ્રયાસ લાગે છે. સ્વામી વિવેકાનંદ સમાજને આવા થીગડાં જેવા પ્રયસોની સાંકળમાંથી મુક્ત કરવાની વાત કરે છે.

સ્વામી વિવેકાનંદે આ વિષય પર સપ્ટેમ્બર ૧૮૯૪માં  અમેરિકાથી પોતાના દેશવાસીઓને પત્ર લખેલો.  તેમાં તેઓ લખે છેઃ

શાળાનાં પુસ્તકોમાં માને પોતાનાં બાળકને ગાંગામાં મગરને ફેંકી દેતી બતાવેલ છે એ ચિત્રનો શું અર્થ કરવો? મા શ્યામ છે પણ લોકોની સહાનુભૂતિ જીતવા બાળકને ધવલ બતાવાયું છે. વધારે પૈસા મળવવાનો પ્રયાસ જ સમજીશું? દાવમાં મૂકેલી પોતાની પત્નીને પતિ એટલે જીવતી સળગાવી દે છે કે જેથી તે ભૂત બનીને પોતાના વેરીઓને પીડે એવું દર્શાવતાં ચિત્ર માટે શું કહેવું

ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા પોતાના ઉદ્દેશ્યની ખીચડી પકવવાના આવા પ્રયાસોને સ્વામીજીએ તીખા શબ્દોમાં ઉઘાડા પાડવા પ્રયાસ કર્યો છે. જોકે સ્વામી વિવેકાનંદને ન તો કંઈ હિંદુવાદમાં પરિવર્તિત કરવું હતું કે ન તો તો કો 'વાદ'માં માનતા હતા. તેમને પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસના વિચારો અને અપેક્ષાઓને પોતાની રીતે ( પછીથી તે પણ અનેક 'વાદ'નું સ્વરૂપ લેતા ગયા છે તે અલગ વાત છે !) રજૂ કરવા હતાં.

બૃહદારણ્યક ઉપનિષદના સંદર્ભમાં સ્વામીજી શંકરાચાર્યને ટાંકીને કહે છે કે 'ગૃહસ્થે પણ ઉપનિશદનો અભ્યાસ કરવો જોઈએ, જેથી જ્ઞાનનાં રત્નોનો આ ભંડાર વનો અને પર્વર્તોમાં સમાઈ ન રહે. એ મુજબ જો પત્નીને ગૃહસ્થ જીવનનું ગૌણ અંગ ન ગણવામાં આવે તો કુટુંબમાં શાંતિ અને સમજણ બહુ આનંદપૂર્વક પ્રસરી રહી શકે. વ્યવહારિક દૃષ્ટિએ આ વિચારનો અમલ પતિ આમ તો સ્ત્રોનું જ છે એમ માનવાને બદલે તેની પત્નીનાં દરેક કામમાં સ્વૈચ્છિકપણે, પૂરેપુરો, સહયોગ આપવાનું કરે એવાં સાદાં પગલાંઓથી શરૂ થઈ શકે છે.

આમ વૈશ્વિક શક્તિએ પોતાના પુરુષ અને સ્ત્રી એમ બે ભાગ કર્યા. બન્ને ભાગ એકબીજા વગર અધૂરા છે. આ બન્ને વચે જે થોડી જગ્યા રહી જાય છે તે પત્ની ભરે છે. तस्माद अयम् आकाशः स्त्रीया पुर्यता एव; तं संभवात ततो मनुष्या अजायन्त.  संभवात નો નિર્દેશ મિલન અને પુરુષના જન્મ (अजायन्त) સાથે  છે. પુરુષ અને સ્ત્રીનાં સ્થાનનું આ બહુ જ સુંદર અને તાર્કિક વર્ણન છે.

સ્વામી રંગનાથાનંદ સમાનતાના બોધપાઠને આજના સમયમાં બહુદૂરપરિણામગામી ગણે છે. આ બોધને આધારિત વધારે વૈજ્ઞાનિક અને સામાજિક - રાજકીય અભિગમ ધરાવતા ભવિ સમાજનું ઘડતર સમાજમાં નારીનાં સ્થાનની સમગ્ર પરિસ્થિતિને પરિવર્તિત કરનારૂં બનશે.

બેટ્ટી ફ્રાઈડનનાં ૧૯૬૩માં પ્રકાશિત થયેલ પહેલાં પુસ્તક 'ફેમિનાઈન મિસ્ટિક઼' સ્ત્રીને પુરુષનું વિસ્તરણ ગણવા સામે વિદ્રોહ હતો. તે પછી તેમનાં ૧૯૮૧માં લખાયેલાં બીજાં પુસ્તક 'સેકન્ડ સ્ટેજ'માં તેઓ નારીવાદને સમયની માંગ ગણવતાં લખે છેઃ 'આપણે આપણા નારીવાદી રહસ્યમય માનસમાંથી બહાર આવીને આપણા અંગ્ત અને રાજકીય અનુભવનની વાસ્તવિકતા સાથે સમાધાન કરવું જોઈશે અને અને બીજા તબક્કામાં દાખલ થવું જોઈશે.... આ બીજો તબક્કો માત્ર નારીની દૃષ્ટિએ જ ન જોવાવો જોઇએ. તેમાં હવે કુટુંબ, પ્રેમ અમે કાર્ય સાથે નવાં સમીકરણ ગોઠવાય છે તે સમજવાં જોઈશે.

પાશ્ચાત્ય દૃષ્ટિકોણમાં આવેલો આ બદલાવ '૭૦ના દાયકાના પાછલા '૮૦ના દાયકાના આગલા ભાગમાં પૌવાર્ત્ય વિચારસરણીની વધતી જતી અસરને આભારી કહી શકાય.

