બુધવાર, 17 એપ્રિલ, 2024

મારી દૃષ્ટિએ (૧૯૪૩ - ૧૯૪૪) : ભાગ ૧ - જ્યોર્જ ઑર્વેલ [૪]

 જ્યોર્જ ઑર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1943 – 1944) : Part Iના આંશિક અનુવાદ  મારી દૃષ્ટિએ (૧૯૪૩ - ૧૯૪૪) : ભાગ ૧ ના અંશ (૩)થી આગળ

ટ્રિબ્યુન૧૯૪૪ 

૫ મે, ૧૯૪૪



જે કોઈને ભર પેટ હસવાનું જોઈતું હોય તો તેમના માટે હું એક પુસ્તકની ભલામણ કરું છું જે લગભગ એક ડઝન વર્ષ પહેલાં પ્રકાશિત થયું હતું. જોકે મારા હાથમાં તો તે તાજેતરમાં જ આવ્યું છે. એ પુસ્તક છે આઈ. એ. રિચાર્ડ્સનું પ્રેક્ટિકલ ક્રિટિસિઝમ..

મોટાભાગે સાહિત્યિક વિવેચનના સામાન્ય સિદ્ધાંતો સાથે સંબંધિત હોવા છતાં, તે એક એવા પ્રયોગનું પણ વર્ણન કરે છે જે મિસ્ટર રિચાર્ડ્સે કેમ્બ્રિજ ખાતેના તેમના અંગ્રેજી વિદ્યાર્થીઓ સાથે, અથવા કદાચ એમ કહેવું જોઈએ કે વિદ્યાર્થીઓ પર, કર્યો હતો   વાસ્તવમાં માત્ર વિદ્યાર્થીઓએ જ નહીં પણ  જેમને અંગ્રેજી સાહિત્યમાં રસ ધરાવતા હોવાનું માની શકીએ એવા વિવિધ સ્વયંસેવકોએ પણ આ પ્રયોગમાં  ભાગ લીધો. તેઓને તેર કવિતાઓ આપવામાં કરવામાં આવી હતી, અને તેઓને આ કવિતાઓનાં વિવેચન કરવા માટે કહેવામાં આવ્યું હતું. કવિતાઓના લેખક જાહેર કરવામાં આવ્યા ન હતા. કોઈ પણ સરેરાશ વાચક એ કવિતા વાંચીને એ લેખકને ઓળખી જાય તેટલા તેમાંના કોઈ લેખક જાણીતા પણ નહોતા.  આમ, એવા સાહિત્યિક વિવેચનના નમૂનાઓ મળે છે, જે સામાન્ય રીતે કવિનું નામ વગેરે બાબતોથી પ્રભાવિત થઈને મળતું એ રચનાનું મૂલ્યાંકન ન હોય.

આ પ્રયોગ કરવા માટે કોઈ ખૂબ ચઢિયાતું હોવું જોઈએ નહીં. તેમ હોવું જરૂરી પણ નથી, કારણ કે પુસ્તક એ રીતે  ગોઠવાયેલ છે કે તમે તમારા પર પ્રયોગ કરી શકો છો. સહી કર્યા વિનાની, બધી કવિતાઓ પુસ્તકના અંતમાં એક સાથે છે. લેખકોના નામ વાળી કાઢેલ પાના પર છે જેને તમારે કવિતાઓ વાંચી લીધા  સુધી જોવાની જરૂર નથી. કવિતાઓ વાંચતાંવેંત હું બોલી ઊઠ્યો કે મેં ફક્ત બે જ લેખકોને ઓળખી કાઢ્યા છે, જેમાંથી એકને તો હું પહેલેથી જ જાણતો હતો. જો કે હું બીજી કવિતાઓને અમુક દાયકાઓ સુધી અમુક સીમામાંના  સમયકાળમાં મુકી શકવાથી આગળ નહોતો પણ વધી શક્યો. મેં બે સરખા બફાટ પણ કર્યા. એક કિસ્સામાં શેલીએ લખેલી કવિતાને ઓગણીસ-વીસના દાયકાની જાહેર કરી  દીધી. પરંતુ તેમ છતાં, ડૉ. રિચર્ડ્સ દ્વારા નોંધવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ ચોંકાવનારી છે. તેઓ એ દર્શાવવા જાય છે કે ઘણા લોકો કે જેઓ પોતાને કવિતાના પ્રેમીઓ તરીકે વર્ણવે છે તેઓને, જેમ એક કૂતરાને અંકગણિત વિશે કંઈ સમજણ ન હોય તેમ,  સારી કવિતા અને ખરાબ કવિતા વચ્ચે તફાવત કરવાની સમજણ નથી હોતી.

ઉદાહરણ તરીકે, આલ્ફ્રેડ નોયેસ દ્વારા બનાવેલ સંપૂર્ણપણે બનાવટી આડંબરનો ટુકડો ખૂબ વખાણ મેળવે છે. એક વિવેચક તેની સરખામણી કીટ્સ સાથે કરે છે. 'વુડબાઇન વિલી' દ્વારા રફ રાઇમ્સ ઑફ અ પૅડ્રેનું એક લાગણીસભર લોકગીત પણ ખૂબ સારી વાહ વાહ મેળવે છે. બીજી બાજુ, જ્હોન ડોન દ્વારા એક ભવ્ય સૉનેટને એક અલગ જ પ્રકારનો ઠંડો આવકાર મળે છે. ડૉ. રિચાર્ડ્સ માત્ર ત્રણ અનુકૂળ ટીકાઓ અને લગભગ એક ડઝન ઠંડી અથવા પ્રતિકૂળ ટીકાઓની નોંધ લે છે. એક લેખક તિરસ્કારપૂર્વક કહે છે કે કવિતા 'સારું ભજન નીવડી શકે', જ્યારે એક અન્ય ટિપ્પણીમાં કહેવાયું છે કે, 'મને અણગમા સિવાય બીજી કોઈ પ્રતિક્રિયા દેખાતી નથી.' ડોન્ને એ સમયે તેમની પ્રતિષ્ઠાની ટોચ પર હતા અને બેશક આ પ્રયોગમાં ભાગ લેનારાઓ તેમનું નામ સાંભળીણે ભોંઠા પડ્યા હશે.  ડી.એચ. લોરેન્સની કવિતાધ પિયાનોની બહુ  હાંસી ઉડી છે, જોકે એક નાની લઘુમતી દ્વારા એ કાવ્યને વખાણવામાં પણ આવેલ છે. તો ગેરાર્ડ મેનલી હોપકિન્સની એક ટૂંકી કવિતા સાથે પણ એવું જ થયું છે.  એક લેખક તેનેમેં વાંચેલી સૌથી ખરાબ કવિતાજાહેર કરે છે  , જ્યારે બીજાની ટીકા ફક્તસુષ્ઠુ-સુષ્ઠુછે.

