બુધવાર, 27 ઑગસ્ટ, 2025

જ્ઞાનોદયની કથા - દેવદત્ત પટ્ટનાઈક

 


શું તમે બોધિરક્ષિત વિશે સાંભળ્યું છે? તેઓ ભારતીય ઇતિહાસના પ્રથમ 'દસ્તાવેજીકરણ' થયેલા યાત્રાળુ છે. સ્થાનિક શિલાલેખો અનુસાર, તેમણે ઇ. સ. પૂર્વે પહેલી સદી શ્રીલંકાથી આજના પટનાથી ૧૦૦ કિલોમીટર દૂર આવેલા બિહારના બોધગયા સુધી પ્રવાસ કર્યો હતો. અહીં તેમણે તેમણે બોધિવૃક્ષ તરીકે પ્રખ્યાત પીપળાનાં  વૃક્ષને જોયો હતો. આ વૃક્ષ નીચે બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. અલબત્ત, તેમની મુલાકાત દરમિયાન, તેમણે બુદ્ધ, બોધિસત્વોઅને પછીના મહાયાન અને તાંત્રિક બૌદ્ધ ધર્મના ભાગ કહી શકાય એવા યમંતક અને વજ્રવરાહી જેવા ખુંખાર દેવતાઓ અને દેવીઓની મૂર્તિઓથી ભરચક્ક એવાં ૧૮૦ ફૂટ ઊંચા પિરામિડ જેવાં મહાબોધિ મંદિરને જોયું ન હોત કેમકે ઈંટનું આ બાંધકામ ગુપ્તકાળમાં તેમની મુલાકાતના ફક્ત પાંચસો વર્ષ પછી બનાવવામાં આવ્યું હતું.

આજે જ્યારે આપણે બૌદ્ધ પ્રવાસન માર્ગના ભાગ રૂપે બોધગયાની મુલાકાત લઈએ છીએચીન, જાપાન, કોરિયા, થાઈલેન્ડ, યુરોપ અને અમેરિકાના લોકોને ત્યાં જોઈએ છીએ, ત્યારે આપણે ધારી લઈએ છીએ કે ,૫૦૦ વર્ષ પહેલાં, જ્યારે શાક્ય કુળના સિદ્ધાર્થ ગૌતમને અહીં જ્ઞાન પ્રાપ્ત થયું હતું ત્યારથી આ તીર્થસ્થળ હંમેશા અહીં જ છે. પરંતુ એવું નથી. હકીકતમાં ૧૯મી સદીની શરૂઆતમાં, ભારતમાં કોઈને પણ બૌદ્ધ ધર્મ વિશે કોઈ ખ્યાલ નહોતો. બહુ બહુ તો બુદ્ધ નો ઉલ્લેખ કેટલાક પુરાણોમાં વિષ્ણુના અવતાર તરીકે જોવા મળે છે. મહાબોધિ મંદિર અને તેની આસપાસની ભૂમિ ૧૬મી સદીથી એક હિન્દુ મહંતના નિયંત્રણ હેઠળ હતી.

બ્રિટિશ ઇતિહાસકારો અને પુરાતત્વવિદોએ બૌદ્ધ ધર્મની પુનઃશોધમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સર એડવિન આર્નોલ્ડે "લાઇટ ઓફ એશિયા" લખી હતી જેમાં બુદ્ધના જ્ઞાનની કથા કહેવાઈ છે. સર એલેક્ઝાન્ડર કનિંગહામે બોધગયામાં જર્જરિત માળખાઓમાં બૌદ્ધ પરંપરાને ઓળખવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. શ્રીલંકાના અનગરિકા ધર્મપાલે સ્થળને તેના ગૌરવને પુનઃસ્થાપિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે ૧૯મી સદીના અંતમાં બૌદ્ધોન માટે આ સ્થળ પર ફરીથી કબજો મેળવવા માટે કાનૂની પ્રક્રિયા શરૂ કરી. તેમનું અવસાન ૧૯૩૩માં થયું અને ૧૯૪૯માં જ ભારત સરકારે તેને બૌદ્ધ મંદિર તરીકે સ્વીકાર્યું. વર્ષોથી, તેના વહીવટના મામલામાં દાવાઓ અને પ્રતિ-દાવાઓ થઈ રહ્યા છે, કેટલાક હિન્દુઓ દાવો કરે છે કે તે એક હિન્દુ મંદિર પણ છે, જોકે ધીમે ધીમે તેનું સંચાલન ફક્ત ભારતના જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના બૌદ્ધોને સોંપવામાં આવી રહ્યું છે. હવે બોધગયા યુનેસ્કોનું વિશ્વ ધરોહર સ્થળ છે.

બે હજાર પાંચસો વર્ષ પહેલાં, જ્યારે કપિલવસ્તુના શાક્ય કુળના નેપાળી રાજકુમાર સિદ્ધાર્થ આ પ્રદેશમાં આવ્યા ત્યારે તેમણે તેનું વર્ણન આ રીતે કર્યું, "ત્યાં મેં એક સુંદર ગ્રામ્ય વિસ્તાર, એક સુંદર વનરાજિ, એક સ્પષ્ટ વહેતી નદી, એક સુંદર કિલ્લો અને મદદ મળી રહે એવું એક ગામ નજીકમાં જોયું, અને મેં મનમાં વિચાર્યું, 'ખરેખર, આ એક યુવાન માણસ માટે તપ ધ્યાન કરવા માટે સારું સ્થળ છે." નજીકમાં નિરંજના (ફાલ્ગુ) નદીના કિનારે ઉરુવેલા ગામ હતું. પાછળથી આ ગામનું નામ સંબોધિ, મહાબોધિ અને અંતે ૧૮મી સદી સુધીમાં બોધગયા રાખવામાં આવ્યું.