એ દરમ્યાન વિજ્ઞાને માનવ કોશનું રહસ્ય ઉકેલી કાઢ્યું હતું. દરેક કોશમાં એક નાભિ હોય છે અને નાભિમાં ૪૬ જટીલ આંટીઓ - રંગસૂત્રો - હોય છે.  આ પૈકી બરાબર ૨૩ મા અને ૨૩ પિતા પાસેથી મળે છે. આમ કુદરતમાં જ કયો અર્ધો ભાગ ઊંચે કે કયો નીચો તેવી રચના ક્યારેય હતી જ નહી. સ્વામી રંગનાથાનંદ, તેમ છતાં, બેટ્ટી ફ્રાઈડનના દર્શનને અસાધારણ વિદ્વતા અને વિવેચનાત્મ્ક પ્રમાણિકતા કહે છે.

એટલે જ, નવેમ્બર ૧૮૯૭માં તેમનાં લાહોર ખાતેનાં વ્યક્ત્વ્યમાં  સ્વામી વિવેકાનંદ ભારતીય વિચારધારામાં લગ્નવ્યવસ્થા વિશે કહે છે કે 'આપણી લગ્નવ્યવસ્થા વિશેની વિચારસરણી જ ખરી સભ્યતાને વિકસાવી શકે છે..... પુરુશ કે સ્ત્રીને કોઈ પણ સ્ત્રી કે પુરુષ જોડે, અંગત આનંદ કે સ્વાભાવિક પાશવી વૃત્તિ પ્રેરિત, સંબંધ બાંધવાની છૂટ મળી જાય તો માત્ર દુષ્ટ, દુરાચારી અને ક્રૂર સંતાનોનો સમાજ પરિણમી રહે. આવા સમાજને અંકુશમાં રાખવા માટે બળપ્રયોગની સતત જરૂર  પડ્યા કરવાની. તેઓ આગળ વધતાં કહે છે કે લગ્નવ્યવસ્થાની સમાજનાં દરેક પાસાં અને દરેક સભ્ય પર અસર પડે જ છે. માટે જ કોણે કોની સાથે લગ્ન કરવું એ નક્કી કરવાનો સમાજને હક્ક છે. આ સંદર્ભમાં તેઓ જન્માક્ષર મેળવવાની પ્રથાનો ઉલ્લેખ કરે છે.

જોકે આજે ઘણી પ્રથાઓને અનુસરવું મુશ્કેલ હશે, પણ સિદ્ધાંતોના અમલમાં ત્રુટિ થઈ હોય તેથી સિદ્ધાંતને ત્યજી ન દેવાય. સ્વામી વિવેકાનમ્દ પણ સામાજિક સુધારણાઓ બાબતે સિદ્ધાંતોનાં હાર્દને સમજવા પર જ ભાર મુકતા હતા. તેઓ તેમનાં નવેમ્બર ૧૮૯૭નાં વ્યક્તવ્યમાં જ કહે છે કે પહેલાનાં સમયમાં હતો એટલો આજનો સમાજ ભણેલો નથી, કે નથી આજનાં માબાપ પહેલાનાં સમયનાં માબાપ જેવાં. તેમ છતાં પુરાણોમાં લગ્નવ્યવસ્થાના જે સિદ્ધાંતો જણાવાયા છે તેમને સંદંતરપણે અવગણી ન શકાય. એવી અવગણનાને કારણે જ કલિ યુગ ફુલ્યો ફળ્યો છે.

તેઓ દલીલ કરેછેઃ અમલ ગમે તેટલો ત્રૂટિવાળો હોય, પણ સિદ્ધાંત તો સાર્થક છે; અમલની રીત ખોટી હોય તો તેને સિદ્ધાંતના હાર્દ અનુસાર સુધારીએ અને વધારે અસરકારક બનાવીએ; પણ સિદ્ધાંતનો નાશ  શા માટે કરવો જોઇએ? સિદ્ધાંત તો શાશ્વત છે અને તેનું સમજપૂર્વક પાલન કરવું જોઈએ. સ્વમીવિવેકાનંદે વેદાંતની વાત કરતાં દોઢેક પાનાંનાં વિવેચન દ્વારા સમજાવ્યું છે કે લગ્નવ્યવસ્થાની બાબતે આપણે શું અને કેવી ભુલો કરી છે.

લગ્નવ્યવસ્થા અને કુટુંબનાં દૈવીકરણનું વિચારબીજ અહીં રહેલું છે. ઐતર્ય ઉપનિશદમાં બહુ સુંદર રીતે વર્ણવ્યું છે કે સગર્ભા સ્ત્રીને કેવા પ્રેમ અને સન્માનથી જોવી જોઈએ કેમકે પતિ અને પત્નીનાં ભૌતિક મિલનથી તે એક જીવનને પોતાનાંમાં પાળી રહે છે. એટલે જ ગર્બનો તેને ભાર નથી લાગતો, તે ગર્ભનું પોષણ કરવા માટે તેનું શરીર પોષણક્ષમ બને છે. (૨.૧.૨ - ૩). તેને પીડા નથી થતી કેમકે તેણે બધું પોતાનું ગણ્યું છે ( हिनस्ति) . તે બાળકનું રક્ષણ કરે છે ( भावयित्री - બાળકનું ભાવપૂર્વક જતન) કરે છે એટલે જેનું જતન કરવું જોઈએ (भावयितव्य) તે બની રહે છે. એકબીજાં પરની નિર્ભરતા અને એકબીજા માટેનાં માનનો કેવો આ પ્રબુદ્ધ અને સંતોષપુર્ણ વિચાર છે.

ઉપનિષદોમાં પણ કહેવાયું છે કે પિતા અને પુત્રનો સંબંધ તો મૃત્યુ પછી પણ, પિતાના આગલા ભવના જન્મમાં પણ ચાલુ રહે છે. આ વાત કદાચ વધારે પડતી લાગે ! પરંતુ, ઉપનિષદોમાં લગ્નવ્યવસ્થા અને પતિ - પત્નીના ધર્મનિરપેક્ષ સંબંધોનું દૈવીકરણ ભાષામાં વર્ણાવાયું છે  તેવો વિશ્વમાં બીજે કશે થયો નથી. આમ પણ હિંદુ ધાર્મિક વિચારધારાએ તત્વતઃ સાંપ્રદાયિકતા અને આધ્યાત્મિકતા વચ્ચે કોઈ ભેદ રાખ્યો નથી.