જો કે, આ યુવા વિદ્યાર્થીઓને તેમના ખરાબ નિર્ણય માટે દોષિત ઠેરવતા પહેલા, એ યાદ રાખવું જોઈએ કે જ્યારે થોડા સમય પહેલા કોઈએ અઢારમી સદીની ડાયરીની ખૂબ જ અવિશ્વસનીય નકલ પ્રકાશિત કરી હતી, ત્યારે, હાઉસ ઓફ લોર્ડ્સના ગ્રંથપાલ, વૃદ્ધ વિવેચક, સર એડમન્ડ ગોસે તરત જ તેની તરફેણમાં આવી ગયા હતા. જોકે એ કઈ 'શાખા'નો છે એ ભુલાઈ ગયું છે પણ પેરિસના કલા વિવેચકોનો પણ એક કિસ્સો હતો, જેમાં એવાં એક ચિત્ર પર એ વિવેચકો ઓળઘોળ થઈ ગયા હતા હતો જે પછીથી ગધેડાની પૂંછડી સાથે પેઇન્ટ-બ્રશ બાંધીને  દોરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

'આપણે આપણને બચાવતા પક્ષીઓનો નાશ કરી રહ્યા છીએ' શીર્ષક હેઠળ, ન્યૂઝ ક્રોનિકલ નોંધે છે કે 'લાભકારી પક્ષીઓને માનવ અજ્ઞાનથી નુકસાન થાય છે. કેસ્ટ્રેલ (એક જાતનું નાનું બાજ પક્ષી) અને ખળાંનાં ઘુવડની અર્થવિહિન સતાવણી થાય છે. પક્ષીઓની કોઈ બે પ્રજાતિ આપણા માટે વધુ આનાથી સારું કામ કરી શકતી નથી.

કમનસીબે આવું અજ્ઞાન માત્રથી પણ નથી થઈ રહ્યું. ઇંગ્લેન્ડના દુશ્મન, તેતર,ની ખાતર મોટાભાગના શિકારી પક્ષીઓને મારી નાખવામાં આવે છે. પેટ્રિજથી વિપરીત, તેતર ઇંગ્લેન્ડમાં મોટે પાયે ફાળતું ફૂલતું  નથી, અને તેમ છતાં ઉપેક્ષિત જંગલો અને તેના માટે જવાબદાર એવા અધમ ગેરકાનુની કાયદાઓ ઉપરાંત, તેના ઇંડા અથવા બચ્ચાઓને ખાઈ જવાની શંકા ધરાવતા તમામ પક્ષીઓ અથવા પ્રાણીઓનો વ્યવસ્થિત રીતે નાશ કરવામાં આવે છે. યુદ્ધ પહેલાં, હર્ટફોર્ડશાયરમાં મારા ગામની નજીક, હું વાડના પટમાંથી પસાર થતો હતો જ્યાં પક્ષીઓનો રખેવાળ તેનાં ખાદ્ય પક્ષીઓનો 'કોઠારરાખતો હતો.  સ્ટોટ્સ (નોળિયાની જાતનું એક રુંવાટીવાળું પ્રાણી ખાસ કરીને અર્મિન પ્રાણી), વીઝલ (નોળિયાને મળતું એક નાનું પાતળું ચપળ માંસાહારી પ્રાણી), ઉંદરો, શાહુડી, જે (રંગબેરંગી પીંછાવાળું નિલકંઠ જેવું પંખી), ઘુવડ, કેસ્ટ્રેલ અને સ્પેરો-હોક્સ (નાનું બાજ પક્ષી)ના મૃતદેહો વાયર પરથી લટકતા. ઉંદરો અને કદાચ જે સિવાય, આ તમામ પ્રાણીઓ ખેતી માટે ફાયદાકારક છે. સ્ટૉટ્સ સસલાને નિયંત્રણમાં રાખે છે, શાહુડી છછુંદર ખાય છે, અને તે જ રીતે કેસ્ટ્રલ અને સ્પેરો-હોક્સ પણ છછુંદર ખાય  છે, જ્યારે ઘુવડ તો વધારામાં ઉડર પણ ખાય છે. એવી ગણતરી કરવામાં આવી છે કે એક ખળાંનું ઘુવડ એક વર્ષમાં ૧,૦૦૦ થી ૨,૦૦૦ ઉંદરો અને છછુંદરોનો નાશ કરે છે.  જેને રુડયાર્ડ કિપલિંગે યોગ્યપણે જ જેનેઘણા પરગણાંઓના સ્વામીતરીકે વર્ણવ્યું છે એવાં નકામાં પક્ષી માટે કરીને તેને ખાતર ખળાંના ઘુવડને મારી નાખવું પડશે.

+                 +                      +                      +

Orwell in Tribune, As I Please and Other Writings 1943-1947" – Paul Anderson - The Orwell Society


જાણીતા પત્રકાર અને વ્યાખ્યાતા, પૉલ એન્ડર્સન, 'ટ્રિબ્યુન' સાથે તંત્રી સહિતની વિવિધ ભુમિકાઓમાં ૧૯૮૬થી ૨૦૧૪ સુધી સંકળાયેલ હતા. 

