બુધવાર, 3 ડિસેમ્બર, 2025

સંન્યાસીનું સ્મિતઃ ભારતમાં પિતૃસત્તા સ્થાપિત કરવા માટે બ્રહ્મચર્ય, અહિંસા અને શુદ્ધતાની ભૂમિકા - દેવદત્ત પટ્ટનાઈક

પિતૃસત્તાક લોકપ્રિય મોડેલ ગ્રીક અને અબ્રાહમિક પૌરાણિક કથાઓમાંથી ઉતરી આવ્યું છે. ગ્રીક દેવતાઓના રાજા ઝિયસની જેમ, કુટુંબના પુરુષ વડાઓ પેઢી દર પેઢી જોહુકમી ચલવતા હોય છે. ઇબ્રાહિમના ભગવાન યહોવાહની જેમ, તે સંપૂર્ણ તાબેદારી માંગે છે.

ઘણા , પશ્ચિમી અને ભારતીય, નારીવાદીઓ ભારતમાં, ખાસ કરીને હિન્દુ ધર્મમાં, પિતૃસત્તાને સમજાવવા માટે આ પશ્ચિમી મોડેલ ઠોકી બેસાડે છેમ જે બ્રાહ્મણવાદ તરીકે ઓળખાવાય છે. કહે છે. તેઓ એવું માની લે છે કે બૌદ્ધ અને જૈન ધર્મ જેવા મઠના ધર્મો અને હિન્દુ ધર્મના આશ્રમના આદેશો, બિન-પિતૃસત્તાક છે, નારીવાદી પણ છે, કારણ કે આ ધર્મો શાંતિવાદ અને અહિંસાનો પ્રચાર કરે છે.

છતાં, બૌદ્ધ, જૈન કે હિન્દુ મઠના આદેશોમાં આપણે, ભારતીય સમાજમાં પિતૃસત્તાના લક્ષણો સમાં, સંસ્થાગત સ્ત્રી-દ્વેષ, સમલિંગીઓ પ્રત્યે પૂર્વગ્રહ, વંશ-વર્ણ ઊંચનીચનો ભાવ, વંશ, જાતિ, લિંગ, ભાષા, વ્યવસાય આધારિત ભેદભાવ અને અસ્પૃશ્યતાના મૂળ શોધી શકીએ છીએ.

વૈકલ્પિક પરંપરા

ભારતમાં મઠવાદ (શ્રમણ પરંપરા)નો લાંબો ઇતિહાસ છે. તે મુખ્ય પ્રવાહની ગૃહસ્થ ભૌતિકવાદી પરંપરાઓ (યજમાન પરંપરા) ના વિકલ્પ તરીકે ઉદ્ભવ્યો હતો. આ બન્ને સમાંતર પ્રવાહો હતા, જે ક્યારેક એકબીજા સાથે ભળીને પરસ્પર જરૂરિયાતોને સંતોષતા હતા.

બૌદ્ધ ધર્મના ઉદય સાથે, સાધુઓ સમાજ સાથે સક્રિય રીતે જોડાવા લાગ્યા, લોકોને બૌદ્ધ માર્ગ (ધમ્મ) અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા લાગ્યા. આ વિશ્વના સૌથી શરૂઆતના મિશનરી હતા.

પરંપરાગત રીતે, સંન્યાસીનો પોતાનો માર્ગ હોય છે. તેઓ ગૃહસ્થીનાં રાજકારણ અને અર્થશાસ્ત્રમાં કોઈ ભાગ ન લેતા. પરંતુ વિક્ટોરિયન સમયમાં જ્યારે અંગ્રેજો દ્વારા વૈભવી-પ્રેમી ગૃહસ્થને સ્ત્રીત્વપ્રેમી માનવામાં આવવાનું શરૂ થયું ત્યારે આ સ્થિતિમા બદલાવ આવ્યો. પરિણામે સ્વાતંત્ર્ય સેનાનીઓને પોતાનું પુરુષત્વ સાબિત કરવા માટે સંન્યસ્ત (બ્રહ્મચર્ય)નો માર્ગ અપનાવવાની ફરજ પડી હતી.

આજે, ભગવા અથવા સફેદ ઝભ્ભા પહેરેલા બ્રહ્મચારીને મીડિયા દ્વારા "ધાર્મિક નેતા", "ભગવાનનો સંદેશવાહક" ​​પણ માનવામાં આવે છે, અને તે ગૃહસ્થ કરતાં ઉચ્ચ સ્થાન ધરાવે છે. આ એક પદાનુસારનું સ્તરીકરણ છે જે ક્યારેય અસ્તિત્વમાં નહોતું.

ભારતના સંન્યાસીઓએ ત્રણ શક્તિશાળી વિચારોને જન્મ આપ્યો: બ્રહ્મચર્ય, અહિંસા અને શુદ્ધતા. મૂળે આ જ્ઞાનસંપન્ન પ્રથાઓ હતી જેના વડે બૌદ્ધ સાધુને નિર્વાણ, જૈન સાધુને કૈવલ્ય અને હિન્દુ સાધુને મોક્ષ પ્રાપ્ત કરવાનો માર્ગ મળે. .

ધીમે ધીમે, તેમને ગુપ્ત પ્રથાઓ તરીકે જોવામાં આવવા લાગી જે બ્રહ્મચારી પુરુષોને જાદુઈ શક્તિ (સિદ્ધત્વ) આપતી હતી, જેમ કે તાંત્રિક શાસ્ત્રોમાં સૂચવવામાં આવ્યું છે, તેમ આવા યોગીઓને આ સિદ્ધિઓ પાણી પર ચાલવા, ઉડવા, નિઃસંતાન લોકોને બાળક આપવા, ગરીબોને સંપત્તિ આપવા અને બીમારોને આરોગ્ય આપવા સક્ષમ બનાવતી હતી..

આજે, આ પ્રથાઓ સામાજિક ન્યાયના સાધનોમાં રૂપાંતરિત થઈ છે. છતાં, તેમણે, હંએશાં, ભારતીય સમાજની, સ્ત્રી-દ્વેષ, સમલિંગીઓ પ્રત્યે પૂર્વગ્રહ, વંશ-વર્ણ ઊંચનીચનો ભાવ, વંશ, જાતિ, લિંગ, ભાષા, વ્યવસાય આધારિત ભેદભાવ અને અસ્પૃશ્યતા જેવી, સૌથી ખરાબ પ્રથાઓમાં ફાળો આપ્યો છે.

બ્રહ્મચર્ય

ચાલો આપણે બ્રહ્મચર્યને સમજજવાથી શરૂઆત કરીએ. તેનો બહુ સીધો, અને વ્યાપક, અર્થ કામક્રીડાઓનો ત્યાગ કરવો. એ દૃષ્ટિએ તે સંયમનો, તમામ પ્રકારના આનંદનો, એક અભિન્ન ભાગ છે. બ્રહ્મચર્ય પુરુષો અને સ્ત્રીઓને સમાન રીતે લાગુ પડવું જોઈએ. જોકે, વિશ્વભરના સાહિત્યમાં, ફક્ત સ્ત્રીને જ પરંપરાગત રીતે પ્રલોભંકારક તરીકે જોવામાં આવે છે.

તેથી, પૌરાણિક કથાઓમાં, અપ્સરા દ્વારા પ્રલોભનનાં બળથી તપસ્વીના તપની અગ્નિને ઓલવી નાખવામાં આવે છે. યુવાન પુરુષો દ્વારા સ્ત્રી સંન્યાસીઓ અને પવિત્ર પત્નીઓને મોહિત કરવાનો પ્રયાસ કરાયો હોય એવી કથાઓ જવલ્લે જ જોવા મળશે.

બૌદ્ધ કથાઓમાં, સિદ્ધાર્થ પોતાની પત્નીને છોડ્યા પછી મારાની પુત્રીઓને હરાવીને બુદ્ધત્વ પ્રાપ્ત છે. જ્યાં સુધી પોતાની અપર માતાને પોતાના પિતાના મૃત્યુ પછી વિલાપ કરતી જુએ તે પછી બુદ્ધ મઠમાં સ્ત્રીઓના પ્રવેશની સ્વીકૃતિ આપે છે.

જૈન કથાઓમાં, તીર્થંકર મલ્લી, જેનું પ્રતીક ઘડો છે, તે સ્ત્રી છે કે પુરુષ, તે અંગે વિવાદ છે, કારણ કે તેઓ સ્ત્રી શરીર ધરાવતા હોવા છતાં જ્ઞાન અને મુક્તિની ઉચ્ચતમ સ્થિતિ પ્રાપ્ત કરે છે તે ઘણા લોકો માટે અકલ્પ્ય છે.

કુંભ મેળા દરમિયાન પુરુષ સંન્યાસીઓ નગ્ન ફરે છે, પરંતુ સ્ત્રી સંન્યાસીઓ એમ કરવાની હિંમત કરતી નથી, કારણ કે એવી પ્રબળ માન્યતા છે કે સ્ત્રીઓએ કોઈને લલચાવવું જોઈએ નહીં. બ્રહ્મચર્યના સિદ્ધાંતમાં નહીં પણ તેના આચરણના કેન્દ્રમાં સ્ત્રીદ્વેષ છે.

સ્ત્રી શરીરની અનૈચ્છિક માસિક ચક્રની લાક્ષણિકતાને કારણે જન્મ અને મૃત્યુ દ્વારા સ્ત્રી દેહને પ્રકૃતિ સાથે મજબૂત રીતે જોડાયેલ જોવામાં આવે છે.સ્ત્રી શરીર પુરુષ શરીરને ઉત્તેજિત કરે છે, અને પરિણામે પ્રજનન પ્રક્રિયા શરૂ થાય છે.

સ્ત્રી શરીર જ છે જેમાંથી જીવનનો ઉદ્ભવ થાય છે, અને સ્ત્રી શરીર પર જ નવું જીવન પોતાનું પોષણ કરે છે. અને તેથી, અમરત્વની શોધમાં હંમેશા જાતીય કૃત્યનો, ખાસ કરીને સ્ત્રીનો, અસ્વીકાર શામેલ હતો.