એટલે જ, આપણને સ્ત્રી - પુરુષ વચ્ચે કોઈ વિરોધાભાસ જણાયો નથી કે નથી એક કરતાં બીજું ચડિયાતું એવો ફરક જણાયો. જણાવો અણ ન જોઈએ કે કેમકે એવો કોઈ ફરક છે જ નહી.

માટે જ મૈત્રેયી[2] તેમના મહાજ્ઞાની પતિ ઋષિ યાજ્ઞવલ્ક્યને પુછી શકે છે[3] કે જેનો જવાબ યાજ્ઞ્વલ્ક્ય એક ઋષિ તરીકે નહીં પણ પતિ તરીકે આપ છે કે प्रिया बत अरेणः सती प्रियं भासषे (પ્રિયા, તું મારી [પહેલેથી જ] પ્રેમભાગિની છો અને તું જે કહે છે તે તો મારા હૃદયમાંથી  આવે છે). સ્વામી રંગનાથાનંદ આ આખી રજૂઆતને છેલ્લાં ચાર હજાર વર્ષનું સૌથી વધારે મનોહર નિરૂપણ કહે છે. 

તેમનાં લંડન ખાતે, ઓક્ટોબર ૧૮૯૬નાં વ્યક્ત્વ્ય, God In Everything [4]માં સ્વામી વિવેકાનંદે બહુ સ્પષ્ટપણે કહ્યુ છે તેમ તે બાળકમાં છે, પત્નીમાં છે અને પતિમાં છે.

  • પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી ૨૦૨૫ના (Divinising Human Relationships) શીર્ષસ્થ વિશેષાંક માં Dr. Tapan K Ghosh ના મૂળ અંગ્રેજી લેખ Divinising Marriage and Relationships within Family નો સંકલિત અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ 


[1] ડૉ. તપન કે ઘોષ કલકત્તાની રબિન્દ્ર ભારતી યુનિવર્સિટીના અંગ્રેજીના નિવૃત પ્રોફેસર છે. અમેરિકા અને ઈંગ્લેન્ડનાં સામયિકોમાં તેઓ ટૂંકી વાર્તાઓ લખે છે.

[2] મૈત્રેયી - પ્ર. ઉ. શાસ્ત્રી -  ગુજરાતી વિશ્વકોશ

[4] God In Everything – Swami Vivekanand

શુક્રવાર, 7 નવેમ્બર, 2025

પણ જો ટાળીશું તો......

 

ઉત્પલ વૈશ્નવ

ઘણા સંસ્થાપકો ટૂંકો રસ્તો ખોળતા રહેતા હોય છે :

હકીકત હંમેશાં એક જ રહે છે. 

અર્થપૂર્ણ થવાનો કોઈ ટૂંકો રસ્તો હોતો નથી. 

દરેક સંસ્થાપક મોટી સફળતાનાં સ્વપ્નાં તો જૂએ છે.

પણ ખરી કહાણી હંમેશાં આપણે ધાર્યા કરતાં વધારે દીર્ઘ, વધારે ગૂંચવાડાભરી અને વધારે સમૃદ્ધ હોય છે. 

લાંબો સમય ટકી રહે તેવું ઘડવા માટે ખરો ક્રમ આ પ્રમાણે હોય છે :

સ્ટાર્ટઅપનો આરંભ.

ઝંપલાવો. દુનિયાની સામે તમારો પ્રસ્તાવ રજૂ કરો. પહેલું પગલું હંમેશાં મુશ્કેલ હોય છે. મોટા ભાગના તો શરૂઆત જ નથી કરી શકતા.

સ્ટાર્ટઅપનો સંઘર્ષમય સમય.

અહીં આવીને મોટા ભાગના ખેલ અધૂરો છોડી દે છે. બજાર સાથ ન આપે. ટીમમાં પણ શંકાઓ ડોકાય. રાતની ઊંઘ હરામ થઈ જાય. પરંતુ, આપણામાં કેટલું પાણી છે તે માપવાનો સમય આ જ છે. 

સ્ટાર્ટઅપ સફળ થાય છે

આપણો રાગ લયમાં બેસે છે. ટીમ હવે સશ્ક્ત બનવાલાગે છે. ગ્રાહકોને આપણો રાગ પસંદ પડવા લાગે છે. નિષ્ઠા અને મહેનત હવે ભરોસાનો પાયો સંગીન કરે છે. સફળતા ચપટીમાં નથી મળતી. તે કમાવી પડે છે, કોઈ સામેથી આપી નથી જતું.

સ્ટાર્ટઅપનો ખેલ પૂરો થાય છે. 

રસ્તાનો અંત આવી પહોંચ્યો છે. વેંચી કાઢીને છૂટા થઈએ, કે પછી પાછલી સીટ પર બેસી જાઈએ. લગામ બીજાંને સોંપી દઈએ. ખેલ પૂરો થયો, પણ આપણી ભૂમિકાએ છોડેલી અસર કાયમ છે.

મોટા ભાગના સંસ્થાપકોને સંઘર્ષ ટાળવો હોય છે. 

સંઘર્ષ ટાળવો એટલે તરક્કી ટાળવી.

આરંભ ટાળવો એટલે શમણાંને દીવાસ્વપ્ન બનાવી રોળી નાખવું.

ટીમને ટાળવી, એટલે સફળતા શક્ય બનાવનાર વાતાવરણને વીખરાવી નાખવું.

બહાર જવાનો રસ્તો બંધ ટાળવો, એટલે પોતાનાં કામના અંતને જોવાની તક કાયમ માટે ખોઈ બેસવી.

પીડા ટાળવામાં આનંદ નથી. 