રાજકુમાર દુઃખનું કારણ શોધવા માટે કટિબદ્ધ હતા. તેમણે સુરક્ષિત જીવન જીવ્યું હતું, અને લગ્ન પછી જ તેમને મૃત્યુ, રોગ અને વૃદ્ધાવસ્થાનો સામનો કરવો પડ્યો હતો. તેના આઘાતમાં, તેમણે તેમની પત્ની અને નવજાત પુત્રને ત્યજી દીધો હતો, અને વર્ષો જંગલોમાં ભટકતા રહ્યા હતા, એક સાધક તરીકે અનેક ઋષિઓ અને સંન્યાસીઓને મળ્યા. તેઓ તપસ્વી ગૌતમ તરીકે જાણીતા થયા. તેઓએ તેમને કહ્યું કે ઉપવાસ એ જ્ઞાન મેળવવાનો એક માર્ગ છે. તેથી રાજકુમારે એટલે સુધી ખાવા-પીવાનું બંધ કરી દીધું કે તે ચાલવા માટે પણ તાકાત ગુમાવી બેઠા. તે સમયે સુજાતા નામની એક મહિલાએ તેમને દૂધ અને મધ પીવડાવ્યું, જેનાથી તેમનું સ્વાસ્થ્ય ફરી જીવંત થયું. થોડા દિવસો પછી, પીપળાના ઝાડ નીચે ગહન ધ્યાન કર્યા પછી, જ્ઞાનનો પ્રકાશ થયો. તેઓ અચાનક સાચી સમજમાં 'જાગી ગયા'. તેઓ બુદ્ધ બન્યા હતા.

સ્થાનિક દંતકથા અને મહાબોધિ મંદિરની સ્થાપત્યના આધારે, આપણને એમ કહેવામાં આવે છે કે કેવળજ્ઞાન પ્રાપ્તિ પછી, બુદ્ધ એક અઠવાડિયા સુધી વૃક્ષ નીચે બેઠા હતા. પછી એક અઠવાડિયા સુધી વૃક્ષ સામે આંખ મીંચીને જોતા રહ્યા. પછી તેઓ કમળના ફૂલો ખીલેલા રસ્તે અઢાર વાર ઉપર-નીચે ચાલ્યા. પછી નજીકના વૃક્ષો નીચે જઈને બેઠા. સ્થાનિક ઋષિઓ, પૂજારીઓ અને વેપારીઓને મળ્યા. એ લોકોએ તેમને કંઈને કંઇ ખવડાવ્યું, અને તેઓ શું કહે છે તે સાંભળ્યું. સાતમા અઠવાડિયામાં તે એક તળાવ પાસે બેઠા હતા ત્યારે અને વાવાઝોડા દરમિયાન સર્પોના રાજા વાસુકીએ પોતાની ફેણ દ્વારા તેમનું રક્ષણ કર્યું. આજે આ બધા સ્થળોએ મંદિરો છે.

અશોકે ઇ.સ. પૂર્વે ત્રીજી સદી આ સ્થળની મુલાકાત લીધી હતી અને વજ્રાસન (હીરાનું આસન) સ્થાપિત કર્યું હતું. અશોકનાં એક પત્નીને રાજાના બૌદ્ધ ધર્મ પ્રત્યેના પ્રેમ માટે એટલી ઈર્ષ્યા હતી કે તેણે પવિત્ર વૃક્ષને ઝેર આપી દીધું હતું (અથવા તો કદાચ કાપી નાખ્યું હતું). સદ્‍ભાગ્યે, અશોકની પુત્રી, સંઘમિત્રા, આ વૃક્ષનો એક છોડ શ્રીલંકા લઈ ગઈ હતી અને તેથી તેણે એ છોડ ફરીથી રોપવા માટે અહીં પાછો મોકલ્યો હતો.

આજે, આ વૃક્ષની આસપાસ ઇ. સ. પૂવે ૧૦૦ ની સૂર્યદેવ અને ધનદેવી લક્ષ્મીની મૂર્તિઓ અને  સાથે રેતીના પથ્થરના કઠેરા છે. અહીં નરાશ્વો અને ઉડતા ઘોડાઓની મૂર્તિઓ પણ છે, જે ગ્રીક સ્થાપત્યનો પ્રભાવ સૂચવે છે. ઇ. સ. અને ૩૦૦ બનેલી ગરુડ અને કમળના ફૂલોની મૂર્તિઓની સાથે ગ્રેનાઈટના કઠેરા છે. આ મંદિર લગભગ ૧૫૦૦ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું, જે સમયાંતરે સ્થાનિક રાજાઓ, પછીથી ૧૯મી સદીમાં બર્મી રાજા અને અંતે બ્રિટીશ પુરાતત્વીય સોસાયટી દ્વારા પુનઃસ્થાપિત કરાતું રહ્યું. આજે મંદિરનો ઉપરનો ભાગ પર થાઇલેન્ડના રાજા દ્વારા ઉદાર દાનને કારણે સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યો છે. સદીઓથી જ્યાં જ્યાં બૌદ્ધ ધ્રમ ફેલાયો છે એવા શ્રીલંકા, તિબેટ, કાઝાકિસ્તાન, કંબોડિયા, વિયેતનામ અને ચીનના સાધુઓ અને રાજવીઓ બોધગયાની મુલાકાત લેતા રહ્યા છે. તેમની નોંધ જણાવે છે કે કેવી રીતે મંદિરમાં, આબેહૂબ બુદ્ધ ભગવાન જેવી જ બુદ્ધની મૂર્તિ કોતરવામાં આવી હતી. (હાલમાં સ્થાપિત છબી દસમી સદીની છે અને આ સ્થળ પર બ્રિટિશ પુરાતત્વવિદ્ એલેક્ઝાન્ડર કનિંગહામ દ્વારા મૂકવામાં આવી હતી, જેમણે સ્થળને પુનઃસ્થાપિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી; તેમને ખંડેરમાંથી એ મૂર્તિ મળી હતી).