તેનાથી મુક્ત થવું એટલે પ્રકૃતિથી મુક્ત થવું, અને કંઈક દિવ્યમાં ભળી જવું, જેને મુક્તિ (મોક્ષ), ભગવાન (પરમ-આત્મા), શાણપણ (કૈવલ્ય), અમરત્વ (અમૃત) અને વિસ્મૃતિ (નિર્વાણ) તરીકે ઓળખવામાં આવે છે.

આજે, મઠ સંપ્રદાયો દ્વારા પ્રચલિત કરાયેલાં જે હિન્દુ મંદિરો બ્રહ્મચારી દેવતાઓને સ્થાન આપે છે ત્યાં સ્ત્રીઓને મંદિરમાં પ્રવેશ વર્જિત છે. પ્રાચીન બૌદ્ધ મઠના નિયમો સ્ત્રીઓથી સાવચેત રહેવા પર વિશેષ ભાર આપતા હતા, અને બૌદ્ધ સાધુ કરતાં સાધ્વીઓ પર અંકુશ માટે વધુ નિયમો હતા.

આની તુલના ગૃહસ્થ પરંપરા સાથે કરો - મંદિરોની ધાર્મિક વિધિઓ અને ઉત્સવોમાં જોવા મળે છે એમ શિવને શક્તિ સાથે લગ્ન કરવા પડે છે અને વિષ્ણુએ સતત લક્ષ્મીને ખુશ કરવા પડે છે, તેમ

સ્ત્રીઓ પ્રત્યેનો અણગમો સ્ત્રીઓની જેમ અતિશય કામુક અને પુરુષોને પોતાનો માર્ગ ભૂલવા માટે લલચાવનારા મનાવાને કારણે સમલૈંગિક પુરુષો અને સ્ત્રીઓ પ્રત્યે, મોટા ભાગે, અણગમા અગવડતા સુધી પ્રસરે છે. તેથી જ બૌદ્ધ મઠોમાં પાંડક [બૌદ્ધ ગ્રંથમાં જાતિ વર્ગીકરણ] ને સ્થાન નથી અપાયું. મહાકાવ્ય, મહાભારતમાં બ્રહ્મચારી ભીષ્મે જાતિપરિવર્તન કરેલ શિખંડી સામે લડવાનો ઇનકાર કર્યો હતો.

અહિંસા

હવે ચાલો અહિંસાના સિદ્ધાંત પર એક નજર કરીએ.

આજે, અહિંસાને એક સભ્ય સમાજના પ્રતીક તરીકે જોવામાં આવે છે. ઘણા શિક્ષણવિદો બુદ્ધને તેમના શાંતિવાદને કારણે યુદ્ધની હિમાયત કરતા કૃષ્ણ કરતાં શ્રેષ્ઠ ગણાવે છે. પરિણામે, ઘણા હિન્દુઓ રક્ષણાત્મક બને છે અને ભોઠપ અનુભવે છે, જમણેરી હિન્દુઓ અત્યંત ગુસ્સે થાય છે.

આમ થવા પાછળનું કારણ અહિંસા વિશે વધારે પ્રચલિત અને સીધી સાદી સમજણ છે, જે અહિંસાને અન્ન, સંપત્તિ અને અર્થશાસ્ત્રથી અલગ કરી દે છે.

બૌદ્ધ, જૈન અને હિન્દુ પરંપરાઓમાં, પ્રકૃતિના મુખ્ય સાધન તરીકે જોવામાં આવતાં, કામક્રીડા અને હિંસા પ્રત્યે ઊંડો આદર હતો. કામક્રીડા પ્રજનનને શક્ય બનાવે છે. હિંસા ખોરાક પૂરો પાડે છે જે પોષણ શક્ય બનાવે છે. આ દૃષ્ટિકોણથી, કામક્રીડા અને હિંસા અસ્તિત્વ માટે જરૂરી સાધનો પુરાં પાડતી હોવાથી અસ્તિત્વ માટે ચાવીરૂપ બની. એ દૃષ્ટિએ દરેક વનસ્પતિ, અને દરેક માનવી પણ કામુક અને હિંસક છે. પરંતુ વનસ્પતિ અને પ્રાણીઓ મર્યાદિત વિચારશક્તિ ધરાવે છે અને (તેથી) ક્યારે રોકાવું તે જાણે છે. માનવો એમ નથી કરતો. તેથી નીતિશાસ્ત્ર, શાસન, નૈતિકતા, કાયદો, ન્યાય અને હા, ધર્મ પર પણ ચર્ચાઓ ચાલતી રહે છે.

ખેતી, ખાણકામ અને પશુપાલન જેવી બધી માનવ આર્થિક પ્રવૃત્તિઓ જે ખોરાક અને સંપત્તિ ઉત્પન્ન કરે છે તે મૂળભૂત રીતે હિંસક છે. તેમાં માનવ સમાજ માટે સંસાધનો ઉત્પન્ન કરવા માટે છોડ, પ્રાણીઓ અને સમગ્ર પર્યાવર્ણીય વ્યવસ્થાનો નાશ થાય છે. અહિંસક આર્થિક પ્રવૃત્તિ જેવી કોઈ વસ્તુ નથી. ગૃહસ્થ કામક્રીડા અને હિંસાથી બચી શકતો નથી.

પ્રકૃતિની આ સ્વાભાવિક પકડમાંથી મુક્ત થવા માંગતા સંન્યાસીએ કામક્રીડા અને હિંસાનો સંપૂર્ણપણે ત્યાગ કર્યો. તેથી એ લોકોએ બ્રહ્મચર્ય (ઈન્દ્રીયનિગ્રહ, સંયમ) અને અહિંસા (હિંસાનો ત્યાગ) ની પ્રથા અપનાવી. હિંસા છોડીને, તેમણે વનસ્પતિનેનુકસાન કરતા ખોરાકનો ત્યાગ કર્યો. ઘણા સાધુઓ ફક્ત ઝાડ પરથી પડેલા ફળો ખાતા હતા, અને ઉગાડવામાં આવેલા પાક ખાતા નહોતા. વિવિધ સંપ્રદાયોના આ સાધુઓ ગૃહસ્થોની દુનિયામાં દખલ કરતા નહોતા. તેઓ પોતાને અલગ રાખતા હતા અને એકાંતમાં તેમના માર્ગ પર ચાલતા હતા. તેઓ ગૃહસ્થોને તેઓ નીચા પણ્નહોતા માનતા કેમકે તેઓ ગૃહસ્થોની કૌટુંબિક જવાબદારીની માંગણીઓ જાણતા હતા. જે સંન્યાસીઓ પોતાને શ્રેષ્ઠ માનતા હતા તેમને, મહાભારતમાં વ્યાધ ગીતામાં ગૃહિણી અને કસાઈએ ઘમંડી સંન્યાસીને બોધ આપ્યો તેમ, હિંસા અને અહિંસા, ધર્મ અને અધર્મના સત્યની યાદ અપાવવામાં આવી.

તો જો કોઈ ગૃહસ્થ હોય પણ સંન્યાસી જેવા જ ધ્યેયો શોધતો હોય તો શું કરવું? એવી વ્યક્તિ કૃષ્ણની ભગવદ ગીતા સાંભળી શકે છે, અને તેનાં જટિલ તત્વજ્ઞાનને સમજવું પડે છે. આ જ્ઞાનેટલુ ગહને છે કે કેટલાક શિક્ષણવિદો તેને હિંસાને ન્યાયી ઠેરવવા માટે બ્રાહ્મણવાદી ક્લિષ્ટ ભાષાનો ગુંચવવામાટેનો પ્રયોગ ખપાવી દે છે.

જેમને આ મર્ગ નથી અપનાવવો તે પોતાની શ્રેષ્ઠ ક્ષમતા મુજબ, જાતીય અને હિંસક પ્રવૃત્તિને નિયમનમાં રાખતી ઉપવાસ જેવી પ્રથાઓનું પાલન કરવા તરફ વળ્યા.

જે પરિવારોએ શાકાહાર અપનાવ્યો હતો તેઓ માંસાહાર અપનાવનારા પરિવારોની પસંદનો કરતા હતા. આ મંદિર સંસ્કૃતિમાં પ્રતિબિંબિત થયેલું જોવા મળે છે. જેમકે, ઓડિશાના પુરી ખાતેના મંદિરમાં, મુખ્ય દેવતા, ભગવાન જગન્નાથ, ચુસ્તપણે શાકાહારી છે, પરંતુ તેઓ, બકરા અને માછલીનું માંસ ખાવાનું પ્સદ કરતી, મંદિર સંકુલની અંદર વિમલા અને બહાર વારાહી જેવી સ્થાનિક દેવીઓ પર ક્રોધ નથી કરતા.

પછીથી, પ્રાથમિક આર્થિક પ્રવૃત્તિઓ (ખેતી, ખાણકામ, પશુપાલન) અને ગૌણ આર્થિક પ્રવૃત્તિઓ (ઉત્પાદન) ને અન્ય સમુદાયોને સોંપી દઈને, તેમાંથી લાભ મેળવેલા લાભમાંથી તૃતીય આર્થિક પ્રવૃત્તિઓ (વેપાર, બેંકિંગ) અપનાવીને હિંસાથી દૂર રહેવાનો વિકલ્પ વિકસ્યો. આજે જે મજૂર ગારમાટી અને પશુ (જીવંત કે મૃત) સાથે કામ લે છે, તે ગરીબ મજૂર છે અને ગામડાઓમાં રહે છે. તેને મજૂરી ભળાવી દઈને બુદ્ધિથી કામ લેનારો વર્ગ ઉચ્ચ વર્ગ કહેવાયો અને શહેરમાં દૂર ભવ્ય વ્યવસાયોમાં છે.