આનંદ સમગ્ર વર્તૂળ પૂરૂં કરવામાં  છે. 

ઘડતર કરી. સંઘર્ષ કરીએ. જીત મેળવીએ. અંત આવવા દઈએ.

અર્થપૂર્ણતા એ રીતે જ કમાવાય છે.

વારસો એ જ રીતે મુકી જવાય.

એટલે, હવે પછી મુશ્કેલીઓ આવી પડે, ત્યારે યાદ રાખીએ:

રસ્તો નથી ભુલાયો. 

જ્યાં હોવું જોઈએ બરાબર ત્યાં જ છીએ.

સંઘર્ષ ટાળવો એ ઉદ્દેશ્ય ન હોઈ શકે. આખું વર્તુળ પુરૂ કરવાનો અનુભવ પામવો એ જ ઉદ્દેશ્ય છે.. આનંદ ત્યાં જ સંતાયો છે. 

     જે પાનખરની શૂષ્કતા અનુભવે તે જ વસંતમાં મ્હોરે


ઉત્પલ વૈશ્નવની લેખમાળા #DhandheKaFunda ના મૂળ લેખ, But if you skip… નો  અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ | ૭ નવેમ્બર ૨૦૨૫

બુધવાર, 5 નવેમ્બર, 2025

ભસ્માસુર હવે નવાં નવાં રૂપે પાછો આવે છે - દેવદત્ત પટ્ટનાઈક

એક વાર એક અસુર કઠોર તપસ્યા દ્વારા શિવની કૃપા મેળવવામાં સફળ થયો. તેણે વરદાન માગ્યું કે. ‘હું જે કંઈ સ્પર્શ કરું છું તે બધું રાખ થઈ જાય,’ શિવે વરદાન આપ્યું. અસુર હવે દરેક વસ્તુને સ્પર્શ કરવા લાગ્યો: તેણે દરેક વૃક્ષ, દરેક પક્ષી, દરેક પ્રાણી, બધી જીવંત વસ્તુઓને રાખ કરી દીધી. પછી તેણે શિવ પર પોતાની શક્તિઓનું પરીક્ષણ કરવાનું નક્કી કર્યું. શિવને સમજાઈ ગયું કે તેમણે શું કરી નાખ્યું છે, એટલે તેઓ ભાગ્યા. ભસ્માસુરે તેમનો પીછો કર્યો. અંતે, શિવે વિષ્ણુની મદદ માગી. વિષ્ણુએ રાક્ષસને છેતરીને પોતાના માથાને સ્પર્શ કરવા પ્રેર્યો. રાક્ષસે તેમની વાતમાં આવી જઈને પોતાના માથા પર હાથ રાખ્યો અને તે રાખનો ઢગલો બનીને વિનાશ પામ્યો.

કેટલાક લોકોનું માનવું કે વિષ્ણુના ઉપાસકો દ્વારા ચાલાક વિષ્ણુને ભોળા શિવથી જુદા બતાવવા માટે આ કથા રચવામાં આવી છે. કેટલાક લોકો માને છે કે આ વાર્તા 'સમભાવી લોકોનાં શાસન' અને 'પ્રતિભાવાન લોકોનાં તંત્ર' પ્રત્યેના વધતા જતા જુસ્સાને પડકારવા માટે હતી. શિવ દેવો અને અસુરો વચ્ચે ભેદ પાડતા નથી અને બધા લોકોને સમાન માને છે અને દરેકને જે કંઈ માંગે છે તે આપે છે. અસુરે, તેની લાયકાતના ધારે શિવની કૃપા મેળવવામાં સફળતા મેળવી હતી અને વરદાન મેળવવાનો અધિકાર મેળવ્યો હતો, અને તેથી તેણે તે વરદાન માંગ્યું હતું. અહીં સમભાવતા અને પ્રતિભાશાહીના સિદ્ધાંતોનું પાલન કરવામાં આવ્યું હતું. પરંતુ પરિણામ ઉલટું આવ્યું, કારણ કે શિવે અસુરના હેતુઓ અથવા અસુરોની વૃત્તિઓ વિશે વિચાર્યું ન હતું. તેઓ આખરે પોતે જ એવા ખલનાયકના શિકાર બન્યા જેને તેમણે આટલા નિર્દોષ ભાવે પેદા કર્યો હતો. પરંતુ, જો શિવે અસુરની વૃત્તિ અથવા વ્યક્તિત્વના આધારે વરદાન રોકી રાખ્યું હોત, તો શું તેમના પર પૂર્વગ્રહયુક્ત પિતૃસત્તાક હોવાનો આરોપ ન મુકાયો હોત?

આજે રાજકારણમાં તો આપણે એવા કેટલાય ભસ્માસુરોનો એક સંપૂર્ણ સમૂહ જોઈ રહ્યા છીએ. આ ભસ્માસુરો શક્તિશાળી લોકો દ્વારા ક્યાં તો નિર્દોષપણે, અને ઘણીવાર તો દેખીતી નિર્દોષ રીતે ન કહી શકાય એ રીતે, ક્યાં તો પોતાને મદદ કરવા અથવા બીજાંઓને નુકસાન પહોંચાડવા માટે, પેદા કરવામાં હતા. પણ આ કિસ્સાઓમાં પણ એવું જ થયું કે તેમનાં જ સર્જનો પછીથી રાક્ષસ બનીને એ લોકો પર જ હુમલો કરવા ગાગ્યાં.

રશિયાનો સામનો કરવા માટે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં આતંકવાદી જૂથો કેવી રીતે બનાવ્યા, કેવી રીતે ભંડોળ પૂરું પાડ્યું અને કેવી રીતે આડકતરો દેખાતો ટેકો આપ્યો તેની કહાણીઓ આપણે સાંભળીએ છીએ. આ જ જૂથોએ પછી અમેરિકા પર પોતાની બંદૂકોનાં નાળચાં તાક્યા. ભસ્માસુર!