૧૧ ડિસેમ્બર, ૧૯૨૨ના રોજ તેમણે ઑર્વેલ સોસાયટીના ઉપક્રમે આપેલ પ્રસ્તુત વ્યાખ્યાન તેમનાં પુસ્તક, Orwell in Tribune, As I Please and Other Writings 1943-1947, ના સંદર્ભમાં છે.


+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1943 – 1944) : Part Iનો આંશિક અનુવાદ 

બુધવાર, 10 એપ્રિલ, 2024

આર્યોનો લાભ લેવો - દેવદત્ત પટ્ટનાઈક

 વિશ્વભરના વિદ્વાનો મધ્ય એશિયાથી પશ્ચિમ તરફ યુરોપ તરફ અને પૂર્વ તરફ ઈરાન અને ભારત તરફ ફેલાયેલી હિંદ - યુરોપીય ભાષાઓના પરિવાર વિશે વાત કરે છે જે છે. અહીં એક વાતની ભારપૂર્વક નોંધ લેવી રહી કે તેઓ ભાષાની વાત કરે છે, જાતિની નહીં. ઉદાહરણ તરીકે, દરેક વ્યક્તિ જે અંગ્રેજી જાણે છે તે 'અંગ્રેજી' જાતિના નથી. તેમ છતાં, રાજકારણીઓ અને સાહિત્યકારો લોકપ્રચલિત વિવરણોમાં આર્ય જાતિના વિચારનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે.


૧૯મી સદીના યુરોપિયનો દ્વારા રજુ થયેલ પ્રથમ મત અનુસાર, આર્યો ઉત્તર યુરોપની, ગોરા અને સોનેરી વર્ણની શ્રેષ્ઠ જાતિ હતા. પહેલા ગ્રીકો-રોમનો અને પછી યહુદી અને ખ્રિસ્તી ધર્મને અનુસરતી સિમાઈટ જાતિઓ તેમના પર હાવી થઈ ગયી હતી. આ શ્રેષ્ઠ જાતિની યાદ ભારતમાં વેદોના રૂપમાં ટકી રહી હતી. જોકે ભારતીયોએ તો અસ્પૃશ્યતા અને મૂર્તિપૂજા જેવી પ્રથાઓથી પોતાને ભ્રષ્ટ કરી દીધા હતા. આર્ય જાતિ હોવું એ વિચારસરણીએ હિટલર અને નાઝી જર્મનીના ઉદયને વેગ આપ્યો, અને બીજા વિશ્વ યુદ્ધ પછી એ વિચારસરણી બધા માટે અણગમો બની ગઈ.

૧૯મી સદીથી ભારતીયોમાં લોકપ્રિય એવા બીજા મત અનુસાર, જ્યાં કોઈ જાતિ અને મૂર્તિ પૂજા નહોતી થતી અને 'સનાતન ધર્મ' અનુસરવામાં આવતો હતો એ 'શુદ્ધ' વૈદિક યુગનું હિંદુ ધર્મ એક ભ્રષ્ટ સ્વરૂપ છે. આ સિદ્ધાંત એ વિચાર સાથે અસહમત છે કે આર્યો યુરોપ અથવા મધ્ય એશિયામાંથી આવ્યા હતા. તે આક્રમણ, સ્થળાંતર અથવા વિદેશી આર્યોની માન્યતાને નકારી કાઢે છે. તે દલીલ કરે છે કે આર્યો ભારતમાં ઉદભવ્યા હતા અને તેઓ સમગ્ર વિશ્વમાં ભારતથી યુરોપ અને ઉત્તર ધ્રુવ પ્રદેશ સુધી ફેલાયેલા છે. જેઓ સામાન્ય રીતે ઉત્તર ભારતના છે, વિશેષાધિકૃત સમુદાયોમાંથી છે અને પોતે ગોરી ચામડીના છે એવા સમકાલીન રાષ્ટ્રવાદી લેખકો અને નવલકથાકારોમાં પણ આ સિદ્ધાંત લોકપ્રિય બની રહ્યો છે.

ત્રીજો સિદ્ધાંત દક્ષિણ ભારતનો છે, જે માને છે કે આર્યો ભારતમાં આક્રમણ કરનારા અથવા સ્થળાંતર કરનારા અથવા વિદેશીઓ ન હોઈ શકે, પરંતુ તેઓ ચોક્કસપણે ઉત્તર ભારતીયો છે જેમણે સિંધુ ખીણના શહેરોમાંથી દક્ષિણ ભારતીયોને વિસ્થાપિત કર્યા છે. આ વિવરણમાં, રામ એક શ્વેત આર્ય આક્રમણ કરનાર છે, અને રાવણ કાળી ચામડીની દક્ષિણી જાતિઓનું એવા નેતા તરીકે પ્રતિનિધિત્વ કરે છે, જેના પિતા આર્ય અને માતા દ્રવિડ હતા. જ્યારે હિંદી પટ્ટાના ઘણા લેખકો કહે છે કે કેવી રીતે રામે દક્ષિણ-ભારતીય રાક્ષસો દ્વારા અપાતી ધમકીઓને દૂર કરીને સંસ્કૃતિને જાળવી રાખી હતી, તમિલ લેખકોની એ દલીલ છે કે રામ આક્રમણ કરનાર અને રાવણ સ્થાનિક રક્ષક હતા.

ચોથો સિદ્ધાંત જાતિ વ્યવસ્થાને સમજાવવા માટે આર્યોનો ઉપયોગ કરે છે. અહીં, લેખકોએ દાવો કર્યો છે કે આર્ય આક્રમણકારોએ અસૂરોની જમીન પર કબજો જમાવ્યો અને તેમને નોકર (નીચલી જાતિ) બનાવી દીધા, અથવા તેમને જંગલો (જનજાતિ)માં ધકેલી દીધા, તે પહેલાં અસુરો મૂળ ભારતના શાસકો હતા. વિષ્ણુએ અસૂરોના સારા રાજા બલિ-રાજાને કપટ દ્વારા પરાજિત કરવા વામન નામના બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું તેની વાર્તાઓ પાછળનો તર્ક આ છે. આ ગોરી ચામડીની દુર્ગાનો કાળી ચામડીના મહિષાસુરને હરાવવાનો તર્ક છે, જે હવે કુખ્યાત મહિષાસુર શહીદ દિવસ તરફ દોરી જાય છે.