શ્રીલંકાના રાજાઓએ ચોથી સદીમાં યાત્રાળુઓને રહેવા માટે અહીં એક મઠ બનાવ્યો. પરંતુ તેરમી સદીમાં, મુસ્લિમ લૂંટારાઓ દ્વારા મંદિરને અભડાવવામાં આવ્યું હતું. બંગાળના પાલ રાજાઓ દ્વારા તેને પુનર્જીવિત કરવાના પ્રયાસો છતાં, તે આખરે ભૂલાઈ ગયું. પરંતુ બુદ્ધે કહે છે તેમ, કશું કાયમ માટે ટકતું  નથી. હવે આ પ્રાચીન જીવનશૈલીની સ્મૃતિને નવું જીવન આપવામાં આવીને તેના ભૂતપૂર્વ ગૌરવમાં પુનઃસ્થાપિત કરાયું છે.

  • મુંબઈ મિરરમાં  ૨૪   જુલાઈ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, The story of enlightenment નો અનુવાદ | પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા, હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા

·       અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૨૭ ઓગસ્ટ ૨૦૨૫

બુધવાર, 20 ઑગસ્ટ, 2025

માનવ સંબંધોનું દિવ્યકરણ : આપણા સંબંધોનાં આધ્યાત્મિકીકરણની મૂળભૂત બાબતો સમજીએ

 

પરિવ્રાજિકા શુદ્ધાત્માપ્રાણા[1]

આપણામાં જ ઈશ્વર જોવાની જે મજા માણે છે તેણે બીજામાં ઈશ્વરને જોવાની જરૂર શું ? પરંતુ એ કક્ષાએ પહોંચવું સહેલું ક્યાં છે? એટલે જ સ્વામી વિવેકાનંદ બધામાં ઈશ્વરની સેવા કરવા પર વિશેષ ભાર મૂકે છે. રામકૃષ્ણ પરમહંસ કહેતાઃ બધા માટે અનુકંપા રાખવાની વાત કરવી એ મૂર્ખામી છે. માણ્સ પોતે જ જ્યાં પૃથ્વી પર્નાં જંતુ જેટલો તુચ્છ છે, ત્યાં એ વળી બીજા માટે અનુકંપા દર્શાવવા ક્યાં જશે? અનુકંપા નહીં, બધાની સેવા કરો. દરેકમાં ઈશરને જૂઓ અને એ રીતે બધાની સેવા કરો.'

રામકૃષ્ણ પરમહંસ જ્યારે આ પ્રમાણે કહી રહ્યા હતા ત્યારે વિવેકાનંદ ત્યાં હાજર હતા. ગુરુની આ વાત તેમનાં હૃદયમાં વસી ગઈ. આજે આપણે જોઈએ છીએ તેમ આ વાતનો અમલ સ્વામીજીએ રામકૃષ્ણ પરમહંસના નામના આશ્રમ દ્વારા બધાની સેવા કરવાનો વિચાર રજૂ કરીને કર્યો. 

ભગવાન રામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ બરાબર સમજતા હતા કે માનવ સમાજના પ્રશ્નોના નિરાકરણ માટે તેમ જ પરમેશ્વરને પામવાના માનવ માત્રના ઉદ્દેશ્યને સિદ્ધ કરવ અમાટે લોકોને બતાવવું જરૂરી છે કે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ એમના મનમાં જ છે, બસ ખુલ્લાં મનથી અંદર જોઈ શકવાની જરૂર છે. એ 'પ્રેમ'ને પામવા માટે તેને બધાને મુકતપણે વહેંચવો જરૂરી છે. 

દુનિયાના બધા પ્રશ્નો ઉકેલવાની ચાવી પ્રેમ અને નિઃસ્વાર્થતાના મૂળભુત સિદ્ધાંતોમાં રહેલી છે. આ પ્રેમ આપણે સમજીએ છીએ એવો પ્રેમ નથી, પણ અનંત અને દૈવી છે. આપણી અંદર વસતા ઈશ્વરનું સત્વ જ એ 'પ્રેમ' છે. એ પ્રેમને પામવા માટે આપણા સમગ્ર સ્વાર્થ અને અહંનો ત્યાગ કરવાનો છે. બીજાઓમાં ઈશ્વરને ભજવાની વાતનું આ જ મહત્વ છે. એટલે જ સ્વામીજીએ આ ભક્તિને આધ્યાત્મિક સ્વરૂપ આપ્યું. 

બહુ ઓછાં લોકો હશે જેમને બીજાંની પીડા જોઈને દુઃખ નહીં થતું હોય. એ પીડા અને દુઃખ જ આપણને એકબીજા સાથે જોડતી કડી છે. બીજાને પીડામાં જોઈને આપણને લાચારી પણ અનુભવાય છે. 