વિવિધતા અને સમાનતાના પોતાના 'વિકસિત' મૂલ્યો દર્શાવવા માટે ઉત્સુક એવા યુરોપે વિવિધ જાતિઓનાં જૂથોને પોતાના સમાજનો ભાગ બનવા આમંત્રણ આપ્યું. આ પરદેશી વસાહતીઓને નવા સમાજમાં ભળી જવામાં મુશ્કેલી પડી. તેમણે યુરોપના ધર્મનિરપેક્ષ અને ઉદાર મૂલ્યોને સ્વીકારવાનો ઇન્કાર કર્યો. જૂના પરંપરાગત મૂલ્યો અને આધુનિકતા વચ્ચે અટવાઈ ગયેલા, આ વિદેશી વસાહતીઓ કટ્ટરપંથી ઇસ્લામના સૌથી હિંસક સ્વરૂપોનાં સંવર્ધન માટે ફળદ્રુપ ભૂમિ બની ગયા છે. ભસ્માસુર!

હિન્દુ કટ્ટરપંથી જૂથોએ મુસ્લિમ અને ખ્રિસ્તી જૂથો પર આધિપત્ય સ્થાપિત કરવા માટે ગાય પૂજાને લગતી અંગત માન્યતાઓને ગાયોની માંસ માટે કરાતી કત્લ એક હજાર વર્ષની હિન્દુ જીવનશૈલીને મૂળથી હાનિકારક છે એમ કહીને જાહેરમાં ગોમાંસ વિરોધી નીતિઓમાં ફેરવી દીધી. આજે, આ ગૌરક્ષાના ભયંકર સ્વરૂપમાં પરિવર્તિત થયું છે, જે સમાજના ગરીબ વર્ગોને અસર કરે છે, જે નિયંત્રણની બહાર ફરતું જાય છે, સરકારના વિકાસના કાર્યક્રમોને ઢાંકી દે છે. ભસ્માસુર!

ભારતીય ઉદ્યોગસાહસિકોએ પોતાનાં વર્તુળોમાં પોતાના દરજ્જાનો માભો પાડવા માટે, તેમના બાળકોને અમેરિકા અને યુરોપમાં અભ્યાસ માટે મોકલવાનું શરૂ કર્યું. પશ્ચિમમાં જીવનનો સ્વાદ ચાખી લીધા પછી, હવે બાળકોને ભારતમાં પાછા ફરવામાં અથવા કૌટુંબિક વ્યવસાય સંભાળવામાં રસ નથી. તેઓ તેમના પૂર્વજોની જેમ ભારતની અરાજકતાને સહન કરી શકતા નથી અને પશ્ચિમી સમાજોની શિસ્ત અને એકરૂપતાને પસંદ કરવા લાગ્યાં છે. સંબંધીઓ અને મિત્રો પર પ્રભુત્વ મેળવવા માટે જે કરવામાં આવતું હતું તેની હવે કૌટુંબિક વ્યવસાયના ભવિષ્ય પર વિપરિત અસર પડી રહી છે. ભસ્માસુર!

જે ફરતું રહે છે તે હંમેશા ફરતું ફરતું પાછું આવે છે. આપણે આને કર્મ કહી શકીએ છીએ, જે કુદરતના ચક્રનું અનિવાર્ય ફળ છે. તેને મૂછમાં મુસ્કરાતા ભગવાનના કાવ્ય ન્યાય સમા પ્રતિશોધ તરીકે પણ જોઈ શકાય.

  • મિડ - ડે માં  ૮ ઓગસ્ટ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખBhasmasur is back નો અનુવાદ | પ્રાયોગિક  પુરાણશાસ્ત્રવિદ્યા, હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા

·       અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ  પ નવેમ્બર ૨૦૨૫

બુધવાર, 29 ઑક્ટોબર, 2025

માનવ સંબંધોનું દિવ્યકરણ : ધર્મ: સંબંધોનો સ્વપોષિત સિદ્ધાંત

 નિતિશ રાય પરવાણી[1]

આજુબાજુ કંઇ નહોતું, તો સમય  કે તો કોઈ સ્થળ, કોઈ નામ કે કોઈ સ્વરૂપ. કોઈ અભિવ્યક્તિ કે અર્થ વાહકતા પણ નહોતી; હતું માત્ર 'અસ્તિવ' પોતે. જેને કોઈ બીજું નથી એવું કોઈ પ્રકારે છૂટું પડેલું 'સ્વત્વ'. મનને સ્વત્વ 'વિચાર' વડે, અને પોતાની જાતને 'હું' વડે વ્યક્ત કરતું હતું. જ્ઞાતા અને જ્ઞાત, વિચારક અને વિચાર, દૃષ્ટા અને દૃશ્ય જેવી દ્વૈતની  શરૂઆત   'પ્રથમ સંબંધ'ની નિરપવાદ મૂર્તકલ્પના કહી શકાય કેમ કે  શબ્દકોષમાં 'સંબંધ'ની વ્યાખ્યા બે અસ્તિત્વો વચ્ચેનું જોડાણ છે. આમ દ્વૈતની વિભાવનાએ સંબંધનાં વિચારબીજને અંકુરિત કર્યું.  