પાંચમો સિદ્ધાંત આર્યો અને તેમના વેદોને પિતૃસત્તા અને બ્રાહ્મણવાદ સાથે સરખાવે છે. તેઓ ચિત્રમાં આવ્યા તે પહેલાં, ભારત તાંત્રિક પરંપરાને અનુસરતું હતું, સમાજ વધુ સમાનતાવાદી હતો અને સ્ત્રીઓ પાસે વધુ સત્તા હતી. આર્યોના મર્દાનગીભર્યા દેવોએ પૂર્વ-વૈદિક, પૂર્વ-આર્ય સમયની દેવીઓને કેવી રીતે પ્રભાવિત કરેલ તે ઇન્દ્રએ ઉષા દેવી સાથે કરેલા દુર્વ્યવહાર જેવી કહાણીઓમાં જોઈ શકાય છે.
આમ વિવિધ સામાજિક ઘટનાઓને સમજાવવા માટે ‘આર્ય જાતિ’નો ઉપયોગ કરવામાં આવે છે.

ઇતિહાસકારો ભલે આ વંશીય સિદ્ધાંતોની મજાક ઉડાવે, પરંતુ એ બધી એવી શક્તિશાળી દંતકથાઓ છે જે ઇતિહાસના માર્ગને આગળ ધપાવે છે.

  • મિડ-ડે મિરરમાં ૨૬ માર્ચ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Leveraging the Aryans નો અનુવાદ પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા

·        અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૧૦ એપ્રિલ ૨૦૨૪

શુક્રવાર, 5 એપ્રિલ, 2024

અવળેથી કડીઓ જોડવાની શરૂઆત કરવાની નિપુણતા: અંતથી શરૂઆત કરીએ

 

ઉત્પલ વૈશ્નવ

આંખ સામે ચિત્ર ખડું કરવું, મોટે પાયે વિચારવું વગેરેના ફાયદા આપણને બધાંને ખબર છે.

પરંતુ ૯૦% લોકો સીધી લીટીમાં જ વિચારે છે - એક છેડેથી શરૂ અને બીજે છેડે અંત.

અહીં જ તક છુપાએલી છે. 

અવળેથી કડીઓ જોડવાની શરૂઆત કરવાની નિપુણતા કેળવીએ: અંતથી શરૂઆત કરીએ

અવળેથી કડીઓ જોડવી એ એક જાતનો ભુલભુલામણીના કોયડાનો સહેલોસટ ઉપાય છે. 'અંત' થી શરૂ કરીને રસ્તો ખોળતાં ખોળતાં 'શરૂઆત' સુધી પહોંચી જાઓ. જટિલ સમસ્યાઓને ઉકેલવાનો આ એક શક્તિશાળી ઉપાય છે. 

અવળેથી કડી જોડવાના ૩ આનુષંગિક લાભ:

૧. સમસ્યાઓ ઉકેલવાનાં કૌશલ્યમાં વધારો : અંતના લક્ષ્ય બિંદુ પર ધ્યાન આપવાથી મુશ્કેલ સમસ્યા નીવડી શકે એવાં મોટાં કામને નાનાં નાનાં કામોમાં વહેંચી નાખવાની કળા આવડવા લાગે છે. બીજા શબ્દોમાં એ સફ થતી અવળી એન્જિનિયરિંગ પ્રક્રિયા છે.
૨. આયોજન પ્રક્રિયા ધારદાર બને છે : પહેલાં 'અંત'ની કલ્પના કરો. તેનાથી કામોની ગોઠવણી સ્પષ્ટ બની જાય છે તેમ જ લક્ષ્ય સુધી પહોંચવા માટે શું શું જોઈશે તે સમજાઈ જાય છે. પરિણામ ? સુવ્યવસ્થિત, કાર્યદક્ષ આયોજન.
૩. સર્જનાત્મક કલ્પનાશક્તિ ખીલે છે : આ સીધી સટ રીત નથી. એ તો અભિનવ અભિગમ જ છે, જે અવનવા ઉપાયોને ખોળી લાવી શકે છે.

સ્ટીફન કોવીની અનુભવસિદ્ધ વાણી: "અંતને ધ્યાનમાં રાખીને શરૂઆત કરો."


"The 7 Habits of Highly Effective People"ની આ લગડી જેવી ટકોર અવળેથી કડીઓ જોડવાનું હાર્દ સમજાવી જાય છે. (પુસ્તક ન વાંચ્યું હોય તો હજુ પણ વાંચી જજો. આભાર પછીથી જ માનજો!)

તમારાં લક્ષ્યનું ચિત્રમાં મનમાં દોરો અને પછી તેને પહૉંચવાનાં દરેક પગલાંને એ લક્ષ્ય ભણી કેન્દ્રિત કરો. 

આ પણ અજમાવો: અવળું મનોમંથન 

લક્ષ્ય દખાય છે ને? આટલું કરશો તો લક્ષ્યવેધ નક્કી છે. 

બસ, પછી પુછો: "કયાં પગલાં અહીં સુધી લઈ આવ્યાં?" પગલાંનાં એ નિશાન પર ઊંધી ગણતરી માંડો. જે જે સીમાચિહ્નો અને પગલાંઓ આ કેડીએ મળતાં જાય તેને નોંધતાં જાઓ.

પરંપરાગત આયોજનને આમ ઊંધી બાજુએથી જોવાથી નવી સૂઝ ખુલવા લાગે છે અને સીધી સફર દરમ્યાન ચુકાઈ ગયેલાં પગલાં સ્પષ્ટપણે દેખાવા લાગે છે.