આજે હિંસા અને અનાજ અને સંપત્તિ વચ્ચેનો સંબંધ આપણને ઓછો સમજાય છે કારણ કે આપણે શહેરી વિસ્તારોમાં રહીએ છીએ. આજનો એ સમાજ ૫,૦૦૦ વર્ષથી વધુ સમયથી ભારતના બળદગાડાના અર્થતંત્રની ચલાવવા માટે નપુંસક કરાયેલા લાખો બળદો અથવા વાર્ષિક પાકને બચાવવા માટે માર્યા ગયેલા અબજો ઉંદરોથી પરિચિત નથી. આપણે એ બધી વાતોથી શરમ અનુભવીએ છીએ, અને એ સૂચનથી પણ ગુસ્સે થઈએ છીએ કે બુદ્ધે કદાચ તેમના છેલ્લા ભોજનમાં ડુક્કરનું માંસ ખાધું હશે, કે જ્યારે સંસ્કૃત સાહિત્યમાં રામે કદાચ હરણનું માંસ ખાધું હશે તેવા પુરાવા મળે ત્યારે આપણે તેનો વિરોધ કરતી સેનાને છ્ટી મુકી દઈએ છીએ..

આજે અહિંસા શાકાહાર સાથે ગાઢ રીતે જોડાયેલી છે, જેને ભદ્ર વર્ગ દ્વારા લોકપ્રિય બનાવવામાં આવી છે આ વર્ગ પુરવઠા શૃંખલાની બાબતોથી તેમનાં સદ્‍નસીબે, અજાણ છે, તેથી અસંસ્કારી સમૃદ્ધ જાતિઓને તેમના ખાનગી રિવાજોને જાહેર નીતિઓમાં ફેરવાતાં જોવાતાં પરિણામો ભોગવવાં પડે છે.

શાકાહારનો હેતુ સંન્યાસીને પ્રકૃતિ અને સંસ્કૃતિથી મુક્ત કરવા માટે હતો. શાકાહાર પાળનારા પરિવારના સભ્યોએ ક્યારેય શાકાહારને પરિવારના અન્ય સભ્યો પર લાદ્યો નહીં. શાકાહાર પાળનારા ગૃહસ્થોએ ક્યારેય તેને અન્ય ગૃહસ્થીઓ પર લાદ્યો નહીં. પ્રકૃતિ અને સંસ્કૃતિથી મુક્ત થવાની શોધ માટે બન્ને વર્ગને પરસ્પર આદર હતો; તે દરેકની વ્યક્તિગત અને અંગત પસંદગીનો માર્ગ હતો.

શાકાહાર ક્યારેય, આજે બની બેઠેલા, સામાજિક ન્યાય કે પ્રાણી અધિકારોનું શસ્ત્ર નહોતું. અનુમાન કરો કે જ્યારે સમાજ પર બળજબરીથી શાકાહાર લાદવામાં આવે છે ત્યારે કોણ પીડાય છે? ગરીબ વર્ગ.

કલ્પના કરો કે એક શાકાહારી વેપારી એક આદિવાસી વ્યક્તિને કહે છે કે તેણે શું ખાવું જોઈએ. કલ્પના કરો કે એક સોફ્ટવેર એન્જિનિયર એક કસાઈને કહે છે કે તેનું કામ ખરાબ છે. એક બૌદ્ધ અરહત, જૈન મુનિ, હિન્દુ સાધુ ક્યારેય આવું નહીં કરે. આજે કરૂણતા એ છે કે જે ઉદ્યોગપતિઓ પોતાના કામદારોનો દુર્વ્યવહાર અને શોષણ કરે છે તેમને તેમના આધ્યાત્મિક ગુરુઓ દ્વારા જાહેરમાં માન આપવામાં આવે છે કારણ કે આ ઉદ્યોગપતિઓ તેમના કાર્યસ્થળમાં માંસાહારીઓ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા દર્શાવે છે.

શાકાહારને હવે એક દયાળુ જીવનશૈલી તરીકે માર્કેટિંગ કરવામાં આવે છે. શાકાહરને સ્વ-ન્યાયીપણાના કૃત્ય, નૈતિક આક્રોશ, નિષ્ક્રિય આક્રમકતા અને અહિંસક ઉલ્લંઘનના કૃત્યો દ્વારા લાદવામાં છે, જેમ કે માંસાહારીઓને "માંસ ખાનારા" તરીકે મજાક ઉડાવવી, અને પાલન કરવાનો ઇનકાર કરનારાઓને રહેવાનો ઇનકાર કરવો, જે લોકો ઇંડા, માછલી, મટન, ડુક્કરનું માંસ અને બીફ ખાય છે તેઓએ છાત્રાલય અને કંપની કેન્ટીનમાં અલગ રસોડું, અલગ વિભાગ અને અલગ વાસણો સ્વીકારવા પડશે, જેવા સોશિયલ મીડિયા પર દુર્વ્યવહાર .

શાકાહારીઓમાં પણ એક આધ્યાત્મિક સીડી બનાવવામાં આવી છે. જે લોકોં મૂળીયાં શાકભાજી ખાતા નથી તેઓ પોતાને ઉચ્ચ સ્તર પર રાખે છે, કારણ કે તેમના ખોરાકમાં હિંસા ઓછી માત્રામાં હોવાનું કહેવાય છે. આવા ભેદભાવને વાજબી ઠેરવવામાં આવે છે, એનું માન પણ કરાય છે, કારણ કે અહિંસા સારી વિચારસરણી અને પ્રથા છે.

શુદ્ધતા

છેલ્લે, આપણે સૌથી ઘાતક મઠ પ્રથા - શુદ્ધિકરણ - પર આવીએ છીએ. પ્રવચન જણાવે છે કે આત્મા શુદ્ધ અને આનંદી છે જ્યારે દેહ પ્રદૂષણ અને તોફાની છે. તેથી, દેહ અને પ્રકૃતિથી મુક્ત થવાની અને દિવ્યતાને સ્વીકારવાની ઝંખના ધરાવાતી હોય છે. શુદ્ધિકરણ, ઝેર દૂર કરવાની અને ભૌતિકવાદ, વ્યાપારવાદ, આનંદ અને હિંસાથી દૂર રહેવાની માંગ કરે છે. કોઈ સેક્સ નહીં, દારૂ નહીં, માંસ નહીં, અને કોઈ નકારાત્મક વિચારો કે કાર્યો નહીં. સેક્સ, દારૂ, માંસ અને પૈસા સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ શુદ્ધ કરી દેવાયા છે. આ વિચારોમાં આપણે અસ્પૃશ્યતાના અમાનવીય પ્રથાના બીજ શોધીએ છીએ.

તેથી શહેરો એવા સ્થળોએ રચાયેલા છે જ્યાં કેન્દ્રમાં સૌથી શુદ્ધ લોકો રહે છે: બ્રહ્મચારી સંન્યાસી અને પવિત્ર પૂજારી, જે શાકાહારી છે, પાણીની પુષ્કળ સુવિધા છે. પરિઘમાં સૌથી અશુદ્ધ લોકો રહે છે: કસાઈઓ, ચામડાના કારીગરો, ગટર સાફ કરનારા, માંસ ખાનારા, મસાણીયાઓ અને વેશ્યાઓ, જેઓ તેમના વ્યવસાયોને કારણે ગંદા છે, અને વધુ ગંદા રહે છે કારણ કે તેમને ગામડાના કૂવાનો ઉપયોગ નિષિદ્ધ છે. આ કહેવાતા અસ્પૃશ્યોનું ક્ષેત્ર હતું. બે અંતિમોની વચ્ચે વાણિજ્ય વેપારી અને જમીનદારો છે, જેઓ હિંસા કરવાવાળાં કામો પરિઘવાળોને સોંપી દે અને કેન્દ્રના સંન્યાસીઓ અને પૂજારીઓને ભંડોળ પૂરું પાડતા હતા.

જાતિ વંશવેલોનો સિદ્ધાંત મનુસ્મૃતિમાં સંહિતાબદ્ધ હોઈ શકે છે, પરંતુ જાતિ વંશવેલો અસ્પૃશ્યતા જેવો નથી. અસ્પૃશ્યતા શુદ્ધતામાં વિશ્વાસ અને પવિત્ર અને અપવિત્ર, આત્મા અને માંસ, શુદ્ધ અને અશુદ્ધ, પવિત્ર અને અપવિત્રને અલગ પાડવાથી ઉદ્ભવે છે. સંન્યાસી અને પૂજારીનો હેતુ બાકાત રાખવાનો કે ભેદભાવ કરવાનો ન હોય શકે, પરંતુ તેમના ધ્યેયો, સ્ત્રીનું માસિક રક્ત, માંસાહારી પાત્ર અને દલિતનો સ્પર્શ જેવી, તથાકથિત તમામ પ્રકારની ગંદકી પ્રત્યેના ઉપહાસને વ્યાખ્યાયિત કરે છે અને કાયદેસર ઠેરવે છે: .

નિષ્કર્ષ

આજકાલ, બ્રહ્મચર્ય, અહિંસા, શુદ્ધિકરણ, તેમજ સ્ત્રીદ્વેષ, ક્વિઅરફોબિયા, શાકાહાર અને અસ્પૃશ્યતા જેવી પ્રથાઓને સમજાવવા માટે વિજ્ઞાન, અથવા તો છદ્મ-વિજ્ઞાનનો ઉપયોગ કરવો સામાન્ય છે. તેનાથી એ હકીકતને અવગણી ન શકાય કે આ પિતૃસત્તાક પ્રથાઓ છે. ઉપરથી, તો તે તેને ન્યાયી ઠેરવે છે. જો કે, જો આપણે આ પ્રથાઓના મૂલને શોધવા માંગતા હોઈએ, તો સંન્યાસીના સુખદ સ્મિત પર નજર નાખવી જોઈએ. તેને પવિત્ર બનાવવામાં ફાળો આપતી બધી પ્રવૃત્તિઓના અણધાર્યા પરિણામો પર વિચાર કરવો એ એક સારો વિચાર છે.