આપણે આટલાથી થોડું વધારે પણ કરી શકીએ. બીજા માટે ક્ષણ ભર માટે પણ જે  નકારાત્મ્ક વિચાર, કે લાગણી, આપણા મનમાં આવી જાય તેને સભાનપણે દૂર રાખીએ. આ નકારાત્મ્ક ભાવને મૂળસોતાં કાઢી નાખવા માટે સ્વામી વિવેકાનંદે માનવ્સેવાને આધ્યાત્મિક સાધનાનું સ્વરૂપ આપ્યું. જેમ આપણને આપણામાં દૈવત્વ પામવું છે તેમ બીજામાં પણ દૈવત્વ છે તે સ્વીકારીએ. બધા જ ધર્મો કહે છે કે 'પોતા માટે જે કરો તે જ બીજા માટે પણ કરો.

મૂલભુત વાત સમજવાની છ એતે એ છે કે પોતાના અહંનો ત્યાગ કરો જેથી ઈશ્વરનાં પરમ તત્વને પામી શકાય. બીજામાં ઈશ્વરના પ્રેમને જોઈ શકાય તો આપણા મનમાં રહેલ પરમ તત્વને પામી શકાશે. ઈશ્વરને પામવા હોય તો આપણને બીજા દરેકમાં ઓગાળી દઈએ. 

  • પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી ૨૦૨૫ના (Divinising Human Relationships) શીર્ષસ્થ વિશેષાંક માં Pravrajika Shuddhatmaprana ના મૂળ અંગ્રેજી લેખ Spiritualising Our Relationships: Getting Down to the Basics નો સંકલિત અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ



[1] વેદાન્ત સોસાયટી ઑવ સધર્ન કેલિફોર્નિયાના નિયુક્ત સાધ્વી પ્રવાજિકા શુદ્ધાત્માપ્રાણા રિજ્લી, ન્યુ યોર્કના વિવેકાનનંદ રીટ્રિટમાં સેવાઓ આપે છે.

બુધવાર, 13 ઑગસ્ટ, 2025

અન્ન સત્ય છેઃ દેવતાઓને શું ભોગ શા માટે ધરાવાય છે - દેવદત્ત પટ્ટનાઈક

આપણી સંસ્કૃતિમાં અન્નને આટલું મહત્વ કેમ આપવામાં આવે છે?

યોગ-શાસ્ત્રમાં, આપણા શરીરને અન્નકોશ કહેવામાં આવે છે, એટલે કે અન્નમાંથી બનેલો દેહ. આપણો દેહ માંસ પછી અન્ય પ્રાણીઓ માટે ખોરાક બને છે.

બધા જીવોને તેમના અન્નકોશ માટે અન્નની જરૂર હોય છે. છોડ તત્વો ખાય છે, જેમાં ખાસ કરીને પાંચ મુખ્ય તત્વો, પંચ મહાભૂત, જેમાં સૂર્યપ્રકાશ અને પાણીનો સમાવેશ થાય છે. છોડ, બદલામાં, એવાં પ્રાણીઓનો ખોરાક બને છે, જે પછી અન્ય પ્રાણીઓ દ્વારા ખવાય છે.

માણસ છોડ અને પ્રાણીઓ બંને ખાય છે. ખોરાક અને ખાવાની ક્રિયા જીવન જાળવી રાખે છે; જીવન જીવનને ખાય છે.

ઉપનિષદો ખોરાકને ખૂબ મહત્વ આપે છે. ખોરાક વિના, વિશ્વ અસ્તિત્વમાં રહી શકતું નથી. આપણે આત્મા, અર્થ, ઉચ્ચ બૌદ્ધિક અને આધ્યાત્મિક બાબતોની ચર્ચા કરી શકીએ છીએ, પરંતુ સૌથી વ્યવહારુ સ્તરે, "અન્ન હી સત્ય હૈ" - ખોરાક જ સત્ય છે.

પુરાણોમાં આપણને અસ્તિત્વના અર્થ વિશે યાદ અપાવવા માટે ભાર મૂકવામાં આવ્યો છે. જેમ ભાષાને બ્રહ્મન કહેવામાં આવે છે, તેમ અન્નને પણ બ્રહ્મન કહેવામાં આવે છે. ભગવાન ખોરાકમાં રહે છે; જે ખાય છે તે ભગવાન છે, તમે જે ખાઓ છો તે પણ ભગવાન છે. "ભગવાન જીવન છે અને જીવન ખોરાક છે" એ ખ્યાલ મંત્રો અને અન્ય ગ્રંથોમાં સતત પુનરાવર્તિત થાય છે જેથી આપણે ખોરાકનું મહત્વ ભૂલી ન જઈએ.

દેવોને અર્પણ કરવામાં આવતા ભોગ મોટે ભાગે દૂધ અને ફળ હોય છે. શું તેમનો આ પ્રિય ખોરાક છે કે તેની પાછળ કોઈ બીજું કારણ છે?

તમે આને શાબ્દિક સ્વરૂપે કે રૂપકાત્મક સ્વરૂપે લઈ શકો છો. પૃથ્વીને વસુંધરા તરીકે ઓળખવામાં આવે છે, જે વાસુ અથવા છોડને પકડી રાખે છે. તેથી જો પૃથ્વી ગાય છે, તો છોડ તેનું દૂધ છે. વેદોમાં, દૂધને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે.  દૂધનુનાં એક ઉત્પાદન,ઘી,ને યજ્ઞ દરમિયાન, દેવતાઓની ભૂખ સમાન, અગ્નિને અર્પણ કરવામાં આવે છે.