પાદ નોંધ: અવળી ગણતરી માંડતાં માંડતાં સવળી ગણતરીને હાંસિયામાં ન ધકેલી દેતાં. સમજી ગયાંને ! હા, આમ પણ, તમને તો ઈશારો જ બસ છે નેઃ😊

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ | ૫ એપ્રિલ, ૨૦૨૪

બુધવાર, 3 એપ્રિલ, 2024

જ્ઞાન સાથે રસ પણ પડે એવા વિરોધાભાસો - તાર્કિક વિરોધાભાસનાં કેટલાંક ઉદાહરણો : # ૬ એટલી જ નિશ્ચિતતા છે કે કાયમ તો કંઈ નિશ્ચિત નથી

 

અમેરિકાનાં બંધારણને બહાલી મળી ગયા બાદ બેન્જામીન ફ્રેંકલીને પોતાના મિત્રને લખેલું કે:આપણું નવું બંધારણ પ્રસ્થાપિત થઈ ચુક્યું છે, બધું એવું જણાય છે કે તે ટકાઊ નીવડશે, પણ આ દુનિયામાં મૃત્યુ અને કરવેરા સિવાય કશું જ નિશ્ચિત નથી. જોકે મૃત્યુ પણ ક્યારે અને કેમ આવશે એ ક્યાં ખબર છે. કરવેરાઓનું પણ એવું જ છે.

માનવ જાત, સતત, નિયમિતપણે બદલતી રહેતીકુદરતનો એક સાવ નાનો સરખો ભાગ છે. આ પરિવર્તનોમાં એક ચોક્કસ વલણ જોઈ શકાય - ઉનાળા પછી  ચોમાસું અને તે પછી શિયાળો દર વર્ષે આવે છે. કેટલી ગરમી કે ઠંડી પડશે કે કેટલો વરસાદ થશે એની નિશ્ચિતતા ક્યાં છે

આપણને ખબર છે કે અમુક બાબતો સાચી છે તો અમુક ખોટી છે; અને આ વિશે ઘણું બધું જ્ઞાન હોવા છતાં  એવી હજુ પણ કેટલી બાબતો છે જેનાં સાચાં કે ખોટાંપણાંની આપણને ખબર નથી. આપણે પણ કહીએ જ છીએ કે ભવિષ્યની બધી બાબતો વિશે આપણે ઓછે વત્તે અંશે અનિશ્ચિત છીએ, ભૂતકાળનું ઘણું બધું આપણાથી સંતાયેલું પડ્યું છે. તો વળી વર્તમાનની કેટલીય બાબતો વિષે આપણે પૂરી ખબર નથી. ચારે બાજુ અનિશ્ચિતતા છે અને તેનાથી કોઈ છૂટકારો પણ નથી. 

Dennis Lindley, અનિશ્ચિતતાની સમજણ Understanding Uncertainty (૨૦૦૬)[1]

અનિશ્ચિતતાને, મોટા મોટી, દેવાધીન, જ્ઞાનગત અને સત્ત્ત્વ મીમાંસા સંબંધિત, એમ ત્રણ કક્ષામાં વર્ગીકૃત કરવામાં આવે છે. 

જ્ઞાનગત અનિશ્ચિતતા આપણને જેમાં રસ છે એવા વિષય કે તંત્ર વ્યવસ્થાનાં જ્ઞાનના અભાવમાંથી ઉદ્ભવે છે. 

દેવાધીન અનિશ્ચિતતા સામાન રીતે કુદરતની ઘટનાઓની સહજ અનિયમિતતામાથી પેદા થાય છે..

સત્ત્ત્વની મીમાંસા સ્વરૂપ અનિશ્ચિતતા કાર્યપદ્ધાતિઓ કે માન્યતાઓના અનુચિત ઉપયોગમાંથી પરિણમે છે.

જોખમ અને અનિશ્ચિતતાની સરખામણી 

·        જો ઉચિત પગલાંઓ લેવાયાં હોય તો, જોખમ સાથે કામ પાડવુ પ્રમાણમાં સરળ અને સહેલું છે.. જ્યારે સામાન્યપણે જાણીએ છીએ તેમ, અનિશ્ચિતતા ભવિષ્યની ઘટનાઓ વિશે અજાણ હોવાને કારણે છે.

·        અમેરિકન અર્થશાસ્ત્રી, ફ્રેન્ક નાઈટના કહેવા મુજબ, જોખમ માપી શકાય અને એથી તેની સંખ્યાત્મક માત્રા ગણી શકાય છે, તેની સામેભવિષ્યની ઘટનાઓની આગાહી કરવી શક્ય નથી એટલે અનિશ્ચિતતા બાબતે આવું કંઈ નથી કરી શકાતું.

·        જોખમ તો લઈ શકાય કે ટાળી શકાય, પણ અનિશ્ચિતતા તો એવી પરિસ્થિતિ છે જેનો સામનો કર્યે જ છૂટકો થાય. 

·        સંભવિત પરિણામો જાણી શકાય એમ હોય એટલે જોખમ ઉઠાવવાથી ફાયદો કે નુકસાન, કંઈ પણ, થઈ શકે, જ્યારે અનિશ્ચિતતાનાં પરિણામોની સંભાવનાઓની ખબર જ નથી પડતી.

નિશ્ચિતતા અને અનિશ્ચિતતાની આટલી અમથી ચર્ચાથી જ એટલું તો નિશ્ચિતપણે ફલિત થાય છે ક આ બાબતોનાં અનેક પાસાં છે અને દરેક પાસાંને ખાસ્સાં ઊંડાણમાં ગયે જ સમજાય તેમ છે. એટલે, હાલ પુરતું તો વધારાનાં વાંચનની યાદી બનાવીને અટકવું જોઈશે.

  • Heisenberg Uncertainty Principle


પ્રોફેસર બ્રાયન સ્ક્મિડ્ટ વ્યવાહારૂ જીવનમાં અનિશ્ચિતતા શી રીતે કામ કરે છે તેનું જીવંત અને વ્યવહારૂ નિદર્શન રજુ કરે છે. 