બૃહદારણ્યક ઉપનિષદ અનુસાર સર્જનના પ્રારંભની કલ્પના હજુ પણ આગળ વધે છે. વિભિન્ન થલે 'સ્વ', વિરાજ, ને સંતોષ નહોતો થયો. એટલે દ્વૈતનાં જ્ઞાનમાંથી વિશ્વનું ભૌતિક સ્વરૂપ ચતું થયું. પોતેને પોતે ભાગલા પડીને વિરાજે પોતાનું સાથી પેદા કર્યું, જે આગળ જતાં સંતતિમાં પરિવર્તિત થતાં ગયાં. અસંતોષ આટલેથી જ ન અટક્યો અને સંબંધો ટક્યા નહીં; વિરાજ અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ અને આકાશ બન્યું. વિરાજમાંથી વાચા, શ્રવણ, સ્વાદ અને સ્પર્શ જેવી ઇંદ્રિયો પણ બની. દરેક જાતિનું નર અને નારી સ્વરૂપ પણ વિરાજ બન્યું. દ્રવ્ય, તત્વો અને જીવોનો અનેક ગણો વધારો થતો ગયો. માનવી, પશુઓ અને અન્ય જીવોના નવા નવા સંબંધો વિરાજ બનાવતું ચાલ્યું. વિરાજ સર્જન બન્યું અને તેમાનું જીવન પણ બન્યું. હવે જુદા જુદા પ્રકારો અને ફરજોના ભાગલાઓ આવ્યા, અને દરેક વર્ગના દૈવી અસ્તિત્વો (દેવો) પણ તેને રીતે દેખાવા લાગ્યા. જોકે આ પ્રકારનાં નામ અને સ્વરૂપનાં સર્જન અને તેમની અંદર અંદરના સંબંધો છતાં અજંપો દૂર ન થયો.

પછી, આખરે, વિરાજે વૈશ્વિક ધર્મનું સ્વરૂપ બતાવ્યું. શક્તિશાળીઓની શક્તિ અને બેશક અસ્તિત્વનાં સત્યને ધર્મ કહેવાયો. ધર્મની સાથે સર્જનની પ્રક્રિયા પુરી થઈ અને વ્યવસ્થા સ્થપાઈ. આ વિશ્વિક ધર્મ - બૃહદારણ્યક ઉપનિષદની વિશ્વ વ્યવસ્થા-ને ઋત , કે અલગ અલગ યુગમાં સનાતન ધર્મ પણ  કહેવાય છે. તે વિવિધ સાપેક્ષ ધર્મોનાં સ્વરૂપમાં કે પછી અમુક ચોક્કસ સંદર્ભોની સરળ ભાષામાં 'ધર્મતરીકે  ઓળખાતો થયો.

ઋત એટલે વ્યવસ્થા, એકરાગ, એવી વૈશ્વિક વ્યવસ્થા જે વિશ્વને બાંધી રાખે છે અને દરેક દેખાતી વસ્તુની નિશ્ચિત જગ્યા નક્કી કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો ઋત વિશ્વનો સ્વપોષિત સિદ્ધાંત છે. દૃશ્યમાન અસ્તિવોના દૃષ્ટિકોણથી અને સંસ્થાઓના અંદર અંદરના અને વિશ્વના સંદર્ભમાં વૈશ્વિક વ્યવસ્થાને ધર્મ કહેવામાં આવે છે. દરેક હસ્તી અને સંસ્થા કે તેના કોઈ ભાગને પોતપોતાનો ધર્મ (નિરપેક્ષ વ્યવસ્થા) હોય છે. ધર્મ શબદ ધૃ પરથી બને છે. ધૃનો અર્થ છે સમર્થન કરવું, ટકાવવું. જ્યારે ઋતને સમય, સ્થળ અને કાર્યકારણના દૃષ્ટિકોણથી સમજવામાં આવે છે ત્યારે તે ધર્મ બને છે.

જ્યારે અદ્વૈત સર્વેશ્વરવાદના દૃષ્ટિકોણથી જોવામાં આવે છે ત્યારે આખું વિશ્વ એ જ વિશ્વિક ચેતનામાં દેખાય છે, અને ધર્મ એ બળ છે જે હસ્તિઓની પ્રત્યક્ષપણે અલગ અલગ દેખાતી લાક્ષણિકતાઓને ટકાવી રાખે છે. અદ્વૈત વેદાંતની ભાષામાં ઋત નામરૂપ પ્રપંચ એક માત્ર વાસ્તવિકતા જે અલગ અલગ હસ્તિઓમાં અલગ નામથી અને સ્વરૂપથી દેખાય છે - નામરૂપ જૂજવાં અંતે તો હેમનું હેમ હોય[2]) નો આધાર છે. આમ જ્યાં સુધી અનેકવિધતાની ભાવના  છે ત્યાં સુધી અસ્તિત્વોના આપસી સંબંધ રહેશે જ, અને આ સંબંધો જ ધર્મને સ્વપોષિત સિદ્ધાંત તરીકે ટકાવે છે.

તેની સામે, દ્વૈત દૃષ્ટિકોણ, ઈશ્વર અને સર્જન, એમ વૈશ્વિક ચેતનાના ભાગલાને સ્વીકારે છે. દ્વૈત વર્ગીકરણના સિદ્ધાંતમાં સામાન્યપણે, વ્યક્તિ, વિશ્વ (સર્જન) અને ઈશ્વર (સર્જક) એમ ત્રણ પ્રકાર જોવા મળે છે. સંસ્કૃતમાં તે જીવ, જગત અને જગદીશ કહેવાય છે. આ સંદર્ભમાં ધર્મ આ ત્રણેયને જોડતો સ્વપોષિત સિદ્ધાંત છે. જગત અને જગદીશના સંદર્ભમાં ધર્મ ધાર્મિક બોધ, ધર્મ શાસન, પવિત્ર બોધ જેવાં સ્વરૂપે જોવા મળે છે. જીવ અને જગદીશના સંદર્ભમાં ધર્મ આસ્થાના સિદ્ધાંત, માન્યતા, ધર્મમાર્ગ, જેવાં સ્વરૂપે જોવા મળે છે. આ બે પ્રકારના સંબંધોને ઈશ્વરવાદી સંબંધ તરીકે એક અલગ વર્ગમાં મુકવામાં આવે છે.