  • સ્ક્રૉલ.ઈન માં  ૧૨ ઓગસ્ટ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખThe hermit’s smile: How celibacy, non-violence and purity work to establish patriarchy in India નો અનુવાદ | વિશ્વ  પુરાણશાસ્ત્રવિદ્યા, હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા

·       અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ  ૩ ડિસેમ્બર ૨૦૨૫

બુધવાર, 26 નવેમ્બર, 2025

માનવ સંબંધોનું દિવ્યકરણ : મા શારદામણિદેવીમાં જોવા મળતું સંબંધોનું દિવ્યકરણ

 

ડૉ. સર્બની પુતતુંડા[1]

આદિ ગુરુ શંકરાચાર્યએ અદ્વૈત ફિલસૂફીની સ્પષ્ટતા કરીને સંબંધોનાં દિવ્યકરણને ભારતીય સમાજનાં સામાજિક - ધાર્મિક પોતમાં વણી લીધેલ છે. સામાન્યપણે અદ્વૈતનો અર્થ એકપણાં તરીકે થતો હોય  છે. પરંતુ તેનો વધારે સચોટ અર્થ બિન - અન્યપણું થાય છે. એ મુજબ બ્રહ્મન્ સિવાય અન્ય કોઈ વાસ્તવિકતા નથી અને 'વાસ્તવિકતા' ટુકડાઓની બનેલી નથી હોતી. બીજા શબ્દોમાં કહીએ તો જીવાત્મન્ (સ્વ, વ્યક્તિ) બહ્મન્ જેમાંથી આ વિશ્વ સર્જન પામે છે અને જેમાં જે બધું વિશ્વમાં છે તે બધું તે બધું મળી જાય છે. જેટલાં કંઈ વિવિધ સ્વરૂપો દેખાય છે તે બધાં માયા - આભાસ - છે. 

મા શારદાદેવીનો અભિગમ

માશારદાદેવીનાં જીવન પર દૃષ્ટિ કરીએ તો જોવા મળશે તેમની ભાવનાઓનું ઐક્ય તેમના પ્રેમમાં નીતરતું રહેતું જોવા મળશે. તેમના માટે નાતજાત, સામાજિક મોભો કે જાતિ સુદ્ધાં એક જ બ્રહ્મન્ નાં જ સ્વરૂપ હતાં. એટલે બધાં સંબંધોમાં આ ઐક્યની ભાવના વડે તેમના માટે તેમની આસપાસનાં ભૌતિક વિશ્વનું દૈવીકરણ કરવું સહજ હતું. તેમની રોજબરોજ્ની પ્રવૃત્તિઓમાંવણાયેલી ઐક્યની ભાવનાને કારણે તેમને  અદ્વૈત વિશે કોઇ ચોક્કસ વિચારો જણાવવાની જરૂર જ નથી જણાઈ. એક વાર એમણે તેમના પોતાના શિષ્યને કહેલું, જે કોઈ મારામાં છે તે તમારામાં પણ છે. તે દુલાય, બાગદી અને દોમમાં પણ છે. તેમને માત્ર માનવોમાં નહીં બધી જ સજીવ વસ્તુઓમાં બ્રહ્મન્ નાં દર્શન થતાં એટલે તો તેઓ ભગવાન રામકૃષ્ણના પ્રસાદ પર ચડેલી કીડીઓને પણ હટાવી ન દઈ શકતાં.

એકવાર રાધી એક કીડીને મારવા જઈ રહી હતો તેને પણ માએ રોકી પાડી હતી.

એમના શિષ્યએ ભગવાન રામકૃષ્ણ માટે પીરસાયેલું ભોજન ત્યાં કોઈ ભૂખ્યાં બાળકને ખવરાવી દેવાનો વિરોધ કર્યો ત્યારે મા શારદાદેવીએ તેને કહેલું કે તેનામાં પણ ઈશ્વર છે, એટલે તેને ખાવા દે. 

એક વાર ઉમેશ બાબુ સાથે વાત કરતાં કરતાં મા શારદાદેવીએ નિર્જીવ સ્થંભ માટે પણ એવી જ ભાવના વ્યક્ત કરતાં કહેલું કે લોકો ઈશ્વરની વાત કરે છે.જો તેઓ આ સ્થંભમાં ઇશ્વરનો વાસ જોઈ શકે તો તેઓ ઈશ્વરને પ્રાપ્ત કરી શકે.

અદ્વૈતનું જ્ઞાન આત્મસાત કરો અને તેનો રોજબરોજનાં જીવનમાં અમલ કરો એ ભગવાન રામકૃષ્ણનો ઉપદેશ મા શારદાદેવીનાં સમગ્ર જીવનમાં વણાઈ ગયો હતો.

મા શારદાદેવીએ છંદોગ્ય ઉપનિષદનો અદ્વૈતનો અર્ક (૩.૧૪) - सर्वं खल्विदं ब्रह्म नेह नानास्ति किंचन (આ સમગ્ર વિશ્વ બ્રહ્મ છે, તે સિવાય બીજું કશું નથી) - સહજપણે આત્મસાત કર્યો હતો.

મા શારદાદેવી અને તેમના સહયોગીઓ 

સમાજમાં ધર્મ, જાતિ, જાતપાત વગેરેથી કરાતા ભેદભાવની અતાર્કિકતા વિશે મા શારદાદેવીએ એક વાર કહેલું કે,

બ્રહ્મનો દરેકમાં વાસ છે. પરંતુ ઋષિઓએ લોકોને ઈશ્વરની પ્રાપ્તિ માટેના, પોતપોતાની સમજ અને આદર્શ મુજબના, અલગ અલગ માર્ગ બતાવ્યા. પરંતુ બધા માર્ગ તો એક જ જગ્યાએ લઈ જવાના છે. વૃક્ષનો દાખલો લો. અનેક ભાત, રંગનાં પક્ષીઓ ત્યાં આવીને પોતપોતાની શૈલીમાં કિલકિલાટ કરે છે. બધાના અવાજ જુદા હોવા છતાં આપણા માટે તો એ પક્ષીઓનો જ અવાજ છે.

જો ભેદભાવ કરવો જ હોય તો જે ક્ષણભંગુર છે અને જે સ્થાયી વાસ્તવિકતા છે તેના વચ્ચે ભેદ પાડો. આપણને જકડી રાખેલ માયાનાં બંધનોમાંથી મુક્તિ માટે ઈશ્વરને પ્રાર્થના કરો. જો દુન્યવી માયાનાં બંધનોથી સંપુર્ણપણે મુકત થઈ શકીશું તો ઈશ્વરને પ્રાપ્ત કરી શકીશું.

ઐક્ય વર્ગવિહિનતા તરફ દોરી જાય છે

ઐકયમાંથી સમાનાધિકારનો ભાવ પેદા થાય છેંઆ શારદાદેવીનું જીવન સમાનાધિકારને વર્ગવિહિનતામાં વ્યક્ત કરતું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું.

એક વાર 'રામકૃષ્ણ પુંથી'ના લેખક અક્ષય કુમાર સેને મા પાસે વિશ્વમાં જોવા મળતા ભેદભાવ માટે અચકાતા સુરમાં ફરિયાદ કરી. મા શારદાદેવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ' મારા માટે કોઈ ખાસ નથી. મારા માટે બધાં સરખાં છે. મારા મનમાં કોઈ અન્યપણાનો ભાવ નથી.' એટલે જ એમની પાસેથી આવાં ક્રાન્તિકારક કથન સાંભળવા મળે - મારા માટે તો જેવિ શરત (સ્વામી સારદાનંદ) મારો દીકરો એવો  અઝમ્દ પણ મારો દીકરો.' સ્વામી સારદાનંદ રામકૃષ્ણ સંપ્રદાયના સેક્રેટરી જનરલ, ભગવાન રામકૃષ્ણના ખાસ સોળ શિષ્યોમાંના એક, હતા અને અઝમદ એક ખુંખાર ડાકુ હતો.. મા બંનેના સ્થાન વિશે બરાબર પરિચિત હતાં. 

પોતાના રોજબરોજનાં જીવનમાં મા તેમની દુન્યવી દિનચર્યામાં જ વ્યસ્ત દેખાતા. પણ કેટલાક ભાગ્યશાળીઓને તેમાં દિવ્યતાના પ્રકાશના ઝબકારા જોવા મળી જતા. મા પણ તેમની વાસ્તવિક મનોજીવનીને રોજબરોજની દીનચર્યાના પરદા પાછળ છુપાવી દેતાં. પણ સ્વામી અરૂપનંદ સાથેના તેમના સંવાદોમાં જોવા મળે છે તેમ તેમની નજદીકનાં બધાં જ જાણતાં હતાં કે આ તેમનો પ્રયત્નપૂર્વક ઊભો કરેલો આભાસ હતો.   

'મા, તમારો ખરો સ્વભાવ ક્યારેય બહાર નથી આવી જતો?'

'હા, ક્યારેક એવું થાય. ત્યારે હું મારી જાતને પ્રશ્ન પૂછું, આ હું શું કરૂં છું? પછી ગૃહસ્થી,બાળકો વગેરે સામે જોતાં બધું ભુલાઈ જાય છે. 

માના શિષ્ય આશુતોષ મિત્ર કહે છે કે પોતાની દુન્યવી દુનિયામાંથી મા તેમનાં દૈવી સ્વરૂપમાં કેવાં ઝડપથી સરી જઈ શકતાં એનું એક ઉદાહરણ અદ્‍ભૂત છે. એક વાર મા આશુતોષ મિત્ર સાથે વાત કરતાં હતાં ત્યાં રાધાની તીણી ચીસને સાંભળીને તેઓ વાત અધુરી મુકીને ગયાં. થોડી વારે તેઓ જ્યારે પાછાં આવ્યાં ત્યારે લગભગ સમાધિમાં હતાં. આશુતોષ એ ફરક બહુ સ્પષ્ટપણે જોઈ શકતા હતા. તે પછી માએ જે કહ્યું તે બહુ રસપ્રદ હતું - 

ખબર છે એક દિવસ મેં શું જોયું? ઠાકુર (રામકૃષ્ણ પરમહંસ) મારી પાસે અનેક સ્વરૂપોમાં દેખાતા હતા. જે બાજું નજર કરૂમ ત્યાં તેઓ દેખાય. તેઓ નેત્રહીનમાં હતા, અપંગમાં હતા....એ બધાં ઠાકુરનાં જ દર્શન હતાં. મને સમજાઈ ગયું કે આ તેમણે જ કરેલું છે, અને તેઓ સર્વસ્વમાં છે.તેઓ જેમાં દેખાય તે માનવી પીડા નથી ભોગવી રહ્યું પણ ઠાકુર જ ખરેખર એ પીડા ભોગવી રહ્યા છે. એટલે મારી પાસે લોકો રડતાં રડતાં આવીને મુક્તિ માટે પાર્થના કરે છે ત્યારે હું મારી જાતને રોકી નથી શકતી. મને એમ જ લાગે છે કે હું તેમને તેમનાં સર્જન અર્પણ કરૂં છું.