પંચામૃતમાં  દૂધનાં પાંચ ઉત્પાદનો છે - કાચું અને બાફેલું દૂધ, ઘી, માખણ અને દહીં. ગોરસ, ગૌમૂત્ર, મધ અને ગોળ  એ બધાંને ભેળવીને દેવતાઓને અર્પણ કરવામાં આવે છે. પુરાણોમાં, એવું કહેવામાં આવ્યું છે કે વિષ્ણુ ક્ષીર સાગર, દૂધના સમુદ્ર, પર બિરાજમાન છે.

તેથી, પ્રકૃતિ, કુદરત, દૂધના સમુદ્ર તરીકે જોવામાં આવે છે. કુદરત પાસેથી જે કંઈ મળે છે દૂધ જેવું છે - એવી સમાનતા છે. તેથી જ દેવતાઓને હંમેશા દૂધ ચઢાવવામાં આવે છે.

ફળ કાચાં કે પાકેલાં હોઈ શકે છે. બધા ફળોનો સ્વાદ અલગ અલગ હોય છે, અને ફળના પ્રકાર મુજબ દેવતાઓને ચઢાવવામાં આવે છે. દેવીઓને ખાટા અને મસાલેદાર ફળો આપવામાં આવે છે. લક્ષ્મીને આમળા, લીંબુ અને મરચાં ચઢાવવામાં આવે છે. વિષ્ણુને મીઠા ફળો આપવામાં આવે છે. શિવને સૂકા ફળો આપવામાં આવે છે કારણ કે તે ઠંડા વાતાવરણમાં જોવા મળે છે, અથવા તો પછી, કારણકે ઋષિઓ એ ફળોને તેમની સાથે સફર કરતી વખતે લઈ ગયા હતા.

શિવ અને વિષ્ણુના પ્રિય ખોરાક કયા છે?

તેને જોવાની એક રીત એ છે કે શિવ એક એવા વૈરાગી છે, એક એવા  તપસ્વી જે ગૃહસ્થ જીવનથી દૂર રહેવા માગે છે, જ્યારે વિષ્ણુ, રામ અથવા કૃષ્ણના રૂપમાં, ગૃહસ્થ જીવન જીવે છે. તેથી શિવને કાચું, પ્રક્રિયા ન કરેલું દૂધ અને વિષ્ણુ, માખણ અને ઘી જેવા પ્રક્રિયા કરેલાં દૂધના ઉત્પાદનો ચઢાવવામાં આવે છે.

શિવ જે કંઈ ઉપલબ્ધ હોય તેનાથી સંતુષ્ટ છે. પરંતુ વિષ્ણુ ગૃહસ્થ હોવાથી, તેમના પ્રસાદ માટે ખાસ તૈયારીની જરૂર પડે છે; તેમને ઉત્પાદિત ઉત્પાદનોની જરૂર છે. દૂધમાંથી માખણ કાઢવા માટે, તમારે ઘણું કામ કરવું પડશે, નહીં તો ધાર્યું પરિણામ જોવા મળશે નહીં. શ્રમ, શ્રમને ઘણું મહત્વ આપવામાં આવે છે. તેથી, સામાન્ય રીતે, વિષ્ણુને રાંધેલું ભોજન આપવામાં આવે છે.

દિવાળીની આસપાસ અન્નકૂટ ઉત્સવ દરમિયાન, કૃષ્ણને એક પહાડ જેટલો, છપ્પન ભોગ, અથવા છપ્પન વ્યંજનો ચઢાવવામાં આવે છે - કારણ કે ખોરાક ગૃહસ્થ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ ભોજન ભગવાનની જીવનશૈલી સાથે મેળ ખાય છે.

શું ફક્ત દેવતાઓ જ ભોગ પસંદ કરે છે; શું દેવીઓને તે ગમતું નથી?

દેવીઓ માટે, પરંપરાગત રીતે, બકરા, ભેંસ, પક્ષીઓનાં રક્ત બલિદાન આપવામાં આવતું હતું. આજકાલ તે પ્રાણીઓની સુરક્ષાને લગતા અધિકારોને કારણે હવે બહુ ચલણમાં નથી. દેવી રક્તવિલાસિની છે, જે રક્તને પ્રેમ કરે છે.

આપણે તેને શાબ્દિક રીતે લઈ શકીએ છીએ, પરંતુ તેનું એક રૂપકાત્મક પાસું પણ છે. ભૂદેવી, પૃથ્વી દેવી,ને એક ગાય માનવામાં આવે છે જેનું દૂધ બધાને પોષે છે. પરંતુ ભૂદેવી પોતાને કેવી રીતે પોષશે? ગૌરીના રૂપમાં, તે દૂધ આપે છે, અને કાલીના રૂપમાં, તે રક્ત પીવે છે - જાણે કે. જીવન ચક્રના વિચાર પર ભાર મૂકવા માટે આ રૂપક સર્જવામાં આવ્યું છે.  જ્યારે પણ તમે કંઈક ખાઓ છો, ત્યારે તમે કંઈક હત્યા કરી છે, કોઈએ ને કોઈએ ત્તો બલિના રૂપે કંઈક બલિદાન આપ્યું છે.

વનસ્પતિજન્ય ખોરાક એવા ખેતરોમાંથી આવે છે જે જંગલોનો, પર્વતો અને નદીઓનો નાશ કરીને, અસંખ્ય પ્રાણીઓને મારી નાખ્યા પછી બનાવવામાં આવ્યા હતા. દેવી હંમેશા તમને યાદ અપાવે છે કે તમારી સભ્યતા, સંસ્કૃતિ બનાવવા માટે, તમે પ્રકૃતિનો નાશ કરો છો. અને તેથી તે રક્ત માંગે છે, નરબલી પણ માગે છે.