  • Uncertainty is the only certainty | Mark Goh | TEDxYouth@Toronto

પોતાની કારકિર્દીના લક્ષ્યોની વાત આવે ત્યારે લોકો પાસે એક સમગ્રદર્શી આયોજનની રૂપરેખા તૈયાર હોય છે. માર્ક ગોહ અહીં બતાવે છે કે કારકિર્દીની બાબતમં કેમ હંમેશાં અનિશ્ચિતતા હોય જ છે, જોકે જરૂરી નથી કે તે હંમેશાં નુકસાનકારક જ હોય. તેની સાથે કેમ કામ લેવું તે સમજાવવા માટે તેઓ પોતાની અને આસપાસનાં લોકોની જીંદગીમાંથી જ ઉદાહરણો લે છે. તેમનું કહેવું છે કે અનિશ્ચિતતા પર ભલે આપણો કાબુ ન હોય, પણ તેના પર કેમ પ્રતિભાવ આપવો એ તો આપણા હાથમાં છે. 

  • Uncertainty: The Best Gift You Never Wanted | Dave Prakash | TEDxSanLuisObispo


  • Risk -- the anatomy of chance and uncertainty: Grant Statham at TEDxCanmore

દરરોજ આપણે બધાં અનિશ્ચિતતાનાં વાતાવરણમાં જ પસાંદગીઓ અને નિર્ણયો કરતાં રહીએ છીએ. અનિશ્ચિતતાનાં ડહોળાં પાણીમાંથી આપણે થોડા તર્ક અને થોડી સૂઝની મદદથી માર્ગ કાઢતાં રહીએ છીએ. ૦ અને ૧ વચેની આ જગ્યા એ જોખમનું ક્ષેત્ર છે, જેની સાથે આપણો રોજનો પનારો છે. પણ એ જોખમની નીચે છુપાયેલી તેની રચનાને કેટલાં સમજતં હશે? જોખમ શું છે અને આપણે જે નિર્ણયો લેવાના છે તે સંદર્ભમાં કેટલાં તેનું વિશ્લેષણ કરતાં હશે? આપણે જે પસંદગીઓ કરીએ છીએ તેમાં સંભાવનાઓ, પરિણામો, તેના તાપ કે છાયમાં ઉઘાડા ફરવું કે તેની સામે આપણી નિર્બળતાની શું ભૂમિકા છે અને શું તેનાં ફળ આવે છે? જકડી રાખતી આ રજૂઆતમાં, ગ્રાંટ સ્ટૅસ્થમ પોતાના જીવનકાળમાં વરિષ્ઠ જગ્યાઓએ અનુભવેલી જુદી જુદી કહાનીઓ, વિચારબીજો અને વિભાવનાઓને ચકાચૌંધ કરતી તસ્વીરો સાથે ગુંથીને આપણને જોખમનાં કેન્દ્ર સુધીની સફર કરાવે છે 


બુધવાર, 27 માર્ચ, 2024

ભક્તિને હિલોળે - દેવદત્ત પટ્ટનાઈક

પંઢરપુર આઠ સદી પહેલાં શરૂ થયેલ ભક્તિ સંપ્રદાયનું કેન્દ્ર છે. મરાઠી સાહિત્યનો જન્મ પણ આ ભક્તિ ભાવનામાંથી જ થયો હતો. સદીઓથી, દર વર્ષે, વરસાદની થોડા જ દિવસો પહેલાં, વારકરી તરીકે ઓળખાતા હજારો તીર્થયાત્રીઓ, હરિપથ (ભગવાન કૃષ્ણ-વિષ્ણુનો માર્ગ) ના અનુયાયીઓ, ગ્રામીણ મહારાષ્ટ્ર અને કર્ણાટકથી પંઢરપુર સુધી લાંબા અંતરની મુસાફરી કરે છે. દિંડી તરીકે ઓળખાતું, આ યાત્રાધામ ઉનાળાના આકાશમાં લહેરાતા ધ્વજની લાંબી લાઈનો, ભવ્ય ફૂલોથી સજ્જ બળદગાડાં અને પાલખીઓ, સફેદ વસ્ત્રો પહેરેલા, ચંદનથી અભિષેક કરાયેલા, તુલસીની માળા પહેરેલા, લ્યૂટ અને કરતાલ વગાડતાં વગાડતાં, પરંપરાગત ભજનો ગાતા પુરુષો અને રંગબેરંગી નવવારી સાડીઓમાં પોતામાં માથાં પર તુલસીના છોડ રોપેલ તાંબાપિત્તળના ઘડાઓને સંતોલન કરતી મહિલાઓ થકી જોવાલાયક બની રહે છે. તેઓ સ્થાનિક રીતે પાંડુરંગ વિઠ્ઠલ તરીકે ઓળખાતા કૃષ્ણને વંદન કરવા પ્રવાસ કરે છે. ભક્તો, કવિઓ પાસેથી તેમનો સંકેત લઈને, તેમને પ્રેમથી વિઠ્ઠા-આઈ તરીકે સંબોધે છે, જેનો અર્થ થાય છે માતા કૃષ્ણ. આમ કરીને ભક્તો તેમને, તમામ જાતીય જડતાને અતિક્રમીને, અમર્યાદ માતૃ શાણપણનું શ્રેય આપે છે.