સ્વામી વિવેકાનંદે કલ્પેલ અને મા શારદાદેવીએ અનુમોદન આપેલ વ્યાવહારિક વેદાન્ત  

મા શારદાદેવીનું બહુ મોટું યોગદાન, સ્વામી વિવેકાનંદ જેને વ્યાવહારિક વેદાન્ત કહે છે એવા, કર્મ યોગના સિદ્ધાંતોનું સુનિશ્ચિત ઘડતર - ખાસ તો રામકૃષ્ણ સંપ્રદાયના સંન્યાસીઓ માટે - હતું. મા પોતે જ એમાં ઘડાયેલાં હોવાથી આ સિદ્ધાંતોની અટકળ આ શબ્દોમાં કરવી સહજ હતી - સદાય કર્મ કરતાં રહો. કર્મ આપણાં મન અને તનને તંદુરસ્ત રાખે છે. હું જ્યારે જયરામબાતીમાં હતી ત્યારે સતત કામ કર્યા કરતી. હું કોઈને મળતી નહી.....જોકે સતત કામ કરવાથી એક પ્રકારની અનાસક્તિ આવી જ્જાય છે. એક ઘડી પણ નવરા ન બેસવું. હું એક ઘડી પણ નવરી નહોતી પડતી તો પણ એક લાખ વાર ઈશ્વરના નામનો મંત્રોચ્ચાર કરી શકતી હતી.

આ સિદ્ધાંત પણ અદ્વૈત તત્વજ્ઞાનના ઐક્યની વિભાવનામાં સીધો જ નિષ્કર્ષ પામે છે. અહીં માએ જે કામનો ઉલ્લેખ કર્યો છે તે અલગ અલગ સ્વરૂપે કરાતી માનવ સેવા છે. રામકૃષ્ણ સંપ્રદાયમાં દાખલ થતાંની સાથે જ સંન્યાસીને માનવ સેવા અર્થે જ કામ કરવાનું કહેવામાં આવે છે. સન્યાસી હોય કે ગૃહસ્થ, માનવ સેવાની આડે કોઈ આદર્શ આવી ન શકે એ વાત મા શારદાદેવીએ બહુ જ સ્પષ્ટ શબ્દોમાં સમજાવી દીધી છે.

તેમના એક પત્રમાં સ્વામી વિવેકાનંદ વ્યાવહારિક વેદાન્તને સમજાવતાં આ મુજબ કહે છે - 

ગરીબ માટે સહાનુભુતિ અને મદદ; માનવી ઈશ્વર છે, એ નારાયણ છે; આત્મા માટે સ્ત્રી કે પુરુષ, બ્રાહ્મણ કે ક્ષત્રિય કે એવા કોઈ ભેદ નથી. ઘાસનાં એક નાનાં તણખલાં સુધી દરેક વસ્તુ સર્જનહારનું સર્જન, નારાયણ, છે. નાનાં જંતુમાં એ ઓછું દેખાય કે સર્જનહારમાં વધારે દેખાય. દરેકમાં દૈવત્વનું દર્શન થાય એ માટે કરેલ દરેક કર્મ ઉત્તમ છે. જે કામ તેને ઢીલમાં નાખે તે દુર્વ્યવહાર છે. આપણા પોતાનાં દૈવત્વને પ્રગટ કરવાનો એક માત્ર માર્ગ બીજાંઓને તેમ કરવામાં મદદ કરવાનો છે.  

તેમની આસપાસની ભૌતિક દુનિયા સાથેના સંબંધોને સ્પષ્ટ કરતાં મા શારદાદેવીએ એક શિષ્યને કહ્યું હતું કે,

સમય જતાંની સાથે ઈશ્વરનું અસ્તિત્વ પણ અનુભવાતું નથી. જ્ઞાનપ્રાપ્તિ થયા પછી સમજાય છે કે ઈશ્વર અને દેવતાઓ એ બધું માયા જ છે. સમયની સાથે બધું અસ્તિત્વમાં આવે છે અને સમયની સાથે બધું વિલિન થાય છે. જ્ઞાનપ્રાપ્તિની પ્હો થતાંની સાથે જ દેવતાઓ અને એવી બધી વસ્તુઓ ઓસરી જાય છે. મુમુક્ષુની સમજાય છે કે માત્ર મા જ આખાં વિશ્વમાં ખૂણે ખૂણે ફેલાયેલ છે. એ સમયે બધું એક બની જાય છે. આ જ સાદું સત્ય છે.

  • પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી ૨૦૨૫ના (Divinising Human Relationships) શીર્ષસ્થ વિશેષાંક માં Dr Sarbani Putatunda ના મૂળ અંગ્રેજી લેખ Divinising of Relationship as Observed in Holy Mother Sri Sharada Devi નો સંકલિત અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ


[1] ડૉ. સર્બની પુતતુંડા અંગ્રેજીમાં પીએચ ડી છે અને કલકત્તાની ઇસ્ટ કલકત્તા ગર્લ્સ કૉલેજમાંથી નિવૃત થયાં છે. રાષ્ટ્રીય તેમજ આતંરરાષ્ટ્રીય સામયિકોમાં તેમનાં અનેક શૈક્ષણિક નિબંધ પત્રો પ્રકાશિત થતાં રહ્યાં છે. તેમણે ઘણાં પુસ્તકો પણ લખ્યાં છે.

બુધવાર, 19 નવેમ્બર, 2025

ગૌરક્ષા : 'ગાય એ માત્ર ગાય નથી' - દેવદત્ત પટ્ટનાઈક

ગૌરક્ષા હિન્દુ શાસ્ત્રોની કથાઓનો એક અભિન્ન ભાગ છે. ગૌ-હત્યા, એક ભયંકર ગુનો માનવામાં આવે છે. કાલિદાસના રઘુવંશમાં, રામના પૂર્વજ રાજા દિલીપ ગાયને સિંહથી બચાવવા માટે પોતાનું બલિદાન આપવાનું તૈયાર થઈ જાય છે. ગોદાવરી મહાત્મ્યમાં, ઋષિ ગૌતમ આકસ્મિક રીતે એક ગાયને મારી નાખે છે, અને શિવને આહ્વાન કરી ગંગાને વિંધ્યની દક્ષિણમાં ગોદાવરી તરીકે વહેવા દો એવી પ્રાર્થના કરવાનો એક માત્ર માર્ગ તેમની પાસે રહે છે.

આ કથાઓ બતાવે છે કે ગાયોની હત્યા હિન્દુઓ માટે કેટલી પીડાદાયક બાબત છે. વેદોમાં બળદોની હત્યાના સંદર્ભો છે. પરંતુ લોકો ઉગ્રપણે દલીલ કરે છે કે એ ઉલ્લેખોને શાબ્દિક રીતે નહીં, પણ રૂપકાત્મક રીતે લેવા જોઈએ. ભાગવત પુરાણમાં, કૃષ્ણ એક બળદ-રાક્ષસ, અરિષ્ટ અને વાછરડા-રાક્ષસ, વાસ્તનો નાશ કરે છે. ફરીથી, આપણને કહેવામાં આવે છે કે બળદ અને વાછરડાને શાબ્દિક અર્થમાં નહીં પણ રાક્ષસ તરીકેના રૂપકાત્મક રૂપમાં સમજવાના છે..

આમ, હિન્દુ શાસ્ત્રની ગાયને શાબ્દિક અને રૂપકાત્મક બંને રીતે જોવાની જરૂર છે. શાબ્દિક રીતે જોઈએ તો, એ ગુંચવણ થાય છે કે ગૌરક્ષા, ફક્ત માદા જાતિ માટે જ છે કે નર અને માદા બંને જાતિ માટે છે..

જો ગૌરક્ષામાં બળદને પણ આવરી લેવામાં આવે તો તો આપણે હજારો વર્ષોથી બળદોને ખસીકરણ કરીને સાંઢમાં ફેરવવાની, તેને ગાડાં ખેંચવા અને ખેતરો ખેડવા માટે કેમ માની જઈએ છીએ ? ખસીકરણ ક્રૂર છે તેમાં કોઈ શક ન હોઈ શકે. આટલું જ નહીં પણ એ પણ સ્પષ્ટ નથી કે ગાયનો ઉલ્લેખ કરીએ છીએ ત્યારે માત્ર ભારતીય જાતિની ગાયનો જ ઉલ્લેખ કરીએ છીએ, કે ડેરી ફાર્મિંગમાં લોકપ્રિય એવી જર્સી અને હોલ્સ્ટર જેવી વિદેશી જાતિઓ તેમાં આવરી લેવાયેલ છે. શું ગાય રક્ષાનો અર્થ ભેંસનું રક્ષણ પણ છે? તો પછી આપણે ભેંસ-રાક્ષસને મારી નાખનારી દુર્ગાની પૂજા કેમ કરીએ છીએ? શું તે ભેંસ વાસ્તવિક છે કે પછી રૂપક છે ?