ભાગવત પુરાણમાં, ભૂદેવી વિષ્ણુને કહે છે કે લોકો તેને પરેશાન કરી રહ્યા છે અને તેઓ લોકોનું લોહી પીવા માંગે છે. હકીકતમાં, રામાયણ અને મહાભારતમાં યુદ્ધો પાછળનું ગુપ્ત કારણ એ છે કે ભૂદેવી તરસ્યાં થયાં હતાં. અધર્મ, અનૈતિકતા ખૂબ વધી ગઈ હતી, અને માણસે ભૂદેવીનું ભયંકર શોષણ કર્યું છે, અને તેથી હવે દેવી બદલામાં લોહી માંગે છે. તેથી, રામ અને કૃષ્ણના રૂપમાં, વિષ્ણુ યુદ્ધો કરાવે છે. આ એક પ્રકારની નરબલી છે.

મહાભારતમાં એક કથા છે જેમાં અર્જુન અને ભીમ યુદ્ધ દરમિયાન કોણે વધુ પરાક્રમ બતાવ્યું તે અંગે ઝઘડો કરી રહ્યા છે. તેમને કહેવામાં આવે છે કે પર્વતની ટોચ પર એક મસ્તકછે જે તેમને જવાબ આપી શકે છે કારણ કે તેણે ત્યાંથી આખું યુદ્ધ જોયું હતું. કેટલાક કહે છે કે માથાનું નામ બાર્બરિકા હતું, અન્ય કેટલાંક કહે છે તે અરવન છે. શિખરની ટૉચ પડેલાં મસ્તકે કહ્યું, “"હું કોઈ કૌરવ, પાંડવ કે મહાન યોદ્ધાને જાણુતી નથી. મેં ફક્ત ભૂદેવીને કાલીના રૂપમાં જોઈ, જે વિષ્ણુના સુદર્શન ચક્ર દ્વારા બધા યોદ્ધાઓનો નાશ કરતી હતી."

ધનની દેવી લક્ષ્મીને એક બહેન છે, અલક્ષ્મી, જે ઝઘડાઓની દેવી છે - બંને ઘરમાં એકસાથે પ્રવેશ કરી શકે છે. મુંબઈમાં, અલક્ષ્મીને તર્પણ તરીકે ઉંબરા ઉપર લીંબુ અને સાત મરચાં લટકાવવાનો રિવાજ છે, જેથી તે તેનો સ્વાદ માણી શકે અને ઘરની બહાર રહી શકે. ઘરની અંદર, લક્ષ્મીને આમંત્રણ આપવા માટે મીઠાઈનો ભોગ ચઢાવવામાં આવે છે.

શું રામાયણ કે મહાભારતમાં ભોગ વિશે કોઈ ચોક્કસ કથા છે?

અયોધ્યામાં, સીતાના રસોડા તરીકે ઓળખાતું એક સ્થળ છે. સીતા ખૂબ સારાં રસોઈયણ હતાં. દ્રૌપદી તેની ઉદારતા માટે પ્રખ્યાત હતી. કોઈ પણ તેના રસોડામાંથી ભૂખ્યું જતું નહોતું. મહેલમાંથી દેશનિકાલ થયા પછી, જંગલમાં તેમના રોકાણ દરમિયાન, પાંડવો પાસે કંઈ નહોતું. દ્રૌપદીને ખરાબ લાગે છે કે તે તેના દરવાજા પર આવનાર કોઈપણને ખવડાવી શકશે નહીં.

દ્રૌપદીની મશ્કરી કરવા સારૂ દુર્યોધન દુર્વાસા અને કેટલાક અન્ય ઋષિઓને દ્રૌપદી પાસે મોકલે છે. ઋષિઓ દ્રૌપદી પાસે  જમવાનું માગે છે. તેમના માટે ભોજન તિયાર થાય એટલી વારમાં દ્રૌપદી તેમને નદીમાં સ્નાન કરવા માટે વિનંતી કરે છે. ઋષિઓના ગયા પછી, દ્રૌપદી અંદર જાય છે અને નિરાશામાં રડવા લાગે છે.

તે પછી કૃષ્ણ આવે છે. કૃષ્ણ કહે છે કે  હાંડલામાં કંઈક તો હોવું જોઈએ જે તે ઋષિઓને આપી શકે. નિરાશ થઈને, દ્રૌપદી તેને ખાલી વાસણો બતાવે છે, કહે છે કે તેના પતિઓને ખવડાવ્યું હતું અને પછી જે થોડું બચ્યું હતું તે પોતે ખાઈ લીધું હતું. કૃષ્ણ હાંડલામાં ચોંટેલો ચોખાનો એક દાણો ખોળી કાઢે છે અને ખાય છે. કૃષ્ણ તૃપ્ત થાય છે અને પરિણામે, ઋષિઓ પણ તૃપ્ત થાય છે. ઋષિઓને લાગે છે કે જો દ્રૌપદી જે કંઈ પણ આપે છે તે એ લોકો નહીં ખાય તો દ્રૌપદીનો અનાદર થયો ગણાશે, તેથી તેઓ ઉતાવળમાં બહાર નીકળી જાય છે. આ રીતે કૃષ્ણ દ્રૌપદીના ગૌરવનું રક્ષણ કરે છે.