વિઠ્ઠલ શબ્દની વ્યુત્પત્તિ રહસ્યમય છે. વિષ્ણુ, વિથુનું અપભ્રંશ હશે? ઈંટ માટે મરાઠી વિટ, જેના પર તે ઊભા છે, પર આધારિત હશે? અથવા તો પછી કદાચ વેદ પર? વધુ ગૂંચવણભર્યું તો એ છે કે શ્યામ-વર્ણવાળા કૃષ્ણને પાંડુરંગ - ગોરા રંગવાળા - કહેવામાં આવે છે; જોકે રંગની વિગતો ભક્ત માટે વાંધાકારક નથી. મહત્વની બાબત એ છે કે કૃષ્ણ પુંડલિક નામના ભક્તને મળવા માટે આ પ્રદેશમાં આવ્યા હતા, જેઓ તેમના વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવામાં ખૂબ વ્યસ્ત હતા તેથી તેમના દિવ્ય મહેમાન તરફ બહુ ધ્યાન આઆપી શકતા ન હતા. તેથી તેણે કૃષ્ણની દિશામાં એક ઈંટ ધકેલી અને તેને કહ્યું કે જ્યાં તે તેની ફરજો પૂર્ણ ન કરે ત્યાં સુધી રાહ જુઓ. તેથી બે હાથ વાળીને કૃષ્ણ રાહ જોતા રહ્યા, અને તેમના આદિરૂપ ભકત પોતાની રફ ફરે એ માટે હજુ પણ રાહ જોઈ રહ્યા છે. આમ, એ સમયનાં સાંસારિક નાટક દ્વારા, ઉચ્ચ પરમાત્મા ભક્ત સાથે જોડાય છે. મંદિરના જટિલ માનવશાસ્ત્રીય અને સમાજશાસ્ત્રીય સ્તરો વિશેની માહિતી આ વિષય પર રાં ચી. ઢેરેના પુસ્તક, વિઠ્ઠલ - એક મહાસમન્વય (હવે અંગ્રેજીમાં પણ, વિઠ્ઠલ - રાઈઝ ઑફ અ ફૉલ્ક ગોડ તરીકે અનુવાદિત) માં મળી શકે છે.
પંઢરપુરના વિઠ્ઠલા સાથે મારું જોડાણ ૧૯૩૦ અને અ૯૪૦ના દાયકામાં નિર્મિત બ્લેક એન્ડ વ્હાઇટ મરાઠી ફિલ્મોથી શરૂ થયું આ ફિલ્મોમેં બાળપણમાં દૂરદર્શન પર ટેલિકાસ્ટ થયેલી જોઈ હતી. આ ફિલ્મોમાં જ્ઞાનેશ્વર, તુકારામ, એકનાથ, સખુબાઈ, ચોખાનો મેળો અને ગોરા કુંભાર સહિત વિવિધ ભક્ત સંતોની વાર્તાઓ કહેવાઈ છે. મને યાદ છે કે આ બધાં પુરુષો અને સ્ત્રીઓ કેવી રીતે વિવિધ પૃષ્ઠભૂમિમાંથી આવ્યા છે: જેઓ ખેડૂતો, કુંભારો, મોચી અને પુજારીઓ હતાં. આજે મને અહેસાસ થાય છે કે ભારતની આઝાદી સમયે બનેલી આ ફિલ્મોમાં ફિલ્મ નિર્માતાઓ ભક્તિને સદીઓ પહેલા હતું એ રાજકારણ સાથે જોડી રહ્યા હતા. તેઓ આજે બહુ જ ફેશનેબલ છે એમ ગુસ્સો કરીને, આંદોલન કે હિંસા દ્વારા નથી કરતા , પરંતુ ભયાનક દુ:ખોનો સામનો કરીને પણ નમ્ર, પ્રેમાળ કોણીના ધક્કા દ્વારા, વિશ્વાસ અને ધીરજથી જન્મેલ, સામાજિક સુધારણાની વાત કરે છે.

ઉદાહરણ તરીકે ૧૩મી સદીના સંતકવિ જ્ઞાનેશ્વર અને તેમના ભાઈ-બહેનોની કથા લો. તેમના પિતા સંન્યાસી બની ગયા હતા પરંતુ તેમના ગુરુને જાણવામાં અવ્યું કે જ્ઞાનેશ્વરના પિતાએ પોતાની પ્ત્નીનો ત્યાગ કરીને સંન્યસ્ત લીધું છે ત્યારે તેમને ગૃહસ્થ જીવનમાં પાછા ફરવાનો આદેશ આપ્યો. બ્રાહ્મણ સમુદાયે આ રીતે પાછા ફરવાને સ્વીકાર્યું નહીં અને દંપતીને બહિષ્કૃત કર્યું. આ રીતે તેમના બાળકોનો ઉછેર બ્રાહ્મણોની જેમ જ પણ બ્રાહ્મણ જ્ઞાતિની બહાર થયો હતો, માતાપિતાને કહેવામાં આવ્યું હતું કે જો માતાપિતા તેમના પાપ માટે 'પ્રાયશ્ચિત' તરીકે પોતાનો જીવ દઈ દે તો આ સજા બદલી શકે. માતાપિતાએ તેમના બાળકોના જીવનને સુરક્ષિત કરવા માટે આત્મહત્યા કરી લીધી હતી, પરંતુ દુર્ભાગ્યે અનાથ બાળકો હજુ પણ જાતિના દરજ્જાથી વંચિત હતા. તેથી તેઓ બહારના જ રહ્યા. શું તેમનો ઉછેર 'નીચી જાતિ'ના મહારો દ્વારા કરવામાં આવ્યો હતો? આપણે તો ફક્ત અનુમાન કરી શકીએ છીએ. આવા બાળકોને મનમાં કડવાશ અને ગુસ્સો આવવો જોઈતો હતો પણ તેઓને એવી કડવાશ ન આવી. તેમના ગીતોમાં માત્ર પ્રેમ છે, માતા પ્રત્યેની ઝંખના છે, જેના કારણે કૃષ્ણ માતા-કૃષ્ણ બને છે. ભક્તિની શક્તિ આવી છે, ઘણી વાર તેનું ભાષાંતર સ્વાર્પણ તરીકે કરવામાં આવે છે, જે એકનિષ્ઠાને બદલે સામંતવાદી ભાવનાને ઉત્તેજિત કરે છે. જ્યારે હકીકતમાં તો તે તેના બાળક માટે માતાની જેમ સ્નેહ પણ છે.