ગાય રક્ષાની રોમેન્ટિક કલ્પનાઓ ઘણીવાર શહેરનાં લોકોમાં જોવા મળે છે જેઓ ડેરી ફાર્મિંગ અને કૃષિની પુરવઠા સાંકળનાં અર્થશાસ્ત્રથી અજાણ છે. તેઓ સમજી શકતા નથી કે ગરીબ ખેડૂતો જે વૃદ્ધ ઢોરને ખવડાવી શકતા નથી અને તેમને ઢોર મારવાની પણ મનાઈ છે, તે પોતાનાં ઘરડાં ઢોરોને શેરીઓમાં ભટકવા દે છે. અહીં એ ઢોરો ક્યાં તો ભૂખે મરે છે અને ક્યાંતો પ્લાસ્ટિક કે અન્ય કચરા ખાય છે. મૌર્ય કાળના ચાણક્ય પાસે આવી કોઈ રોમેન્ટિક કલ્પના નહોતી, કે વીસમી સદીની શરૂઆતમાં વિવેકાનંદ પાસે પણ આવી કોઈ રોમેન્ટિક કલ્પના નહોતી. રૂપકાત્મક રીતે જોઈએ તો, ગાય આજીવિકાનું પ્રતીક બની જાય છે. પુરાણોમાં, એક ઋષિ રાજા પાસે ગાય માંગે છે કારણ કે ગાયનું દૂધ અને છાણ તેને ખોરાક અને બળતણ પૂરું પાડે છે, તેની આર્થિક સ્વાયત્તતા સુનિશ્ચિત કરે છે અને તેને અન્ય બૌદ્ધિક કાર્યો કરવા સક્ષમ બનાવે છે.

સ્વાભાવિક રીતે, માનવ આજીવિકાના સ્ત્રોત સમાન રૂપકાત્મક ગાયને મારી નાખવી એ સૌથી મોટો ગુનો હતો. રાજાઓને ગાયોનું દાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હતા; બીજા શબ્દોમાં કહીએ તો, તે રીતે વધુ આજીવિકાનાં સ્રોત ઊભા કરવા કહેવામાં આવતું હતું. પૃથ્વીનો પહેલો રાજા પૃથુ હતો, જે વિષ્ણુ અવતાર હતો. પૃથ્વી તેની સમક્ષ ગો-માતા તરીકે પ્રગટ થઈ, અને પૃથુએ તેના ગો-પાલ અથવા ગોપાલ તરીકે તેનું રક્ષણ કરવાનું વચન આપ્યું. આમ, પૃથ્વીનું રક્ષણ એ ગો-રક્ષા હતું. જ્યારે માનવોએ પોતાના લોભથી પૃથ્વીનો દુરુપયોગ કર્યો, ત્યારે ગોમાતાએ વિષ્ણુને તેમના વચનની યાદ અપાવી અને તેઓ પરશુરામ, રામ અને કૃષ્ણ તરીકે પૃથ્વી પરના પૃથ્વીના સંસાધનો લૂંટતી રહેલા રાજાઓને મારવા માટે અવતર્યા જેમણે અને એમ કરીને પૃથ્વીનો ભાર ઓછો કર્યો. જે સ્ત્રી તમામ જીવંત પ્રાણીઓનું પોષણ કરતી હતી તે તેના ત્રાસ આપનારાઓના લોહીથી રક્તરંજિત થઈ ગઈ.

આપણી પાસે ક્યાં તો ગૌરક્ષાનો - સાંકડો - શાબ્દિક અર્થ પસંદ કરવાનો વિકલ્પ છે, અથવા તો આપણે ગૌરક્ષાનો - વ્યાપક - રૂપકાત્મક અર્થ પસંદ કરી શકીએ છીએ. પહેલો અર્થ રક્ષકોનો પક્ષકાર છે જ્યારે બીજો અર્થ વિકાસના માર્ગનો દ્યોતક છે.

  • સ્પિકીંગ ટ્રી માં  ૧૨ ઓગસ્ટ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખCOW PROTECTION: ‘Cow is not just a cow’ નો અનુવાદ | પ્રાયોગિક  પુરાણશાસ્ત્રવિદ્યા, હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા

·       અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ  ૧૯ નવેમ્બર ૨૦૨૫

શુક્રવાર, 14 નવેમ્બર, 2025

પાછળ નજર કરતાં જોવાથી મળતાં અર્થગ્રહણ કરવા યોગ્ય, ગાય કાવાસાકીનાં, અવતરણો

તન્મય વોરા

ગાય કાવાસાકી જે રીતે લખે છે તે મને ખૂબ ગમે છે. જ્યારે પણ હું તેમને વાંચું છું, ત્યારે હું મારા વાંચનને અંતે કંઈક નવી અનુભૂતિ, કંઈક નવું શીખવાનું અને કંઈક વધુ વિચારવાની સમજ મેળવું છું.

આજે, મને તેમના બ્લોગ પર ૨૦૦૬ માં લખાયેલ "પાર્શ્વદર્શન (Hindsights) " નામનો એક બહુ રસપ્રદ લેખ વાંચવા મળ્યો. હું તેમના બ્લોગ પરનો આ લેખ વાંચવાની ભારપૂર્વક ભલામણ કરું છું. હાલ તો  અહીં એવા લોકો માટે થોડા અંશો મૂક્યા છે જેમની પાસે એ લેખ વાંચવા સમયનો (કદાચ) અભાવ છેઃ

"ખુશીની નહીં., આનંદની ખોજમાં રહીએ.  મારી વાત માનજો - ખુશી ક્ષણિક અને હાથમાંથી સરકતી રેતી જેવી છે. તેનાથી વિપરીત, આનંદ અકળ છે. ખુશીમાં ન પરિણમી શકેલા આપણા ગમા અણગમા કે આપણા ઉત્કટ શોખની સતત ખોજ આપણા આનંદની કેડી તરફ દોરી જઈ શકે છે." 

"મારા પિતા હવાઈમાં સેનેટર હતા. વકીલ બનવું એ તેમનું સ્વપ્ન હતું., પરંતુ તેમનું શિક્ષણ તો માત્ર હાઇ સ્કૂલ સુધીનું જ હતું. એટલે તેઓ ઇચ્છતા હું વકીલ બનું. તેમના માટે કરીને હું કાયદાનાં ભણતર માટે કીલેજમાં દાખલ થયો.  પરંતુ મારૂં મન કંઈ બીજું ઈચ્છતું હતું, એટલે બે અઠવાડિયા પછી મેં એ કૉલેજ છોડી દીધી. હું આને મારી સ્વાભાવિક સમજનું એક શાનદાર પ્રમાણ માનું છું. જ્યારે મેં કૉલેજ છોડી ત્યારે મારા માતાપિતામાંથી કોઈ ગુસ્સે નહોતાં થયાં. બલ્કે, તેમ છતાં તેમનો મારા માટેનો પ્રેમ ઓછો ન થયો."

"જીવનમાં આપણી સૌથી મોટી ભૂલ પૈકી એક એ છે કે જાણીતી વસ્તુને સ્વીકારવી અને અજાણી વસ્તુનો પ્રતિકાર કરવો.  હકીકતમાં, આપણે બરાબર વિરુદ્ધ કરવું જોઈએ: જાણીતી વસ્તુને કસોટીએ ચડાવીએ અને અજાણી વસ્તુ દ્વારા થનારી કસોટીને સ્વીકારીએ."

"આપણે અત્યારે એક વ્યવસ્થિત, તમારા માટે ઉપયુક્ત વાતાવરણમાં શીખી રહ્યાં છીએ. મોટા ભાગે. આપણે આપણાં માતાપિતાનાં કહેવા અનુસાર કે પહેલેથી પડેલા અનુસાર શાળા અને ભણતરને જોઈએ છીએ.  પરંતુ શાળા અને શિક્ષણને ગૂંચવવાં જ જોઈએ. શક્ય છે કે પરંપરાગત શાળા અને શિક્ષણ આપણને કંઈ ન શીખવે. અને એપણ શક્ય છે કે  શાળા વિના પણ ઘણું શીખી શકાય."

"પોતાની જાતને પસંદ કરવાનું શીખીએ. જ્યાં સુધી પોતાની જાત પસંદ ન પડે ત્યાં સુધી આપણને બદલતાં રહીએ."

"જીતવું એ ફરીથી રમવાની એક વધારે તક પણ છે. ન  કાસાયેલું જીવન જીવવા યોગ્ય ન હોઈ શકે, પરંતુ જીવ્યા વિનાનું જીવન ચકાસવા લાયક નથી."

"મોટા ભાગે, આપણે જેમ જેમ મોટા થઈએ છીએ, તેમ તેમ ખ્યાલ આવતો જાય કે આપણા માબાપ. જ્યારે આપણે પોતે માબાપ બનીએ છીએ ત્યારે તો એ સમજ સ્પષ્ટ થાય જ છે. હું જાણું છું કે , "હા, સાચું" એમ તમને પણ લાગી રહ્યું છે તે હું જાણું છું. મારા શબ્દોને નોંધી રાખજો."

કેટલીક વાર ભૂતકાળની વાતો બહુ જ ગહનતા સાથે વર્તમાનમાં રજૂ થાય છે - ખરું ને?

સ્રોત સંદર્ભ:: Hindsights from Guy Kawasaki

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

- - - . . . - - - . . . - - -

બુધવાર, 12 નવેમ્બર, 2025

માનવ સંબંધોનું દિવ્યકરણ : કુટુંબમાં લગ્નનું અને સંબંધોનું દિવ્યકરણ

 

ડૉ. તપન કે ઘોષ[1]

તેમણે કલ્પેલ વિશ્વમાં એકલા હોવાને કારણે જીવનમાં સુખી નહોતા. આપણે કોઈ પણ જ હોઈએ. આપણી આસપાસ, સાથે, કોઈ હોય તેવું આપણે હંમેશાં ઈચ્છતાં રહેતાં હોઈએ છીએ. તેમને પણ એક સાથીની જરૂર હતી. એટલે પોતાનાં શરીરના બે ભાગ કરીને પતિ અને પત્ની બની ગયાં. બેમંથી કોણ એક બીજાં કરતાં વધારે અડીયાતું કે ઉતરતું છે એવો કોઈ પ્રશ્ન જ ન હતો. એક વગર બીજું અધુરૂં છે. બૃહદારણ્યક ઉપનિષદ ( ૧.૪.૩)માં પતિ અને પત્નીનાં કુટુંબની રચનાને આ જ રીતે વર્ણવવામાં આવેલ છે. આદમ ઉંહી ગયેલ હતો ત્યારે ઈશ્વરે તેની પાંસળી તોડીને તેમાંથી ઈવ બનાવી એવી પાશ્ચાત્ય દંતકથા વિશે સ્વામી રંગનાથન બહુ સરસ પ્રશ્ન કરે છે. સ્ત્રી પુરુષની નગણ્ય એવી પાંસળી જ જો હોય તો પશ્ચિમની નારી પુર્ષથી મુક્તિ ક્યારે પામી શકશે?  