જોકે, કૃષ્ણ દ્રૌપદીને  તેની સમસ્યાના ઉકેલ માટે સૂર્યદેવને પ્રાર્થના કરવાનું કહે છે. દ્રૌપદી પ્રાર્થના કરે છે. સૂર્ય તેને થાળી  આપે છે. તેના પરથી "દ્રૌપદી કી થાળી" શબ્દપ્રયોગ કરવામાં આવે છે. દ્રૌપદી કી થાળી "માતાજી કા ભંડાર" ની વિભાવના જેવું જ છે, જેનો અર્થ છે કે રસોડામાં હંમેશા ખોરાક રહેશે. દરરોજ, દ્રૌપદી ભરપેટ જમી લે ત્યાં સુધી થાળી ભરેલી રહેતી. તે સેંકડો લોકોને ખવડાવતી અને ખાવામાં સૌથી છેલ્લી રહેતી. પરંતુ એકવાર તે ખાધા પછી, બીજા દિવસ સુધી કોઈ ખોરાક રહેતો નહીં.

આ કથાઓમાં, કોઈ પુરુષ રસોઈયા નથી. તે કેવી રીતે શક્ય છે?

મહાભારતમાં આવા સંદર્ભો છે. નળ એક શક્તિશાળી, સુંદર અને શ્રીમંત રાજા છે, જેના લગ્ન સુંદર દમયંતી સાથે થયા હતા, અને તેમનું જીવન સારી રીતે ચાલે છે. પાછળથી, કમનસીબ સંજોગોને કારણે, તેઓ એટલા ગરીબ થઈ જાય છે કે નળને બીજા રાજાનો નોકર બનવું પડે છે, અને એ રાજા માટે રસોઈ બનાવવી પડે છે.

આ કથા કેરળમાં વધુ પ્રખ્યાત છે. મલયાલમ મહાભારત અનુસાર, વિશ્વનો સૌથી મહાન રસોઈયો નળ છે. અત્યારે પણ, જ્યારે તમને કોઈ સારો પુરુષ રસોઈયો મળે છે, ત્યારે તેની તુલના નળ સાથે કરવામાં આવે છે.

મેં સાંભળ્યું છે કે લોકો દેવતાઓને પાન ચઢાવે છે. એવું શા માટે?

પાન અને સોપારી, એક ભારતીય પરંપરા છે. ભોજનના અંતે, તમે પાન - સોપારી ખાઓ છો. સોપારી દર્શાવે છે કે તમારા જીવનમાં બધું સારું છે, અને તમે સમૃદ્ધ અને સંતુષ્ટ છો. તે સુખી ગૃહસ્થ જીવનનો એક સંકેત છે. આ ફક્ત પરિણીત દેવતાઓને જ અર્પણ કરવામાં આવે છે, શિવને ક્યારેય નથી ધરાવાતું.

કેટલીક મૂર્તિઓમાં, લક્ષ્મી વિષ્ણુને પાન અર્પણ કરે છે. તે આરામ, આનંદ અને વૈભવ, સફળતા અને સુખનું પ્રતીક છે. આપણે આ બધું આપણા જીવનમાં ઇચ્છીએ છીએ.

શ્રીફળ શું છે?

શ્રી લક્ષ્મી છે, ફળ ફળ છે. શ્રીફળ એક એવું ફળ છે જે તમને આખું વર્ષ, સરળતાથી ઉપલબ્ધ હોય છે. તે પોતાની મેળે ઉત્પન્ન થાય છે, અને તેને નારિયેળ કે કેળ જેટલી વધુ મહેનતની જરૂર નથી. આ હંમેશા પૂજાની થાળીમાં રાખવામાં આવે છે. તે માત્ર પૌષ્ટિક જ નથી, પરંતુ તે અનંત સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતીક પણ છે.

ક્યારેક ચોખાને શ્રીફળ પણ કહેવામાં આવે છે. પૂજા માટે કળશ, વાસણ નીચે, તમે ચોખા ફેલાવો છો, અને કળશના મુખ પર નારિયેળ મૂકવામાં આવે છે. આ લક્ષ્મીના સંકેતો છે. તે વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, અને જ્યાં પણ હશે ત્યાં સમૃદ્ધિ હશે.

  • સ્ક્રોલ.ઈનમાં ૧૯   જુલાઈ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Food is truth: What the Hindu gods are given to eat and whyનો અનુવાદ | પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ‖ ૧૩ ઓગસ્ટ ૨૦૨૫

શુક્રવાર, 8 ઑગસ્ટ, 2025

ધીમે ધીમે થતા ફેરફારોની અસર મોડેથી સમજાય છે

તન્મય વોરા


આજની ઝડપથી બદલતી જતી દુનિયામાં  જે બાબતો તાકીદની, કે તત્કાળ ધ્યાન આપવી પડે કે અચાનક્બનતી હોય છે તેના તરફ આપણું ધ્યાન વધારે જતું હોય છે. ધીમે ધીમે થતી ઘટનાઓને આપણાં રડારનાં ધ્યાન પર લાવવાનું ભૂલી જઈએ છીએ.