પરંતુ જ્ઞાનેશ્વરે જ્યારે ભગવદ ગીતાનું ભાષાંતર કર્યું, જોકે ખરેખર તો એમ કહેવું જોઈએ કે તેના બદલે ફરીથી અર્થઘટન કર્યું, અને તેને સ્થાનિક મરાઠી ભાષામાં સુલભ બનાવ્યું ત્યારે તેમણે પ્રેમથી ભરપૂર એવો બળવો જ કર્યો હતો. દેવોની ભાષા, સંસ્કૃત,ને સામાન્ય લોકોની ભાષા દ્વારા બદલવામાં આવી હતી. આ પહેલા ક્યારેય પણ આવું કરવામાં આવ્યું ન હતું. ભાવાર્થ દીપિકા તરીકે જાણીતી, તે જ્ઞાનેશ્વરી તરીકે લોકપ્રિય બની. તેણે ભારતની આસપાસના ઘણા લોકોને પ્રાદેશિક ભાષાઓમાં ભારતની સંસ્કૃતિનાં વિવેકવિચારનો સંચાર કરવા માટે પ્રેરણા આપી.

સ્થાનિક ભાષાઓમાં ગીતો દ્વારા ભગવાનનો શબ્દ લોકો સુધી પહોંચાડવાની આ પ્રથા વ્યાપકપણે લોકપ્રિય બની હતી. આ ભક્તિ ગીતો આપણા માનવ અને દૈવી સ્વભાવ વચ્ચેના વિક્ષેપ (ભંગ)ને ઉલટાવે છે, એટલે એ ભક્તિગીતો અંભગ તરીકે ઓળખાય છે. મારું મનપસંદ ભક્તિગીત તુકારામનું ૧૭મી સદીમાં રચાયેલું ‘वृक्षवल्ली आम्हां सोयरीं[1] છે. અહીં કવિ કહે છે કે કેવી રીતે જ્યારે તે જંગલમાં એકાંતમાં ભટકતો હોય છે, પક્ષીઓ અને પ્રાણીઓનો સંગ માણતો હોય છે, તેના પગ નીચેની ધરતી અને ઉપરનું આકાશ, કૃષ્ણની કહાનીઓઓથી પોષાતું હોય છે, ત્યારે તેને ખ્યાલ આવે છે કે તેની શ્રેષ્ઠ વાતચીતો અને સૌથી ખરાબ દલીલો કેવી છે. પોતાના મન સાથે. આ રીતે ભગવાનની ભક્તિ આત્મ-ચિંતન અને આત્મ-સાક્ષાત્કારને સક્ષમ કરે છે.

તુકારામની વાર્તાઓમાં, લાંબા સમયથી દુઃખો સહન કરી રહેલી તેમની પત્ની વ્યાવહારિક, જુસ્સાદાર, દલીલો છે. પંતી કહે છે કે ભગવાનની ભક્તિમાં ડૂબી જવાને બદલે ભૂખથી ટળવળતાં પોતાનાં બાળકોને ખવડાવવો. બીજા શબ્દોમાં કહીએ તો, વિઠો-બા (આત્માના દેવ) થવા કરતાં પેટો-બા (પેટના દેવ) બનવું વધુ મહત્વપૂર્ણ છે. ભૌતિક વસ્તુઓ પ્રત્યે સંન્યાસીના આદર્શવાદી અભિગમ અને ગૃહસ્થના વ્યવહારુ અભિગમ વચ્ચેનો આ તણાવ જ્ઞાનેશ્વરની બહેન મુક્તાબાઈ દ્વારા રચિત ગીતોમાં પણ જોવા મળે છે, તેઓ જેઓ આગ્રહપૂર્વક કહે છે કે તેનો ભાઈ જ્યાં ધ્યાન કરી રહ્યો હોય તે ખંડનો દરવાજો ખોલે અને અન્ન રાંધવામાં તેને મદદ કરે.

દંતકથાઓ, અને તે દંતકથાઓ પર આધારિત ફિલ્મો, આપણને જણાવે છે કે જ્ઞાનેશ્વરે 'સમાધિ' લીધી અને સ્વેચ્છાએ તેમના નશ્વર દેહનો ત્યાગ કર્યો તેમાં તુકારામને વિષ્ણુએ પોતે જ પોતાના ગરુડ પર ઉપાડ્યા અને વૈકુંઠ લઈ ગયા એમ બતાવાય છે. આનો મતલબ શું થયો? ઈતિહાસકારો અને તર્કવાદીઓનું માનવું છે કે તુકારામની હત્યા બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી હતી અને જ્ઞાનેશ્વરે ધાર્મિક આત્મહત્યા કરી હતી આ દૃષ્ટિકોણનો ભક્તો દ્વારા હિંસક વિરોધ કરવામાં આવ્યો હતો. કદાચ આપણે નથી ઈચ્છતા કે આવા કઠોર વર્ણનો આપણા જીવનને વધુ ક્ડવાશ ભર્યું કરે. જ્યારે આપણે સમજીએ છીએ કે સમાનતા શક્ય નથી, ત્યારે આપણે બધા મુક્તિની ઝંખના કરીએ છીએ. કેટલાક તેને વાસ્તવિકતાનો અસ્વીકાર કહે છે, તો અન્ય કેટલાંક લોકો તેને યાત્રાળુઓના શ્રધ્ધાના માર્ગ પર આગળ વધતાં રહેવું કહે છે.

  • મુંબઈ મિરરમાં ૧૯ માર્ચ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Moved by bhakti નો અનુવાદ પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા

·        અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૨૭ માર્ચ ૨૦૨૪



[1] 'અભંગ તુકાયચે' આલ્બમમાં લતા મંગેશકરના સ્વરમાં, સંગીત - શ્રીનિવાસ ખળે

ચંદ્રકાન્ત કુલકર્ણી દ્વારા દિગ્દર્શિત મરાઠી ફિલ્મ 'તુકારામ'માં તુકારામ તરીકે જીતેન્દ્ર જોશી; પાર્શ્વ સ્વર - અનિરુધ જોશી - સંગીતઃ અશોક પટ્કી અને અવધૂત ગુપ્તે