પશ્ચિમની નારી પુરુષ સમોવડી નથી જ બની. એટલે જ, ભારતમાં, ખાસ તો પાશ્ચાત્ય અસર હેઠળ બહુ ન આવેલા મધ્યમ વર્ગના પરિવારોમાં, પત્નીઓએ 'બેટર હાલ્ફ' કહેવાની પ્રથા નથી. આ તો ઉતારી પડાયેલ માનસને ખુશ રાખવાનો - એક પરદા પર બીજું આવરણ ચડાવવાનો - પ્રયાસ લાગે છે. સ્વામી વિવેકાનંદ સમાજને આવા થીગડાં જેવા પ્રયસોની સાંકળમાંથી મુક્ત કરવાની વાત કરે છે.

સ્વામી વિવેકાનંદે આ વિષય પર સપ્ટેમ્બર ૧૮૯૪માં  અમેરિકાથી પોતાના દેશવાસીઓને પત્ર લખેલો.  તેમાં તેઓ લખે છેઃ

શાળાનાં પુસ્તકોમાં માને પોતાનાં બાળકને ગાંગામાં મગરને ફેંકી દેતી બતાવેલ છે એ ચિત્રનો શું અર્થ કરવો? મા શ્યામ છે પણ લોકોની સહાનુભૂતિ જીતવા બાળકને ધવલ બતાવાયું છે. વધારે પૈસા મળવવાનો પ્રયાસ જ સમજીશું? દાવમાં મૂકેલી પોતાની પત્નીને પતિ એટલે જીવતી સળગાવી દે છે કે જેથી તે ભૂત બનીને પોતાના વેરીઓને પીડે એવું દર્શાવતાં ચિત્ર માટે શું કહેવું

ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા પોતાના ઉદ્દેશ્યની ખીચડી પકવવાના આવા પ્રયાસોને સ્વામીજીએ તીખા શબ્દોમાં ઉઘાડા પાડવા પ્રયાસ કર્યો છે. જોકે સ્વામી વિવેકાનંદને ન તો કંઈ હિંદુવાદમાં પરિવર્તિત કરવું હતું કે ન તો તો કો 'વાદ'માં માનતા હતા. તેમને પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસના વિચારો અને અપેક્ષાઓને પોતાની રીતે ( પછીથી તે પણ અનેક 'વાદ'નું સ્વરૂપ લેતા ગયા છે તે અલગ વાત છે !) રજૂ કરવા હતાં.

બૃહદારણ્યક ઉપનિષદના સંદર્ભમાં સ્વામીજી શંકરાચાર્યને ટાંકીને કહે છે કે 'ગૃહસ્થે પણ ઉપનિશદનો અભ્યાસ કરવો જોઈએ, જેથી જ્ઞાનનાં રત્નોનો આ ભંડાર વનો અને પર્વર્તોમાં સમાઈ ન રહે. એ મુજબ જો પત્નીને ગૃહસ્થ જીવનનું ગૌણ અંગ ન ગણવામાં આવે તો કુટુંબમાં શાંતિ અને સમજણ બહુ આનંદપૂર્વક પ્રસરી રહી શકે. વ્યવહારિક દૃષ્ટિએ આ વિચારનો અમલ પતિ આમ તો સ્ત્રોનું જ છે એમ માનવાને બદલે તેની પત્નીનાં દરેક કામમાં સ્વૈચ્છિકપણે, પૂરેપુરો, સહયોગ આપવાનું કરે એવાં સાદાં પગલાંઓથી શરૂ થઈ શકે છે.

આમ વૈશ્વિક શક્તિએ પોતાના પુરુષ અને સ્ત્રી એમ બે ભાગ કર્યા. બન્ને ભાગ એકબીજા વગર અધૂરા છે. આ બન્ને વચે જે થોડી જગ્યા રહી જાય છે તે પત્ની ભરે છે. तस्माद अयम् आकाशः स्त्रीया पुर्यता एव; तं संभवात ततो मनुष्या अजायन्त.  संभवात નો નિર્દેશ મિલન અને પુરુષના જન્મ (अजायन्त) સાથે  છે. પુરુષ અને સ્ત્રીનાં સ્થાનનું આ બહુ જ સુંદર અને તાર્કિક વર્ણન છે.

સ્વામી રંગનાથાનંદ સમાનતાના બોધપાઠને આજના સમયમાં બહુદૂરપરિણામગામી ગણે છે. આ બોધને આધારિત વધારે વૈજ્ઞાનિક અને સામાજિક - રાજકીય અભિગમ ધરાવતા ભવિ સમાજનું ઘડતર સમાજમાં નારીનાં સ્થાનની સમગ્ર પરિસ્થિતિને પરિવર્તિત કરનારૂં બનશે.

બેટ્ટી ફ્રાઈડનનાં ૧૯૬૩માં પ્રકાશિત થયેલ પહેલાં પુસ્તક 'ફેમિનાઈન મિસ્ટિક઼' સ્ત્રીને પુરુષનું વિસ્તરણ ગણવા સામે વિદ્રોહ હતો. તે પછી તેમનાં ૧૯૮૧માં લખાયેલાં બીજાં પુસ્તક 'સેકન્ડ સ્ટેજ'માં તેઓ નારીવાદને સમયની માંગ ગણવતાં લખે છેઃ 'આપણે આપણા નારીવાદી રહસ્યમય માનસમાંથી બહાર આવીને આપણા અંગ્ત અને રાજકીય અનુભવનની વાસ્તવિકતા સાથે સમાધાન કરવું જોઈશે અને અને બીજા તબક્કામાં દાખલ થવું જોઈશે.... આ બીજો તબક્કો માત્ર નારીની દૃષ્ટિએ જ ન જોવાવો જોઇએ. તેમાં હવે કુટુંબ, પ્રેમ અમે કાર્ય સાથે નવાં સમીકરણ ગોઠવાય છે તે સમજવાં જોઈશે.

પાશ્ચાત્ય દૃષ્ટિકોણમાં આવેલો આ બદલાવ '૭૦ના દાયકાના પાછલા '૮૦ના દાયકાના આગલા ભાગમાં પૌવાર્ત્ય વિચારસરણીની વધતી જતી અસરને આભારી કહી શકાય.

એ દરમ્યાન વિજ્ઞાને માનવ કોશનું રહસ્ય ઉકેલી કાઢ્યું હતું. દરેક કોશમાં એક નાભિ હોય છે અને નાભિમાં ૪૬ જટીલ આંટીઓ - રંગસૂત્રો - હોય છે.  આ પૈકી બરાબર ૨૩ મા અને ૨૩ પિતા પાસેથી મળે છે. આમ કુદરતમાં જ કયો અર્ધો ભાગ ઊંચે કે કયો નીચો તેવી રચના ક્યારેય હતી જ નહી. સ્વામી રંગનાથાનંદ, તેમ છતાં, બેટ્ટી ફ્રાઈડનના દર્શનને અસાધારણ વિદ્વતા અને વિવેચનાત્મ્ક પ્રમાણિકતા કહે છે.

એટલે જ, નવેમ્બર ૧૮૯૭માં તેમનાં લાહોર ખાતેનાં વ્યક્ત્વ્યમાં  સ્વામી વિવેકાનંદ ભારતીય વિચારધારામાં લગ્નવ્યવસ્થા વિશે કહે છે કે 'આપણી લગ્નવ્યવસ્થા વિશેની વિચારસરણી જ ખરી સભ્યતાને વિકસાવી શકે છે..... પુરુશ કે સ્ત્રીને કોઈ પણ સ્ત્રી કે પુરુષ જોડે, અંગત આનંદ કે સ્વાભાવિક પાશવી વૃત્તિ પ્રેરિત, સંબંધ બાંધવાની છૂટ મળી જાય તો માત્ર દુષ્ટ, દુરાચારી અને ક્રૂર સંતાનોનો સમાજ પરિણમી રહે. આવા સમાજને અંકુશમાં રાખવા માટે બળપ્રયોગની સતત જરૂર  પડ્યા કરવાની. તેઓ આગળ વધતાં કહે છે કે લગ્નવ્યવસ્થાની સમાજનાં દરેક પાસાં અને દરેક સભ્ય પર અસર પડે જ છે. માટે જ કોણે કોની સાથે લગ્ન કરવું એ નક્કી કરવાનો સમાજને હક્ક છે. આ સંદર્ભમાં તેઓ જન્માક્ષર મેળવવાની પ્રથાનો ઉલ્લેખ કરે છે.

જોકે આજે ઘણી પ્રથાઓને અનુસરવું મુશ્કેલ હશે, પણ સિદ્ધાંતોના અમલમાં ત્રુટિ થઈ હોય તેથી સિદ્ધાંતને ત્યજી ન દેવાય. સ્વામી વિવેકાનમ્દ પણ સામાજિક સુધારણાઓ બાબતે સિદ્ધાંતોનાં હાર્દને સમજવા પર જ ભાર મુકતા હતા. તેઓ તેમનાં નવેમ્બર ૧૮૯૭નાં વ્યક્તવ્યમાં જ કહે છે કે પહેલાનાં સમયમાં હતો એટલો આજનો સમાજ ભણેલો નથી, કે નથી આજનાં માબાપ પહેલાનાં સમયનાં માબાપ જેવાં. તેમ છતાં પુરાણોમાં લગ્નવ્યવસ્થાના જે સિદ્ધાંતો જણાવાયા છે તેમને સંદંતરપણે અવગણી ન શકાય. એવી અવગણનાને કારણે જ કલિ યુગ ફુલ્યો ફળ્યો છે.