એકાદ વાર, થોડુંક કંઈ ખાવાથી, સામાન્યતઃ, નુકસાન નથી થતું. પરંતુ લાંબા સમય સુધી આવી ઘણી બધી વસ્તુઓ ખાવાથી સ્વાસ્થ્ય અંગેની સમસ્યા થવાની શક્યતા અનેકગણી વધી જાય છે. ખોટી રીતે થઈ ગયેલી એકાદ વાતની સંબંધ પર કોઈ સીધી અસર, કદાચ, નહી થાય. થાય તો મોટા ભાગે સુધારી લઈ પણ શકાય.  પરંતુ વારંવાર થતી આવી દરેક વાતચીત આપણી વિશ્વાસપાત્રતાને મરણતોલ નુકસાન કરી શકે છે. તેના છેદા એવા તબક્કા સુધી પ્રસરે છે કે જ્યાં સંબંધ, મોટા ભાગે કાયમ માટે, કપાઈ જઈ શકે છે 

કોઈ પણ સંસ્થાના સંદર્ભમાં, આવી પરિસ્થિતિઓ વધુ જટિલ બની જાય છે. જોએ સંસ્થામાં ભેડચાલવાળું વાતાવરણ હોય તો પરિસ્થિતિ ઘણી ઊંડે સુધી પ્રસરી શકે છે. એક વારજે અલગ અપગ પેટા-વમળ સર્જાયાં હોય તે એકબીજાંને તેમજ સમગ્ર વ્યવસ્થાને અસર કર્યા કરે છે. છ્ટી છવાઈ જણાતી એક વ્યૂહાત્મક નિષ્ફળતાની અસર ટૂંકા ગાળામાં દેખાતી નથી પરંતુ લાંબા ગાળે ઘાતક સાબિત થઈ શકે છે.

સારા સમાચાર છે કે: રજૂઆતથી વિપરીત પણ સાચું છે. કોઈપણ મોટી સફળતા, લગભગ હંમેશા, ઘણી નાની વસ્તુઓને યોગ્ય રીતે કરવામાંથી પરિણમતી હોય છે. કારકિર્દી એક એક સમયે મળતી એકે એક કારકિર્દીનની ઊંચી ઈમારતના પાયાને ઘડે છે. આમનેસામને અપેક્ષા મુજબ થતાં નાનાં નાનાં કામો વિશ્વાસપાત્રતાને ગાઢી બનાવે છે. અલગ અલગ સમયે થતા અલગ અલગ અનુભવ  બોધપાઠનું મોટું ભાથું બની રહે છે. દરેક સંવાદ ટીમને તેની સફળતાની ઊંચાઇનાં એક કદમે આગળ ધપાવે છે. ધીમે ધીમે થતા ફેરફારો ક્રમાનુસાર થતા થતા ખૂબ શક્તિશાળી પરિવર્તનમાં ફેરવાઈ જાય છે.

આપણે શા માટે ધીમે ધીમે થતી બાબતોને ધ્યાનમાં લેવામાં નિષ્ફળ જઈએ છીએ? કારણ કે આપણે તાત્કાલિક પ્રતિક્રિયા આપવામાં ખૂબ ઉલટભેર પ્રતિકિયા આપીએ છીએ. વિચાર કરવાની રાહ જોવાની ધીરજ રાખ્યા વિના કાર્ય કરવું આપ્ણા માટે વધુ મહત્વનું છે. કારણ કે જે પ્રણાલીઓને નજરની સામે જીવંત જણાય છે તેની આડમાં તંત્ર વ્યવસ્થા વિચારસરણી ઢંકાઈ જાય છે. આપણે અલગ અલગ ઘટકો પર કામ કરીએ ત્યારે સમગ્ર તંત વ્યવસ્થાનું ચિત્ર આપણી નજરના કેન્દ્રમાંથી ખસી જતું હોય છે.

અહીં મને ઉકળતા પાણીમાં પડેલા દેડકાના રૂપકની યાદ આવે છે.

તસવીર સૌજન્યઃ ચૌલા વોરા, લાલ આંખાળો દેડકો, કોસ્ટા રિકા

દેડકાને ઉકળતા પાણીમાં મૂકવામાં આવે ત્યારેજો પાણી ગરમ હોય છે તો તે તરત કૂદી પડે છે. જો કે, જો તેને ખૂબ ધીમે ધીમે ગરમ થતા ઠંડા પાણીમાં મૂકવામાં આવે છે, તો દેડકો વધતા જતા ભયને સમજી શકતો નથી અને ગરમીનો આનંદ માણે છે. વધતાં વધતાં જેમ જેમ ગરમી અસહ્ય ક્ક્ષામાં ફેરવાય છે, ત્યારે તે કુદકો મારી બહાર નીકળી આવવા માટે અસમર્થ બની જાય છે. આખરે, તે ઉકળી ઉકળીને મૃત્યુ પામે છે.

અગ્રણીઓ અને સંચાલન વ્યાવસાયિકો તરીકે, તંત્ર વ્યવસ્થામાં ધીમા અને સૂક્ષ્મ ફેરફારોને ધ્યાનમાં લેવાની આપણી ક્ષમતા એટલી મહત્વપૂર્ણ છે જેટલી તાત્કાલિક અને અચાનક ફેરફારોનો પ્રતિભાવ આપવાનું આપણું સામર્થ્ય મહત્વનું છે.

અર્નેસ્ટ હેમિંગ્વેની નવલકથા " સન ઓલ્સો રાઇઝીસ[1]" માં, મુખ્ય પાત્રોમાંના એક માઇક કેમ્પબેલને પૂછવામાં આવ્યું છે, "તમે કેવી રીતે નાદાર થયા?". માઇકે જવાબ આપ્યો, "ધીમે ધીમે... અને પછી અચાનક."

સ્ત્રોત સંદર્ભ:: Change: The Power of Gradual

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ



[1] "The Sun Also Rises" by Ernest Hemingway