ઈશ્વરવાદી સંબંધમાં ધર્મની અભિવ્યક્તિ ધાર્મિક માન્યતાઓમાં ઊંડી ઉતરેલી હોય છે અને તેથી તે બદલાયા કરે છે. હિંદુ સંસ્કૃતિને લાગે વળગે છે ત્યાં સુધી આ દ્વૈત સંબંધો વ્યક્તિનાં સ્વાભાવિક મનોવલણોના આધાર પર, સખ્ય (મૈત્રી), વાત્સલ્ય (માબાપ અને સંતાન), દાસ્ય (માલિક - નોકર), માધુર્ય (પ્રેમી-પ્રેમિકા), કે પછી એક નિર્મળ (શાંત) વચ્ચેનો પ્રેમ સંબંધ જેવાં સ્વરૂપે જોડાય છે. આ બધા સંબંધોમાં સ્વપોષિત સિદ્ધાંત તરીકે ધર્મ, માન્યતા, આસ્થા, વફાદારી, ધર્મમાર્ગ જેવાં સ્વરૂપમાં પરિવર્તિત થતો હોય છે.

જોકે, સામાન્ય સમજણ મુજબ ધર્મનો અર્થ જ્યારે, માત્ર, આસ્થા કરવામાં આવે છે ત્યારે ધર્મનાં અર્થની માત્ર આંશિક સમજ સામે આવે છે. આ અનુવાદ, બહુ બહુમાં, ધર્મના જગત (સર્જન) અને જગદીશ (સર્જક) કે જીવ (વ્યક્તિ) અને જગદીશ (સર્જક) ના સંબંધનું જ ચિત્ર રજૂ કરે છે.

જીવ અને જગતના સંબંધના સંદર્ભમાં સ્વપોષિત સિદ્ધાંત તરીકે ધર્મ કાયદો, ન્યાય, નીતિ, પર્યાવર્ણીય સ્વપોષિતા જેવી બાબતોને આવરી લે છે. આ સંબંધમાં ઈશ્વરનું કોઈ સ્થાન નથી એટલે જીવ અને જગતના સંબંધને બિન - ઈશ્વરવાદી સંબંધ કહી શકાય. ધર્મની ઈશ્વરવાદી સંબંધ તરીકે તો બહુ સાહિત્ય રચાયું છે, એટલે આ લેખની ચર્ચા મુખ્યત્વે બિન - ઈશ્વરવાદી સંબંધ વિશે ગણી શકાય.

આ તબક્કે એ પણ સ્પષ્ટ કરવું જોઈએ કે ધર્મને ધાર્મિક ગ્રંથો, આધ્યાત્મિક પાઠ કે પૌરાણિક સાહિત્ય ધાર્મિક સિદ્ધાંતોનાં ભંડોળ છે તો પણ એ બધુ આટલામાં જ વણી લેવાયું છે એ વાત સાચી નથી. હિંદુ શાસ્ત્રો તો કહે છે કે ધાર્મિક અને આધ્યાત્મિક સાહિત્ય માત્ર લક્ષણ (ધર્મને જાણવાનું સાધન કે પુરાવો) જ છે. પરંતુ જેના દ્વારા જે જાણવા મળે છે તે જે જાણવા માગીએ છીએ તે નથી બની જતું.

ઋત (સનાતન ધર્મ) એ અચલ પાયો છે. તેના દ્વારા થતું ધર્મ દર્શન સમય, સ્થળ અને કાર્યકારણની સીમાઓની અંદર રહે છે, જેમકે તેના ઉદ્દેશ્યની સિદ્ધિ માટે સૈનિક દ્વારા કરવી પડેલ હત્યા તેનું કર્તવ્ય છે, પણ કોઈ અન્ય વ્યક્તિ માટે તે ગુનો છે.

એટલે અમુક ધાર્મિક ગ્રંથોમાં  જે કંઈ નિર્દેશ કરાયું છે તે એ સમયના સંદર્ભ પુરતું જ સાચું હોય તેવું પણ બની શકે છે. એનો અર્થ એમ પણ કરી શકાય કે ધર્મને સમજવા માટે સંપૂર્ણ કહી શકાય એવાં સાહિત્યની યાદી ન પણ બની શકે. પહેલું તો  કે ધર્મનાં દર્શન માટે લેખિત સંહિતો હોવી અનિવાર્યપણ આવશ્યક નથી. બીજું એ કે સમય, સ્થળ અને કાર્યકારણનાં થતાં રહેતાં પરિવર્તનને કારણે સંબંધોમાં સ્વપોષિતાના સિદ્ધાંતને જ ટકાવી રાખવા માટે નવાં નવાં સાધનો અને દસ્તાવેજો બનતા જ રહે છે.

વ્યક્તિ, સર્જન અને સર્જકનાં જે ત્રિકોણીય કોષ્ટકને હજુ આગળ વિચારી શકાય.

ધર્મનું શંખાકારપેચદાર મૉડેલ

વ્યક્તિ તરીકેનો સંબંધ 'સ્વ' સાથે છે. જગત તરીકેનો સંબંધ વ્યક્તિનો વ્યક્તિ સાથે કે વ્યક્તિનો સમાજ (સંસ્થા) સાથે કે સમાજ (સંસ્થા) નો સમાજ (સંસ્થા) સાથે સંસ્થાકીય સંબંધ છે. ત્રીજા પ્રકારનો સંબંધ વ્યક્તિઓનો અને સમાજ (સંસ્થાઓ)નો આસપાસનાં પારિસ્થિતિક તંત્ર કે તેઓ જે પરિવેશમાં કામ કરે છે તે વાતાવરણ, સાથેનો સાર્વત્રિક (વૈશ્વિક) સંબંધ છે. કોઈ પણ પ્રકારના સંબંધને લાંબે ગાળે ટકી રહેવા માટે એ દરેક પ્રકાર સ્વપોષિત હોવા જોઈએ. એટલે કે, કોઈ પ્રકાર કે સંબંધ અલગ અલગ રહીને ટકી શકે નહીં. કોઈ પણ પ્રકારના સંબંધનો ધર્મ આંશિક જ રહેશે જો તે બીજા બધા પ્રકારના ધર્મો અને ઋતની વૈશ્વિક વ્યવસ્થાને સાથે રાખીને નહીં ચાલે.