તેઓ દલીલ કરેછેઃ અમલ ગમે તેટલો ત્રૂટિવાળો હોય, પણ સિદ્ધાંત તો સાર્થક છે; અમલની રીત ખોટી હોય તો તેને સિદ્ધાંતના હાર્દ અનુસાર સુધારીએ અને વધારે અસરકારક બનાવીએ; પણ સિદ્ધાંતનો નાશ  શા માટે કરવો જોઇએ? સિદ્ધાંત તો શાશ્વત છે અને તેનું સમજપૂર્વક પાલન કરવું જોઈએ. સ્વમીવિવેકાનંદે વેદાંતની વાત કરતાં દોઢેક પાનાંનાં વિવેચન દ્વારા સમજાવ્યું છે કે લગ્નવ્યવસ્થાની બાબતે આપણે શું અને કેવી ભુલો કરી છે.

લગ્નવ્યવસ્થા અને કુટુંબનાં દૈવીકરણનું વિચારબીજ અહીં રહેલું છે. ઐતર્ય ઉપનિશદમાં બહુ સુંદર રીતે વર્ણવ્યું છે કે સગર્ભા સ્ત્રીને કેવા પ્રેમ અને સન્માનથી જોવી જોઈએ કેમકે પતિ અને પત્નીનાં ભૌતિક મિલનથી તે એક જીવનને પોતાનાંમાં પાળી રહે છે. એટલે જ ગર્બનો તેને ભાર નથી લાગતો, તે ગર્ભનું પોષણ કરવા માટે તેનું શરીર પોષણક્ષમ બને છે. (૨.૧.૨ - ૩). તેને પીડા નથી થતી કેમકે તેણે બધું પોતાનું ગણ્યું છે ( हिनस्ति) . તે બાળકનું રક્ષણ કરે છે ( भावयित्री - બાળકનું ભાવપૂર્વક જતન) કરે છે એટલે જેનું જતન કરવું જોઈએ (भावयितव्य) તે બની રહે છે. એકબીજાં પરની નિર્ભરતા અને એકબીજા માટેનાં માનનો કેવો આ પ્રબુદ્ધ અને સંતોષપુર્ણ વિચાર છે.

ઉપનિષદોમાં પણ કહેવાયું છે કે પિતા અને પુત્રનો સંબંધ તો મૃત્યુ પછી પણ, પિતાના આગલા ભવના જન્મમાં પણ ચાલુ રહે છે. આ વાત કદાચ વધારે પડતી લાગે ! પરંતુ, ઉપનિષદોમાં લગ્નવ્યવસ્થા અને પતિ - પત્નીના ધર્મનિરપેક્ષ સંબંધોનું દૈવીકરણ ભાષામાં વર્ણાવાયું છે  તેવો વિશ્વમાં બીજે કશે થયો નથી. આમ પણ હિંદુ ધાર્મિક વિચારધારાએ તત્વતઃ સાંપ્રદાયિકતા અને આધ્યાત્મિકતા વચ્ચે કોઈ ભેદ રાખ્યો નથી.

એટલે જ, આપણને સ્ત્રી - પુરુષ વચ્ચે કોઈ વિરોધાભાસ જણાયો નથી કે નથી એક કરતાં બીજું ચડિયાતું એવો ફરક જણાયો. જણાવો અણ ન જોઈએ કે કેમકે એવો કોઈ ફરક છે જ નહી.

માટે જ મૈત્રેયી[2] તેમના મહાજ્ઞાની પતિ ઋષિ યાજ્ઞવલ્ક્યને પુછી શકે છે[3] કે જેનો જવાબ યાજ્ઞ્વલ્ક્ય એક ઋષિ તરીકે નહીં પણ પતિ તરીકે આપ છે કે प्रिया बत अरेणः सती प्रियं भासषे (પ્રિયા, તું મારી [પહેલેથી જ] પ્રેમભાગિની છો અને તું જે કહે છે તે તો મારા હૃદયમાંથી  આવે છે). સ્વામી રંગનાથાનંદ આ આખી રજૂઆતને છેલ્લાં ચાર હજાર વર્ષનું સૌથી વધારે મનોહર નિરૂપણ કહે છે. 

તેમનાં લંડન ખાતે, ઓક્ટોબર ૧૮૯૬નાં વ્યક્ત્વ્ય, God In Everything [4]માં સ્વામી વિવેકાનંદે બહુ સ્પષ્ટપણે કહ્યુ છે તેમ તે બાળકમાં છે, પત્નીમાં છે અને પતિમાં છે.

  • પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી ૨૦૨૫ના (Divinising Human Relationships) શીર્ષસ્થ વિશેષાંક માં Dr. Tapan K Ghosh ના મૂળ અંગ્રેજી લેખ Divinising Marriage and Relationships within Family નો સંકલિત અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ 


[1] ડૉ. તપન કે ઘોષ કલકત્તાની રબિન્દ્ર ભારતી યુનિવર્સિટીના અંગ્રેજીના નિવૃત પ્રોફેસર છે. અમેરિકા અને ઈંગ્લેન્ડનાં સામયિકોમાં તેઓ ટૂંકી વાર્તાઓ લખે છે.

[2] મૈત્રેયી - પ્ર. ઉ. શાસ્ત્રી -  ગુજરાતી વિશ્વકોશ

[4] God In Everything – Swami Vivekanand

શુક્રવાર, 7 નવેમ્બર, 2025

પણ જો ટાળીશું તો......

 

ઉત્પલ વૈશ્નવ

ઘણા સંસ્થાપકો ટૂંકો રસ્તો ખોળતા રહેતા હોય છે :

હકીકત હંમેશાં એક જ રહે છે. 

અર્થપૂર્ણ થવાનો કોઈ ટૂંકો રસ્તો હોતો નથી. 

દરેક સંસ્થાપક મોટી સફળતાનાં સ્વપ્નાં તો જૂએ છે.

પણ ખરી કહાણી હંમેશાં આપણે ધાર્યા કરતાં વધારે દીર્ઘ, વધારે ગૂંચવાડાભરી અને વધારે સમૃદ્ધ હોય છે. 

લાંબો સમય ટકી રહે તેવું ઘડવા માટે ખરો ક્રમ આ પ્રમાણે હોય છે :

સ્ટાર્ટઅપનો આરંભ.

ઝંપલાવો. દુનિયાની સામે તમારો પ્રસ્તાવ રજૂ કરો. પહેલું પગલું હંમેશાં મુશ્કેલ હોય છે. મોટા ભાગના તો શરૂઆત જ નથી કરી શકતા.

સ્ટાર્ટઅપનો સંઘર્ષમય સમય.

અહીં આવીને મોટા ભાગના ખેલ અધૂરો છોડી દે છે. બજાર સાથ ન આપે. ટીમમાં પણ શંકાઓ ડોકાય. રાતની ઊંઘ હરામ થઈ જાય. પરંતુ, આપણામાં કેટલું પાણી છે તે માપવાનો સમય આ જ છે. 

સ્ટાર્ટઅપ સફળ થાય છે

આપણો રાગ લયમાં બેસે છે. ટીમ હવે સશ્ક્ત બનવાલાગે છે. ગ્રાહકોને આપણો રાગ પસંદ પડવા લાગે છે. નિષ્ઠા અને મહેનત હવે ભરોસાનો પાયો સંગીન કરે છે. સફળતા ચપટીમાં નથી મળતી. તે કમાવી પડે છે, કોઈ સામેથી આપી નથી જતું.

સ્ટાર્ટઅપનો ખેલ પૂરો થાય છે. 

રસ્તાનો અંત આવી પહોંચ્યો છે. વેંચી કાઢીને છૂટા થઈએ, કે પછી પાછલી સીટ પર બેસી જાઈએ. લગામ બીજાંને સોંપી દઈએ. ખેલ પૂરો થયો, પણ આપણી ભૂમિકાએ છોડેલી અસર કાયમ છે.

મોટા ભાગના સંસ્થાપકોને સંઘર્ષ ટાળવો હોય છે. 

સંઘર્ષ ટાળવો એટલે તરક્કી ટાળવી.

આરંભ ટાળવો એટલે શમણાંને દીવાસ્વપ્ન બનાવી રોળી નાખવું.

ટીમને ટાળવી, એટલે સફળતા શક્ય બનાવનાર વાતાવરણને વીખરાવી નાખવું.

બહાર જવાનો રસ્તો બંધ ટાળવો, એટલે પોતાનાં કામના અંતને જોવાની તક કાયમ માટે ખોઈ બેસવી.

પીડા ટાળવામાં આનંદ નથી. 

આનંદ સમગ્ર વર્તૂળ પૂરૂં કરવામાં  છે. 

ઘડતર કરી. સંઘર્ષ કરીએ. જીત મેળવીએ. અંત આવવા દઈએ.

અર્થપૂર્ણતા એ રીતે જ કમાવાય છે.

વારસો એ જ રીતે મુકી જવાય.

એટલે, હવે પછી મુશ્કેલીઓ આવી પડે, ત્યારે યાદ રાખીએ:

રસ્તો નથી ભુલાયો. 

જ્યાં હોવું જોઈએ બરાબર ત્યાં જ છીએ.

સંઘર્ષ ટાળવો એ ઉદ્દેશ્ય ન હોઈ શકે. આખું વર્તુળ પુરૂ કરવાનો અનુભવ પામવો એ જ ઉદ્દેશ્ય છે.. આનંદ ત્યાં જ સંતાયો છે. 

     જે પાનખરની શૂષ્કતા અનુભવે તે જ વસંતમાં મ્હોરે


ઉત્પલ વૈશ્નવની લેખમાળા #DhandheKaFunda ના મૂળ લેખ, But if you skip… નો  અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ | ૭ નવેમ્બર ૨૦૨૫