ધર્મનું શંક્વાકાર - પેચ (શંખાકારપેચદાર) મૉડેલ ઉપરોક્ત દરેક પ્રકારના સંબંધોનાં આપસી જોડાણને ગણતરીમાં લે છે. તે દર્શાવે છે કે વ્યક્તિ તરીકેનાં અંદરના પડ સાથે  કુંટુંબ, સમાજ, દેશ કે વૈશ્વિક વ્યવસ્થા જેવા બહરનાં દરેક સ્તર આપસમાં જોડાયેલા  છે. કોએ પણ બે વચ્ચે સંબંધમાં નાનો સરખો પણ ફેરફાર થાય તો તેની અસર બીજા સંબંધ પર થાય જ છે. એકબીજા સાથે જોડાયેલા હોવાથી ટકી રહેવાનો આ સ્વપોષિત સિદ્ધાંત ધર્મ છે.

પ્રભાવનાં વર્તુળનાં મૉડેલથી વિરૂદ્ધ આ મૉડેલમાંનું દરેક ઘટક એકબીજાના પ્રભાવથી અસર પામે છે, માટે એકબીજા માટે અનિવાર્ય છે. ધર્મના સ્વપોષિત સિદ્ધાંતનું આ, આમ, સમાવેશક સ્વરૂપ છે. એકબીજા સાથે જોડાયેલું સંબંધોનું આ શંક્વાકાર પેચદાર મૉડેલ ઋતની વૈશ્વિક વ્યવસ્થા હેઠળ કામ કરે છે અને ટકે છે.

હિંદુ શાસ્ત્રોમાં ધર્મનું શંક્વાકાર - પેચદાર મૉડેલ

હિંદુ સંસ્કૃતિ મુજબ માનવ જીવનને વિદ્યાર્થી (બ્રહ્મચર્ય), ગૃહસ્થ, નિવૃત સલાહકાર (વાનપ્રસ્થ) અને સંન્યાસ એમ ચાર તબક્કાઓમાં વહેંચી નાખવામાં આવે છે. તે જ રીતે વ્યવસાયોની દૃષ્ટિએ શિક્ષક/ ઉપદેશક/ પાદરી(પુરોહિત), વહીવટકર્તા, ઉદ્યોગપતિ/ નાણાનિષ્ણાત અને કામદાર એમ ચાર ભાગ પાડવામાં આવે છે. આ દરેક તબક્કાનાં કે વર્ગનાં કાર્યક્ષેત્રો અને ફરજો તેમજ એકબીજા સાથેના સંબંધોનું વિગતવાર વર્ણન પણ બહુ સ્પષ્ટપણે આલેખાયેલ છે. ફરજ અને સંબંધોને તબક્કાવાર અલગ અલગ નથી કહેવાયાં પણ તેમનાં કાર્યક્ષેત્રની આસપાસના સામાજિક પરિપ્રેક્ષ્ય અને જીવનના તબક્કાની કક્ષાને પણ તેમાં વણી લેવાયેલ છે.

હિંદુ પરંપરામાં બાળક વિદ્યાર્થી અવસ્થામાં યજ્ઞોપવિત સંસ્કારથી દાખલ થાય છે. અહીં તેને  જીવ અને અજીવ એવાં દરેક અન્યો (સર્વભુતેભ્યઃ)  સાથે નમ્ર અને મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખવાનું શીખવાય છે. તે જ રીતે ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરતી વખતે લગ્ન સંસ્કાર સમયે તેને કુટૂંબ અને સમાજ પ્રત્યેની ફરજો અને પતિપત્ની વચ્ચેની લાગણીઓ વિષે અવગત કરવામાં આવે છે. વ્યાવસાયિક જીવનના ત્રીજા તબક્કામાં તેને પ્રકૃતિ અને કુદરતી બળો સાથે સંવાદિતા કેળવવાનું જ્ઞાન અપાય છે. સંન્યાસી તરીકે તેને જીવનમાં અનુભવેલ વિવિધ પરિસ્થિતિઓ અને સંબંધોને ભુલીને હવે આંતરિક અને બાહ્ય પરિબળો સાથે ઐક્ય રાખવાનું રહે છે.

દરેક નવા તબક્કાના પ્રવેશ સમયે ઘણી હિંદુ વિધિઓમાં પુરુષુક્તમ તરીકે ઓળખાતા મંત્રોમાંથી લાગુ પડતા ભાગ સંભળાવવામાં આવે છે. આ મંત્રોચ્ચાર વ્યક્તિને આ દરેક તબક્કાને અલગ અલગ રીતે જોવા / જીવવાને બદલે દરેક તબક્કાના સંબંધોને સર્વાગી દૃષ્ટિથી જોવાનું યાદ કરવાતા રહે છે. આ  દરેક તબક્કાના મત્રોચ્ચારની પૂર્ણાહુતિ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ એમ શાંતિના આહ્વાનનું ત્રણ વાર  પુનરાવર્તન કરવામાં આવે છે.

ત્રણ વારનું પુનરાવર્તન આધ્યાત્મિક (સ્વ સાથે સંબંધિત), અભિભૌતિક (આસપાસના બધાં સાથે સંબંધિત) અને અધિદૈવિક (કુદરતનાં દરેક સ્વરૂપો અને બળ સાથે સંબંધિત) એમ જીવનના આલગ અલગ તબક્કા માટે શાંતિની પ્રાર્થના કરે છે. આમ સમજી શકાય છે કે હિંદુ શાસ્ત્રોમાં કોઈ પણ વર્ગનાં અસ્તિત્વના સંબંધની સ્પષ્ટતા કરતી વખતે જીવનના બધા જ તબક્કાને સર્વાંગીપણે આવરી લેવામાં આવે છે. જીવનના તબક્કાઓના એકબીજા સાથેના સંબંધ તત્ત્વતઃ ધર્મનાં શંક્વાકાર - પેચદાર મૉડેલને પ્રમાણિત કરે છે.